ભારતમાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. હાલ સુધી કોરોનાથી 7 દર્દીના મોત થયા છે. મહારાષ્ટ્રમાં સ્થિતિ સૌથી વધુ ગંભીર છે. અહીં કુલ 64 કેસ સામે આવ્યા છે. હાલ સુધી કુલ 22 રાજ્યોમાં કોરોનાનો કહેર વ્યાપી ચૂક્યો છે. આજે બપોર બાદ ગુજરાતના સુરતમાં એક મોત થયું છે. આ ઉપરાંત વડોદરામાં પણ એક મહિલાનું કોરોનાના કારણે એક શંકાસ્પદ મોત થયું છે. ગઈકાલ રાતે 63 વર્ષીય કોરોના ગ્રસ્ત વ્યક્તિનું મહારાષ્ટ્રમાં મોત નીપજ્યું છે. બિહારના પટણામાં પણ એક વ્યક્તિનું કોરોનાથી મોત થયું છે. કુલ 24 દર્દીઓને રીકવર કરાયા છે. અને 303 એક્ટિવ કેસ છે.
ભારતમાં કોરોનાના વધુ અપડેટ્સ માટે ક્લિક કરોઃ https://www.mohfw.gov.in/
દિલ્હીમાં 31 માર્ચ સુધી લૉકડાઉનઃ અરવિંદ કેજરીવાલ
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જણાવ્યું કે, આવતીકાલથી 31 માર્ચ સુધી દિલ્હીમાં લૉકડાઉન. પબ્લિક ટ્રાન્સપોર્ટ બંધ રહેશે. ડીટીસીની 25 ટકા બસો ચાલશે. દિલ્હીની દુકાનો, બજાર બધુ બંધ રહેશે. દિલ્હીની બોર્ડર સીલ રહેશે પરંતુ બીજા રાજ્યોથી ખાવા-પીવાનો સામાન અને શાકભાજી લાવનાર વાહનોને મંજૂરી અપાશે. તમામ ફ્લાઇટ્સ બંધ, ધાર્મિક સ્થળો બંધ રહેશે.
બિહારના પટનામાં કોરોના સંક્રમિત વ્યક્તિનું મોત થયું છે. આ સાથે દેશમાં કોરોનાથી કુલ 6 લોકોના મોત થયા છે.
सार्वजनिक स्वास्थ्य विभाग, मुंबई, महाराष्ट्र: 63 साल के कोरोना वायरस मरीज़ की कल रात मौत हो गई। मरीज़ को मधुमेह, उच्च रक्तचाप और दिल की पुरानी बीमारी थी। #coronavirus#COVID19pic.twitter.com/JhF4Wywc13
શનિવારે રાત્રે મુંબઈના કસ્તુરબા હોસ્પિટલમાં 63 વર્ષના એક વૃદ્ધનું કોરોના સંક્રમણને લીધે મૃત્યુ નીપજ્યું હતું. તેમને કોરોના સંક્રમણ લાગુ થયું હોવાની પુષ્ટિ થયા બાદ સારવાર ચાલી રહી હતી. આ ઉપરાંત તેઓ ડાયાબિટિસ, હાઈ બ્લડપ્રેશર અને હૃદયરોગથી પણ પીડિત હતા. આ સાથે દેશમાં કોરોના સંક્રમણને લીધે મૃત્યુઆંક 5 થયો છે જ્યારે મહારાષ્ટ્રમાં આ બીજું મોત છે.
जनता कर्फ्यू शुरू हो रहा है...
मेरी विनती है कि सभी नागरिक इस देशव्यापी अभियान का हिस्सा बनें और कोरोना के खिलाफ लड़ाई को सफल बनाएं।
કોરોના વાયરસ મુદ્દે મોટા સમાચાર આવ્યા છે. જેમાં ગુજરાતના ચાર મોટા શહેર અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા શહેરમાં 25 માર્ચ સુધી જીવન જરૂરી વસ્તુઓ સિવાયની તમામ દુકાનો બંધ રહેશે. આ ચારેય શહેરોમાં લૉકડાઉન જેવી સ્થિતિ રહેશે. કોરોના વાયરસને પ્રસરતો અટકાવવા નિર્ણય લેવાયો છે. મુખ્યમંત્રીના નિવાસસ્થાને મળેલી બેઠકમાં આ નિર્ણય લેવાયો છે. મેડિકલ સ્ટોર, હોસ્પિટલ ખુલ્લા રાખવા મંજૂરી અપાઇ છે.
