(તમામ અપડેટ્સ 18માર્ચ 2020 - રાતે 9:50 વાગ્યા સુધી)
ભારતમાં કોરોનાના વધુ અપડેટ્સ માટે ક્લિક કરોઃ https://www.mohfw.gov.in/
NRAI એ દેશના 5 લાખ રેસ્ટોરેન્ટ બંધ રાખવા માલિકોને કરી અપીલ
કોરોના વાયરસના કિસ્સાઓ ભારતમાં દિવસેને દિવસે વધી રહ્યા છે અને મોટી સંખ્યામાં લોકો તેની ઝપેટમાં આવી રહ્યા છે ત્યારે નેશનલ રેસ્ટોરેન્ટ સંગઠને(NRAI) દેશના 5 લાખ રેસ્ટોરેન્ટ માલિકોને આગામી 31 માર્ચ સુધી પોતાની રેસ્ટોરેન્ટ બંધ રાખવાની અપીલ કરી છે.
ભારતમાં કોરોના પીડિતોની સંખ્યા 159 થઇ
ભારતમાં કોરોના પીડિતોની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થયો છે. તાજેતરમાં પ્રાપ્ત થયેલ અહેવાલ અનુસાર, કોરોનાના દર્દીઓની સંખ્યાં વધીને 159 થઇ છે. ત્યારે આ મહામારીને નાથવા માટે કેન્દ્ર સરકાર સહિત WHO દ્વારા ખાસ પગલા લેવામાં આવી રહ્યા છે.
તિહાડ જેલમાં કેદીઓના પરિવારજનોને મળવા પર પાબંધી
કોરોના વાયરસને કારણે તિહાડ જેલ પ્રસાશને કેદીઓના પરિવારજનોને મળવા પર પાબંધી લાદી છે. આગામી 19 માર્ચથી 31 માર્ચ દરમિયાન કેદીના પરિવારજનો કેદીને મળી શકશે નહીં
પશ્ચિમ રેલવેની 10 ટ્રેન બંધ
1. ટ્રેન નંબર 12227 મુંબઇ સેન્ટ્રલ-ઇન્દોર દુરંતો એક્સપ્રેસ 21, 26 અને 28 માર્ચ 2020
2. ટ્રેન નંબર 12228 ઇન્દોર-મુંબઇ સેન્ટ્રલ દુરંતો એક્સપ્રેસ 22, 27 અને 29 માર્ચ 2020
3. ટ્રેન નંબર 22923 બાન્દ્રા ટર્મિનસ-જામનગર હમસફર એક્સપ્રેસ 21, 23, 25, 28 અને 30 માર્ચ 2020
4. ટ્રેન નંબર 22924 જામનગર-બાંદ્રા ટર્મિનસ હમસફર એક્સપ્રેસ 22, 24, 26, 29 અને 31 માર્ચ 2020
5. ટ્રેન નંબર 12239 મુંબઇ સેન્ટ્રલ-જયપુર દુરંતો એક્સપ્રેસ 22, 24, 29 અને 31 માર્ચ 2020
6. ટ્રેન નંબર 12240 જયપુર-મુંબઇ સેન્ટ્રલ દુરંતો એક્સપ્રેસ 24, 26, 31 માર્ચ અને 2 એપ્રિલ 2020
7. ટ્રેન નંબર 22209 મુંબઇ સેન્ટ્રલ-નવી દિલ્હી દુરંતો એક્સપ્રેસ 23, 27 અને 30 માર્ચ 2020
8. ટ્રેન નંબર 22210 નવી દિલ્હી-મુંબઇ સેન્ટ્રલ દુરંતો એક્સપ્રેસ 21, 24, 28 અને 31 માર્ચ 2020
9. ટ્રેન નંબર 19317 ઇંદોર-પુરી હમસફર એક્સપ્રેસ 21 અને 28 માર્ચ 2020
10. માર્ચ 25 અને 1 એપ્રિલ, 2020 ને છોડીને ટ્રેન નં. 19318 પુરી-ઇંદોર હમસફર એક્સપ્રેસ
ભારતમાં કોરોના પીડિતોની સંખ્યા 155 થઇ
ભારતમાં કોરોનાનો કહેર વધવા લાગ્યો છે કારણ કે કોરોના પીડિતોની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થયો છે. તાજેતરમાં પ્રાપ્ત થયેલ અહેવાલ અનુસાર, કોરોનાના દર્દીઓની સંખ્યાં વધીને 155 થઇ છે.
