ભારતમાં કોરોનાનું સંકટ સતત વધી રહ્યું છે ત્યારે ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 26 કેસ નોંધાયા છે. આ સાથે જ ભારતમાં કોરોનાના કુલ 169 કેસ નોંધાયા છે. અમદાવાદમાં સરકારે કોરોના બાય બાયનું અભિયાન શરૂ કર્યું છે. સાથે જ ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષાઓ પણ 17 એપ્રિલ સુધી રદ્દ કરવામાં આવી છે.
ભારતમાં કોરોનાના વધુ અપડેટ્સ માટે ક્લિક કરોઃ https://www.mohfw.gov.in/
ગુજ.યુનિ.ની પરીક્ષાઓ રદ્દ
અમદાવાદમાં કોરોનાના કહેર વચ્ચે ગુજ.યુનિ.ની પરીક્ષાઓ રદ્દ થઈ છે. ગુજરાત યુનિ.ની રદ્દ કરાયેલ પરીક્ષા હવે 17 એપ્રિલે લેવાશે. અગાઉ આ પરીક્ષા 5મી માર્ચથી શરુ થવાની હતી.
કોરોના બાય બાય
ગુજરાત સરકારે કોરોના વિરુદ્ધ અભિયાન શરૂ કરી દીધું છે. કોરોના બાય બાય ગીત બનાવીને અભિયાન ચલાવાઈ રહ્યું છે. કોરોના જાગૃતિ માટે સરકારે ગીત બનાવ્યું છે. અરવિંદ વેગડા દ્વારા ભાઈ ભાઈ વાળી થીમ પર ગીત બનાવાયું છે.
કચ્છમાં નોંધાયો ચોથો શંકાસ્પદ કેસ
કચ્છમાં કોરોનાના દર્દીનો ચોથો શંકાસ્પદ કેસ જોવા મળ્યો હતો. આ દર્દી દુબઈથી 5 દિવસ અગાઉ પરત ફર્યો હતો. મુન્દ્રાની વૃદ્ધાને કોરોનાના લક્ષણ દેખાતા તપાસ કરવામાં આવી છે. આ દર્દીની અમદાવાદની બ્લડ સેમ્પલની તપાસ થશે.
NRAI એ દેશના 5 લાખ રેસ્ટોરેન્ટ બંધ રાખવા માલિકોને કરી અપીલ
કોરોના વાયરસના કિસ્સાઓ ભારતમાં દિવસેને દિવસે વધી રહ્યા છે અને મોટી સંખ્યામાં લોકો તેની ઝપેટમાં આવી રહ્યા છે ત્યારે નેશનલ રેસ્ટોરેન્ટ સંગઠને(NRAI) દેશના 5 લાખ રેસ્ટોરેન્ટ માલિકોને આગામી 31 માર્ચ સુધી પોતાની રેસ્ટોરેન્ટ બંધ રાખવાની અપીલ કરી છે.
ભારતમાં કોરોના પીડિતોની સંખ્યા 159 થઇ
ભારતમાં કોરોના પીડિતોની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થયો છે. તાજેતરમાં પ્રાપ્ત થયેલ અહેવાલ અનુસાર, કોરોનાના દર્દીઓની સંખ્યાં વધીને 159 થઇ છે. ત્યારે આ મહામારીને નાથવા માટે કેન્દ્ર સરકાર સહિત WHO દ્વારા ખાસ પગલા લેવામાં આવી રહ્યા છે.
તિહાડ જેલમાં કેદીઓના પરિવારજનોને મળવા પર પાબંધી
કોરોના વાયરસને કારણે તિહાડ જેલ પ્રસાશને કેદીઓના પરિવારજનોને મળવા પર પાબંધી લાદી છે. આગામી 19 માર્ચથી 31 માર્ચ દરમિયાન કેદીના પરિવારજનો કેદીને મળી શકશે નહીં