સંશોધનના તાજા પરિણામ જણાવે છે કે હવન વાતાવરણને પ્રદૂષણ મુક્ત બનાવવાની સાથે જ સારા સ્વાસ્થ્ય માટે જરૂરી છે. હવાના ધુમાડાથી પ્રાણમાં સંજીવની શ્કિતનો સંચાર થાય છે. હવનના માધ્યમથી બિમારીઓથી છુટકારો મેળવવાનો ઉલ્લેખ ઋગ્વેદમાં પણ છે.
હવન માટે પવિત્રતાની જરૂર હોય છે કારણ કે સ્વાસ્થ્ય સાથે એની આધ્યાત્મિક શુદ્ધતા પણ બની રહે. હવન કરતા પહેલા સ્વચ્છતાનું ધ્યાન રાખો. હવન માટે ઘણી બધી વસ્તુઓનો ઉપયોગ થાય છે.
હવનથી દરેક પ્રકારના 94 ટકા જીવાણુઓનો નાશ થાય છે. ઘરની શુદ્ધિ તથા સ્વાસ્થ્ય માટે દરેક ઘરમાં હવન થવું જોઇએ.
હવન સાથે કોઇ મંત્રનો જાપ કરવાથી સકારાત્મક ધ્વનિ તરંગિત થાય છે. શરીરમાં ઊર્જાનું સંચાર થાય છે.
હવનમાં મોટાભાગે કેરીના ઝાડની લાકડીઓનો ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે આ લાકડીઓને સળગાવવામાં આવે છે કો એમાંથી એક લાભકારી ગેસ ઉત્પન્ન થાય છે. જેનાથી વાતાવરણમાં મોજૂદ ખતરનાક બેક્ટેરિયા અને જીવાણુ સમાપ્ત થઇ જાય છે. એની સાથે જ વાતાવરણ પણ શુદ્ધ થાય છે. જણાવી દઇએ કે ગોળ સળગવાથી પણ આ ગેસ ઉત્પન્ન થાય છે.
એક અન્ય રિસર્ચ અનુસાર જો અડધો કલાક હવનમાં બેસવામાં આવે અને ધુમાડાનો શરીર સાથે સંપર્ક થાય તો ટાઇફોઇડ જેવા જીવલેણ રોગ ફેલાવનાર જીવાણુ ખતમ થઇ જાય છે અને શરીર શુદ્ધ થાય છે.