રવિવારનો દિવસ અનેક રાશિઓ માટે મિશ્ર ફળ લઈને આવ્યો છે. આ દિવસે ખાસ કરીને કર્ક અને મેષ રાશિના જાતકોએ સાવધાની રાખવાની જરૂર છે. જો તમે કોઈ પણ શુભ કામ કરવાનું વિચારો છો તો આજના દિવસે તે કામ ટાળો તે આવશ્યક છે. આ સાથે જ આજે આપના વાણી કે વર્તનથી કોઈનું દિલ દુભાય નહીં તેની ખાસ કાળજી રાખશો. સૂર્યદેવને અર્દ્ય આપવાની સાથે આજે ગોળનો વપરાશ ઓછો કરો તે આવશ્યક છે. ઓમ સૂર્યાય નમઃ મંત્રનો જાપ કરવાથી સારું ફળ મળી શકે છે. આજના દિવસે ગોળ, ઘઉં અને ફળનું દાન શુભ માનવામાં આવે છે.