ગુરુવારનો દિવસ અનેક રાશિ માટે શુભફળ લઈને આવ્યો છે. આજના દિવસે ગણેશજી કહે છે કે માતા પિતાને માન આપો અને આ સાથે જ કોઈનું દિલ ન દુભાય તેનું ધ્યાન રાખવાની પણ સલાહ આપે છે. ઓમ બૃહસ્પતયૈ નમઃ મંત્રના જાપથી પુણ્ય મળે છે. આ સિવાય શક્ય તે મુજબ ચણાની દાળનું દાન કરવાથી લાભ થાય છે.
મેષ :- (અ.લ.ઇ)
ધન સંબંધી વધારો થશે. સમસ્યાઓમાંથી માર્ગદર્શન મળશે. માતાની તબિયત બાબતે સાચવવું. પરિસ્થિતિમાંથી માર્ગ મળશે.
વૃષભ :- (બ.વ.ઉ)
ઉત્સાહમાં વધારો થશે. ભાઈઓ અને પરિવારનાં સભ્યોનો સહકાર મળશે. અમુલ્ય વસ્તુ મેળવવાની ઇચ્છા પૂર્ણ થશે. આજનાં દિવસે આપે મહત્વપૂર્ણ નિર્ણય ના લેવાં.