કોરોના વાયરસની મહામારીથી નિપટવા માટે કેન્દ્ર સરકાર સતત પગલાં રહી છે. આવામાં આજે કેન્દ્ર કેબિનેટ બેઠક બોલાવાઈ હતી જેમાં મોટાં નિર્ણયો લેવાયાં હતાં. જેમાં મુખ્યત્વે 80 કરોડ લોકોને સસ્તું અનાજ આપવાનો નિર્ણય કરાયો છે. દેશભરમાં કોરોના વાયરસ (Coronavirus)ના આંકડા વધતા જઇ રહ્યા છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 562 સંક્રમિત કેસ નોંધાયા છે. જેમાંથી 10 લોકોના મોત થઇ ચૂક્યા છે. જ્યારે 40 લોકો કોરોના વાયરસના સંક્રમણથી ઠીક થયા છે. કોરોના વાયરસના વધતા કેસના પગલે પીએમ મોદીએ 21 દિવસનું લૉકડાઉનનું એલાન આપ્યું છે. આ લૉકડાઉન આગામી 14 એપ્રિલ સુધી ચાલુ રહેશે.
દેશમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. આ વચ્ચે દિલ્હીમાં એક ડૉક્ટર કોરોના વાયરસથી સંક્રમિત થઇ ચૂક્યા છે. જ્યારબાદ ડૉક્ટરની પાસે ગયેલ દર્દીને ક્વોરન્ટાઇનમાં જવાનો આદેશ આપવામાં આવ્યો છે.
ઉત્તરપૂર્વી દિલ્હીના મોહલ્લા ક્લિનિકના એક ડૉક્ટર કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે. તંત્રને આ વાતની જાણ થતા જ તાત્કાલિક આ વિસ્તારમાં નોટિસ ચિપકાવી દીધી. નોટિસમાં કહેવામાં આવ્યું છે કે, 12 માર્ચથી લઇને 18 માર્ચ સુધી જે પણ દર્દી આ મોહલ્લા ક્લિનિકમાં ડૉક્ટર પાસે આવ્યું હતું, તે પોતાને 15 દિવસ સુધી ક્વોરન્ટાઇન કરી લે.
મધ્યપ્રદેશમાં કોરોનાને કારણે પ્રથમ મોત
મુંબઇમાં કોરોના વાયરસના વધુ 6 કેસ પોઝિટીવ તો આ તરફ કેરલમાં કોરોનાના વધુ 9 કેસ પોઝિટીવ તો મધ્યપ્રદેશમાં કોરોનાને કારણે એક મહિલાનું મોત નિપજ્યું હતું. જમ્મૂ કશ્મીરમાં કોરોનાના 4 પોઝિટીવ કેસ જોવા મળ્યા હતા. આમ કેરળમાં કોરોના વાયરસના કુલ 118 કેસ અને ભારતમાં કોરોના વાયરસના કુલ 562 કેસ નોંધાયા હતા.
મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથની અંતિમ પ્રેસ કોરન્ફરન્સમાં હાજર તમામ પત્રકારોને ક્વારન્ટીનમાં જવુ પડશે. ભોપાલમાં થયેલી કમલનાથની પ્રેસ કોન્ફરન્સમાં હાજર એક પત્રકારની પુત્રી કોરોના પોઝિટિવ આવી હતી. ત્યારબાદ પત્રકારનો પણ ટેસ્ટ થયો જેમા તેઓ પણ પોઝિટિવ જોવા મળ્યા.
એક જ પરિવારના 5 લોકોને કોરોનાનું સંક્રમણ
મહારાષ્ટ્રના સાંગલીમાં એક જ પરિવારના 5 લોકો કોરોના સંક્રમિત જાહેર કરાયા છે. મહરાષ્ટ્રમાં કુલ કેસની સંખ્યા વધીને 112 થઇ ગઇ છે.
