દેશમાં કોરોના વાયરસના સંક્રમિત કેસની સંખ્યા સતત વધતી જઇ રહી છે. દેશમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા વધીને 310 થઇ ગઇ છે. બીજી તરફ રેલવેએ રવિવારે કોરોના મહામારીને પગલે 3700 ટ્રેન રદ્દ કરી છે. ગો એર પણ પોતાની તમામ ફલાઈટ્સ રદ્દ કરી ચૂકી છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કોરોના વાયરસને લઇને શનિવારે એક ટ્વિટ કરી કોરોના વાયરસને આપણી નાજુક અર્થવ્યવસ્થા પર મોટો પ્રહાર બતાવ્યો.
ભારતમાં કોરોનાના વધુ અપડેટ્સ માટે ક્લિક કરોઃ https://www.mohfw.gov.in/
25 માર્ચ સુધી ગુજરાતના ચાર મોટા શહેરો લૉકડાઉન
કોરોના વાયરસ મુદ્દે મોટા સમાચાર આવ્યા છે. જેમાં ગુજરાતના ચાર મોટા શહેર અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા શહેરમાં 25 માર્ચ સુધી જીવન જરૂરી વસ્તુઓ સિવાયની તમામ દુકાનો બંધ રહેશે. આ ચારેય શહેરોમાં લૉકડાઉન જેવી સ્થિતિ રહેશે. કોરોના વાયરસને પ્રસરતો અટકાવવા નિર્ણય લેવાયો છે. મુખ્યમંત્રીના નિવાસસ્થાને મળેલી બેઠકમાં આ નિર્ણય લેવાયો છે. મેડિકલ સ્ટોર, હોસ્પિટલ ખુલ્લા રાખવા મંજૂરી અપાઇ છે.
ગુજરાતમાં લૉકડાઉન દરમ્યાન આ સેવાઓ ચાલુ રહેશે
વીમા કંપનીઓ, બેંક, ATM અને પેટ્રોલપંપ ચાલુ રહેશે. મનપા, પંચાયતની સેવા, વિજ સેવાઓ ચાલુ રહેશે. મીડિયા, સમાચાર પત્રો, ખાદ્ય પદાર્થો, દવા જેવી વસ્તુઓ ઉત્પાદન ચાલુ રહેશે. મેડિકલ સ્ટોર, હોસ્પિટલ ખુલ્લા રાખવા મંજૂરી અપાઇ છે.
PM મોદી બોલ્યા- જે શહેરમાં છો, થોડા દિવસો ત્યાં જ રહો
પીએમ મોદીએ ટ્વિટ કરીને કહ્યું કે મારી સૌને પ્રાર્થના છે કે આપ જે શહેરમાં છો, કૃપા કરીને થોડાક દિવસો ત્યાં જ રહો. તેનાથી આપણે સૌ આ બીમારીને ફેલાતી રોકી શકીશું.
मेरी सबसे प्रार्थना है कि आप जिस शहर में हैं, कृपया कुछ दिन वहीं रहिए। इससे हम सब इस बीमारी को फैलने से रोक सकते हैं। रेलवे स्टेशनों, बस अड्डों पर भीड़ लगाकर हम अपनी सेहत के साथ खिलवाड़ कर रहे हैं। कृपया अपनी और अपने परिवार की चिंता करिए, आवश्यक न हो तो अपने घर से बाहर न निकलिए।
ઓરિસ્સા સરકારને કોરોના વાયરસને ફેલાતો રોકવા માટે પાંચ જિલ્લા અને 7 નગરોને પૂર્ણ રીતે લૉક ડાઉન કરવાનો આદેશ આવ્યો છે. આ લૉક ડાઉન 22 માર્ચે સવારે 7 વાગ્યાથી શરૂ થશે અને 29 માર્ચની રાત્રે 9 વાગ્યા સુધી જારી રહેશે.
UPના ડેપ્યુટી CMની રિપોર્ટ નેગેટિવ આવી
ઉત્તર પ્રદેશના ઉપ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય અને તેમનો પરિવારનો કોરોના વાયરસનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.