કોરોનાને કારણે અલ્હાબાદ કોર્ટ 3 દિવસ માટે રહેશે બંધ
અલ્હાબાદ હાઇકોર્ટના આસિટન્ટ રજીસ્ટારને કોરોના વાયરસનો ચેપ લાગતા તેમને સારવાર માટે દવાખાને ખસેડાયા હતા ત્યારે હવે કોર્ટ આગામી 3 દિવસ બંધ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
અમદાવાદ, પોરબંદર, સુરતમાં કોરોનાના શંકાસ્પદ કેસ
અમદાવાદમાં કોરોના વાયરસનો શંકાસ્પદ કેસ નોંધાયો હતો. આ દર્દીને VS હોસ્પિટલમાં આઈસોલેશન વોર્ડમાં દર્દીને દાખલ કરાયો. ત્યારે આ તરફ સુરતના રાંદેર વિસ્તારમાં કોરોનાનો વધુ એક શંકાસ્પદ કેસ, યુવક નાગપુરથી પરત ફર્યો હોવાનું ખુલ્યું. તો સૌરાષ્ટ્રના પોરબંદરમાં પણ કોરોનાનો એક શંકાસ્પદ કેસ નોંધાયો હતો.
મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યામાં વધારો
ભારતમાં સહિત દુનિયાભરમાં કોરોના પીડિતોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. ત્યારે હવે મુંબઇમાં એક 68 વર્ષની મહિલાને કોરોના થયો હોવાની પુષ્ટી થઇ છે.
TMC સાંસદને કોરોનાની અસર
TMC સાંસદ મિમી ચક્રવર્તીને કોરંટાઇન કરવામાં આવ્યા છે. તેઓ બુધવારે લંડનથી પરત ફર્યા છે. સરકારે ગાઇડલાઇન મુજબ તેમને 14 દિવસ સુધી તેમને કોરંટાઇન કરવામાં આવ્યા છે.
એર વિસ્ટારાએ ઇન્ટરનેશનલ ફ્લાઇટ રદ્દ કરી
કોરોના વાયરસના કહેરને જોતા એર વિસ્ટારાએ મોટો નિર્ણય લીધો હતો. આ કંપનીએ આગામી 20 માર્ચ સુધી તમામ ઇન્ટરનેશનલ ફ્લાઇટો રદ્દ કરી હતી.
નોઇડામાં ચોથો કેસ
દિલ્હીની પાસે આવેલ નોઇડામાં કોરોના વાયરસનો વધુ એક પોઝિટિવ કેસ સામે આવ્યો છે. આ વ્યક્તિ ઇંડોનેશિયાના પ્રવાસથી પરત આવ્યો હતો. આ અંગેની પુષ્ટિ ગૌતમબુદ્ધનગરના CMO ડૉકટરના અનુરાગ ભાર્ગવે કરી. આ શખ્સને હાલમાં આઇસોલેશન વોર્ડમાં રાખવામાં આવ્યો છે.
કોરોનાને કારણે ગુજરાતની શાળાઓના બાળકોને ભણાવવા ટીવી પર શરૂ થશે ઇ-ક્લાસ
માનવ સંસાધન મંત્રાલયના આદેશ અનુસાર બાળકોને ભણાવવા માટે ઇ-ક્લાસ શરૂ કરવામાં આવશે. ત્યારે ગુજરાતમાં પણ બાળકોને ભણાવવા આ કાર્યક્રમ ગુરૂવારથી શરૂ કરાશે.
દેશમાં 148 થઇ સંક્રમિત દર્દીઓની સંખ્યા
ભારતમાં કોરોના વાયરસ સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને 148 થઇ ગઇ છે. જેમાં 123 ભારતીય છે અને 25 વિદેશી સામેલ છે. 14 લોકો સંપૂર્ણ ઠીક થઇ ગયા છે, જ્યારે ત્રણ લોકોનાં મોત નિપજ્યાં છે. 5700થી વધારે લોકો હાલ મોનીટરીંગ હેઠળ છે. આ આંકડાઓ બુધવારે સવારે 10 વાગ્યા સુધીના છે.