ગુજરાતમાં 3 નવા કેસ
ગુજરાતમાં બુધવારે ત્રણ નવા કોરોનાના કેસ સામે આવ્યા છે. અમદાવાદમાં એક મહિલા અને સુરતમાં એક-એક પુરુષ કોરોના વાયરસથી પોઝિટિવ આવ્યા છે. ગુજરાતમાં કોરોનાના કુલ કેસનો આંકડો વધીને 38 થઇ ગયો છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું ફરી દેશને સંબોધન
દેશમાં સતત વધી રહેલ કોરોના વાયરસના કેસ વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવાર સાંજે ફરી એક વખત દેશને સંબોધિત કર્યો હતો. પીએમ મોદીએ 8 વાગ્યે પોતાનું રાષ્ટ્રજોગ સંબોધન કર્યું હતું. જેમાં તેમણે 3 અઠવાડિયા સુધી એટલે કે આજે મોડી રાત્રે 12 વાગ્યાથી 21 દિવસ સુધી દેશમાં લૉકડાઉન રહેશે તેવી જાહેરાત કરી છે. મહત્વનું છે કે, આ અગાઉ 19 માર્ચે પ્રધાનમંત્રીએ દેશને સંબોધિત કર્યો હતો અને જનતા કર્ફ્યૂનું એલાન કર્યું હતું. કોરોના સંકટ મામલે PM મોદીએ કહ્યું, આવનારા 21 દિવસ આપણા માટે મહત્વપૂર્ણ છે. હેલ્થ એક્સપર્ટ્સનું માનીએ તો કોરોના વાયરસના સંક્રમણની સાયકલ તોડવા માટે ઓછામાં ઓછા 21 દિવસનો સમય બહુ જ મહત્વનો છે. જો 21 દિવસ આપણે સાવચેતી ન રાખી તો દેશ 21 વર્ષ પાછળ જતો રહેશે, લાખો પરિવારો બરબાદ થઈ જશે.
તમિલનાડુમાં થયું એક મોત
કોરોના વાયરસની ઝપેટમાં આવીને વધુ એક દર્દીનું તમિલનાડુમાં 56 વર્ષીય વ્યક્તિનું મોત થયું છે. તમિલનાડુમાં કોરોના વાયરસથી મોતનો પહેલો કિસ્સો છે. મહત્વનું એ છે કે આ વ્યક્તિ વિદેશ ગયો નહોતો. 23 માર્ચના રોજ કોરોનાનો ચેપ લાગ્યો હતો. આ બાદ તેની સારવાર રાજાજી હોસ્પિટલમાં ચાલી રહી હતી.
કોરોનાથી લડવા માટે 15 હજાર કરોડ રૂપિયા આપવાનું એલાન
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક મહત્વનો નિર્ણય લેતા કોરોનાથી લડવા માટે 15 હજાર કરોડ રૂપિયા આપવાનું એલાન કર્યું છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે, આ પૈસાથી કોરોનાથી બચવા માટે જરૂરી સાધનો ખરીદવામાં આવશે, સ્વાસ્થ્ય સેવાઓનો વિસ્તાર કરવામાં આવશે. આ સિવાય ડૉક્ટર, નર્સ અને બીજા પૈરામેડિકલ સ્ટાફની નિમણૂંક કરવામાં આવશે. તમામ જરૂરી વ્યવસ્થાઓ કરવામાં આવશે અને આના પર પૈસા ખર્ચ કરવામાં આવશે.
કોરોનાના કહેર વચ્ચે ચીનમાં ખૂલ્યા સિનેમાઘર
જો કે સમાચાર અનુસાર, હવે ચીનમાં વાયરસ મોટા પ્રમાણમાં કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. આ સાથે જ કોરોના વાયરસથી પ્રભાવિત થયેલા લોકોના કેસમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. જેને ધ્યાનમાં રાખીને, ચીની વહીવટીતંત્રે હવે થિયેટરો ખોલવાની મંજૂરી આપી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ચીને તેના કુલ 17 હજારથી વધુ થિયેટરોમાંથી 500 સિનેમાઘરો ખોલવાની મંજૂરી આપી છે. આ સિનેમાઓ મોટાભાગે એવા વિસ્તારોમાં આવેલા છે જ્યાં છેલ્લા એક મહિનામાં કોરોના વાયરસનો એક પણ કેસ નોંધાયો નથી.
