દેશમાં કોરોના વાયરસનો આંકડો 1071ને પાર કરી ચૂક્યો છે. ગઈ કાલે દેશભર માંથી કોરોનાના નવા 130 કેસ નોંધાયા. દેશમાં કોરોના વાયરસથી અત્યાર સુધીમાં 29 લોકોના મોત થઇ ચૂક્યા છે. ભારતમાં કોરોનાની બિમારીથી 110 લોકો સાજા થયાં છે. આ સાથે જ રાજસ્થાનના મુખ્યમંત્રીએ ભાડે રહેનાર નાગરિકોના 1 મહિના સુધી ભાડા ન લેવાનો નિર્ણય કર્યો છે. આ સિવાય યૂપીમાં લૉકડાઉનનું ચુસ્તપણે પાલન કરવાના પણ આદેશ આપ્યા છે. ગુજરાતમાં કોરોના સંક્રમિતનો આંકડો 70 પર પહોંચ્યો છે અને મૃત્યુ આંક 6 પર પહોંચી ચૂક્યો છે.
તમામ અપડેટ્સ 30 માર્ચ 2020 - રાતે 8.50 વાગ્યા સુધી)
ભારતમાં કોરોનાના વધુ અપડેટ્સ માટે ક્લિક કરોઃ https://www.mohfw.gov.in/
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલા પીએમ કેયર્સ ફંડમાં 500 કરોડ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે મહારાષ્ટ્ર અને ગુજરાતના મુખ્યમંત્રી રાહત ભંડોળને 5-5 કરોડ રૂપિયા આપવાની પણ જાહેરાત કરી હતી. આ સાથે જ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે કહ્યું છે કે, આગામી 10 દિવસ સુધી 5 લાખ લોકોને અન્ન આપવામાં આવશે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયની પત્રકાર પરિષદ સંબોધી હતી તેમાં જણાવવામાં આવ્યું હતું કે, ભારતમાં કોરોનાના દર્દીની સંખ્યા 1071 પહોંચી છે. આ સાથે જ કોરોનાને કારણે દેશમાં 29 લોકોના મોત થયાં છે તો 110 દર્દીઓ સાજા પણ થયાં છે. આ સાથે વધુમાં જણાવવામાં આવ્યું કે, લોકડાઉનનુ પાલન થવુ જરૂરી છે. આ સાથે જ સરકારની ગાઈડલાઈનનુ 100% પાલન થવુ જરૂરી છે. જો આપણે લોકડાઉન તોડીશું તો લડાઈ નબળી પડશે.
ઉત્તર પ્રદેશમાં વતન પરત ફરતા મજૂરોને સેનિટાઇઝરથી સ્નાન કરાવાતા થયો વિવાદ
इस वीडियो की पड़ताल की गई, प्रभावित लोगों का सीएमओ के निर्देशन में उपचार किया जा रहा है। बरेली नगर निगम एवं फायर ब्रिगेड की टीम को बसों को सैनेटाइज़ करने के निर्देश थे, पर अति सक्रियता के चलते उन्होंने ऐसा कर दिया। सम्बंधित के विरुद्ध कार्रवाई के निर्देश दिए गए हैं। https://t.co/y8TmuCNyu5
ઉત્તર પ્રદેશના બરેલીમાં વતન પરત ફરતા મજૂરોને સેનિટાઇઝરથી સ્નાન કરવામાં આવ્યું હોવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. બહુજન સમાજ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ માયાવતી, સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ અને કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી સ્થાનિક વહીવટી તંત્રના આ પગલાની નિંદા કરી હતી. આ સાથે જ ત્રણેય નેતાઓએ જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહીની પણ માગ કરી હતી. જો કે, જિલ્લા કલેક્ટરે આ મામલે કડક પગલા લેવાની વાત કરી હતી.
પુનામાં વધુ એક મૃત્યુ
A 52-year-old man who had tested positive for Coronavirus has passed away around noon today. He suffered from diabetes and hypertension. He was admitted at Deenanath Mangeshkar hospital. There are total 32 Coronavirus cases in Pune: Pune Mayor Murlidhar Mohol pic.twitter.com/EMkeSS0eIb
કોરોના વાયરસના કારણે આજે પુનામાં 52 વર્ષના એક વ્યક્તિનું મૃત્યુ થયું છે. આ વ્યક્તિને હાયપર ટેન્શન અને સાથે જ ડાયાબિટિસની પણ તકલીફ હતી. વ્યક્તિ દીનાનાથ મંગેશકર હોસ્પિટલમાં એડમિટ હતા.
Ludhiana: Residents of Kidwai Nagar near Civil Hospital use wood logs to block the entry points into the residential area, to prevent the entry of outsiders in the area. #Coronaviruslockdownpic.twitter.com/gSsUxBDQvL
સેન્ટ્રલ રિઝર્વ પોલીસે જમ્મૂ કાશ્મીરમાં સેનિટાઈઝેશન ડ્રાઈવ શરૂ કરી.