પૂનામાં એક વધુ પોઝિટિવ કેસ
કોરોના વાયરસના સંક્રમણના લોકોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. આજરોજ સવારે પૂનામાં એક વધુ પોઝિટીવ કેસ સામે આવ્યો છે. જેને લઇને ભારતમાં આ આંકડો 141 સુધી પહોંચી ગયો છે. કોરોના વાયરસથી અત્યાર સુધીમાં સૌથી વધારે મહારાષ્ટ્ર પ્રભાવિત જોવા મળ્યું છે.
A man who recently returned from England tested positive for #coronavirus in Kolkata, making it the first case in #WestBengal.https://t.co/r3DKPpG5Pg
— Firstpost (@firstpost) March 17, 2020
લદાખમાં યંગ પોઝિટિવ
અત્યાર સુધી સામાન્ય નાગરિકો કોરોના વાયરસની પકડમાં આવી રહ્યા હતા, પરંતુ સૈન્યને લગતો પહેલો કેસ ભારતમાં પણ સામે આવ્યો છે. લદાખમાં એક યુવાન કોરોના પોઝિટિવ મળી આવ્યો છે. જોકે, જવાન વિશે વધારે માહિતી બહાર આવી નથી, પરંતુ કહેવાઈ રહ્યું છે કે તેના પિતા ઇરાનથી પરત ફર્યા હતા.
કોલકત્તામાં કોરોનાનો પ્રથમ કેસ
કોરોના વાયરસ કોલકત્તા સુધી પહોંચી ગયો છે, અહીં એક વ્યક્તિમાં કોરોના વાયરસનો શંકાસ્પદ કેસ નોંધાયો હતો. આ વ્યક્તિ લંડનથી પરત ફરી હોવાની પ્રાથમિક જાણકારી પ્રાપ્ત થઇ છે.
First positive case of #COVID19 confirmed in West Bengal. The 18-year-old man has travel history to United Kingdom. He is kept in isolation. pic.twitter.com/qLW0GbvsWn
— ANI (@ANI) March 17, 2020
રાજ્યમાં સરકારી ઓફિસો બંધ નહી રહે : ઉદ્ધવ ઠાકરે
મહારાષ્ટ્રમાં સરકારી ઓફિસો બંધ રહેવા મામલે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે ખુલાસો કર્યો છે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે કહ્યું કે રાજ્યમાં સરકારી ઓફિસો ખુલ્લી રહેશે. જ્યારે સાર્વજનિક પરિવહન પણ ખુલ્લા રહેશે.
કોરોના વાયરસની સંખ્યા 138 થઇ
ભારતમાં કોરોના વાયરસના સંક્રમિત લોકોની સંખ્યા વધીને 138 થઇ ગઇ છે. જ્યારે 14 લોકો સ્વસ્થ થયા છે.
ભારતમાં 137 થઇ કોરોના સંક્રમિત લોકોની સંખ્યા
ભારતમાં કોરોના વાયરસના સંક્રમિત લોકોની સંખ્યા 137 થઇ છે.
મહારાષ્ટ્ર સરકારનો મોટો નિર્ણય, 7 દિવસો સુધી બંધ રહેશે સરકારી ઓફિસ
મહારાષ્ટ્ર સરકારે કોરોના વાયરસને પગલે સરકારી ઓફિસ 7 દિવસો સુધી બંધ રાખવાનો નિર્ણય લીધો છે. જોકે જરુરી સેવાઓ, લોકલ ટ્રેન અને બેસ્ટ બસ અને ટ્રાન્સપોર્ટ બંધ નહીં કરવામાં આવે.
ભારતમાં કોરોના વાયરસનો આંકડો 132 થયો
ભારતમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા વધીને 132 થઇ ચૂકી છે.
યૂપીમાં પરીક્ષાઓ, મલ્ટિપ્લેક્ષ 2 એપ્રિલ સુધી બંધ
કોરોના વાયરસને ફેલાતો રોકવા માટે ઉત્તર પ્રદેશ સરકારે મંગળવારે તમામ શૈક્ષણિક સંસ્થાન, મલ્ટિપ્લેક્ષ અને પર્યટન સ્થળ 2 એપ્રિલ સુધી બંધ કરવાનો આદેશ આપ્યો છે.
