કોરોના વાયરસે સમગ્ર દેશમાં હાહાકાર મચાવ્યો છે. ખાસ કરીને ગુજરાતના અમદાવાદમાં કોરોનાના આજે એકસાથે 50 કેસ આવતા તંત્ર વધુ સતર્ક બન્યું છે અને યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી છે, ત્યારે ફરી એકવાર રાજ્યના આરોગ્ય સચિવ શ્રીમતી જયંતી રવિએ પત્રકાર પરિષદને સંબોધન કરતા રાજ્યના આજના કોરોના કેસ અંગેની જાણકારી આપી હતી. જો કે, મોડી સાંજે વડોદરામાં એકસાથે 17 નવા કેસ નોંધાયા હતા.
(9 એપ્રિલ 2020 સાંજે 9.35 વાગ્યા સુધીની અપડેટ)
વડોદરામાં નવા 17 કેસ પોઝિટિવ
સંસ્કારીનગરી વડોદરામાં આજે નવા 17 કેસ નોંધાયા હતા. આ સાથે જ કુલ સંખ્યા 39 થઇ હતી. નાગરવાડા વિસ્તારમાં નવા 17 સામે આવ્યા હતા. નાગરવાડા વિસ્તારને ક્લસ્ટર ક્વોરોન્ટાઇન કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે, આજે ત્યાં 300 સેમ્પલ લેવામાં આવ્યા હતા.
(9 એપ્રિલ 2020 સાંજે 7.55 વાગ્યા સુધીની અપડેટ)
પાટણમાં વધુ 7 કેસ પોઝિટિવ
પાટણમાં કોરોના વાયરસના વધુ 7 કેસ પોઝિટિવ આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, સિધ્ધપુર તાલુકાના નેદ્રા ગામના 7 દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા. આજે કુલ 8 સેમ્પલ ટેસ્ટિંગ માટે મોકલવામાં આવ્યા હતા. જેમાં 1 સેમ્પલનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. તો પાટણ જિલ્લામાં અત્યાર સુધી 12 કેસ પોઝિટિવ કેસ થયાં હતા.
જિલ્લો
પોઝિટિવ કેસ
સાજા થયા
મૃત્યુ
Ahmedabad
142
8
6
Amreli
0
0
0
Anand
2
0
0
Aravalli
0
0
0
Banaskantha
0
0
0
Bharuch
0
0
0
Bhavnagar
18
1
2
Botad
0
0
0
Chhota Udaipur
2
0
0
Dahod
1
0
0
Dang
0
0
0
Devbhoomi Dwarka
0
0
0
Gandhinagar
13
2
0
Gir Somnath
2
0
0
Jamnagar
1
0
1
Junagadh
0
0
0
Kutch
3
0
0
Kheda
0
0
0
Mahisagar
0
0
0
Mehsana
2
0
0
Morbi
1
0
0
Narmada
0
0
0
Navsari
0
0
0
Panchmahal
1
0
1
Patan
12
0
1
Porbandar
3
0
0
Rajkot
13
4
0
Sabarkantha
1
0
0
Surat
25
5
4
Surendranagar
0
0
0
Tapi
0
0
0
Vadodara
39
6
2
Valsad
0
0
0
TOTAL
279
26
17
(9 એપ્રિલ 2020 સાંજે 5.30 વાગ્યા સુધીની અપડેટ)
બપોર બાદ વડોદરામાં 4 પોઝિટિવ કેસ આવ્યાં બાદ રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં પણ 2 વધુ કેસ આવતા રાજ્યમાં કુલ કોરોના પોઝિટિવ કેસનો આંકડો 247 થયો છે.
(9 એપ્રિલ 2020 બપોર 1.47 વાગ્યા સુધીની અપડેટ)
ગુજરાતમાં પોઝિટિવ કેસની સંખ્યામાં વધારો આંકડો 245 પર પહોંચ્યો. 55 કેસ સવારે નોંધાયા જ્યારે વડોદરામાં 4 નવા કેસ આવતા કુલ આંકડો 59 પર પહોંચ્યો છે. અત્યાર સુધીમાં 17 લોકોના મોત થઈ ચુક્યા છે.