સરકારે 40,000 નવા વેન્ટિલેટર્સ બનાવવાનો આપ્યો આદેશ
દેશમાં કોરોનાના વધી રહેલા કેસની સંખ્યા ઝડપથી વધી રહી છે. સરકારે કોરોનાના સંકટનો સામનો કરવા માટે સરકારી કંપની ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડને 40,000 વેન્ટિલેટર્સ બનાવવાનો આદેશ આપ્યો છે. ભારત ઇલેક્ટ્રોનિક્સ સ્થાનીય મેન્યૂફેક્ચરર્સ અને ઓટોમોબાઇલ મેન્યૂફેક્ચરર્સની સાથે મળીને આવતા 2 મહીનામાં વેન્ટિલેટર્સ બનાવશે. સ્વાસ્થ્ય મંત્રાલયે આમ જાણકારી આપી છે.
તમિલનાડુમાં 17 નવા કેસ સામે આવ્યા, કુલ આંકડો 67 થયો
તમિલનાડુમાં કોરોના વાયરસથી સંક્રમણના વધુ 17 કેસ નોંધાયા છે. આમ રાજ્યમાં કોરોના વાયરસના કુલ કેસની સંખ્યા વધીને 67 થઇ ગઇ છે.
કોરોના મહામારીને પગલે મધ્ય પ્રદેશ સરકાર 5000 કેદીઓને છોડશે
મધ્યપ્રદેશ સરકારે રાજ્યની જેલોમાં બંધ લગભગ 5000 કેદીઓને 60 દિવસની પેરોલ પર છોડવાનો નિર્ણય લીધો છે.
નિઝામુદ્દીન આવેલા 15 દેશોના નાગરિકો સહિત 200 લોકો ક્વારન્ટાઇન, તમામની તપાસ કરાશે
દિલ્હીના નિઝામુદ્દીન દરગાહ આવેલા લગભગ 200 લોકોની કોરોના તપાસ શરૂ થઇ છે. નિઝામુદ્દીન દરગાહ પર લગભગ 15 દેશોના 100 વિદેશી નાગરિકો સહિત 200 લોકોને દિલ્હીની અલગ-અલગ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. તેમનો કોરોના ટેસ્ટ થશે. જો ટેસ્ટ નેગેટિવ આવશે તોપણ તેમને ક્વારન્ટાઇન કરી શકાય છે.
Total number of #Coronavirus positive cases in India rises to 1071 (including 942 active cases, 99 cured/discharged cases and 29 deaths): Ministry of Health and Family Welfare pic.twitter.com/ycuuia3rMC
જમ્મૂ ડિવિઝનમાં 3 નવા મામલા સામે આવ્યા. રાજ્યમાં કોરોના વાયરસથી પોઝિટિવ કેસની સંખ્યા 41 પર પહોંચી ગઇ છે. જ્યારે આંધ્ર પ્રદેશમાં પણ 2 નવા કેસ સામે આવ્યા છે. આંધ્ર પ્રદેશમાં કોરોનાના કેસનો આંકડો 23 પર પહોંચ્યો.
સિડની બેઝ્ડ સેન્ટર ફોર એવિએશનના અનુમાન અનુસાર દેશમાં જારી 21 દિવસના લૉકડાઉનથી ભારતની એવિએશન ઇન્ડસ્ટ્રીને લગભગ 3.3 બિલિયન ડોલરનું નુકશાન થઇ શકે છે.
ગુજરાતમાં કોરોનાનો આંકડો વધીને 69 થયો
ગુજરાતમાં કુલ પોઝિટિવ કેસ 69 નોંધાયા છે. જેમાંથી 6ના મોત થયા છે હાલ 63 લોકોની સારવાર ચાલી રહી છે જેમાંથી 2 લોકો સાજા થઈ ગયા છે.
I’m surprised to see such reports, there is no such plan of extending the lockdown: Cabinet Secretary Rajiv Gauba on reports of extending #CoronavirusLockdown (file pic) pic.twitter.com/xYuoZkgM5e
કોરોના વાયરસે પગલે એવા સમાચાર મળી રહ્યા હતા કે સરકાર 14 એપ્રિલ બાદ પણ લૉકડાઉન જારી રાખી શકે છે. જોકે આજે કેબિનેટ સચિવ રાજીવ ગાબાએ તેને અફવા ગણાવી છે અને સ્પષ્ટતા કરી કે સરકારની લૉકડાઉન આગળ વધારવાની કોઇ યોજના નથી.
ગુજરાતમાં આજે વધુ 6 નવા કોરોના વાયરસના કેસ નોંધાયા, 1 મોત
ગુજરાતમાં આજે વધુ 6 નવા કોરોના વાયરસના કેસ નોંધાયા છે. જ્યારે ભાવનગરમાં આજે વધુ એક કોરોના પોઝિટિવ વ્યક્તિનું મોત થયું છે. જ્યારે રાજ્યમાં કુલ કોરોના વાયરસના કેસની સંખ્યા વધીને 68 થઇ ગઇ છે.