ગુજરાતમાં લૉકડાઉન દરમ્યાન આ સેવાઓ ચાલુ રહેશે
વીમા કંપનીઓ, બેંક, ATM અને પેટ્રોલપંપ ચાલુ રહેશે. મનપા, પંચાયતની સેવા, વિજ સેવાઓ ચાલુ રહેશે. મીડિયા, સમાચાર પત્રો, ખાદ્ય પદાર્થો, દવા જેવી વસ્તુઓ ઉત્પાદન ચાલુ રહેશે. મેડિકલ સ્ટોર, હોસ્પિટલ ખુલ્લા રાખવા મંજૂરી અપાઇ છે.
कोरोना के भय से मेरे बहुत से भाई-बहन जहां रोजी-रोटी कमाते हैं, उन शहरों को छोड़कर अपने गांवों की ओर लौट रहे हैं। भीड़भाड़ में यात्रा करने से इसके फैलने का खतरा बढ़ता है। आप जहां जा रहे हैं, वहां भी यह लोगों के लिए खतरा बनेगा। आपके गांव और परिवार की मुश्किलें भी बढ़ाएगा।
PM મોદી બોલ્યા- જે શહેરમાં છો, થોડા દિવસો ત્યાં જ રહો
પીએમ મોદીએ ટ્વિટ કરીને કહ્યું કે મારી સૌને પ્રાર્થના છે કે આપ જે શહેરમાં છો, કૃપા કરીને થોડાક દિવસો ત્યાં જ રહો. તેનાથી આપણે સૌ આ બીમારીને ફેલાતી રોકી શકીશું.
ઓરિસ્સાના 5 જિલ્લાઓને લૉક ડાઉન કરવાનો આદેશ
ઓરિસ્સા સરકારને કોરોના વાયરસને ફેલાતો રોકવા માટે પાંચ જિલ્લા અને 7 નગરોને પૂર્ણ રીતે લૉક ડાઉન કરવાનો આદેશ આવ્યો છે. આ લૉક ડાઉન 22 માર્ચે સવારે 7 વાગ્યાથી શરૂ થશે અને 29 માર્ચની રાત્રે 9 વાગ્યા સુધી ચાલુ રહેશે.
ફ્લાઇટ રદ, બસ સેવા પર પણ રોક
કેટલીય એરલાઇન કંપનીઓએ ઉડાન પર કાપ મુક્યો છે. ગો એર, ઇન્ડિગો, એર વિસ્તરાની ઉડાનની સંખ્યા રવિવાર માટે ઘટાડો કરાયો છે. તો અનેક રાજ્યોની બસ સેવા પર પણ રોક લગાવવામાં આવી છે. જેમાં ઉત્તર પ્રદેશ, તમિલનાડૂ, ગુજરાત, હરિયાણા, ઓડિશા, દિલ્હી જેવા રાજ્યોએ સરકારી બસ સેવા બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.
ઇમરજન્સી કેબ સર્વિસેસ ઉપલબ્ધ રહેશે
કેબ સર્વિસેજ જેમાં ઉબેર અને ઓલા પણ પ્રયત્ન કરી રહ્યાં છે કે રવિવારે ડ્રાઇવર્સ રોડ પર ન રહે. જો કે ઇમરજન્સી માટે કેબ સર્વિસેસ ઉપલબ્ધ રહેશે. તો બીજી તરફ 95 હજારથી વધુ ઓટો રિક્ષા ડ્રાઇવરોએ જનતા કર્ફ્યૂનું સમર્થન કર્યું છે. દિલ્હી ઓટો રીક્ષા સંઘે પણ રવિવારે સેવા ન આપવાનો નિર્ણય કર્યો છે.
પેટ્રોલપંપ, રેસ્ટોરન્ટ, હોટલો બંધ રાખવાના આદેશ
તો પેટ્રોલપંપોને લઇ અલગ અલગ રાજ્યોમાં અલગ આદેશ કરાયા છે. ઇન્ડિયન પેટ્રોલિયમ ડીલર્સને બંધનું એલાન કર્યું છે. ઉત્તર પ્રદેશ, આંધ્રપ્રદેશ, તેલંગણા, કેરળ, કર્ણાટકમાં પેટ્રોલ પંપ બંધ રહેશ. તો અનેક રાજ્યોમાં રેસ્ટોરન્ટ પણ બંધ રહેશે. કેટલાક રાજ્યોમાં હોટલોને બંધ રાખવાનો આદેશ આપી દેવામાં આવ્યો છે.