વધુ 3 પોઝિટિવ કેસ
કોરોના વાયરસના વધુ 3 નવા મામલા સામે આવ્યા છે. લદ્દાખમાં અત્યાર સુધીમાં 6 પોઝિટિવ કેસ મળ્યા છે. અત્યાર સુધીમાં દેશભરમાં કોરોના પીડિતોની સંખ્યા 131 થઇ ગઇ છે. તેમાંથી 3 લોકોના મોત થઇ ગયા છે, જયારે 13 લોકો સ્વસ્થ બની ઘરે જઇ ચૂક્યા છે.
દ્વારકામાં નોંધાયો કોરોનાનો પહેલો કેસ
દ્વારકા જિલ્લામાં પ્રથમ શંકાસ્પદ કોરોનાનો કેસ સામે આવ્યો છે. દુબઇથી પરત આવેલા યુવાનમાં કોરોનાના લક્ષણો દેખાયા છે. યુવાનને આઇસોલેશન વોર્ડમાં દાખલ કરી સારવાર શરૂ કરવામાં આવી રહી છે
અમદાવાદનું જાણીતું કાંકરિયા તળાવ થયું બંધ
કોરોના વાયરસના સંકટ વચ્ચે હવે અમદાવાદનું પ્રખ્યાત કાંકરિયા તળાવ પણ બંધ કરી દેવામાં આવ્યું છે. કાંકરિયા લેક ફ્રન્ટ 29 માર્ચ સુધી બંધ કરી દેવામાં આવ્યું છે. કાંકરિયામાં મોટી સંખ્યામાં લોકો ઉમટતા હોય છે. જેથી આ નિર્ણય લેવામાં આવ્યો છે.કાંકરિયામાં પ્રાણી સંગ્રહાલય, બાલવાટિકા, બટરફ્લાય પાર્ક બંધ કરી દેવામાં આવ્યા છે.
Municipal Corporation Greater Mumbai: Death of 63-year-old male patient admitted at Kasturba Hospital is confirmed. He had high blood pressure, pneumonia & inflammation of heart muscles and increased heart rate leading to death. He tested positive for COVID19. https://t.co/zmZ9xJcDZM
— ANI (@ANI) March 17, 2020
ભારતમાં પણ ત્રીજા વ્યક્તિનું મોત થયું છે. મહારાષ્ટ્રમાં 64 વર્ષીય વૃદ્ધનું મોત નીપજ્યું છે. ભારતમાં કોરોનાના કુલ 128 દર્દીઓ છે.
મંદિરોને કોરોનાનું ગ્રહણ
કોરોના વાયરસના પ્રકોપથી ધાર્મિક સ્થળ પણ સર્તક થઈ ગયા છે અને સાવાધાની રાખી રહ્યા છે. વારાણસીમાં કાશી વિશ્વનાથ મંદિરમાં દર્શન કરવા પહોંચનાર દર્શનાર્થીઓને પહેલા હેન્ડ વૉશ કરાવાય છે. એ બાદ તેમને પ્રવેશ આપવામાં આવે છે. ત્યારે માતા વૈષ્ણો દેવી શ્રાઈન બોર્ડે એડવાઈઝરી જાહેર કરી છે. કોરોના વાયરસને પગલે ભારતના BAPS સંસ્થાનના તમામ મંદિરોમાં મૂર્તિ પ્રતિષ્ઠા, પાટોત્સવ, પૂનમ, એકાદશી જેવા ધાર્મિક કાર્યક્રમો હાલ પૂરતા મુલતવી કરાયા છે. આ ઉપરાંત અનેક મંદિરો એ પણ વિશેષ પગલા ભર્યા છે.
ભારતમાં કોરોનાથી બીજું મોત
Delhi: Death of a 68-year-old woman from West Delhi (mother of a confirmed case of COVID-19), is confirmed to be caused due to co-morbidity (diabetes and hypertension). She also tested positive for COVID-19. https://t.co/hmqARvTVv5
— ANI (@ANI) March 13, 2020
દિલ્હીમાં કોરોનાને કારણે RML હોસ્પિટલમાં સારવાર દરમિયાન એક મહિલાનું મોત થયું છે. ત્યારે મૃતક મહિલાનો દીકરો હાલમાં જ વિદેશથી પરત ફર્યો હતો. મૃતક મહિલાનો દિકરો કોરોના ગ્રસ્ત હતો. ભારતમાં કોરોના વાયરસથી 2 લોકોના મોત થયા છે. માતા અને દિકરાની RMLમાં સારવાર ચાલુ હતી.