રવિવારે દેશમાં નવા 130 પોઝિટિવ કેસ નોંધાયા
દેશભરમાં અત્યાર સુધીમાં 27 લોકોના નિપજ્યા છે મોત થયા છે. દિલ્હીમાં એક દિવસમાં 23 લોકો સંક્રમિત થયા છે. મહારાષ્ટ્રમાં વાયરસના કારણે વધુ 2 લોકોના મોત નીપજ્યા છે. અત્યાર સુધીનો રવિવાર ત્રીજો એવો દિવસ જેમાં 100થી વધુ કેસ નોંધાયા હતા.
રાજસ્થાનના CM ગેહલોતનો મહત્વનો નિર્ણય
કોરોનાના પગલે ગેહલોત સરકારનો વધુ એક નિર્ણય સામે આવ્યો છે. મુખ્યમંત્રીએ જણાવ્યું છે કે ભાડે રહેનાર નાગરિકોના એક માસ સુધી ભાડા નહી લેવાય. એટલે કે જે લોકો ભાડુઆત તરીકે રહે છે તેઓએ એક માસ સુધી ભાડું આપવું પડશે નહીં. તેમનું ભાડું માફ કરવામાં આવશે.
યોગી સરકારે તમામ ગામોની જવાબદારી ગ્રામપ્રધાનોને સોંપી છે. અલગ અલગ 11 મુદ્દાઓના ચૂસ્ત પાલન માટે આદેશ આપ્યા છે. નિર્દેશનું પાલન નહી થાય તો કડક કાર્યવાહીની ચેતવણી પણ આપી છે. બહારથી આવનારા લોકોની માહિતી પણ સરકારને સોંપવાના નિર્દેશ આપ્યા છે. આ સાથે જ ગામની બહાર કોઈને નહી નિકળવા દેવા માટે પણ ગ્રામ પ્રધાનોને જવાબદારી આપવામાં આવી છે. બાળકોની રમત, વ્યક્તિઓના એકઠા થવા પર પણ રોક લગાવવાના નિર્દેશ અપાયા છે.
ગુજરાતમાં દિવસે દિવસે વધી રહ્યો કોરોનો કહેર
દેશની સાથે ગુજરાત રાજ્યમાં પણ કોરોનાનો આંક સતત વધી રહ્યો છે. ગુજરાતમાં કોરોના સંક્રમિતનો આકંડો 63 પર પહોંચ્યો છે અને મૃત્યુઆંક 5 થયો છે. હાલ સુધીમાં અમદાવાદમાં 22 કેસ, સુરતમાં 8 કેસ, રાજકોટમાં 9 કેસ, વડોદરામાં 9 કેસ, ગાંધીનગરમાં 10, કચ્છમાં 1, ભાવનગરમાં 1, ગીર સોમનાથમાં 2, મહેસાણામાં 1 અને પોરબંદરમાં 1 કેસ નોંધાયો છે. આ સિવાય અમદાવાદમાં 3, સુરતમાં 1, ભાવનગરમાં 1 મોત નોંધાયું છે.
કેન્દ્ર સરકારનો રાજ્યોને કડક રીતે લૉકડાઉનનું પાલન કરાવવાનો નિર્દેશ
કેન્દ્ર સરકારે રાજ્યોને કડકાઇથી લૉકડાઉનનું પાલન કરાવવાનો નિર્દેશ આપ્યો છે. કેન્દ્રે રાજ્યોને કહ્યું છે કે પ્રવાસી મજૂરો માટે તમામ વ્યવસ્થા કરવામાં આવે, જ્યાં તે હાજર છે. કેન્દ્ર સરકારે કહ્યું છે કે મજૂરોને સમય પર વેતન આપવામાં આવે. કેન્દ્રે કહ્યું છે કે જો કોઇ વિદ્યાર્થીઓ અને મજૂરોને ઘર ખાલી કરાવવાનું કહે છે તો તેમની વિરુદ્ધ કડક રીતે કાર્યવાહી કરવામાં આવે.
કેન્દ્રે કહ્યું છે કે રાજ્ય અને જિલ્લાની બોર્ડર પૂર્ણ રીતે સીલ કરવામાં આવે, જેથી એક રાજ્યથી બીજા રાજ્યમાં અને એક જિલ્લાથી બીજા જિલ્લામાં લોકોની મુવમેન્ટ ન થઇ શકે. હાઇવે પર કોઇની પણ મુવમેન્ટ ન થવા દેવામાં આવે. રસ્તાઓ પર માત્ર સામાન લઇ જતી ગાડીઓની અવર-જવરને મંજૂરી રહેશે. કેન્દ્રે કહ્યું છે કે લૉકડાઉન લાગૂ કરાવવું જિલ્લાના ડીએમ અને એસપીની જવાબદારી છે.
PM કેયર્સ ફન્ડમાં 151 કરોડ આપશે રેલ મંત્રાલય
રેલ મંત્રાલયે એલાન કર્યું છે કે કોરોના વાયરસનો સામનો કરવા માટે તે પીએમ કેયર્સ ફન્ડમાં 151 કરોડ રૂપિયા આપશે. તેનું એલાન રેલ મંત્રી પીયૂષ ગોયલે કર્યું.