તેલંગાણામાં પણ હાથ પર સિક્કો મારવાનું શરૂ કરાયું
તેલંગાણા સરકારે વિદેશથી આવનારા યાત્રાળુઓના હાથ પર તારીખની સાથે સિક્કો મારવાનું શરૂ કર્યું. વિદેશી આવ્યા બાદ તેઓએ 14 દિવસો માટે આઇસોલેટમાં રહેવું પડશે.
મહારાષ્ટ્રમાં કોરોનાના કેસની સંખ્યા વધીને 64 થઇ
મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ વધીને 64 સુધી પહોંચ્યા છે. રાજ્યમાં શનિવારે વધુ 12 કેસ સામે આવ્યા. મહારાષ્ટ્રના મુંબઇમાં 8, પૂણેમાં 2 અને 1-1 કેસ યવતમાલ અને કલ્યાણમાં નોંધાયા છે.
પંજાબમાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યા 14 થઇ
પંજાબના અમૃતસર જિલ્લામાં કોરોના વાયરસનો વધુ એક કેસ નોંધાયો. આ સાથે રાજ્યમાં કુલ કેસની સંખ્યા વધીને 14 થઇ.
કેરળના CM એ વિદેશ મંત્રીને પત્ર લખ્યો
કેરળના મુખ્યમંત્રી પિનરાઇ વિજયને વિદેશ મંત્રી જયશંકરને એક પત્ર લખ્યો છે કે જેમા તેઓએ મલેશિયાના ક્ઓલાલમ્પુરમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને પરત લાવવાની અપીલ કરી છે.
31 માર્ચ સુધી બંગાળમાં તમામ રેસ્ટોરન્ટ, બાર, પબ અને હુક્કા બાર બંધ
પ.બંગાળની મમતા સરકારે રાજ્યના તમામ રેસ્ટોરન્ટ, બાર, પબ, ક્લબ, નાઇટ ક્લબ, હુક્કા બાર, મનોરંજન પાર્ક અને સંગ્રહાલયોને રવિવારે 31 માર્ચ સુધી બંધ રાખવાનો આદેશ આપ્યો.
અયોધ્યામાં બહારના લોકોની એન્ટ્રી પર પ્રતિબંધ
રામનવમીના મેળાને લઇને અયોધ્યા જિલ્લા તંત્રે એડવાઇઝરી જારી કરી છે. જે અંતર્ગત બહારના લોકોના પ્રવેશ પર 2 એપ્રિલ સુધી પ્રતિબંધ લગાવાયો છે.
કોરોના વાયરસના સંક્રમિત લોકોની સંખ્યા વધીને 300ને પાર
નવી અપડેટ પ્રમાણે ભારતમાં કોરોના વાયરસના સંક્રમિત લોકોની સંખ્યા 310 થઇ ગઇ છે. તેમા 244 સંક્રમણથી પીડિત છે. જ્યારે 23 લોકો ઠીક થઇને ડિસ્ચાર્જ થઇ ચૂક્યા છે. જ્યારે 4 લોકોના મોત થયા છે.
રાહુલ ગાંધીએ કહ્યું, કોરોના વાયરસ નાજુક, અર્થવ્યવસ્થા પર મોટો પ્રહાર
રાહુલ ગાંધીએ કોરોના વાયરસને લઇને શનિવારે એક ટ્વિટ કરી કોરોના વાયરસને આપણી નાજુક અર્થવ્યવસ્થા પર મોટો પ્રહાર બતાવ્યો. તેની સાથે જ રાહુલ ગાંધીએ પીએમ મોદીની અપીલ પર નિશાન સાધ્યું.
कोरोनावायरस हमारी नाज़ुक अर्थव्यवस्था पर एक कड़ा प्रहार है।
छोटे, मध्यम व्यवसायी और दिहाड़ी मजदूर इससे सबसे ज्यादा प्रभावित हैं। ताली बजाने से उन्हें मदद नहीं मिलेगी। आज नकद मदद, टैक्स ब्रेक और कर्ज अदायगी पर रोक जैसे एक बड़े आर्थिक पैकेज की जरुरत है।
तुरतं कदम उठाये!
