ગુજરાત માધ્યમિક માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષાના પરિણામ જૂન મહિનામાં જાહેર થઈ શકે છે.
માર્ચ મહિનામાં યોજાયેલી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષાના પરિણામને લઈને મોટા અપડેટ સામે આવ્યા છે. ગુજરાત માધ્યમિક માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષાના પરિણામ જૂન મહિનામાં જાહેર થઈ શકે છે. વિગતો મુજબ ધોરણ 10 અને 12ના પરિણામો જૂનના પ્રથમ અઠવાડીયામાં જાહેર થઈ શકે છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થયા બાદ એવું કહેવામાં આવી રહ્યું હતું કે, મે મહિનાના ચોથા સપ્તાહમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવી શકે છે, જ્યારે ધોરણ 10નું પરિણામ પણ મે મહિનાના ચોથા સપ્તાહમાં જાહેર થઈ શકે છે. જોકે, હવે આ મામલે નવું અપડેટ આવ્યું છે.
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ બે દિવસના ગુજરાતના પ્રવાસે છે. આ પ્રવાસ દરમિયાન તેઓ અનેક વિકાસ કાર્યનાં લોકાર્પણ, ખાતમુહૂર્ત સહિત અનેક કાર્યક્રમમાં હાજરી આપી હતી. અમિત શાહના પ્રવાસ દરમિયાન અંદાજે ૫૦૦ કરોડનાં વિકાસકાર્યની ભેટ અમદાવાદીઓને મળશે. અમિત શાહના ગુજરાત પ્રવાસની શરૂઆત ગઈકાલે સવારે દ્વારકામાં ભગવાન દ્વારકાધીશના દર્શનથી થઈ હતી. દ્વારકામાં તેઓ નેશનલ એકેડમી ફોર કોસ્ટલ પોલિશિંગ કચેરીનું ખાતમુહૂર્ત કર્યું હતું.ત્યાર બાદ તેઓ તેમના સંસદીય મત વિસ્તાર ગાંધીનગરમાં એક નવી પહેલ શરૂ કરી. આ અંતર્ગત બોરીજ ગામની પ્રાથમિક શાળામાં જરૂરિયાતમંદ બાળકોને રમકડાંનું વિતરણ કર્યું. જ્યારે સાંજે છ વાગે ગાંધીનગર સિવિલ હોસ્પિટલના ઓડિટોરિયમમાં ગાંધીનગર મહાનગરપાલિકાએ તૈયાર કરેલા વિવિધ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. અમિત શાહ રાત્રે ૮ વાગે ગાંધીનગર ઉત્તર વિધાનસભા આયોજિત ક્રિકેટ પ્રીમિયર લીગમાં ઉપસ્થિત રહ્યા હતા.આજે રવિવારે અમિત શાહના પ્રવાસના બીજા દિવસે અમદાવાદના ચાંદખેડામાં લોકાર્પણ કાર્યક્રમ યોજાશે. બપોરે ૧૨.૪૫ વાગ્યે તેઓ ચાંદખેડામાં જીએસઆરટીસીનીની નવી ૩૨૦ બસનું લોકાર્પણ કરશે. ત્યાર બાદ બપોરે ૧.૧૫ વાગ્યે તેઓ ભાટ ખાતે અમૂલ ફેડ ડેરીના કાર્યક્રમમાં હાજરી આપશે. અમિત શાહના હસ્તે ડેરીની અત્યાધુનિક ઓર્ગેનિક ટેસ્ટિંગ લેબોરેટરીનું લોકાર્પણ થશે.
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી @AmitShah નો ગુજરાત પ્રવાસ
ગુજરાતમાં વધુ એક પરીક્ષામાં ગેરરીતિનો પર્દાફાશ થયો છે. ગુજરાતની વીજ કંપનીની ઓનલાઇન પરીક્ષામાં ગેરરીતિ થઈ હોવાનું સામે આવતા સુરત ક્રાઈમ બ્રાન્ચે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. પરીક્ષામાં થયેલી ગેરરીતિનો ક્રાઇમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે.સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ મામલે બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. વીજ કંપનીની ઓનલાઈન પરીક્ષાઓમાં ગેરરીતિ કરનારા બે ઝડપાયા છે. આ મામલે ક્રાઈમ બ્રાન્ચના DCP રૂપલ સોલંકી પ્રેસ કોન્ફરન્સ યોજીને માહિતી આપી છે.આ મામલે DCP રૂપલ સોલંકીએ માહિતી આપતા જણાવ્યું છે કે, સુરત ક્રાઈમ બ્રાન્ચના PI ફરિયાદી બન્યા છે. ઈન્દ્રવદન પરમાર, ઓવેશ કાપડિયાની ધરપકડ કરવામાં આવી છે. વીજ કંપનીની ઓનલાઈન પરીક્ષામાં ગેરરીતિમાં કુલ 11 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે. આ પરીક્ષા વર્ષ 2022-2021માં યોજાઈ હતી. પરીક્ષા રાજ્યના વિવિધ સેન્ટરોમાં લેવાઈ હતી. માત્ર સુરત જ નહીં અમદાવાદ, વડોદરામાં પણ ગેરરીતિ આચરવામાં આવી હતી. બે પરીક્ષા કેન્દ્રોમાં ગેરરીતી આચરવામાં આવી હતી.
બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીના ગુજરાતમાં દિવ્ય દરબાર યોજાવા જઈ રહ્યા છે. અત્યાર સુધી એવા સમાચાર સામે આવ્યા હતા કે બાબા બાગેશ્વરના અમદાવાદ, સુરત અને રાજકોટમાં દિવ્ય દરબાર ભરાશે. જોકે, હવે આમાં વડોદરાનું નામ પણ ઉમેરાયું છે. બાગેશ્વર ધામ સરકારના પીઠાધીશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી વડોદરામાં પણ દિવ્ય દરબાર યોજશે. વડોદરામાં 3 જૂને ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર ભરાશે. વડોદરાના નવલખી ગ્રાઉન્ડમાં બાબા બાગેશ્વરના દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવ્યું છે. 26 મે બાદ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના સેવકો વડોદરા આવશે. બાબા બાગેશ્વરના કાર્યક્રમને લઈને નવલખી મેદાનમાં તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ મામલે આયોજક કમલેશ પરમારનું નિવેદન સામે આવ્યું છે. કમલેશ પરમારે જણાવ્યું કે, મેં મહારાષ્ટ્રના મીરા રોડ અને અંબરનાથ ખાતે દિવ્ય દરબારમાં હાજરી આપી હતી. જે બાદમાં વડોદરામાં દિવ્ય દરબારનું આયોજન કરવાનું મન બનાવ્યું છે. આ માટે શહેર ભાજપની ટીમે સહયોગ આપવા કહ્યું એટલે હિંમત થઈ છે. 3 જૂનના રોજ સાંજે 5થી 9 વાગ્યે નવલખી મેદાનમાં બાબા બાગેશ્વરનો દિવ્ય દરબાર ભરાશે. દિવ્ય દરબારમાં ખૂબ મોટી સંખ્યામાં વડોદરાવાસીઓ જોડાશે.
વર્તમાનમાં લાંચ લેવાના કિસ્સાઓ વધી રહ્યાં છે, મોટા મોટા અધિકારીઓ વિવિધ કામકાજ માટે લાંચ લેવાના કિસ્સાઓ સામે આવી રહ્યાં છે. રાજકોટમાં PF કચેરીના ડેપ્યુટી કમિશનરનો વેચેટીયાને ઝડપ્યો છે. CBIએ ડેપ્યુટી કમિશનરની ઓફિસે ટ્રેપ ગોઠવાઈ હતી. જે CBIની ટ્રેપમાં 2 લાખની લાંચ લેતો ચિરાગ જસાણી નામનો વચેટિયો ઝડપાયો હતો.એજન્ટે 12 લાખ રૂપિયામાં કોન્ટ્રાક્ટર સાથે સેટિંગ કર્યું હતું. જેમાં 12 લાખમાંથી 2 લાખ રૂપિયા લેવા સમયે CBIએ ધરપકડ કરી હતી. PFના ડેપ્યુટી કમિશનર નિરંજનસિંઘ CBIની પકડથી દૂર છે. તેમજ CBIએ ડેપ્યુટી કમિશનરનું મકાન સીલ કર્યું છે. અત્રે તમને જણાવી દઈએ કે, વચેટિયા ચિરાગ જસાણીને અમદાવાદની કોર્ટમાં રજૂ કરાયો છે. અમદાવાદ કોર્ટે ચિરાગના 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
મધમાખી દિવસની ઉજવણી નિમિતે બનાસ ડેરી, NBB અને રાષ્ટ્રીય મધ બોર્ડના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ કાર્યક્રમમાં કેન્દ્રીય કૃષિ અને કિસાન કલ્યાણ મંત્રી નરેન્દ્રસિંહ તોમરની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં બાદરપુરા બનાસ સંકુલ ખાતે રૂ. 1.00 કરોડના ખર્ચથી નિર્મિત રાજ્યની સૌ પ્રથમ મધ લેબનું વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
