કોરોના વાયરસની મહામારીના યુગમાં ભારતીય રેલ્વેએ પ્રવાસીઓ માટે નવી ગાઇડલાઇન્સ જાહેર કરી છે. પ્રવાસીઓને તેનું કડકાઈથી પાલન કરવા આદેશ આપવામાં આવ્યા છે. રેલ્વેની ગાઇડલાઇન્સમાં માસ્ક પહેરવા અને આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવાની પણ સલાહ અપાઈ છે.
રેલ્વેની નવી ગાઈડલાઈન બહાર
મુસાફરોએ કરવું પડશે કડક પાલન
મુસાફરે 90 મિનિટ પહેલા હાજર થવું
લોકડાઉન અને કોરોના મહામારીને કારણે રેલ્વેને ખૂબ મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. રેલ્વે બોર્ડના ચેરમેન વી.કે. યાદવે કહ્યું કે ટ્રેનો બંધ હોવાથી રેલ્વેને 35,000થી 40,000 કરોડના નુકસાનનો અંદાજ છે. આ ઉપરાંત રેલ્વે પાસે પેન્શન ચૂકવવાના પણ પૈસા ન હોતા અને રેલ્વે મંત્રાલયે નાણામંત્રાલયને પત્ર લખીને પેન્શન ચૂકવવાની અપીલ કરી હતી.
હવેથી ટ્રાવેલિંગમાં મુસાફરોએ શું ધ્યાન રાખવું?
રેલ્વેની ગાઇડલાઇન્સમાં માસ્ક પહેરવું અને આરોગ્ય સેતુ એપ ફરજિયાત.
લોકડાઉન-કોરોના મહામારીને કારણે રેલ્વેને ખૂબ મોટું આર્થિક નુકસાન થયું.
ફક્ત કન્ફર્મ ઈ-ટિકિટ દ્વારા રેલ્વે સ્ટેશન પર આવી શકાશે.
કર્ફ્યુ પાસની કોઈ જરૂર નથી પરંતુ સ્ટેશનની બહાર નીકળતા ઈ- ટિકિટ દેખાડવી પડશે.
થર્મલ સ્ક્રીનિંગ માટે પ્રવાસીઓએ ટ્રેન ઊપડવાની 90 મિનિટ પહેલાં હાજર રહેવું પડશે.
રેલ્વે સ્ટેશન પર તમામ પ્રવાસીઓનું થર્મલ સ્ક્રીનિંગ ફરજિયાત.
જે મુસાફરમાં કોરાનાનું એકપણ લક્ષણ જોવા ન મળે તેને જ ફક્ત એન્ટ્રી મળશે.
ટ્રેનના પ્રવાસ દરમિયાન માસ્ક પહેરી રાખવું ફરજિયાત બનાવી દેવાયું છે.
રેલ્વેની સફર દરમિયાન કામળા, ચાદર, પરદાની સુવિધા નહીં મળે.
પ્રવાસીઓએ પોતપોતાના ઘેરથી ભોજન અને પાણી લાવવું પડશે.