સોમવાર અને અઠવાડિયાની શરૂઆતનો દિવસ અનેક રાશિને માટે શુભ ફળ લઈને આવ્યો છે. આ દિવસે મહાદેવજીને જળ ચઢાવવાથી લાભ થાય છે. જો તમે મહાદેવજીને જળની સાથે દૂધનો અભિષેક કરી શકો તો તે ઉત્તમ ગણવામાં આવે છે. આજના દિવસે ઓમ સોમાય નમઃ મંત્રનો જાપ કરવાથી અનેક ગણું ફળ મળે છે. ગળી વસ્તુઓનું દાન કરવાથી વધારે લાભ થઈ શકે છે.