સોનાની હોલમાર્કિંગના નિયમ 1 એપ્રિલ 2023થી બદલવાના છે. ગ્રાહક મંત્રાલયના નવા નિયમ હેઠળ એક એપ્રિલથી 6 ડિજિટ વાળા અલ્ફાન્યુમેરિક હોલમાર્કિંગ વગર સોનું નહીં વેચાય.
1 એપ્રિલથી બદલાવવા જઈ રહ્યા છે નિયમ
સોનાની હોલમાર્કિંગના નિયમો બદલાશે
હવે આપવો પડશે 6 આંકડા વાળો કોડ
સોનું ખરીદવા અને તેમાં રોકાણ કરવાનું ચલણ આપણા દેશમાં ખૂબ વધારે છે. લગ્ન હોય કે પછી કોઈ તહેવાર ભારતીય ગોલ્ડ જરૂર ખરીદે છે. પરંતુ ઘણી વખત કોઈ કારણે આપણે સોનું વેચવું પડે છે. એવામાં તમારે અહીં જાણવું જરૂરી છે કે સોનું વેચવાના નિયમમાં ફેરફાર થવા જઈ રહ્યા છે.
6 આંકડાના હોલમાર્ક જરૂરી
જણાવી દઈએ કે સોનાની હોલમાર્કિંગના નિયમ 1 એપ્રિલ, 2023થી બદલાઈ રહ્યા છે. ગ્રાહક મંત્રાલયના નવા નિયમ હેઠળ એક એપ્રિલથી 6 ડિજિટ વાળા અલ્ફાન્યુમેરિક હોલમાર્કિંગ વગરનું સોનું નહીં વેચાય.
જેવી રીતે આધાર કાર્ડ પર 12 આંકડાનો કોડ હોય છે. તેવી જ રીતે સોના પર 6 આંકડાનો હોલમાર્ક કોડ હશે. આ હલમાર્કને યુનીક આઈડેન્ટિફિકેશન નંબર એટલે HUID કહે છે. મંત્રાલયે કહ્યું કે હવે ફક્ત 6 આંકના હોલમાર્ક માન્ય હશે.
4 ડિજિટ વાળા હોલમાર્કિંગ થઈ જશે બંધ
ગોલ્ડ હોલમાર્કિંગ એક સ્ટેમ્પ છે જે ઉપભોક્તાઓને તેમના દ્વારા ખરીદવામાં આવી રહેલા સોનાના આભૂષણોની શુદ્ધતા જણાવે છે. દેશભરમાં સોના પર ટ્રેડ માર્ક આપવા માટે 940 સેન્ટર જણાવવામાં આવ્યા છે. હવે ચાર ડિજિટ વાળા હોલમાર્કિંગ સંપૂર્ણ રીતે બંધ થઈ જશે. ભારતમાં સોનાના આભૂષણોની હોલમાર્કિંગની શરૂઆત વર્ષ 2000માં થઈ હતી.
ઉપભોક્તા મામલાના મંત્રાલયનું કહેવું છે કે વર્તમાનમાં દરરોજ 3 લાખથી વધારે સોનાની વસ્તુઓને એચયુઆઈડીની સાથે હોલમાર્ક કરવામાં આવી રહ્યા છે. તેના ઉપરાંત દેશભરમાં 339 જિલ્લામાં ઓછામાં ઓછા એક હોલમાર્ક તપાસ કેન્દ્ર છે.
સરકારે હોલમાર્કિંગ સિસ્ટમ કર્યું ફરજીયાત
હોલમાર્કિંગને 2021માં 16 જૂનથી સ્વૈચ્છિક રીતે લાગુ કરવામાં આવ્યું હતું. જોકે સરકારે હોલમાર્કિંગ સિસ્ટમને જરૂરી બનાવવાનો નિર્ણય કર્યો છે. સરકારે છેલ્લા વર્ષ 1 જુલાઈથી ગોલ્ડ જ્વેલરીનું હોલમાર્કિંગના સંકેતોમાં ફેરફાર કરતા સંકેતોની સંખ્યા ત્રણ કરી દીધી છે. પહેલો સંકેત બીઆઈએસ હોલમાર્કનો હોય છે. એટલે કે એક ત્રિકોણ નિશાન હોય છે.
બીજો સંકેત શુદ્ધતાનો હોય છે એટલે કે ખબર પડે છે કે જ્વેલરી કેટલા કેરેટ સોનાની બનેલી છે. ત્રીજો સંકેત છ ડિજિટનો એક અલ્ફાન્યુમેરિક કોડ હોય છે જેને HUID નંબર કહેવામાં આવે છે. તેના પહેલા ફેઝમાં 256 જિલ્લામાં લાગુ કરવામાં આવ્યું છે અને બાદમાં 32 જુલ્લાને વધુ શામેલ કરવામાં આવ્યો. સરકારે 51 વધુ જિલ્લામાં તેને લાગુ કરવાનો નિર્ણય કર્યો છે.
શું છે હોલમાર્કિંગ?
હોલમાર્કિંગ સોનાની શુદ્ધતાની ગેરેન્ટી હોય છે. હોલમાર્ક દરેક આભૂષણ પર લગતું એક નિશાન હોય છે. તેમાં ભારતીય માનક બ્યૂરો(BIS)નો લોગો, તેની શુદ્ધતા આપવામાં આવે છે. તેની સાથે જ ટેસ્ટિંગ સેન્ટર વગેરેની પણ જાણકારી હોલમાર્કિંગમાં મળે છે.
કોઈ આભૂષણમાં સોનાનું પ્રમાણ અલગ અલગ હોય છે. જે તેની શુદ્ધતા એટલે કે કેરેટને આધાર પર નક્કી કરવામાં આવે છે. ઘણી વખત જ્વેલર્સ ઓછા કેરેટના આભૂષણો પર ઉંચી કેરેટની કિંમતો વસૂલે છે. તેને જ ખતમ કરવા માટે હોલમાર્કિંગ જરૂરી કરવામાં આવ્યું છે.