વડોદરામાં વધુ 4 પોઝિટિવ કેસ આવ્યા સામે
કોરોના પોઝિટિવના 3 દર્દીઓ નાગરવાડા વિસ્તારના અને નીલકંઠ હોસ્પિટલના ડોક્ટરને કોરોના પોઝિટિવ આવ્યો છે. પોઝિટિવ દર્દી ડોક્ટર આર.વી દેસાઇ રોડનો વતની છે.
પોઝિટિવ ડોક્ટર ગોધરાના પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવ્યો હતો. વાડી વિસ્તારમાં આવેલ નીલકંઠ હોસ્પિટલમાં કામ કરતો હતો.
(9 એપ્રિલ 2020 બપોર 1 વાગ્યા સુધીની અપડેટ)
ગુજરાતમાં આજની કોરોનાના દર્દીઓની શું છે સ્થિતિ?
અત્યાર સુધી ગુજરાતમાં કુલ પોઝિટિવ કેસ 241 નોંધાયા છે. આજે નવા નોંધાયેલા કેસની સંખ્યા 55 છે. જેમાંથી અમદાવાદમાં 50 કેસ સામે આવ્યા છે. 241માંથી 153 દર્દીની હાલત સારી છે. 2 દર્દી વેન્ટીલેટર ઉપર છે. જ્યારે સર્વેલન્સમાં ક્વોરોન્ટાઈન હોય તેવા દર્દીઓની સંખ્યા 43 છે. 26 લોકો સાજા થઈ ચુક્યા છે અને અત્યાર સુધીમાં 17 લોકોના મોત થઈ ચુક્યા છે.
આજે નવા 55 કેસ આવ્યા
અમદાવાદમાં 50
સુરત 2
દાહોદ 1
આણંદ 1
છોટાઉદેપુર 1
કેટલા ટેસ્ટ થયા કેટલા બાકી?
ગુજરાતમાં 24 કલાકમાં કોરનાના કુલ 1788 ટેસ્ટ કરવામાં આવ્યા હતા જેમાંથી 62 કેસ પોઝિટિવ આવ્યા હતા જ્યારે 1624 ટેસ્ટ નેગેટિવ આવ્યા હતા અને 102 ટેસ્ટના રિઝલ્ટ આવવાના હજુ બાકી છે. અત્યાર સુધીમાં કુલ 5760 ટેસ્ટ કરવામાં આવ્યા છે જેમાંથી 241 રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે જ્યારે 102ના રિપોર્ટ હજુ પેન્ડિંગ છે.
આજે અમદાવાદમાં એક 48 વર્ષના પુરૂષનું કોરનાને કારણે મોત થયુ છે. તેને કોરનાની સાથે સાથે હાયપર ટેન્શનની બિમારી પણ હતી. આજે 27 વર્ષનો એક કોરોના પોઝિટિવ દર્દી સાજો થઈ ગયો છે અને તેને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે.
ગુજરાતમાં ચાર મહાનગર પાલિકામાં ક્લસ્ટર ક્વોરન્ટાઈન કરાયા
કોરોના વાયરસનો ખતરો સતત વધી રહ્યો છે. ત્યારે કોરોના સામેની લડતમાં અન્ય જિલ્લાની ટીમો પણ જોડાઇ છે. અમદાવાદ હોટસ્પોટ બનતા અન્ય જિલ્લાની ટીમો બોલાવાઇ છે. સુરેન્દ્રનગર, ખેડા, મહેસાણા, સાબરકાંઠાની મેડિકલ ટીમ જોડાઇ છે. અન્ય જિલ્લાની મેડિકલ ટીમોને અમદાવાદમાં 10 દિવસની ડ્યૂટી આપવામાં આવી છે. આજથી 200 સભ્યોની મેડિકલ ટીમો અમદાવાદમાં ફરજ બજાવશે લોકડાઉન 14 એપ્રિલે પૂર્ણ થતું હોવા છતા 18 એપ્રિલ સુધીના ઓર્ડર આપવામાં આવ્યો છે.
