શુક્રવાર અને ધનતેરસનો દિવસ અનેક રાશિ માટે ફાયદો લઈને આવ્યો છે. લક્ષ્મીદેવીનો દિવસ અને શુક્રવાર સાથે ધનતેરસનો સંયોગ આ દિવસને ખાસ બનાવે છે. તૂટેલી વસ્તુઓનો ઉપયોગ ના કરવો જોઈએ. ઓમ શુક્રાય નમઃ મંત્રનો જાપ કરવાથી અનેક ગણો લાભ થાય છે. આ દિવસે ચોખા અને દૂધનું દાન કરવાથી લાભ થાય છે. આ દિવસે મહાલક્ષ્મીની ગુલાબના પુષ્પથી પૂજા કરવાથી લાભ થશે. તો જાણી લો આ ખાસ દિવસે તમારી રાશિ તમને શું આપશે.
મેષ (અ.લ.ઇ)
પ્રોપર્ટીને લગતા કામકાજમાં રાહત થશે. શત્રુઓ ઉપર વિજય મેળવશો. પારિવારિક તનાવ અને માનસિક અશાંતિ રહેશે. આજનાં દિવસે ખોટા લોકોથી દૂર રહો.