દુનિયાના ઘણા દેશોમાં જીવલેણ કોરોના વાયરસ (Coronavirus) એ કહેર વરસાવ્યો છે. લગભગ 170 દેશોમાં કોરોના વાયરસથી હજારો લોકોનો મોત થયા છે. ભારતમાં પણ કોરોના વાયરસ સંક્રમિત કેસની સંખ્યા સતત વધતી જઇ રહી છે. ભારતમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા ગુરુવારે (19 માર્ચ 2020) વધીને 197 થઇ ગઇ છે.
ભારતમાં વધ્યું કોરોનાનું સંકટ
કચ્છમાં નોંધાયો ચોથો શંકાસ્પદ કેસ
ગુજ.યુનિ.ની પરીક્ષાઓ 17 એપ્રિલ સુધી રદ્દ
(તમામ અપડેટ્સ 19 માર્ચ 2020 - 10:30 વાગ્યા સુધી)
ભારતમાં કોરોનાના વધુ અપડેટ્સ માટે ક્લિક કરોઃ https://www.mohfw.gov.in/
PM મોદીએ કોરોના વાયરસના ભારતના સંકટને લઈને રાષ્ટ્રજોગ સંબોધન કર્યુ. તેમણે દેશવાસીઓને કહ્યું કે આ સંકટને જરા પણ હળવું લેવાની જરૂર નથી. જેથી સરકારના આ પ્રયાસમાં જનતા પણ સહકાર આપે અને બને તેટલું સોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન કરે. તેમણે કહ્યું હતું કે બીજા વિશ્વયુદ્ધમાં પણ આટલા દેશો પ્રભાવિત નહોતા થયા જેટલા અત્યારે કોરોના વાયરસથી થયા છે.
Prime Minister Narendra Modi: I request people above the age of 60 to not venture out of their homes for the next few weeks. #Coronavirushttps://t.co/nadoMrWmj2
60-65 ઉંમરથી મોટા લોકો ઘરથી બહાર ન નીકળે એ ખૂબ જરૂરી છે. હું આજે દેશવાસીઓ પાસેથી એક સમર્થન માંગુ છું. લોકો રવિવાર 22 માર્ચે જનતા કર્ફ્યુંનું પાલન કરે. PM મોદીએ કહ્યું સવારે 7 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી જનતા પોતાની જાતે જ કર્ફ્યૂ કરે અને ઘરની બહાર ન નીકળે. તેઓએ કહ્યું કે દેશ જ નહીં સમગ્ર વિશ્વ એક ગંભીર સંકટમાં છે
ગુજરાતમાં પણ કોરોના વાયરસનો પગ પેસારો
સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસના હાહાકાર વચ્ચે કોરોનાએ ગુજરાતમાં પગ પેસારો કર્યો છે. ગુજરાતમાં ગુરૂવારે મોડી સાંજે કોરોના વાયરસના બે પોઝિટિવ કેસ નોંધાયા છે. આરોગ્ય વિભાગના કહેવા મુજબ સુરત અને રાજકોટમાં બે પોઝિટિવ કેસ નોંધાયા છે. રાજકોટમાં જંગલેશ્વર વિસ્તારમાં રહેતાં અને ચાર દિવસ પહેલાં મક્કા-મદીનાથી આવેલાં યુવાનને કોરોના વાયરસનો પોઝિટિવ ટેસ્ટ આવ્યો છે. આ ઉપરાંત અમદાવાદમાં બે શંકાસ્પદ કેસ હોવાની ચર્ચા છે. મહત્વનું છે કે બન્ને દર્દી વિદેશ પ્રવાસથી પરત ફર્યા હતા. જોકે બન્નેની હાલત સ્થિર છે.
કોરોના વાયરસને પગલે ગુજરાતના સુરત શહેરમાં કલમ 144 લગાવી દેવાઇ છે. પોલીસે શહેરના તમામ સાર્વજનિક સ્થળો પર લોકોની અવર જવર રોકવા માટે 19 માર્ચથી 29 માર્ચ 2020 સુધી કલમ 144 લગાવી છે. આ ઉપરાંત સુરતમાં સિનેમા હોલ, મોલ, જિમ, ક્લબ, સ્કૂલ અને કોલેજ અને ટ્યૂશન ક્લાસ પૂર્ણ રીતે બંધ કરવાનો આદેશ આપ્યો છે.
સોમનાથ મંદિર અને અંબાજી મંદિર બંધ
કોરોના વાયરસના પ્રકોપથી સોમનાથ મંદિર અને અંબાજી મંદિરને તારીખ 31 માર્ચ સુધી બંધ કરી દેવામાં આવ્યું છે.
દેશમાં કોરોના વાયરસના વધ્યા કેસ
ભારતમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા ગુરુવારે વધીને 197 સુધી પહોંચી ગઇ છે.