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) April 9, 2020
સુરતમાં કોરનાના સાઈલેન્ટ કેરિયર સક્રિય
સુરતમાં કોરોનાને લઇને સૌથી મોટા સમાચાર મળી રહ્યાં છે. કોરોના વાયરસના લક્ષણો નહતા છતાં એક વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. રાંદેર વિસ્તારના 68 વર્ષીય પુરૂષનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હાલ દર્દીને આઈસોલેશન વોર્ડમાં ખસેડાયા છે.
અગાઉ કોરોનાના દર્દીના સંપર્કથી સંક્રમણ થયું હતું. પરંતુ આ દર્દીમાં કોરોનાના લક્ષણો દેખાયા ન હતા. ત્યારે કોરોનાના પોઝિટિવ દર્દીને લક્ષણ ન દેખાય તે ગંભીર બાબત છે. જોકે અમેરિકા અને ઈટલીમાં પણ આ પ્રકારની ઘટનાઓ બની છે. અમેરિકામાં 50 ટકા જેટલા કોરોનાના દર્દીઓમાં અને આઈસલેન્ડમાં અડધાથી વધારે દર્દીઓમાં કોરોનાના લક્ષણો નથી. આમ, લક્ષણ ન દેખાતા કોરોનાનો પોઝિટિવ દર્દી ચેપ ફેલાવી શકે છે. ત્યારે લક્ષણ નહીં દેખાવાના સંજોગોમાં દર્દીઓને શોધવા તંત્ર માટે આકરૂ થઈ પડે છે.
ભાવનગરના 3 વિસ્તાર ક્લસ્ટર કન્ટેમ્પમેન્ટ
ભાવનગર મહાનગર પાલિકા દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 40 હજાર લોકોને ક્લસ્ટર કન્ટેમ્પમેન્ટ એરિયામાં સીલ કરાયા છે. ભાવનગર મહાનગર પાલિકાએ 3 વિસ્તારના ક્લસ્ટર કન્ટેમ્પમેન્ટ એરિયાના નકશા જાહેર કર્યા છે. મહાનગરપાલિકા દ્વારા વડવા સીદીવાડ, સાંઢિયાવાડ અને મઢિયાફળીના નક્શા જાહેર કરવામાં આવ્યા છે. ત્યારે આ વિસ્તારમાં લોકો ઘરની બહાર નહીં નિકળી શકે.
વડોદરાના નાગરવાડા વિસ્તારમાં કોરોના વાયરસના વધુ 5 પોઝિટિવ કેસ
વડોદરાના નાગરવાડા વિસ્તારમાં આરોગ્ય વિભાગની તપાસ દરમિયાન 5 નવા કોરોના વાયરસના પોઝિટિવ કેસ મળી આવ્યા છે. અત્યાર સુધીમાં નાગરવાડા સૈયદપુરામાં 204 વ્યક્તિઓના સેમ્પલ લેવામાં આવ્યા છે. જેમાંથી કુલ 9 સેમ્પલ પોઝિટિવ આવ્યા છે. આ વિસ્તારમાંથી વધુ 300 જેટલા સેમ્પલનું પરીક્ષણ કરવામાં આવશે.
નિજામુદ્દીનથી આવેલા 127 લોકોની ઓળખ કરાઈ, જેમાંથી 11 લોકો પોઝિટિવ : DGP
નિજામુદ્દીનથી આવેલા 127 લોકોની ઓળખ કરાઈ છે. નિઝામુદ્દીન મરકજમાં ગયેલા 11 લોકો પોઝિટિવ હતા. મરકઝમાંથી પરત ફરેલા લોકોએ આરોગ્ય વિભાગનો સંપર્ક કરવો જોઇએ પણ કેટલાક લોકો હકીકત છુપાવી રહ્યા છે. અમદાવાદ સહિત રાજ્યમાં બીજા મરકઝમાંથી આવેલા લોકો હોઇ શકે છે. એ દિશામાં તપાસ કરવામાં આવી રહી છે. નિઝામુદ્દીનની તપાસ દરમિયાન સુરવલી ગ્રુપ સામે આવ્યું છે.
