જ્યોતિષશાસ્ત્રમાં શ્રદ્ધા ધરાવનારા લોકો રોજ પોતાના રાશિભવિષ્ય પર નજર નાખી લેતા હોય છે. ભાગ્યે જ કોઈને કોઈ બીજાનું ભવિષ્ય જાણવામાં રસ હશે. પરંતુ હવે એ સમય પણ આવી ગયો છે કે આપણે નેતાનાઓનું ભવિષ્ય પણ જાણવુ પડે.
ગ્રહો બદલી રહ્યા છે ચાલ
2020માં થશે મોટા ફેરફાર
નેતાઓની બદલાશે ગ્રહદશા
કેમકે આ લોકશાહી દેશમાં નેતાઓની દરેક ચાલ આપણા જીવન પર અસર કરતી હોય છે. ત્યારે ચાલો આજે એ જાણવાનો પ્રયાસ કરીએ કે આપણા કેટલાક નેતાઓના ગ્રહોની કેવી રહેશે ચાલ. જે કરશે નેતાઓના ભવિષ્ય પર અસર.
ભારતની રાજનીતિમાં મોટા ફેરફારના સંકેત
જ્યોતિષ શાસ્ત્રની દ્રષ્ટીએ વર્ષ 2020ની શરૂઆતમાં ધન રાશિમાં 5 મોટા ગ્રહોનો મેળાવડો જામશે અને આગળ જતા 25 જાન્યુઆરીએ તે મકર રાશિમાં પ્રવેશ કરશે. જેના કારણે મોટા રાજકીય અને સામાજિક પરિવર્તનો આવેશે તેવા સંજોગો ઊભા થશે. જાન્યુઆરીની મધ્યમાં ચંદ્ર ગ્રહણ અને જૂન મહિનામાં સૂર્યગ્રહણ થશે. આ ગ્રહણ ભારતની રાજનીતિમાં મોટા ફેરફારના સંકેત આપી રહ્યા છે. આ ગ્રહણ 2020માં દેશના મોટા નેતાઓની કારકિર્દી પર અસર કરી શકે છે . એવું જ્યોતિષશાસ્ત્રીઓનું માનવું છે.
પડોશીદેશ સાથે સંબંધો તણાવપૂર્ણ
ગ્રહોની આ ચાલની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર થનાર વિશે અભ્યાસ કરીએ. પીએમ મોદીનો જન્મ 17 સપ્ટેમ્બર, 1950માં વૃશ્ચિક લગ્નમાં થયો હતો. વર્તમાનમાં તેમની કુંડલીમાં ચંદ્રમાં શુક્રની વિશોંત્તરી દશા જૂન 2020 સુધી ચાલશે. જેની અસરરૂપે પડોશીદેશ ચીન અને પાકિસ્તાન સાથે સંબંધો તણાવપૂર્ણ રહેશે. 2020ના મધ્યમ સુધીમાં પાક. અને ચીન સાથે ઘર્ષણની સંભાવનના વધારી શકે છે. પાડોશી દેશ સાથે ઘર્ષણની સ્થિતિ પીએમ મોદીની રાજકીય કારકિર્દી સામે પડકાર સર્જી શકે છે.
રાહુલ ગાંધી માટે 2020 વર્ષ કપરું
હવે વાત કરીએ કોંગ્રેસનેતા રાહુલગાંધીની. રાહુલગાંધીનો જન્મ 19 જૂન 1970માં તુલા લગ્નમાં થયો હતો. રાહુલ ગાંધીના યોગ વર્તમાનમાં રાહુના કઠિન વિશોંત્તરી દશામાં ચાલી રહ્યા છે. જે રાહુલ ગાંધી માટે કષ્ટદાયક સાબિત થશે. જાન્યુઆરીનું ચંદ્રગ્રહણ અને જૂનનું સૂર્યગ્રહણ રાહુલની મુશ્કેલીમાં વધારો કરી શકે છે. કોર્ટકેસ અને અન્ય વિવાદોમાં ઢસડી શકે છે. જો કે 2020ના અંત સુધીમાં રાહુલ ગાંધીને રાહત મળી શકે છે.
અમિતશાહે સ્વાસ્થ્ય સંબંધે રહેવું સચેત
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતશાહની કાર્યશૈલી જેમજ તેમની જન્મકુડળી પણ અત્યંત વિલક્ષણ છે. અમિતશાહની જન્મકુંડળીમાં બે મોટા સ્થાને પરિવર્તનના યોગ બની રહ્યા છે. જો કે વર્તમાન યોગ કહે છે કે, હાલ તેમનો રાહુ ચંદ્રની દશામાં ચાલી રહ્યો છે.. આથી ગ્રહદશા જોતાં અમિતશાહે સ્વાસ્થ્ય સંબંધે સચેત રહેવું પડશે. અષ્ટમભાવમાં ચંદ્રમાની અંતરદશાના ચાલી રહી છે. જેનાકારણે તેમના દ્વારા પસાર કરાયેલા નાગરિકતા બિલ પર સુપ્રીમ કોર્ટ કોઈ પ્રતિકૂળ નિર્ણય આપી શકે છે.. જેના કારણે તેમણે પોતાની નીતિઓમાં અને બિલમા કેટલાક પરિવર્તન કવા પડી શકે છે.
નીતિશકુમાર માટે 2020નું વર્ષ સુખદ
નીતિશકુમારની વાત કરીએ તો તેમની કુંડલીમાં ભાગ્યભાવનો સ્વામી સિંહાસના ચોથા ઘરમાં પડયો છે. વર્તમાનમાં રાહુમાં બુધની શુભ વિંશોત્તરી દશા ચાલી રહી છે..જેના કારણે નીતિશકુમાર માટે 2020નું વર્ષ સુખદ રહેશે. વર્ષના અંતમાં યોજાનારી બિહાર વિધાનસભા ચૂંટણીમાં જેડીયુ સારું પ્રદર્શન કરી શકે છે. જૂન મહિનાના અંતમાં નિતિશ કેટલાક વિવાદમાં ફસાઈ શકે છે. નાગરિકતા કાનૂન અને એનઆરસી મુદ્દે ભાજપ સાથે મતભેદ વધી શકે છે.
અરવિંદ કેજરીવાલની હાલ ચાલતી ગ્રહદશાની વાત કરીએ તો ગુરુમાં ચંદ્રની શુભ દશા અરશવદ કેજરીવાલને કેટલીક રાહત આપશે..2020ના આરંભમાં દિલ્લીમાં વિધાનસભા ચૂંટણી યોજાઈ શકે છે. દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં કેજરીવાલ ઉત્તમ પ્રદર્શન કરી શકે છે..તેમની ગ્રહદશા લાંબી રાજકીય કરિયર સર્જવાના સંકેત આપી રહી છે..
ઉદ્ધવ ઠાકરે બની શકે લોકપ્રિય મુખ્યમંત્રી
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે પર હાલ બુધની શુભ દ્રષ્ટી છે. જે લોકપ્રિય મુખ્યમંત્રી બનવાના સંકેત આપી રહી છે. જો કે, ગુરુમાં કેતુની કઠિન દશા ગઠબંધન સરકાર ચલાવવામાં મુશ્કેલી સર્જી શકે છે. 2020માં ઉદ્ધવને સાથી પક્ષો દ્વારા સમયાંતરે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. 2020ના અંત સુધીમાં શુક્રની પરિવર્તનકારી દશા સર્જાશે જેના કારણે ઉદ્ધવ સરકારની સ્થિરતા પર સંકટ સર્જી શકે છે.