શુક્રવાર લક્ષ્મીજીનો વાર હોવાથી પૂજામાં મહાલક્ષ્મીની ગુલાબના ફૂલથી પૂજા કરવાનું શુભ માનવામાં આવે છે. આ દિવસે કોઈપણ તૂટેલી વસ્તુઓના ઉપયોગથી બચવું. ઓમ શુક્રાય નમઃ મંત્રનો શક્ય તેટલી વખત જાપ કરવાથી વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે. આ ઉપરાંત શુક્રવારના દિવસે યથાશક્તિ ચોખા અને દૂધનું દાન કરવાનું વિશેષ મહત્વ ગણાવવામાં આવ્યું છે. આ સાથે જાણી લો તમારી રાશિ આજે તમારા માટે શું વિશેષ લાવી છે.