નાગરિકતા સંશોધન કાયદા (CAA) વિરોધને કારણે દેશના ઘણાં ભાગોમાં ઇન્ટરનેટ સેવા અસ્થાયી રૂપે બંધ કરવામાં આવ્યું છે. હાલમાં જ સમાચાર આવ્યા છે કે ગુજરાત સરકાર પણ 3 દિવસ માટે ઈન્ટરનેટ સેવા બંધ કરી શકે છે. ઈન્ડિયન કાઉન્સિલ ફોર રિસર્ચ ઓન ઈન્ટરનેશનલ ઈકોનોમિક રિલેશન્સ સહિતની બે થિંક ટેન્ક સંસ્થાઓના સંશોધન મુજબ, ઈન્ટરનેટ પ્રતિબંધમાં ભારત મોખરે છે, પરંતુ શું તમે જાણો છો કે સરકાર ઇન્ટરનેટ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય કેવી રીતે લે છે. ઇન્ટરનેટને સ્થગિત કરવાની એક પ્રક્રિયા છે, જેનું પાલન કરીને આ પ્રતિબંધ લાગુ કરવામાં આવે છે. જેથી અહીં અમે તમને જણાવીશું કે ભારતમાં ઈન્ટરનેટ કઈ રીતે બંધ કરવામાં આવે છે.
ઈન્ટરનેટ પ્રતિબંધમાં ભારત મોખરે છે
ઇન્ટરનેટને સ્થગિત કરવા ફોલો કરવી પડે છે પ્રક્રિયા
2017 પહેલાં અલગ નિયમ હતો
દેશમાં કઈ રીતે ઇન્ટરનેટ પર લાગે છે પ્રતિબંધ?
કેન્દ્ર અથવા રાજ્યના ગૃહ સચિવ ઇન્ટરનેટ પ્રતિબંધનો આદેશ આપે છે.
આ ઓર્ડર એસપી અથવા તેથી ઉપરના અધિકારી દ્વારા મોકલવામાં આવે છે. ત્યારબાદ અધિકારી સર્વિસ પ્રોવાઈડરને ઈન્ટરનેટ સર્વિસ બ્લોક કરવા અંગે જણાવે છે.
ઓર્ડર આગામી કાર્યકારી દિવસની અંદર કેન્દ્ર અથવા રાજ્ય સરકારની સમીક્ષા પેનલને મોકલવામાં આવે છે. આ સમીક્ષા પેનલએ 5 કાર્યકારી દિવસોમાં તેની સમીક્ષા કરવાની હોય છે. કેન્દ્ર સરકારની સમીક્ષા પેનલમાં કેબિનેટ સચિવ, કાયદા સચિવ અને દૂરસંચાર સચિવનો સમાવેશ થાય છે. જ્યારે, રાજ્ય સરકારે આપેલા આદેશની સમીક્ષા પેનલમાં મુખ્ય સચિવ, કાયદા સચિવ અને અન્ય એક સચિવનો સમાવેશ થાય છે.
ઈમરજન્સી શું થાય છે?
ઈમરજન્સીની સ્થિતિમાં, કેન્દ્ર અથવા રાજ્યના ગૃહ સચિવ દ્વારા અધિકૃત સંયુક્ત સચિવ ઇન્ટરનેટ પર પ્રતિબંધ મૂકવાનો આદેશ આપી શકે છે. જોકે, આ માટે તેઓએ 24 કલાકની અંદર કેન્દ્ર અથવા રાજ્યના ગૃહ સચિવની મંજૂરી લેવી પડશે.
2017 પહેલાં અલગ નિયમ હતો
વર્ષ 2017 પહેલાં જિલ્લાના ડીએમ ઇન્ટરનેટ બંધ કરવાનો આદેશ આપે છે. 2017માં સરકારે ભારતીય ટેલિગ્રાફ એક્ટ 1885 હેઠળ ટેલિકોમ સર્વિસીસ (પબ્લિક ઇમરજન્સી અથવા પબ્લિક સેફ્ટી)ના નિયમ તૈયાર કર્યા. આ પછી હવે ફક્ત કેન્દ્ર અથવા રાજ્યના ગૃહ સચિવ અથવા તેમના દ્વારા અધિકૃત ઓથોરિટી ઇન્ટરનેટ બંધ કરવાનો આદેશ આપી શકે છે.