દેશમાં કોરોના વાયરસથી વધુ એક મોત
ભારતમાં કોરોના વાયરસથી મૃત્યુ પામનારનીં સખ્યા વધીને 4 થઇ ગઇ છે. પંજાબમાં કોરોના વાયરસથી એક વ્યક્તિનું મોત થયું છે. ભારતમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા ગુરુવારે (19 માર્ચ 2020) વધીને 186 થઇ
HCLના એક કર્મચારીનો રિપોર્ટ પોઝિટિવ
એચસીએલ (HCL) એ જણાવ્યું કે તેના નોઇડા સ્થિત ઓફિસમાં કાર્યરત એક કર્મચારીનો કોરોના વાયરસ પોઝિટિવ આવ્યો છે. વિદેશ યાત્રાથી પરત ફર્યા બાદ આ વ્યક્તિ સેલ્ફ આઇસોલેશનમાં હતો.
ભારતીય ઓલિમ્પિક સંઘના કર્મીઓને ઘરેથી કામ કરવા આદેશ
ભારતીય ઓલિમ્પિક સંઘના કર્મચારીઓને ઘરેથી કામ કરવાનો આદેશ અપાયો, BCCIનું મુંબઇ સ્થિત મુખ્યાલય પણ બંધ કરાયું
છત્તીસગઢમાં કોરોનાનો પહેલો પોઝિટિવ કેસ
છત્તીસગઢમાં કોરોના વાયરસનો પહેલો પોઝિટિવ કેસ સામે આવ્યો છે. સંક્રમિત વ્યક્તિની ઉંમર 24 વર્ષ છે. આ વ્યક્તિ રવિવારે લંડનથી રાયપુર આવ્યો હતો.
Chhattisgarh Health Min TS Singh Deo: A 24-year-old woman has tested positive for #Coronavirus in Raipur; she has travel history to London. She arrived in India on March 15. Her family members have been directed to home quarantine themselves; none have shown any symptom till now. pic.twitter.com/w6gPlUfI7E
કોરોના વાયરસના વધતા પ્રભાવને લઈને ICSE બોર્ડે મહત્વનું પગલું લીધું છે. બોર્ડે ધો.10 અને ધો. 12ની પરીક્ષા સ્થગિત કરી છે. શિડ્યુલના આધારે આ પરીક્ષાઓ 31 માર્ચથી શરૂ થનારી હતી. ધો. 10ની પરીક્ષા 27 ફેબ્રુઆરીથી 3
કોરોનાના શંકાસ્પદ કેસ
અમદાવાદમાં કોરોનાના વધુ 2 શંકાસ્પદ કેસ નોંધાયા. અમદાવાદમાં 31 કેસમાંથી 29 કેસના રિપોર્ટ નેગેટિવ આવ્યા. બે કેસના રિપોર્ટ આવવાના બાકી.
અમદાવાદ AMC થયું એલર્ટ
કોરોના વાયરસને લઇને અમદાવાદ AMCનો હેલ્થ વિભાગ એલર્ટ થઇ ગયો છે. અને સરકારી ઓફિસોની અંદર દવાઓનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. કચેરીઓના પરિસરમાં પણ ફોગિંગની કામગીરી કરવામાં આવી રહી છે. સાથે જ વધુ લોકોને ભેગા ન થવા માટે પણ સલાહ આપવામાં આવી છે.
ભારતમાં પણ રોજબરોજ કોરોનાના કેસની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ભારતમાં અત્યાર સુધી 28 નવા કેસની સાથે કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા 170ને પાર થઈ છે. તેલંગાણામાં 8 વધુ કેસ નોંધાયા છે. તો રાજસ્થાન અને કર્ણાટકમાં પણ 3-3 કેસ સામે આવ્યા છે. દિલ્હી અને યૂપીમાં પણ 2-2 કેસ નોંધાયા છે. ઉલ્લેખનીય છે કે ભારતમાં કોરોનાના કારણે 3 લોકોના મોત નીપજ્યા છે.
Ministry of Health and Family Welfare: Total number of confirmed #COVID19 cases in India rises to 166 - comprising 141 Indian nationals and 25 foreign nationals. There has been 3 deaths in the country due to #Coronavirus so far. (as on 19.03.2020 at 09:00 AM) pic.twitter.com/wWhhZiq4kF
હાલમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 151 છે. કોરોનાથી પીડિત દર્દીનો આંક મહારાષ્ટ્રમાં 45, આંધ્રમાં 2, દિલ્હીમાં 10, હરિયાણામાં 17, કર્ણાટકમાં 14, કેરળમાં 27, પંજાબમાં 2, રાજસ્થાનમાં 7, તમિલનાડુમાં 1, તેલંગાણામાં 13, જમ્મૂ કાશ્મીરમાં 4, લદ્દાખમાં 8, ઉત્તરપ્રદેશમાં 17, ઉત્તરાખંડમાં 1, ઓરિસ્સામાં 1 અને પશ્ચિમ બંગાળમાં 1 કેસ નોંધાયો છે.
