સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, દેશમાં કોરોના વાઈરસ સંક્રમણના અત્યાર સુધી 724 કેસ સામે આવી ચુક્યા છે જેમાંથી 66 લોકો સ્વસ્થ થઈ ચુક્યા છે. આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવેલ માહિતી મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં 75 નવા કેસ નોંધાયા છે જયારે 4 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.
ભારતમાં કોરોનાના વધુ અપડેટ્સ માટે ક્લિક કરોઃ https://www.mohfw.gov.in/
કોરોના વાયરસનો કહેર ભારતમાં દિવસેને વધી રહ્યો છે. ભારતમાં 24 કલાકમાં કોરોના વાયરસનાં કારણે 4 લોકોના અવસાન થયા છે. મૃત્યુ પામનાર લોકોમાં ડાયાબિટીસ અને હાઈપર ટેન્શન જેવી બીમારીઓ હતી. કેન્દ્રીય આરોગ્ય સચિવે આજે પ્રેસ કોન્ફ્રેન્સમાં જાણકારી આપતાં કહ્યું કે કોરોના વાયરસના સંક્રમણને જોતા 30 હજાર વેન્ટીલેટર બનાવવાના આદેશ આપવામાં આવ્યા છે.
દેશની રાજધાની દિલ્હીમાં અત્યાર સુધી કોરોના વાયરસનાં કુલ 39 કેસ સામે આવ્યા છે. જેમાં 29 લોકો વિદેશથી આવેલા છે. દિલ્હીમાં છેલ્લા 1 દિવસથી કોઈ નવા કેસ આવ્યા નથી. કોરોના વાયરસનાં કારણે મહારાષ્ટ્રમાં પરિસ્થિતિ નાજુક છે. રાજ્યના વિદર્ભમાં વાયરસના પાંચ નવા કેસ સામે આવ્યા હતા. મહારાષ્ટ્રમાં કોરોના વાયરસનાં દર્દીઓની સંખ્યા વધીને 135 પર પહોંચી ગઈ છે.
કર્ણાટકમાં 20મુ મોત
કોરોનાવાઈરસના કારણે દેશમાં શુક્રવારે કર્ણાટકના તુમકુરમાં 20મું મોત થયું છે. સંક્રમિત વ્યક્તિની ઉંમર 65 વર્ષ હતી. તે 5 માર્ચે દિલ્હી ગયો હતો અને 11 માર્ચે પાછો આવ્યો હતો.
27 માર્ચ સુધી દેશમાં 724 કેસ
સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, દેશમાં કોરોના વાઈરસ સંક્રમણના અત્યાર સુધી 724 કેસ સામે આવી ચુક્યા છે. જેમાંથી 66 લોકો સ્વસ્થ થઈ ચુક્યા છે.વાઈરસની આ ગંભીર મહામારી વચ્ચે શિરડીના શ્રી સાઈબાબા સંસ્થા ટ્રસ્ટે મુખ્યમંત્રી રાહત ભંડોળમાં 51 કરોડ રૂપિયાનું દાન આપ્યું છે.
મુસ્લિમ પર્સનલ લો બોર્ડે આજે શુક્રવારની નમાઝ મસ્જિદમાં અદા કરવાની જગ્યાએ ઘરોમાં અદા કરવાની અપીલ કરી છે. દેશમાં કોરોનાના સંક્રમણના અત્યાર સુધીમાં 724 કેસ પ્રકાશમાં આવ્યા છે. 19 લોકોના મોત થઈ ચુક્યા છે. ગુરુવારે એક દિવસમાં સૌથી વધુ 6 લોકોએ જીવ ગુમાવ્યા છે.
કોરોનાથી દેશમાં મૃત્યુ પામનારની સંખ્યા સતત વધી રહી છે. કર્ણાટકના તુમકુરમાં કોરોના સંક્રમિતની સંખ્યા શુક્રવારે વધી હતી. અહીં આજે 65 વર્ષના વ્યક્તિનું મોત થયું છે. તેઓ 5 માર્ચે દિલ્હીની યાત્રાથી આવ્યા. તે ટ્રેનમાં મુસાફરી કરનારા અનેક યાત્રીઓને ટ્રેસ કરવામાં આવી રહ્યા છે.
