ભારતમાં કોરોનાના કુલ 248 કેસ સામે આવ્યા છે. કોરોનાથી ભારતમાં કુલ 5 લોકોના મોત થયા છે જ્યારે ગુજરાતમાં કોરોનાના કુલ 7 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. ગુજરાતમાં રાજકોટમાં 1, વડોદરામાં 2, સુરતમાં 1 અને અમદાવાદમાં 3 પોઝિટિવ કેસ નોંધાયા છે. આજે રાજસ્થાનમાં ઈટાલીના નાગરિકે કોરોનાના કારણે જીવ ગુમાવ્યો છે.
અજમેર દરગાહના પ્રોટોકોલ અધિકારી મીંન્હાજ આલમે જણાવ્યું કે ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીની દરગાહ અજમેર શરીફ 31 માર્ચ સુધી કોરોના વાયરસના કારણે બંધ રહેશે. જો કે દરગાહમાં દરરોજ થનારી પ્રક્રિયા યથાવત રહેશે.
મધ્યપ્રદેશમાં 4 પોઝિટિવ કેસ, ભારતમાં કુલ 248 કેસ
મધ્યપ્રદેશમાં કોરોના વાયરસના 4 પોઝિટવ કેસ સામે આવ્યા છે. ત્યારે ભારતમાં હવે કોરોના ગ્રસ્ત લોકોની સંખ્યા 248 થઇ છે.
કનિકા કપૂર સામે કાર્યવાહી કરવા UP સરકાર તૈયાર
કોરોના પોઝિટિવ કનિકા કપૂરની મુશ્કેલીમાં વધારો થઇ રહ્યો છે. ઉત્તર પ્રદેશ પોલીસ હવે કનિકા કપૂર વિરૂદ્ધ કાર્યવાહી કરવા કમર કસી રહ્યું છે. આ સાથે કનિકા કપૂર પર સંવેદનશીલ મુદ્દે જાણકારી છૂપાવવાનો આરોપ લાગ્યો છે.
દેશમાં કોરોનાના દર્દીઓની સંખ્યા 244 થઇ
કોરોના વાયરસનો કહેર ભારતમાં ઉત્તરોત્તર વધી રહ્યા છે ત્યારે હવે દર્દીઓની સંખ્યા 244 થઇ છે. આ તરફ કેરળમાં કોરોનાના 40 પોઝિટિવ કેસની પુષ્ટિ કરવામાં આવી છે.
દિલ્હીની તમામ બજાર આગામી 3 દિવસ માટે બંધ
દિલ્હીની તમામ બજાર આગામી 3 દિવસ માટે દિલ્હીની તમામ બજાર બંધ કરવાના આદેશ આપવામાં આવ્યા છે. તો દિલ્હીમાં MCDએ તમામ પાર્લર અને સલૂનને 31 માર્ચ સુધી બંધ રાખવાના આદેશ આપ્યા છે.
શિવરાજ સિંહ ચૌહાણે ડિનર રદ્દ કર્યું
કોરોના વાયરસના ભયને ધ્યાને લઇને મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણએ આજે રાતે ધારાસભ્યો સાથે યોજેલ ડિનર પાર્ટી રદ્દ કરી દીધી છે.
દેશમાં કોરોના વાયરસના 230 કેસની થઇ પુષ્ટિ
ભારતમાં કોરોના વાયરસના મામલા વધીને 230 થયા છએ. જેમાં 28 દર્દીઓ સાજા થયાં છે તો 198 લોકોનો ઇલાજ ચાલુ છે. આ સિવાય ગુજરાતમાં કોરોના વાયરસના 7 કેસ નોંધાયા છે.
સાંસદ દુષ્યંત સિંહ તથા વસુંધરા રાજેએ ઓઇસોલેટ થવાનો લીધો નિર્ણય
કનિયા કપૂરની પાર્ટીમાં સામેલ દુષ્યંત સિંહે પોતાને આયસોલેટ કરવાનો નિર્ણય લીધો છે. નોંધનીય છે કે, સાંસદ દુષ્યંત સિંહ રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજેના દીકરા છે. આ સાથે દુષ્યંત સિંહના માતા વસુંધરા રાજે
UPSCના ઉમેદવારોના ઈન્ટરવ્યુ મોકૂફ
કોરોનાના કારણે UPSCના ઉમેદવારોના ઈન્ટરવ્યુ રખાયા મૌકૂફ, નોંધનીય છે કે, 23 માર્ચથી 3 એપ્રીલ વચ્ચે આ ઇન્ટરવ્યુનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે હવે આગામી દિવસોમાં UPSC નવી તારીખોની જાહેરાત કરશે.