સરકાર વિવિધ એપ્લિકેશનો પર પ્રતિબંધ ફરમાવ્યો છે તેમજ સ્પષ્ટ નિર્દશો પણ જણાવેલા છે, છતાં પણ ચીની ગેમ્બલિંગ અને બેટિંગ સાઈટ પર સટ્ટા કાંડ થતો હોય તેવું જણાઈ રહ્યું છે. અમદાવાદમાં સટ્ટાકાંડને લઈ વીટીવી પાસે વધુ એક મહત્વના સમાચાર સામે આવ્યા છે, શહેરના વિવિધ વિસ્તારોમાં ઠેર-ઠેર બેટિંગ એપ્લિકેશનના પોસ્ટરો લાગ્યા છે. જે બેટિંગ એપ પર સરકારે પ્રતિબંધ ફરમાવેલો હોવા છતા બોર્ડે લાગેલા જોવા મળી રહ્યાં છે.ભારત સરકારે બેન કરેલી ચીની એપ્લિકેશન Lotus365ના શહેરના વિવિધ વિસ્તારોમાં પોસ્ટર લાગ્યા છે. કોમર્સ છ રસ્તા, AEC, યુનિવર્સિટી વિસ્તારમાં ઓનલાઈન બેટિંગ એપ્લિકેશનના પોસ્ટર લાગ્યા છે તેમજ AMTSના બસ સ્ટોપો પર પણ એપ્લિકેશનના પોસ્ટર લાગેલા જોવા મળી રહ્યાં છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જાપાનનાં PM ફુમિયો કિશિદા સહિત UKનાં PM ઋષિસુનક, જો બાઈડન અને વિવિધ દેશનાં અનેક દિગ્ગજો સાથે મુલાકાત કરી હતી. એટલું જ નહીં PM મોદીએ જાપાનમાં મહાત્મા ગાંધીની મૂર્તિનું ઉદ્ધાટન પણ કર્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જાપાનનાં PM ફુમિયો કિશિદા સાથે મુલાકાત કરી હતી. બંને નેતાઓએ વેપાર, અર્થવ્યવસ્થા અને સંસ્કૃતિ સહિત વિવિધ ક્ષેત્રોમાં ભારત-જાપાનની મિત્રતાને પ્રોત્સાહન આપવાનાં ઉપાયો પર ચર્ચા કરી હતી. એટલું જ નહીં PM મોદીએ હિરોશિમામાં જાપાની લેખક, હિંદી અને પંજાબી લિંગુઈસ્ટિક પદ્મ પુરસ્કાર વિજેતા તોમિયો મિઝોકામી સાથે પણ મુલાકાત કરી હતી.
Had an excellent meeting with PM @kishida230 this morning. We reviewed the full range of India-Japan relations and also discussed the focus areas of India’s G-20 Presidency and Japan’s G-7 Presidency towards making our planet better. pic.twitter.com/2vFF2WQst5
સુપ્રીમ કોર્ટે કહ્યું કે 'SC/ST Act 1989ની જોગવાઈઓ અનુસાર કોઈ વ્યક્તિની વિરુદ્ધમાં કેસ ચલાવવાથી પહેલા ચાર્જશીટમાં એ શબ્દોનો ઉલ્લેખ પણ જરૂરી છે જે આરોપીએ લોકોની સમક્ષ ઉચ્ચાર્યા હોય. તેનાથી કોર્ટને ખબર પડશે કે તે SC/ST એક્ટ અંતર્ગત ગુનો બને છે કે નહીં.' હાલમાં અનુસૂચિત જાતિ/જનજાતિની સામે અભદ્ર ભાષા ઉચ્ચારનારા વ્યક્તિની સામે ચાલી રહેલા કેસ દરમિયાન સુપ્રિમ કોર્ટે સુનાવણી દરમિયાન કેટલીક વાતોની સ્પષ્ટતા કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે એક વ્યક્તિ વિરુદ્ધ SC/ST એક્ટની કલમ 3(1)(10) અંતર્ગત ચાર્જશીટ દાખલ થઈ હતી. આ કલમ કોઈપણ એસસી, એસ.ટીનાં સદસ્યનું અપમાન કરવાનાં ઉદેશ્યથી સાર્વજનિક રૂપે જાણી જોઈને જાતિગત અપમાન કરવા કે ધમકી આપવા સંબંધિત હોય છે. આ કેસની સુનાવણી દરમિયાન જસ્ટિસ રવિન્દ્ર ભટ અને જસ્ટિસ દીપાંકર દત્તાની બેંચે કહ્યું કે જ્યાં સુધી પીડિતને માત્ર એસ.સી કે એસ.ટી હોવાને કારણે ,સાર્વજનિક ધોરણે અપમાન કે ધમકી આપી નહોય ત્યાં સુધી આ એક્ટની કલમ 3(1)(10) અંતર્ગત ગુનો નથી બનતો.