દિલ્હીમાં કોઈ પણ સ્થિતિ સામે લડવા તૈયાર છે સરકારઃ કેજરીવાલ
કોરોના વાયરસના મુદ્દે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આજે મીડિયાને સંબોધન કર્યું હતું. કેજરીવાલે કહ્યું કે દિલ્હીમાં કેસ ઘટ્યો છે, પરંતુ જો પરિસ્થિતિ વધુ વણસે તો અમે સંપૂર્ણ રીતે તૈયાર છીએ. કોરોનાના કેસ દરરોજ 100, 500 અથવા 1000 સુધી વધે છે, તો અમે અલગ રીતે તૈયારી કરી લીધી છે. અરવિંદ કેજરીવાલે કહ્યું કે, દિલ્હીમાં ફસાયેલા તમામ લોકોની જવાબદારી પણ આપણી છે, તેથી કોઈએ ચિંતા ન કરવી જોઈએ.
દિલ્હીમાં ફસાયેલા યૂપીના લોકોને માટે જાહેર કરાયા નંબર
દિલ્હીમાં જે પણ ઉત્તરપ્રદેશના લોકો કે મજૂરો ફસાયા છે તે ઉત્તરપ્રદેશ ભવન પર સીધા સંપર્ક કરી શકે છે. અહીં એક કંટ્રોલ રૂમ બનાવવામાં આવ્યો છે. અહીં સંપર્ક માટે નંબર પણ તૈયાર કરાયા છે.
011-26110151
011-26110155
9313434088
આંધ્રપ્રદેશમાં મળ્યો એક વધુ પોઝિટિવ કેસ
આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં કોરોના પોઝિટિવ એક દર્દી મળ્યો છે. આ વ્યક્તિ કોરોના પીડિત વ્યક્તિના સંપર્કમાં આવ્યો હતો. તેમાં પણ પોઝિટિવ લક્ષણ જોવા મળ્યા હતા. સાથે જ રાજ્યમાં કોરોના પીડિતની સંખ્યા 12 થઈ છે.
મહારાષ્ટ્રમાં સતત વધી રહ્યો છે કોરોનાનો પ્રકોપ
5 more people tested positive for #COVID19 in Maharashtra today (3 from Sangli and 1 each from Kolhapur & Pune), taking the total number of confirmed cases in the state to 130: Maharashtra Health Department pic.twitter.com/QsXHEbAaOL
ઓવૈસીએ તમામ મુસ્લિમ ભાઇઓને અપીલ કરી છે કે મસ્જિદને બદલે લોકો ઘરમાં જ નમાઝ અદા કરે. કોરોના વાયરસને પગલે લોકો એકઠા ન થાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવે.
અમદાવાદમાં ભીડ એકઠી ન થાય તે માટે AMCનો નિર્ણય
કાલુપુર માર્કેટ માત્ર હોલસેલ વેપારીઓ માટે જ ખુલ્લું રહેશે. છુટક વેપારીઓ માટે કાલુપુર માર્કેટમાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ઘરે બેઠા 1,342 સોસાયટીઓમાં શાકભાજી પહોચાડવા AMC સજ્જ બની ચૂકી છે. કોર્પોરેશનના વાહનમાં અધિકૃત વ્યક્તિઓ માર્કેટ જઈ શકશે અને ચીજો લાવી શકશે.
ગુજરાતમાં વધુ 1 કેસ
ગુજરાતમાં કોરોનાનો વધુ એક કેસ સામે આવ્યો છે. ગુજરાતમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 45 થઈ છે. જેમાં નજર કરીએ તો અમદાવાદ 16, વડોદરા 08, સુરત 07, ગાંધીનગર 07, રાજકોટ 05, કચ્છમાં 1 અને ભાવનગરમાં 1 કેસ નોંધાયો છે.
રાજસ્થાનમાં કોરોનાની સારવાર કરતાં ડોક્ટર્સે બનાવ્યો વીડિયો
#WATCH Rajasthan: A team of health workers at a government hospital in Bhilwara, sing a song to keep up the spirit amid the fight against #Coronavirus. (25.03.2020) pic.twitter.com/yAAN1ypLeD
સાઉદી અરબની અધ્યક્ષતામાં યોજાયેલ G-20 દેશોની વર્ચ્યુઅલ બેઠકમાં એક મોટો નિર્ણય લેવાયો હતો. જેમાં કોરોના વાયરસને પહોંચી વળવા માટે તથા દુનિયાની અર્થવ્યવસ્થાને થયેલા નુકસાનમાં મદદરૂપ થવા માટે 5 ટ્રિલિયન ડોલર લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં દેશના પ્રધાનમંત્રી મોદીએ પણ હિસ્સો લીધો હતો. આ બેઠક વીડિયો કોન્ફરન્સ દ્વારા યોજાઇ હતી.