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) April 8, 2020
ગુજરાત સરકારનો નિર્ણય
રાજ્યમાં કોરોનાના કહેર પર કાબૂ મેળવવા રાજ્ય સરકારે તૈયારીઓ કરી લીધી છે. આજે મળેલી કેબિનેટ બેઠકમાં 26 જિલ્લામાં 31 ખાનગી હોસ્પિટલોને ડેઝિગ્નેટેડ કોવિડ-19 હોસ્પિટલ તરીકે કાર્યરત કરવાનો નિર્ણય કરતાં કુલ 4064 બેડની ક્ષમતા વધશે. જ્યારે ચાર મહાનગરોમાં કોવિડ 19 માટે 2200 બેડની હોસ્પિટલ શરૂ કરી છે અને અન્ય 26 જિલ્લામાં 3200 બેડની હોસ્પિટલમાં તૈયાર રાખી છે. આમ, સમગ્ર ગુજરાતમાં કોવિડ-19 કોરોના વાઈરસના સંક્રમિત અસરગ્રસ્તોની તાત્કાલિક સારવાર માટે કુલ 9,464 બેડની ક્ષમતાવાળી હોસ્પિટલો સાથે ગુજરાત આ મહામારીના પડકારને પહોચી વળવા સજ્જ થયું છે.
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) April 8, 2020
અમદાવાદ મનપા કમિશનર વિજય નહેરાએ કહયુ આવતી કાલનો દિવસ મહત્વનો
અમદાવાદ મ્યુનિ. કમિશનર વિજય નહેરાનું આવતીકાલનો દિવસ અમદાવાદ માટે મહત્વ હોવાનું કહીને જણાવ્યું હતુ કે, મનપા આવનારી દરેક મુસિબત માટે તૈયાર છે. બફર ઝોન બનાવીને તમામ ચેપગ્રસ્ત વિસ્તારમાં કોરોનાનું નિયંત્રણ લાવીને જ જંપીશું. પોલીસ કમિશનર આશિષ ભાટીયાએ પણ બફર ઝોન કરીને લોકડાઉન કરાયેલા તમામ વિસ્તારની રૂબરૂ જઈ દરેક ચેકપોસ્ટ ચકાસી હતી.
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) April 8, 2020
( 8 એપ્રિલ 2020 સવારે 9ઃ00 સુધીની અપડેટ )
અમદાવાદમાં કોટ વિસ્તારને જાહેર કરાયો બફર ઝોન
અમદવાદમાં કોટ વિસ્તારને બફર ઝોન જાહેર કરતા મનપા એક્શનમાં આવી ગયુ છે. કોટ વિસ્તારની ફરતે હેલ્થ ચેકપોસ્ટ ઉભી કરવમાં આવી છે. હેલ્થ ટિમ દ્વારા ચેકપોસ્ટ પર સ્ક્રીનીંગ કરાઈ રહ્યું છે. અવર જવર કરતા તમામ લોકોનું થર્મલ સ્ક્રીનીંગ કરી ચેકઅપ કરવામાં આવી રહ્યુ છે. કોટ વિસ્તારના 13 ગેટ પર AMC દ્વારા ચેકપોસ્ટ ઉભી કરાઈ છે.
શહેરના 8 વિસ્તાર ક્લસ્ટર કન્ટેન્મેન્ટ
મહત્વનું છે કે, અમદાવાદમાં 15 લોકો વિદેશથી આવેલા સંક્રમિત છે. જ્યારે 27 આંતરરાજ્ય અને 35 લોકલ લોકો કોરોનાથી સંક્રમિત થયા છે. અમદાવાદના 8 વિસ્તાર કાલુપુરના બલોચાવાડને ક્લસ્ટર ક્વોરેન્ટાઇન કરાયો છે. આંબાવાડી, બાપુનગર, દરિયાપુર, દાણીલીમડા સહિતના 8 વિસ્તારને ક્લસ્ટર કન્ટેન્મેન્ટ કરી દેવાયા છે.