ભારતમાં વિદેશી નાગરિકનું કોરોનાથી થયું મોત
ગુરુવારે પંજાબમાં થયેલા મોત બાદ ભારતમાં કોરોનાના પગલે થનારા મૃત્યુઆંકમાં સતત વધારો થતો જણાઈ રહ્યો છે. આજે ઈટાલીના નાગરિકે રાજસ્થાનમાં કોરોના વાયરસને લઈને જીવ ગુમાવ્યો છે. રાજસ્થાનમાં આ પહેલું મોત નોંધાયું છે. મૃતક દર્દી ઈટાલીનો રહેનારો અને સવાઈ માનસિંહ હોસ્પિટલના આઈસોલેશન વોર્ડમાં એડમિટ કરાયો હતો. થોડા દિવસ પહેલાં રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો પણ કિડની અને લંગ્સ ઈન્ફેક્શન વધી જતા તે મૃત્યુ પામ્યો હતો. દર્દીએ જયપુરની SMS હોસ્પિટલમાં સારવાર લીધી અને અહીં જ જીવ ગુમાવ્યો હતો.
કોરોના વાયરસ સંબંધિત અફવાઓનો મામલો
કોરોનાને લઈને અફવાઓનું બજાર ગરમ છે. આ અફવાઓની ફરિયાદ માટે એક વોટ્સએપ નંબર જાહેર કરાયો છે. આ નંબર ભારત સરકારે નાગરિકોની સુવિધા માટે જાહેર કર્યો છે. 9013151515 નંબર પર મેસેજ દ્વારા ફરિયાદ કરી શકાશે.
ગુજરાતમાં રાજકોટ અને સુરત બાદ હવે અમદાવાદના પ્રહલાદનગર વિસ્તારમાં પણ કોરોનાનો પોઝિટિવ કેસ સામે આવ્યો છે. સેટેલાઈટ વિસ્તારમાં રહેતી આ યુવતી અમેરિકાના ન્યૂયોર્કથી એક અઠવાડિયા પહેલાં જ પરત આવી હતી. તેનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. આ ટેસ્ટ પોઝિટિવ આવતા ખળભળાટ મચી ગયો હતો. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં જ સુરત અને રાજકોટમાં પણ 1-1 કેસ પોઝિટિવ મળતાં રહીશોમાં ગભરાટ ફેલાઈ રહ્યો છે.
કોરોનાના ખતરાને લઈને રાજ્યમાં તંત્ર એલર્ટ
રાજ્યમાં 127 ખાનગી હોસ્પિટલો આઈસોલેશન બેડથી સજ્જ છે. 127 હોસ્પિટલમાં 635 આઈસોલેશન બેડની વ્યવસ્થા છે. રાજ્યના 25 જિલ્લામાં ખાનગી હોસ્પિટલોમાં આઈસોલેશન બેડની વ્યવસ્થા તૈયાર કરાઈ છે. કોરોનાને લઈને એસટી વિભાગનો મહત્વનો નિર્ણય લીધો જેમાં મહારાષ્ટ્ર તરફની ST બસ સેવા રદ્દ કરાઈ છે. 31 માર્ચ બાદ પણ બસ સેવા રદ થઈ શકે છે. ગુજરાતથી મહારાષ્ટ્રની 20,061 ટિકિટનું એડવાન્સ બુકિંગ હતું. હાલમાં 1200 ટિકિટ મુસાફરોએ રદ્દ કરાવી છે.
મુંબઈ, પુણે, થાણે, માલેગાંવ, કોલ્હાપુર સહિતની ST બસો રદ્દ કરવામાં આવી છે.
