શુક્રવાર અને લક્ષ્મીજીનો દિવસ અનેક રાશિ માટે લાભ લઈને આવ્યો છે. આજના દિવસે મહાલક્ષ્મીની ગુલાબના ફૂલથી પૂજા કરવાથી લાભ થાય છે. આ સાથે જ તૂટેલી વસ્તુઓનો ઉપયોગ ન કરવાની ગણેશજી સલાહ આપે છે. ઓમ શુક્રાય નમઃ મંત્રનો જાપ દિવસભર કરવાથી લાભ થઈ શકે છે. આજના દિવસે ચોખા અને દૂધનું દાન કરવું શુભ માનવામાં આવે છે.