દેશમાં કોરોના વાયરસના પીડિતોની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. દેશમાં કોરોના વાયરસના સંક્રમિત લોકોના આંકડો વધીને 292 એ પહોંચ્યો છે.
કોરોના વાયરસની રાજ્ય પ્રમાણે સ્થિતિ
કેરળમાં 40, મહારાષ્ટ્રમાં 63, ઉત્તર પ્રદેશમાં 25, દિલ્હીમાં 26, કર્ણાટકમાં 18, તેલંગાણામાં 19, લદ્દાખમાં 13, અને ગુજરાતમાં 13 કોરોના વાયરસના નવા કેસ સામે આવ્યા છે.
દેશમાં કોરોનાના કારણે સંક્રમિત લોકોની સંખ્યા 250ને પાર પહોંચી છે ત્યારે લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.લોકો ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. આ સાથે મહારાષ્ટ્ર સૌથી વધારે પ્રભાવિત રાજ્ય ગણવામાં આવી રહ્યું છે. હાલમાં 250માંથી 218 દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે. જ્યારે 5 લોકોના મોત થઈ ચૂક્યા છે. કુલ 28 દર્દીઓની સારવાર સંપૂર્ણ થવાથી તેમને ઘરે મોકલી દેવામાં આવ્યા છે.
આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર શુક્રવારે દિલ્હી, મહારાષ્ટ્ર, તેલંગાણા, ઓડિશા, લદાખ, તમિલનાડુ, રાજસ્થાન, આંધ્રપ્રદેશ, ગુજરાત, કર્ણાટક, ચંદીગઢ, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળમાં 51 ચેપગ્રસ્ત દર્દીઓ મળી આવ્યા હતા. તેમની વચ્ચે સાત વિદેશી લોકો છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર 236માંથી 23 દર્દીઓને સારવાર બાદ રજા આપવામાં આવી છે, જ્યારે એક દર્દી સિંગાપોર ગયો છે. બાકીની વિવિધ હોસ્પિટલોમાં સારવાર ચાલી રહી છે.
ગુજરાતમાં કોરોના વાઈરસના પોઝિટિવ કેસની સંખ્યા ગઈકાલે 2 હતી તે એક દિવસમાં જ વધીને આજે 7 થઈ ગઈ છે. અમદાવાદમાં એક જ દિવસમાં 3 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જેમાં 2 મહિલા અને એક યુવકનો સમાવેશ થાય છે. તેની સાથે રહેતા બીજા 2 વ્યક્તિને પણ શંકાસ્પદ કોરોનાના લક્ષણ જાણતા કોરોન્ટાઇલ કરવામાં આવ્યા છે. વડોદરાના બે રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.વડોદરામાં જેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે તેમાંથી એક યુવાન સ્પેનથી આવ્યો હતો. જ્યારે વડોદરામાં 62 વર્ષની મહિલા શ્રીલંકાથી આવી હતી અને બે દિવસ પહેલા સયાજી હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં દાખલ હતી. આ ઉપરાંત સુરત અને રાજકોટમાં પણ પોઝિટિવ કેસ જોવા મળતાં તંત્રએ ખાસ એડવાઈઝરી જાહેર કરી છે અને શક્ય ત્યાં સુધી લોકોને ઘરની બહાર ન નીકળવાના આદેશ પણ આપ્યા છે.
