ભારતમાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે ત્યારે 22 રાજ્યોમાં લૉકડાઉન લાગૂ કરવામાં આવ્યું હતું. હાલમાં કોરોનાના કેસની સંખ્યા તમામ જગ્યાઓએ સતત વધી રહી છે ત્યારે પંજાબમમાં અનિશ્ચિત કાળનો કર્ફ્યૂ જાહેર કરવામાં આવ્યો છે. અહીં કુલ 22 પોઝિટિવ કેસ જોવા મળ્યા છે. યુપીમાં 28, રાજસ્થાનમાં 28, ગુજરાતમાં 29, કર્ણાટકમાં 26, દિલ્હીમાં 27 અને મહારાષ્ટ્રમાં 90 કેસ જોવા મળી રહ્યા છે. પીએમ મોદી અને ગુજરાતના સીએમ રૂપાણી, મેયર બિજલ પટેલે પણ લોકોને લૉકડાઉનની સ્થિતિને જાળવી રાખવા અપીલ કરી છે અને સાથે જ પોતે પોતાને સાચવવાની અપીલ કરી છે. કોરોનાથી ડરવું એ ઈલાજ નથી પણ સચેત અને સજાગ રહેવું જરૂરી છે. કેન્દ્ર સરકારે રાજ્ય સરકારને જણાવ્યું છે કે લૉકડાઉનનું ઉલ્લંઘન કરનારા વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે.
કોરોના વાયરસથી હિમાચલ પ્રદેશમાં પ્રથમ મોત થયું છે. અમેરિકાથી પરત ફરેલ તિબ્બતના એક નાગરિકનું મોત થયું છે. મૃતકની ઉંમર 69 વર્ષથી. તબિયત ખરાબ હોવાથી તેના કાંગડાની એક નજીકની હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો, જ્યાંથી તેને ટાંડા મેડિકલ કોલેજ રેફર કરવામાં આવ્યા. જ્યાં તેમનું મોત થયું
દેશમાં કોરોના વાયરસથી 9મું મોત, પ.બંગાળમાં 55 વર્ષના વ્યક્તિનું મોત
દેશમાં કોરોના વાયરસથી વધુ એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. પશ્ચિમ બંગાળમાં 55 વર્ષના એક વ્યક્તિનું મોત થયું છે. આ જીવલેણ બીમારીના કારણે દેશમાં 9 લોકોના મોત નીપજ્યા હતા. તો કોરોના પીડિતોની સંખ્યા 433 થઇ ચૂકી છે. આ સાથે જ છેલ્લા 24 કલાકમાં 50થી વધુ નવા કેસ અને 4 લોકોના મોત નીપજ્યા છે.
કોરોના વાયરસને પગલે સમગ્ર પંજાબમાં કર્ફ્યૂ લાગ્યો છે. કોરોના સંકટને લઈને પંજાબ કર્ફ્યૂ લગાવનારું પહેલું રાજ્ય બન્યું છે. અને વિશેષ સ્થિતિમાં જ લોકોને જવા માટે છૂટ અપાશે.રાજ્યના મુખ્યપ્રધાન કેપ્ટન અમરિન્દરસિંહે પંજાબમાં કરર્ફ્યૂ લગાવાનો આદેશ આપી દીધો છે આ સાથે જ પંજાબમાં કર્ફ્યૂમાં કોઇ ઢીલ નહીં આપવામાં આવે તેવું પણ કહ્યું છે.
After reviewing situation with Chief Secretary & @DGPPunjabPolice, announced full curfew with no relaxations. DCs have been asked to issue orders accordingly. Any person required to be given relaxation will be so allowed specifically for given period & purpose. pic.twitter.com/uX5ZnMTFmB
સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ કહ્યું છે કે મુંબઈમાં અનેક ચેક પોઈન્ટ પર ભીડ હટાવવાનો આદેશ જાહેર કરાયો છે. આ માટે પોલીસ કલમ 144 ના આધારે કાર્યવાહી કરી શકે છે. પુનામાં 1 કેસ અને મુંબઈમાં 14 નવા કેસ મળતાં વધારે સાવધાની રાખવામાં આવી રહી છે.
કેટલાક લોકો લૉકડાઉનને ગંભીરતાથી લેતા નથીઃ પીએમ
પીએમ મોદીએ કહ્યું કે કેટલાક લોકો લૉકડાઉનને ગંભીરતાથી લેતા નથી. પોતે સુરક્ષિત રહો અને પરિવારને પણ સુરક્ષિત રાખો. નિયમોનું પાલન કરો અને કાનૂન વ્યવસ્થાને પણ જાળવો.