ભારતમાં કોરોનાથી પહેલું મોત
Commissioner,Karnataka Health Dept:76-yr-old man from Kalaburagi who passed away&was a suspected COVID-19 patient has been confirmed positive for COVID-19. Contact tracing, isolation&other measures being taken. Telangana Govt. has also been informed as he went to a hospital there
— ANI (@ANI) March 12, 2020
કોરોના વાયરસથી કર્ણાટકમાં એક વ્યક્તિનું મોત થયું છે. ભારતમાં કોરોના વાયરસથી મોતની આ પ્રથમ ઘટના છે. આ મોત કર્ણાટકના કલબુર્ગીમાં થયું છે. મૃતકની ઉંમર 76 વર્ષ જણાઇ રહી છે.
મંદિરોને કોરોનાનું ગ્રહણ
કોરોના વાયરસના પ્રકોપથી ધાર્મિક સ્થળ પણ સર્તક થઈ ગયા છે અને સાવધાની રાખી રહ્યા છે. વારાણસીમાં કાશી વિશ્વનાથ મંદિરમાં દર્શન કરવા પહોંચનાર દર્શનાર્થીઓને પહેલા હેન્ડ વૉશ કરાવાય છે. એ બાદ તેમને પ્રવેશ આપવામાં આવે છે. ત્યારે માતા વૈષ્ણો દેવી શ્રાઈન બોર્ડે એડવાઈઝરી જાહેર કરી છે. કોરોના વાયરસને પગલે ભારતના BAPS સંસ્થાનના તમામ મંદિરોમાં મૂર્તિ પ્રતિષ્ઠા, પાટોત્સવ, પૂનમ, એકાદશી જેવા ધાર્મિક કાર્યક્રમો હાલ પૂરતા મુલતવી કરાયા છે. આ ઉપરાંત અનેક મંદિરો એ પણ વિશેષ પગલા ભર્યા છે.
29 માર્ચ સુધી ગુજરાતમાં વેકેશન
#CoronaVirusUpdate :
— Ministry of Health (@MoHFW_INDIA) March 13, 2020
Fact check on fake O.M of Health Ministry.
Details can be seen here: https://t.co/e9BFk3M70b@PMOIndia @drharshvardhan @AshwiniKChoubey @PIB_India @MIB_India @DDNewslive @ANI @DG_PIB @PTI_News pic.twitter.com/YPghdkZM76
રાજ્ય સરકારે તો વેકેશન જાહેર કરી દીધું છે. પરંતુ સરકાર વેકેશન ન જાહેર કર્યુ હોત તો પણ શહેરોના રસ્તાઓ સુમસામ જોવા મળી રહ્યા છે. રાજ્યની તમામ શાળા-કોલેજોમાં તાળા લાગી ચૂક્યા છે. તો મોલ-મલ્ટિપ્લેક્સ પણ બંધ રાખવામાં આવ્યા છે. કોરોનાની ગંભીરતાને જોતા ટ્યુશન કલાસીસ, આંગણવાડીઓ અને શહેરોમાં ચાલતા તમામ સ્વીમિંગ પુલોને પણ બંધ રાખવા સરકારે આદેશ કર્યો છે. જોકે આ સાથે જ સરકારના તમામ સરકારી કાર્યક્રમો પણ રદ્દ કરાયા છે.