આજે દેશમાં કુલ 88 કેસ નોંધાયા
આજે સમગ્ર દેશમાં કોરોના વાયરસના 88 પોઝિટિવ કેસ નોંધાયા. જેમાં બિહારના એક 20 વર્ષના યુવકનો કોરના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો. મધ્ય પ્રદેશના ઇંદોરમાં 35 વર્ષના દર્દીનું મોત થયું છે. દેશમાં આટલી નાની ઉંમરમાં કોરોનાથી મોતની આ પ્રથમ ઘટના છે. મધ્ય પ્રદેશ ઉપરાંત ગુરુવારે જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં 65 વર્ષિય દર્દી, મહારાષ્ટ્રના મુંબઈમાં 65 વર્ષિય વૃદ્ધ, ગુજરાતના ભાવનગરમાં 70 વર્ષિય વૃદ્ધ તથા રાજસ્થાનના ભીલવાડામાં એક દર્દીનું મોત થયું છે. આ ઉપરાંત કર્ણાટકમાં પણ 75 વર્ષની મહિલાનું મોત થયું છે.
A #COVID19 positive person has died in Bhilwara, Rajasthan. He had comorbid conditions including diseases relating to kidney and blood pressure: Rajan Nanda, Principal, Mahatma Gandhi Hospital pic.twitter.com/SGRQiPgrSq
બિહારમાં કોરોના વાયરસનો વધુ એક કેસ મળ્યો છે. પટનાના 20 વર્ષીય યુવકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જો કે, તેની કોઇ ટ્રાવેલ હિસ્ટ્રી નથી. રાજ્યમાં કુલ મામલાની સંખ્યા 7 થઇ ચૂકી છે.
મહામારીને રોકવા માત્ર લોકડાઉન જ ઉપયોગી નથી : રઘુરામ રાજન
રિઝર્વ બેંકના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને કહ્યું કે, કોરોના જેવી મહામારીને રોકવા માટે દેશવ્યાપી લોકડાઉન કરવું પુરતું નથી. રાજને વધુમાં કહ્યું કે, આ બીમારી એક ગંભીર ચિંતાનો વિષય છે.
કોલકત્તામાં લોકડાઉનનું ઉલ્લંઘન કરનારને દંડ
દેશમાં લોકડાઉનની સ્થિતિ છે ત્યારે 25 માર્ચની સાંજથી 26 માર્ચની સાંજે 5 વાગ્યા સુધીમાં લોકડાઉનનો ભંગ કરનારા 453 લોકોની પોલીસે ધરપકડ કરી હતી.
મહારાષ્ટ્રમાં વધુ એક વ્યક્તિ કોરોના પોઝિટિવ
મહારાષ્ટ્રમાં વધુ એક વ્યક્તિ કોરોના પોઝિટિવ જોવા મળ્યો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 125 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.
બિહાર સરકારનું 100 કરોડનું રાહત ભંડોળનું એલાન
બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે મુખ્યમંત્રી રાહત ભંડોળથી 100 કરોડ રૂપિયાના ફંડનું એલાન કર્યું છે. આ એલાન એ લોકો માટે કરવામાં આવ્યું છે જેમને લૉકડાઉનને કારણે જીવન જીવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
કર્ણાટકમાં કુલ કેસની સંખ્યા 55 થઇ
કર્ણાટકમાં કોરોના વાયરસની સંક્રમણના કેસની સંખ્યા વધીને 55 થઇ ગઇ છે. જ્યારે એક વ્યક્તિનું આજે મોત પણ થયું છે. દેશમાં કુલ કોરોના વાયરસના કુલ સંક્રમણના કેસ વધીને 686 થઇ ગયા છે.
કર્ણાટકમાં એક વ્યક્તિનું મોત
કર્ણાટકમાં કોરોના વાયરસને કારણે વધુ એક મોત થયું છે. હાલ દેશમાં કોરોના વાયરસના એક્ટિવ કેસ 639 નોંધાયા છે.