કર્ણાટકમાં નવી સરકારની રચના થઈ ગઈ છે. સિદ્ધારમૈયાએ સીએમ અને ડીકે શિવકુમારે ડેપ્યુટી સીએમ તરીકે શપથ લીધા. તેમની સાથે આઠ કેબિનેટ મંત્રીઓએ પણ શપથ લીધા છે. શપથ ગ્રહણ સમારોહમાં રાહુલ અને પ્રિયંકાએ પણ હાજરી આપી હતી. કર્ણાટકની જનતાનો આભાર માનતા રાહુલ ગાંધીએ કહ્યું કે જનતાએ કોંગ્રેસને સમર્થન આપ્યું છે. કોંગ્રેસે પોતાના ઢંઢેરામાં આપેલા પાંચ વચનો અંગે રાહુલ ગાંધીએ એમ પણ કહ્યું કે અમે જે કહીએ છીએ તે કરીએ છીએ. આગામી થોડા કલાકોમાં કેબિનેટની બેઠક મળશે. આ પછી તે પાંચ વચનોની જાહેરાત કરવામાં આવશે.રાહુલ ગાંધીએ કહ્યું કે અમારી પાસે સત્ય હતું અને ગરીબ લોકો હતા. ભાજપ પાસે સંપત્તિ અને સંપૂર્ણ સત્તા હતી. રાહુલે કહ્યું કે તેમની (ભાજપ) નફરત અને ભ્રષ્ટાચારની હાર થઈ છે. તેમણે કહ્યું કે નફરતની હાર થઈ છે અને પ્રેમની જીત થઈ છે. રાહુલે કર્ણાટકની જનતાને સંબોધતા કહ્યું કે તમે છેલ્લા પાંચ વર્ષમાં ઘણો ભ્રષ્ટાચાર સહન કર્યો છે. અમે જે કહીએ છીએ તે કરીએ છીએ. રાહુલે કહ્યું કે બે કલાકમાં કેબિનેટની બેઠક થશે અને તે બેઠકમાં અમારા દ્વારા કરવામાં આવેલા પાંચ વચનો પૂરા કરવામાં આવશે. આ સરકાર કર્ણાટકની જનતાની સરકાર છે.
We are indebted to the support and trust given to us by the people of Karnataka.
We will serve them and work towards fulfilling their aspirations.
We will implement our guarantees and make sure that justice and social welfare prevails. pic.twitter.com/oBBnjjijFJ
ભારતીય વાયુસેનાએ ઉડાન દરમિયાન સતત દુર્ઘટનાઓનો શિકાર બની રહેલા મિગ-21 વિમાનોના સમગ્ર કાફલાની ઉડાન પર પ્રતિબંધ લગાવી દીધો છે. સરકારી સૂત્રોએ જણાવ્યું હતું કે, 21 મેના રોજ રાજસ્થાનમાં થયેલા મિગ-21 ક્રેશની તપાસ હજુ ચાલુ હોવાથી મિગ-8 ફાઈટર જેટ વિમાનોની ઉડાન પર રોક લગાવી દેવામાં આવી છે. તેમણે કહ્યું કે તપાસ હજી ચાલુ છે અને ત્યાં સુધી વિમાનના ત્રણ સ્ક્વોડ્રન ઉડાન ભરશે નહીં. મિગ વેરિઅન્ટનો પ્રથમ કાફલો 1963માં ભારતીય વાયુસેનામાં સામેલ કરવામાં આવ્યો હતો અને તે પછીના દાયકાઓમાં ભારતે 700થી વધુ મિગ-વેરિઅન્ટ ખરીદ્યા હતા. ભારતીય વાયુસેનાને તેના જૂના થઈ રહેલા લડાકુ કાફલાને બદલવામાં મદદ કરવા માટે, સંરક્ષણ મંત્રાલયે ગયા વર્ષે ફેબ્રુઆરીમાં હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (એચએએલ) સાથે 83 તેજસ ફાઇટર જેટ ખરીદવા માટે 48,000 કરોડ રૂપિયાનો સોદો કર્યો હતો.