કોરોનાને પગલે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: દેશભરમાં 31 માર્ચ સુધી બંધ રહેશે આ તમામ સુવિધાઓ
Lav Aggarwal, Joint Secretary, Union Health Ministry on #Coronavirus: Important measures including closing of schools, swimming pools, malls, allow employees to work from home,less use of public transport, 1 meter distance between people should be maintained till 31st March. pic.twitter.com/Bk08PfhvHZ
— ANI (@ANI) March 16, 2020
દેશભરમાં કોરોના વાયરસના વધતા કિસ્સાઓને જોતા સ્વાસ્થ્ય મંત્રાલયે (Ministry of Health) પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં સરકાર દ્વારા લેવાયેલા પગલાઓની જાણકારી અપાઈ હતી. સાથે જ દેશવાસીઓને આ વાયરસથી બચવા માટે સચેત કરાયા હતાં. સરકાર તરફથી કહેવાયું છે કે 31 માર્ચ સુધી સ્વિમિંગ પૂલ, મૉલ, સ્કૂલને બંધ કરવા, કર્મચારીઓને ઘરેથી કામ કરવાની અનુમતિ, સાર્વજનિક પરિવહનનો ઓછો ઉપયોગ, લોકોની વચ્ચે 1 મીટરનું અંતર બનાવી રાખવા જેવા ઉપાયો પર ધ્યાન આપવું જોઈએ. મંત્રાલય દ્વારા વિદ્યાર્થીઓને ઘરે રહેવાની સલાહ અપાઈ ચે તેમ જ ઑનલાઈન શિક્ષણને પ્રોત્સાહન આપવા પર પણ ભાર મૂક્યો છે. મંત્રાલયે કહ્યું છે કે સામાજિક અંતરને વધારવા માટે માટે સાર્વજનિક પરિવહન હેઠળની બસો, ટ્રેન અને વિમાનોથી બિનજરૂરી યાત્રા ટાળવી જોઈએ.
જાહેરમાં થૂકવા પર 500 રૂપિયાનો દંડ
ગુજરાત રાજ્યમાં જાહેર સ્થળોએ થૂંકવા પર પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો છે. એટલું જ નહિ જો કોઈ વ્યક્તિ આ પ્રતિબંધનો ભંગ કરશે તો 500 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. રાજ્ય સરકારે તમામ ધાર્મિક સંસ્થાઓ સંપ્રદાયોને પોતાના મેળાવડાઓ ધર્મ કાર્યક્રમો આગામી બે સપ્તાહ સુધી ન યોજવા પણ અનુરોધ કર્યો છે.
હાથ મિલાવવાની જગ્યાએ નમસ્તે કરો
ગુજરાતને લઈને જયંતિ રવિએ જણાવ્યું કે, હાથ મિલાવવાની જગ્યાએ નમસ્તે કરો. સ્વચ્છ સાબુ અને પાણીથી હાથ ધોવાનું રાખવુ. નિયમિત યોગ કરો, પાણી પુષ્કળ પીવો. વયસ્ક વ્યક્તિઓને વિશેષ ધ્યાન રાખવાની જરૂર છે. બિનજરૂરી ઘરની બહાર વયસ્કો ન નીકળે તેવી અપીલ કરી છે. ભીડવાળી જગ્યાએ જરૂર વગર ન જવુ. છીંક અને ઉધરસ વખતે મોઢુ ઢાંકવુ. શરદી હોય તેવા વ્યક્તિથી સુરક્ષિત અંતર રાખવુ. ભીડ ભેગી થાય તેવા કાર્યક્રમો મૌકૂફ રાખવા અપીલ કરી છે.
કોરાના વાયરસથી મૃત્યુ પામેલ લોકોના અંતિમ સંસ્કાર માટે શું કહે છે સરકાર?
સ્વાસ્થ્ય મંત્રાલય મુજબ, દેશમાં કોરોના વાયરસ( coronavirus ) સંક્રમણના 84 કેસની અત્યાર સુધી પુષ્ટિ થઈ છે, જેમાં દિલ્હી અને કર્ણાટકમાં બે મોત પણ સામેલ છે. નવી દિલ્હી એઇમ્સના ફોરેન્સિક મેડિસીન વિભાગના પ્રમુખ સુધીર ગુપ્તાએ કહ્યું કે કોરોના વાયરસ( coronavirus )ના કારણે મૃતક વ્યક્તિના અંતિમ સંસ્કાર કોઈ પણ રીતે નુકસાનકારક પ્રભાવ નથી. શબોના અંતિમ સંસ્કાર માટે ઇલેક્ટ્રિક, ગેસથી કરવું કે દફનાવવું વગેરે થઈ શકે છે.
