ગુજરાતમાં કોરોના દિવસેને દિવસે બેકાબૂ બનતો જાય છે. એમાંય ખાસ અમદાવાદ. અમદાવાદમાં કોરોનાની સ્થિતિ કફોડી છે ત્યારે દિલ્હીથી ખાસ એઈમ્સમાંથી તબીબોની ટીમ આજે અમદવાદાની મુલાકાતે આવવાની છે. છેલ્લા 24 કલાકમાં 24ના મોત થઈ ચુક્યા છે. અત્યાર સુધીમાં 449 દર્દીના મોત થયા છે.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં નવા 390 કેસ નોંધાયા છે. આ સાથે જ અમદાવાદમાં આજે 269 કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ કોરોના પોઝિટિવ લોકોની સંખ્યા 7403 પર પહોંચી છે. તેમણે વધુમાં કહ્યું કે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 24 દર્દીઓના આજે મોત થયા છે. રાજ્યમાં કોરોનાથી અત્યાર સુધીમાં 449 દર્દીઓના મૃત્યુ થયા છે.
હાલ રાજ્યમાં 26 દર્દીઓ વેન્ટિલેટર પર છે. આ સાથે જ 5056 લોકો સ્ટેબલ છે. આજના ટેસ્ટ વિશેની જાણકારી આપતા આરોગ્ય વિભાગે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં કુલ 105378 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં 7403 પોઝિટિવ આવ્યા છે તો 97984 રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.
રાજ્યની સરકારી યુનિવર્સિટી અને કોલેજોમાં 20મી જૂન સુધી વેકેશન
રાજયમાં કોરોના કેસ વધી રહ્યા છે,તેમાં પણ અમદાવાદમાં સ્થિતિ વધારે નાજુંક હોવાથી તે ચેપ અન્ય શહેરોમાં પણ ફેલાઇ રહ્યો છે. આથી કોરોનાના મહામારી વચ્ચે કોલેજોનું તા. 16મી મેના રોજ પુરું થનારું વેકેશન ખોલવામાં આવે તો વધુ કેસનો ફેલાવો થાય તેમ છે. વળી,સમગ્ર દેશમાં લોકડાઉન તા. 17મી મે સુધી છે. આવા સંજોગોમાં રાજય સરકારે તમામ સરકારી યુનિવર્સિટીઓ અને તે સંલગ્ન કોલેજોમાં ઉનાળું વેકેશન તા. 20મી જૂન સુધી રાખવાનો નિર્ણય લીધો છે.
તબીબો-મેડિકલ સ્ટાફનો પગાર વધશે
ગુજરાત સરકારે નક્કી કર્યું છે કે રાજ્યમાં જે પણ મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફ હાલ કામ કરી રહ્યો છે અને કોરોનાના દર્દીઓની સેવામાં રોકાયો છે તેમને વધારાનું વળતર ચૂકવવામાં આવશે. તબીબોને 25,000, નર્સિંગ અને અન્ય પેરામેડિક સ્ટાફને 15,000 જ્યારે અન્ય ટેકનિશિયન કે વોર્ડના કર્મચારીઓને 10,000 પ્રતિમાસ વળતર અપાશે.