IAF grounds MiG-21 fighter aircraft fleet pending investigations into last crash over Rajasthan
જ્યારે તમારું બાળક કે ઘરનું નાનું બાળક રડે છે, ત્યારે શું તમે તેને ચૂપ કરવા માટે સ્માર્ટફોન આપો છો? જો હા, તો આ લેખને અંત સુધી જરૂર વાંચો કારણ કે તમારી આ આદત બાળક માટે ઘાતક છે જે તેનું ભવિષ્ય બગાડી શકે છે. મોબાઇલ ફોન નિર્માતા કંપની શાઓમીના ભારતના પૂર્વ વડા મનુ કુમાર જૈને એક રિપોર્ટ શેર કરતી વખતે માતા-પિતા માટે કેટલાક ચેતવણીભર્યા સંદેશા લખ્યા છે. તેમણે 'તમારા બાળકોને સ્માર્ટફોન આપવાનું બંધ કરો' લખીને પોતાની પોસ્ટની શરૂઆત કરી.જૈને સેપિયન લેબનો રિપોર્ટ શેર કરતા લખ્યું કે નાની ઉંમરમાં બાળકોને મોબાઈલ અને ટેબલેટ આપવાથી તેમનું ભવિષ્ય ખરાબ થઈ રહ્યું છે અને તેના કારણે તેમને સ્વાસ્થ્ય સંબંધી ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. સેપિયન લેબના રિપોર્ટ અનુસાર 60 વર્ષની ઉંમર પહેલા સ્માર્ટફોનના સંપર્કમાં આવેલી 70-10 ટકા મહિલાઓને પુખ્ત વયમાં માનસિક સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ થઇ રહી છે. 45 વર્ષની ઉંમર પહેલા સ્માર્ટફોનનો ઉપયોગ કરનારા 50થી 10 ટકા પુરુષોને પણ આવી જ સમસ્યા થઇ રહી છે. એટલે કે નાની ઉંમરમાં બાળકોને ફોન આપવા યોગ્ય નથી. આ આદત બાળકોના માનસિક સ્વાસ્થ્યને નબળું પાડી રહી છે.
🚨 Stop giving smartphones to your kids! 🚨
A friend shared Sapien Labs' report that highlights a deeply concerning correlation between early access to smartphones (& tablets) to young children and the increased likelihood of suffering from mental disorders as adults. (1/5) pic.twitter.com/4bXTessCTc
ભારતીય સેનાએ અગ્નિવીર ભરતી લેખિત પરીક્ષાનું પરિણામ જાહેર કરી દીધું છે. ઉમેદવારો joinindianarmy.nic.in મુલાકાત લઈને અથવા નીચે આપેલી સીધી લિંક પર ક્લિક કરીને રિઝલ્ટ ચેક કરી શકશે. જો કે એઆરઓ માટે સિલિગુડી, સંબલપુર, કોલકાતા, ગોપાલપુર, કટક, બહારમપુર, બિહાર ઝારખંડ ભરતી રેલી, બેરકપોરની જાહેરાત કરવામાં આવી છે. આર્મી રિક્રૂટમેન્ટ ઓફિસે પણ પરિણામ જાહેર કરી દીધું છે. ફાયર બ્રિગેડની ભરતી પ્રક્રિયામાં પ્રથમ સ્તરની ચકાસણીના ભાગરૂપે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CEE) સમગ્ર દેશમાં ઓનલાઇન લેવામાં આવી હતી. CEE 17 એપ્રિલથી 26 એપ્રિલ દરમિયાન દેશભરના 176 સ્થળોએ 375 પરીક્ષા કેન્દ્રો પર લેવામાં આવી હતી. આ વખતે સેનાએ તાજેતરમાં જ અગ્નિવીર ભરતી પ્રક્રિયામાં ફેરફારની જાહેરાત કરી હતી અને દળમાં જોડાવા ઇચ્છુક ઉમેદવારોએ હવે પહેલા ઓનલાઇન સીઇઇ માટે હાજર રહેવું પડશે, ત્યારબાદ શારીરિક તંદુરસ્તી અને ત્યારબાદ તબીબી પરીક્ષણો કરવા પડશે.