ગૂગલે લીધો આ નિર્ણય
ગૂગલની બેંગલુરુ સ્થિત ઓફિસમાં એક કર્મચારી કોરોના વાયરસથી સંક્રમિત થઈ ગયો છે. ટેસ્ટમાં પોઝિટિવ આવ્યા બાદ ગૂગલે આ ઓફિસમાં કામ કરતા કર્મચારીઓને તાત્કાલિક ઘરેથી કામ કરવાની સલાહ આપી છે. શુક્રવારે આ વાતની પુષ્ટિ કરતા ગૂગલના એક અધિકારીએ કહ્યું, અમારા બેંગલુરુ સ્થિત ગૂગલ ઓફિસના એક કર્મચારીમાં કોરોના વાયરસની તપાસ પોઝિટિવ આવી છે.
સેન્સેક્સમાં પણ અનેક વાર જોવા મળ્યા કડાકા
કોરોનાની અસર એ રીતે થઈ કે 13 માર્ચ 2020ના રોજ 1 કલાક માટે શેરબજારમાં ટ્રેડિંગ રોકી દેવામાં આવ્યું હતું. આ દિવસને બ્લેક ફ્રાઈડે જાહેર કરવામાં આવ્યો હતો.
આ રીતે બચો કોરોનાથી
આટલી બાબતનું રાખો ખાસ ધ્યાન, જાણો હેલ્પલાઈન નંબર
કોઈ બાળકને ખાંસી, શરદી, તાવ છે તો તબીબને જરૂર બતાવો. હાથ ધોવા, છીંક સમયે મોઢા ઢાંકવા, ટિશ્યૂ પેપરનો ઉપયોગ કરવો. દરવાજાના હેન્ડલ, સ્વિચબોર્ડ, ડેસ્કટોપ, હેન્ડ રેલિંગને વારંવાર ટચ કરવાથી બચો. સ્કૂલમાં એકથી વધુ જગ્યાએ હેન્ડ સેનેટાઈઝર રાખો. રેસ્ટ રૂમમાં સાબુ, પાણીની યોગ્ય સુવિધા આપો. હોસ્ટેલમાં સફાઈનું ધ્યાન રાખો. સ્થાનિક હોસ્પિટલના અધિકારીઓને યોગ્ય સમયે બોલાવો. ખાંસી, શરદી કે તાવ હોય તો તાત્કાલિક 01123978046 પર સંપર્ક કરો. તો આપણે ચોક્કસ પણે આ વાયરસને ડામી શકીશું. અને ગુજરાતને કોરોનાથી બચાવી શકીશું.
ગુજરાતમાં 572 આઇસોલેશન બેડની વ્યવસ્થા
આ ઉપરાંત સરકારે આઇસોલેશન વોર્ડની પણ વ્યવસ્થા કરી છે. જેમાં મેડીકલ કોલેજમાં 392 બેડ, ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલમાં 171 બેડ, સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલમાં 9 બેડ સહિત કુલ 572 આઇસોલેશન બેડ રાખવામાં આવ્યાં છે. આ સિવાય 204 જેટલા વેન્ટિલેટર બેડ રાખવામાં આવ્યાં છે. ઉલ્લેખનીય છે કે, કોઇ પણ વ્યક્તિને કોરોના વાઇરસની અસર જણાય તો તરત 104 નંબર ડાયલ કરવો.
કોરોનાના દર્દી માટે કેન્દ્ર સરકારે લીધો નિર્ણય
Home Ministry: Rs 4 lakh will be paid as ex-gratia to the family of the person who will lose their life due to #Coronavirus, including those involved in relief operations or associated in response activities. https://t.co/duQCN1yVP7
— ANI (@ANI) March 14, 2020
આ પહેલા કેન્દ્ર સરકારે કોરોના વાયરસ (Coronavirus)ની મહામારીને લઇને મોટો નિર્ણય લીધો હતો. કેન્દ્ર સરકારે એલાન કર્યું હતું કે કોરોના વાયરસને કારણે જીવ ગુમાવનાર વ્યક્તિના પરિવારજનોને 4 લાખ રૂપિયાનું વળતર આપવામાં આવશે. તેમા દર્દીઓની દેખરેખ કરનારા લોકો પણ સામેલ કરાયા હતા.