દિલ્હીમાં 31 માર્ચ સુધી લૉકડાઉનઃ અરવિંદ કેજરીવાલ
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જણાવ્યું કે, આવતીકાલથી 31 માર્ચ સુધી દિલ્હીમાં લૉકડાઉન. પબ્લિક ટ્રાન્સપોર્ટ બંધ રહેશે. ડીટીસીની 25 ટકા બસો ચાલશે. દિલ્હીની દુકાનો, બજાર બધુ બંધ રહેશે. દિલ્હીની બોર્ડર સીલ રહેશે પરંતુ બીજા રાજ્યોથી ખાવા-પીવાનો સામાન અને શાકભાજી લાવનાર વાહનોને મંજૂરી અપાશે. તમામ ફ્લાઇટ્સ બંધ, ધાર્મિક સ્થળો બંધ રહેશે.
બિહારના પટનામાં કોરોના સંક્રમિત વ્યક્તિનું મોત થયું છે. આ સાથે દેશમાં કોરોનાથી કુલ 6 લોકોના મોત થયા છે. મહારાષ્ટ્રમાં કુલ 70 કેસ નોંધાયા.
Total number of #Coronavirus positive cases rises to 396 in India (including foreign nationals): Indian Council of Medical Research (ICMR) pic.twitter.com/pIe0QmUI26
કોરોના વાયરસ મુદ્દે મોટા સમાચાર આવ્યા છે. જેમાં ગુજરાતના ચાર મોટા શહેર અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા શહેરમાં 25 માર્ચ સુધી જીવન જરૂરી વસ્તુઓ સિવાયની તમામ દુકાનો બંધ રહેશે. આ ચારેય શહેરોમાં લૉકડાઉન જેવી સ્થિતિ રહેશે. કોરોના વાયરસને પ્રસરતો અટકાવવા નિર્ણય લેવાયો છે. મુખ્યમંત્રીના નિવાસસ્થાને મળેલી બેઠકમાં આ નિર્ણય લેવાયો છે. મેડિકલ સ્ટોર, હોસ્પિટલ ખુલ્લા રાખવા મંજૂરી અપાઇ છે.
ગુજરાતમાં લૉકડાઉન દરમ્યાન આ સેવાઓ ચાલુ રહેશે
વીમા કંપનીઓ, બેંક, ATM અને પેટ્રોલપંપ ચાલુ રહેશે. મનપા, પંચાયતની સેવા, વિજ સેવાઓ ચાલુ રહેશે. મીડિયા, સમાચાર પત્રો, ખાદ્ય પદાર્થો, દવા જેવી વસ્તુઓ ઉત્પાદન ચાલુ રહેશે. મેડિકલ સ્ટોર, હોસ્પિટલ ખુલ્લા રાખવા મંજૂરી અપાઇ છે.
સુરતમાં કોરોના વાયરસના વધુ બે કેસ પોઝિટિવ
સુરતમાં વધુ બે કોરોના વાયરસના પોઝિટિવ કેસ સામે આવ્યાં છે. કોરોનાના વધુ બે પોઝિટિસ નોંધાતા સુરતમાં કોરોના વાયરસની સંખ્યા પાંચ પર પહોંચી છે. સુરતમાં કુલ સાત કોરોનાના શંકાસ્પદ દર્દીઓના સેમ્પલ રિપોર્ટ માટે મોકલાયા હતા જેમાંથી બે દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. દુબઇથી આવેલા એક 32 વર્ષિય યુવકનો કેસ પોઝિટિવ નોંધાયો છે. જ્યારે એક 45 વર્ષિય વ્યક્તિનો રિપોર્ટ પણ પોઝિટિવ નોંધાયો છે. જ્યારે હજી પાંચ દર્દીઓના રિપોર્ટ પેન્ડિંગ છે. મહત્વનું છે કે સુરતમાં વધુ બે કોરોનાના પોઝિટિવ કેસ નોંધાતા રાજ્યમાં અત્યાર સુધી કોરોનાના પોઝિટીવ કેસનો આંક 20 પર પહોંચ્યો છે.
Total number of confirmed cases so far in the country is 360 (including 41 foreign nationals), as on 22nd March at 6.30 PM. 24 cured/discharged/migrated, 7 deaths: Ministry of Health and Family Welfare #CoronavirusPandemicpic.twitter.com/RtAj93dGh3
રાજ્યમાં કુલ 18 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદમાં કુલ 7 કેસ, સુરતમાં કુલ 2 કેસ, વડોદરામાં 3 કેસ, ગાંધીનગરમાં 3 કેસ, રાજકોટમાં 1 અને કચ્છમાં 1 કેસ પોઝિટિવ છે.
93 વ્યક્તિઓએ ક્વોરન્ટાઇનનો ભંગ કર્યો
અત્યાર સુધી 650 વ્યક્તિઓને હોમ ક્વોરન્ટાઇન રખાયા છે. જેમાં ગાંધીનગર 223, સુરતમાં 590 વ્યક્તિઓ હમ ક્વોરન્ટાઈન છે. જ્યારે અમદાવાદમાં હોસ્પિટલમાં ક્વોરન્ટાઈન 300 દર્દીઓ છે. રાજ્યમાં કુલ 6 હજાર 92 લોકો ક્વોરન્ટાઇન હેઠળ છે. જ્યારે 93 વ્યક્તિઓએ ક્વોરન્ટાઇનનો ભંગ કર્યો છે.