કોરોનાના કેસ મળી આવતા રાજકોટ અને સુરતમાં કલમ 144 લાગૂ
રાજકોટ અને સુરત શહેરવાસીઓ માટે સ્થાનિક તંત્રએ જાહેરનામુ બહાર પાડ્યું છે. 4 કરતા વધુ લોકોના એકઠા થવા પર પ્રતિબંધ મુકાયો છે.
જાહેરસભા, સરઘસ કે રેલી કરવા પર પ્રતિબંધ ફરમાવાયો છે. 30 એપ્રિલ સુધી રાજકોટ શહેરમાં જાહેરનામુ કાયમ રહેશે. 29 માર્ચ સુધી સુરત શહેરમાં કલમ 144 લાગૂ રહેશે.
તેમણે દેશવાસીઓને કહ્યું કે આ સંકટને જરા પણ હળવું લેવાની જરૂર નથી. જેથી સરકારના આ પ્રયાસમાં જનતા પણ સહકાર આપે અને બને તેટલું સોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન કરે. તેમણે કહ્યું હતું કે બીજા વિશ્વયુદ્ધમાં પણ આટલા દેશો પ્રભાવિત નહોતા થયા જેટલા અત્યારે કોરોના વાયરસથી થયા છે.
Prime Minister Narendra Modi: I request people above the age of 60 to not venture out of their homes for the next few weeks. #Coronavirushttps://t.co/nadoMrWmj2
60-65 ઉંમરથી મોટા લોકો ઘરથી બહાર ન નીકળે એ ખૂબ જરૂરી છે. હું આજે દેશવાસીઓ પાસેથી એક સમર્થન માંગુ છું. લોકો રવિવાર 22 માર્ચે જનતા કર્ફ્યુંનું પાલન કરે. PM મોદીએ કહ્યું સવારે 7 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી જનતા પોતાની જાતે જ કર્ફ્યૂ કરે અને ઘરની બહાર ન નીકળે. તેઓએ કહ્યું કે દેશ જ નહીં સમગ્ર વિશ્વ એક ગંભીર સંકટમાં છે
ગુજરાતમાં પણ કોરોના વાયરસનો પગ પેસારો
સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસના હાહાકાર વચ્ચે કોરોનાએ ગુજરાતમાં પગ પેસારો કર્યો છે. ગુજરાતમાં ગુરૂવારે મોડી સાંજે કોરોના વાયરસના બે પોઝિટિવ કેસ નોંધાયા છે. આરોગ્ય વિભાગના કહેવા મુજબ સુરત અને રાજકોટમાં બે પોઝિટિવ કેસ નોંધાયા છે. રાજકોટમાં જંગલેશ્વર વિસ્તારમાં રહેતાં અને ચાર દિવસ પહેલાં મક્કા-મદીનાથી આવેલાં યુવાનને કોરોના વાયરસનો પોઝિટિવ ટેસ્ટ આવ્યો છે. આ ઉપરાંત અમદાવાદમાં બે શંકાસ્પદ કેસ હોવાની ચર્ચા છે. મહત્વનું છે કે બન્ને દર્દી વિદેશ પ્રવાસથી પરત ફર્યા હતા. જોકે બન્નેની હાલત સ્થિર છે.
સોમનાથ મંદિર અને અંબાજી મંદિર બંધ
કોરોના વાયરસના પ્રકોપથી સોમનાથ મંદિર અને અંબાજી મંદિરને તારીખ 31 માર્ચ સુધી બંધ કરી દેવામાં આવ્યું છે.
દેશમાં કોરોના વાયરસથી વધુ એક મોત
ભારતમાં કોરોના વાયરસથી મૃત્યુ પામનારની સખ્યા વધીને 4 થઇ ગઇ છે. પંજાબમાં કોરોના વાયરસથી એક વ્યક્તિનું મોત થયું છે. ભારતમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા ગુરુવારે (19 માર્ચ 2020) વધીને 186 થઇ
HCLના એક કર્મચારીનો રિપોર્ટ પોઝિટિવ
એચસીએલ (HCL) એ જણાવ્યું કે તેના નોઇડા સ્થિત ઓફિસમાં કાર્યરત એક કર્મચારીનો કોરોના વાયરસ પોઝિટિવ આવ્યો છે. વિદેશ યાત્રાથી પરત ફર્યા બાદ આ વ્યક્તિ સેલ્ફ આઇસોલેશનમાં હતો.