મીડિયાને સહકાર આપેઃ DGP
DGPએ જણાવ્યું કે, જરૂરિયાતની વસ્તુઓ લેવા આવતા લોકોને ન રોકે તેવા પોલીસને આદેશ અપાયા છે. મીડિયાના મિત્રોને પોલીસ હેરાન-પરેશાન ન કરે. મીડિયા મિત્રો સાથે સહકાર આપવામાં આવે. આવશ્યક સેવાઓ સાથે સંકળાયેલ લોકો-વાહનોને છુટ આપવામાં આવી છે. શહેરોમાં સંકલન માટે અલગથી અધિકારીની નિમણૂંક કરાઇ છે. લોકો 100 અને 112 નંબર પર મુશ્કેલી અંગે જાણ કરી શકે છે. લોકડાઉનમાં કોઇ સમસ્યા હોય તો તાત્કાલિક નિવારણ કરાશે. ADG કક્ષાના અધિકારીની આગેવાની નીચે ટીમોનું ગઠન કરાયું છે. તેમણે જણાવ્યું કે સમગ્ર રાજ્યમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. પોલીસ દ્વારા લોકડાઉનનો અમલ કરાવવામાં આવી રહ્યો છે. નાગરિકો તરફથી સારો સહકાર મળી રહ્યો છે. નાગરિકો તરફથી સહકાર મળી રહે તેવી અપીલ કરવામાં આવી રહી છે. પોલીસ યોગ્ય રીતે ફરજ બજાવે તેના માટે આદેશ અપાયા છે.
The last date for the income tax return for the financial year 18-19 is extended to 30th June 2020. For delayed payments interest rate has been reduced from 12% to 9%: Union Finance Minister Nirmala Sitharaman pic.twitter.com/Q3OHoh86SZ
3 મહિના સુધી ATMમાંથી પૈસા કાઢવાનો ચાર્જ અને બેંકમાં મિનિમમ બેલેન્સનો નિયમ નહીં
દેશમાં કોરોના વાયરસનો કહેર વધતો જઈ રહ્યો છે. 30 જેટલા રાજ્યો લોકડાઉન કરવામાં આવ્યા છે. ત્યારે આ પરિસ્થિતિની વચ્ચે ટેક્સ રિર્ટનને લઈને નાણામંત્રીએ મોટી રાહતની જાહેરાત કરી છે. ટેક્સ રિટર્નને લઈને તારીખ 30 જૂન કરવામાં આવી હતી. જ્યારે 3 મહિના સુધી ATMમાંથી પૈસા કાઢવાનો ચાર્જ અને બેંકમાં મિનિમમ બેલેન્સનો નિયમ લાગુ નહીં પડે.
Work is going on and we are very close to coming up with an economic package that will be announced sooner rather than later: Union Finance Minister Nirmala Sitharaman in Delhi #COVID19pic.twitter.com/s5arCamMeH
કોરોનાના પગલે ગુજરાતના કેટલાક જિલ્લાઓને લોકડાઉન જાહેર કર્યા છે. ત્યારે રાજ્ય સરકારે ધોરણ 1થી 8 અને 11ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપી દેવામાં આવ્યુ છે. હાલ 31મી માર્ચ સુધી ગુજરાતને લોકડાઉન કરવામાં આવ્યુ છે અને જો હજુ કેસ વધશે તો આ લોકડાઉન લાંબુ ખેંચાઈ શકે છે. એટલે જ ગુજરાતમાં પરીક્ષાઓ કેન્સલ કરવામાં આવી છે.ઈન્કમટેક્સ રિટર્નની તારીખને લંબાવી છે. આધાર કાર્ડને પાનકાર્ડ તારીખ 30 જુન સુધી લીંક કરી શકાશે. TDS પર વ્યાજ દર 19 ટકાથી જગ્યાએ 9 ટકા કરાયો છે.
ગુજરાતમાં 7000 લોકો ફરી રહ્યા છે
રાજ્યમાં કોરોનાના કેસનો આંકડો ચિંતાજનક રીતે વધી રહ્યો છે ત્યારે તંત્ર દોડતુ થયુ છે. ગુજરાતમાં હાલ 33 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે જ્યારે એકનું મોત થયું છે. ભારત સરકાર પણ ગુજરાતમાં વધી રહેલા આંકડા જોઈને ગુજરાતમાં પ્રવેશેલા 27000 લોકોના આંકડા આપ્યા છે. જેમાંથી 7000 લોકોને હજૂ સુધી ટ્રેસ ન કરી શકાયા હોવાને કારણે ગુજરાતમાં 7000 લોકો ફરી રહ્યા છે જેમાંથી કેટલા કોરોના ગ્રસ્ત હોઈ શકે તે નક્કી ન કહી શકાય.