આંધ્રપ્રદેશમાં નોંધાયો બીજો પોઝિટિવ કેસ
આંધ્રપ્રદેશમાં કોરોના વાયરસનો બીજો પોઝિટિવ કેસ મળ્યો છે. પ્રકાશમ જિલ્લામાં એક દર્દી કોરોનાથી સંક્રમિત હતો. આ પહેલાં નેલ્લોર જિલ્લામાં એક દ્દર્દી પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું હતું.
Chandigarh: A 23-year-old woman has tested positive for #COVID-19. She has travel history to the United Kingdom. pic.twitter.com/x7w64LaiqM
ચંડીગઢના સેક્ટર 32ના જીએમસીએચમાં એડમિટ કરાયેલા કોરોનાના દર્દીનો રિપોર્ટ ગઈકાલે મોડીરાત્રે પોઝિટિવ આવતાં ખળભળાટ ફેલાયો છે. સ્વાસ્થ્ય વિભાગના અનુસાર પીજીઆઈના વાયરોલોજી ડિપાર્ટમેન્ટનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. આ મહિલા રવિવારે સવારે જ ઈંગ્લેન્ડથી પાછી આવી હતી. શરદી-ખાંસીની ફરિયાદના આધારે તેને સોમવારે એડમિટ કરવામાં આવી હતી. જો કે હાલમાં તેની સ્થિતિ સામાન્ય છે.
ગુજ.યુનિ.ની પરીક્ષાઓ રદ્દ
અમદાવાદમાં કોરોનાના કહેર વચ્ચે ગુજ.યુનિ.ની પરીક્ષાઓ રદ્દ થઈ છે. ગુજરાત યુનિ.ની રદ્દ કરાયેલ પરીક્ષા હવે 17 એપ્રિલે લેવાશે. અગાઉ આ પરીક્ષા 5મી માર્ચથી શરુ થવાની હતી.
કોરોના બાય બાય
ગુજરાત સરકારે કોરોના વિરુદ્ધ અભિયાન શરૂ કરી દીધું છે. કોરોના બાય બાય ગીત બનાવીને અભિયાન ચલાવાઈ રહ્યું છે. કોરોના જાગૃતિ માટે સરકારે ગીત બનાવ્યું છે. અરવિંદ વેગડા દ્વારા ભાઈ ભાઈ વાળી થીમ પર ગીત બનાવાયું છે.
કચ્છમાં નોંધાયો ચોથો શંકાસ્પદ કેસ
કચ્છમાં કોરોનાના દર્દીનો ચોથો શંકાસ્પદ કેસ જોવા મળ્યો હતો. આ દર્દી દુબઈથી 5 દિવસ અગાઉ પરત ફર્યો હતો. મુન્દ્રાની વૃદ્ધાને કોરોનાના લક્ષણ દેખાતા તપાસ કરવામાં આવી છે. આ દર્દીની અમદાવાદની બ્લડ સેમ્પલની તપાસ થશે.
NRAI એ દેશના 5 લાખ રેસ્ટોરેન્ટ બંધ રાખવા માલિકોને કરી અપીલ
કોરોના વાયરસના કિસ્સાઓ ભારતમાં દિવસેને દિવસે વધી રહ્યા છે અને મોટી સંખ્યામાં લોકો તેની ઝપેટમાં આવી રહ્યા છે ત્યારે નેશનલ રેસ્ટોરેન્ટ સંગઠને(NRAI) દેશના 5 લાખ રેસ્ટોરેન્ટ માલિકોને આગામી 31 માર્ચ સુધી પોતાની રેસ્ટોરેન્ટ બંધ રાખવાની અપીલ કરી છે.
ભારતમાં કોરોના પીડિતોની સંખ્યા 159 થઇ
ભારતમાં કોરોના પીડિતોની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થયો છે. તાજેતરમાં પ્રાપ્ત થયેલ અહેવાલ અનુસાર, કોરોનાના દર્દીઓની સંખ્યાં વધીને 159 થઇ છે. ત્યારે આ મહામારીને નાથવા માટે કેન્દ્ર સરકાર સહિત WHO દ્વારા ખાસ પગલા લેવામાં આવી રહ્યા છે.
તિહાડ જેલમાં કેદીઓના પરિવારજનોને મળવા પર પાબંધી
કોરોના વાયરસને કારણે તિહાડ જેલ પ્રસાશને કેદીઓના પરિવારજનોને મળવા પર પાબંધી લાદી છે. આગામી 19 માર્ચથી 31 માર્ચ દરમિયાન કેદીના પરિવારજનો કેદીને મળી શકશે નહીં