ગુજરાતમાં કોરોનાના પોઝિટિવ કેસ મળ્યા બાદ અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરામાં સાચવેતીના ભાગરૂપે કેટલાક પગલા હાથ ધરવામાં આવ્યા છે. અમદાવાદમાં તમામ ખાનગી, જાહેર, મ્યુનિ. સહિતની માલિકીના તમામ જીમ, ખાનગી ક્લબ, સ્વિમિંગ પૂલ પર 31 સુધી પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. મ્યુનિસિપલ સિવિક સેન્ટર્સને 31 માર્ચ સુધી બંધ કરવાનો નિર્ણય કર્યો છે. તમામ પાનના ગલ્લા-લારી-દુકાનો તાત્કાલિક અસરથી બંધ કરાશે. સુરતમાં મલ્ટીપ્લેક્સ,સિનેમા અને નાટ્યગૃહો, જીમ, સ્પોર્ટસ કોમ્પ્લેક્સ, સ્વિમિંગ પુલ, ડાન્સ ક્લાસીસ, ગેમ ઝોન, ક્લબ હાઉસ, શૈક્ષણિક સંસ્થાઓ, ટ્યુશન ક્લાસ વગેરે સ્થળોએ તમામ શૈક્ષણિક કાર્ય 19 થી 29 માર્ચ સુધી બંધ રહેશે. હોટલ,રેસ્ટોરન્ટ, ખાણી-પીણીના સ્થળો, જાહેર ખાનગી સ્થળો કે જ્યાં મોટી સંખ્યામાં લોકોની ભીડ થતી હોય તેવા સ્થળો બંધ રાખવા આદેશ કરવામાં આવ્યા છે. રાજકોટમાં થીએટર, મોલ, 170 બગીચા, રેસકોર્સ ગ્રાઉન્ડ, પાનના ગલ્લા, ચાના થડા બંધ રાખવા આદેશ કરાયો છે. આ ઉપરાંત રાજ્યભરના મોટાભાગના મંદિરો બંધ રાખવા પણ જણાવવામાં આવ્યું છે. વડોદરામાં પણ તમામ મોલ બંધ કરવા આદેશ આપવામાં આવ્યા છે.
ઈટાલીમાં વધી રહ્યો છે કોરોનાનો કહેર
ઈટાલીમાં કોરોના વાયરસના કારણે એક જ દિવસમાં થયા 627 લોકોનો મોત. કુલ સંક્રમિત કેસનો આંક 47,021થી પણ વધારે પહોંચ્યો. એક જ દિવસમાં કુલ 5986 કેસ મળ્યા.
દિલ્હીના તમામ બજાર આગામી 3 દિવસ માટે બંધ
દિલ્હીની તમામ બજાર આગામી 3 દિવસ માટે દિલ્હીની તમામ બજાર બંધ કરવાના આદેશ આપવામાં આવ્યા છે. તો દિલ્હીમાં MCDએ તમામ પાર્લર અને સલૂનને 31 માર્ચ સુધી બંધ રાખવાના આદેશ આપ્યા છે.
કોરોનાને પગલે તંત્ર એલર્ટ
રાજ્યમાં 127 ખાનગી હોસ્પિટલો આઈસોલેશન બેડથી સજ્જ છે. 127 હોસ્પિટલમાં 635 આઈસોલેશન બેડની વ્યવસ્થા છે. રાજ્યના 25 જિલ્લામાં ખાનગી હોસ્પિટલોમાં આઈસોલેશન બેડની વ્યવસ્થા તૈયાર કરાઈ છે. કોરોનાને લઈને એસટી વિભાગનો મહત્વનો નિર્ણય લીધો જેમાં મહારાષ્ટ્ર તરફની ST બસ સેવા રદ્દ કરાઈ છે. 31 માર્ચ બાદ પણ બસ સેવા રદ થઈ શકે છે. ગુજરાતથી મહારાષ્ટ્રની 20,061 ટિકિટનું એડવાન્સ બુકિંગ હતું. હાલમાં 1200 ટિકિટ મુસાફરોએ રદ્દ કરાવી છે.
મધ્યપ્રદેશમાં પણ મળ્યા છે 4 પોઝિટિવ કેસ
મધ્યપ્રદેશમાં 4 પોઝિટિવ કેસ મળવાના કારણમે કોરોના ગ્રસ્ત લોકોની સંખ્યા સતત વધી રહી છે અને લોકોમાં પણ ડરનો માહોલ જોવા મળી રહ્યો છે.