મહારાષ્ટ્ર, દિલ્હી સહિત અનેક જગ્યાઓએ જાહેર થયું રાષ્ટ્રીય સંકટ
કોરોના વાયરસના વધતા કેસને જોતા ભારત સરકારે આને રાષ્ટ્રીય સંકટ જાહેર કરી દીધું છે. ત્યારે રાજ્ય સરકારે આને ગંભીરતાથી જોતા મહત્વના પગલા ભરી રહી છે. મહારાષ્ટ્રમાં થિયેટર્સ, જિમ, સ્વિમિંગ પુલ બાદ હવે તમામ શોપિંગ મોલને 31 માર્ચ સુધી બંધ કરી દેવાયા છે. માત્ર દૈનિક જરૂરિયાતની વસ્તુઓ જ મળી શકશે. ત્યારે ધોરણ 1થી 9માં સુધી તમામ પરીક્ષાઓને સ્થગિત કરી દેવામાં આવી છે. તમામ સરકારી અને પ્રાઇવેટ શાળાઓ અને કોલેજો 31 માર્ચ સુધી બંધ રહેશે. મ્યુનિસિપલ કાઉન્સિલ, સિટી કાઉન્સિલ, ઇન્ડસ્ટ્રિયલ ટ્રેનિંગ ઇન્સ્ટીટ્યૂટ્સ સહિત અન્ય શૈક્ષણિક સંસ્થાનોને પણ 31 માર્ચ સુધી બંધ કરવામાં આવ્યા છે.
Maharashtra Health Minister Rajesh Tope: All malls will remain closed till 31st March in the state, in view of #CoronavirusPandemic. pic.twitter.com/2M0Q3Y4zyH
— ANI (@ANI) March 14, 2020
PM મોદીએ કરી સાર્ક દેશો સાથે બેઠક
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોરોના વાયરસને પહોંચી વળવા માટે સાર્ક દેશો સાથે એક સાથે આવ્યા અને સાથે મળીને એક્શન પ્લાન બનાવ્યો. દુનિયામાં કોરોના વાયરસના કારણે અત્યાર સુધીમાં 7હજારથી વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે. જ્યારે ભારતમાં 3 લોકોના મોત નીપજ્યા છે
SBIના IPOને પણ થઈ અસર
સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના ક્રેડિટ કાર્ડ વિભાગનો IPO કોરોના મહામારીના ભયના ઓથાર હેઠળ ખૂલ્યો હતો. વૈશ્વિક મંદીને ધ્યાને લેતા રોકાણકારોનો ઉત્સાહ મંદ પડી ગયો હતો અને આખરે ડચકા ખાતા 775 રૂપિયાની ઓફર પ્રાઇસથી મુકાયેલો શેર માંડ 661 રૂપિયે એટલે કે 12.45%ના ડિસ્કાઉન્ટ સાથે ખૂલ્યો હતો.
BCCI એ જાહેર કરી એડવાઈઝરી
NEWS: Precautions against Coronavirus (COVID-19) during South Africa’s tour of India, 2020
— BCCI (@BCCI) March 11, 2020
More details here https://t.co/lMQxmnn2OR pic.twitter.com/GPcgzlCBWZ
ભારત અને સાઉથ આફ્રિકાની વચ્ચેની વનડે સીરિઝને લઈને પણ કેટલાક ખાસ સૂચનો ભારતીય ખેલાડીઓને આપવામાં આવ્યા છે. આ સાથે જ BCCIએ ખેલાડીઓને માટે કોરોના વાયરસથી બચવા માટે ખાસ એડવાઈઝરી જાહેર કરી છે જેમાં સેલ્ફી ન લેવાની અને હાથ ન મિલાવવવાની સૂચના આપવામાં આવી છે.
ભારતમાં નોંધાયા કોરોનાના કુલ આટલા કેસ
મહારાષ્ટ્ર - 37
કેરળ - 23
હરિયાણા - 14
ઉત્તરપ્રદેશ - 12
દિલ્હી - 7
કર્ણાટક - 6
રાજસ્થાન - 4
લદાખ - 4
જમ્મૂ કશ્મીર - 3
તેલંગાણા - 3
આંધ્રપ્રદેશ - 1
ઓડિશા - 1
પંજાબ - 1
તમિલનાડુ - 1