— Amdavad Municipal Corporation (@AmdavadAMC) April 7, 2020
( 8 એપ્રિલ 2020 સવારે 8ઃ00 સુધીની અપડેટ )
વડોદરામાં વધુ એક કોરોના પોઝીટીવ કેસ નોધાયો
વડોદરામાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા વધીને 13 થઈ. નાગરવાડાના 22 વર્ષના મહંમદ શાહનો કોરોના પોઝિટિવ. ગત રોજ એક કિશોરનો કોરોના પોઝીટીવ કેસ આવ્યો હતો. આજે કિશોરના ભાઇનો પણ કેસ પોઝીટીવ આવ્યો છે. મહંમદ શાહને ત્યા કામ કરતી મહીલાના ઘરને પણ ક્વોરોન્ટાઇન કરાયુ . ક્વોરોન્ટાઇન કરી સેમ્પલ લેવાની કામગીરી હાથ ધરાઇ.
નાગરવાડા રેડ ઝોનમાં 93 કોરના શંકાસ્પદના રિપોર્ટ પેન્ડિગ છે. 3 દિવસથી આરોગ્ય વિભાગ દ્વારા સેમ્પલ લેવાની કામગીરી ચાલુ છે.
રાજ્યમાં ચિંતા વધી : DGP શિવાનંદ ઝા
રાજ્યમાં કોરોના કેસ વધ્યા છે..ત્યારે તંત્રની ચિંતા પણ વધી છે. બીજી તરફ ખોટી રીતે બહાર નીકળતા લોકો તંત્રની ચિંતામાં વધારો કરી રહ્યા છે. લોકડાઉનનો ભંગ કરતા લોકોને રાજ્યના DGPએ વધુ એકવાર ઘરમાં રહેવાની અપીલ કરી હતી. સાથે જ ચેતવણી પણ આપી હતી કે જે લોકો કારણ વગર બહાર નીકળશે તેમના વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.
લોકડાઉન ભંગ બદલ 3907 લોકોની ધરપકડ: પોલીસ કમિશનર આશિષ ભાટીયા
અમદાવાદમાં લોકડાઉનનું કડક અમલીકરણ કરાવાઈ રહ્યું છે. ખોટી રીતે બહાર નીકળતા લોકો સામે પોલીસ કડક કાર્યવાહી કરી રહી છે. લોકડાઉનનો ભંગ કરનાર કુલ 3907 લોકોની ધરપકડ કરાઈ છે. લોકડાઉનના કકડ અમલીકરણ માટે પોલીસ ડ્રોનનો પણ ઉપયોગ કરી રહી છે. અમદાવાદ પોલીસ કમિશનર આશિષ ભાટિયાએ આ માહિતી આપી હતી.
ગુજરાતમાં કેસો વધશે: અશ્વિની કુમાર
કોરોના વાયરસને લઇ પુરવઠા વિભાગે માહિતી આપી. સીએમઓ સચિવ અશ્વિની કુમારે કહ્યું કે હાલ CMની ઉપસ્થિતિમાં નવા વેન્ટિલેટરનું દર્દી પર સફળ પરીક્ષણ કરાયુ છે. ગુજરાતની કંપનીઓ PPE કિટ બનાવી રહી છે. અને N95 માસ્ક બનાવવા IIT કાનપુરથી ટેક્નોલોજી ટ્રાન્સફર કરાઈ છે. ગુજરાતમાં દરરોજ 25 હજાર N95 માસ્ક બનાવાઈ રહ્યાં છે. જરૂરતની તમામ વસ્તુઓ ગુજરાતમાં જ બનાવાઇ રહી છે. સાથે જ ચાર મનપામાં કોરોના હોસ્પિટલ તૈયાર છે. તબલીગી જમાતનાં લોકો પરત ફરવાને કારણે કોરોનાનો વ્યાપ વધ્યો છે. ત્યારે કેસ વધતા અમદાવાદમાં 6 જગ્યાએ ક્લસ્ટર ક્વોરન્ટાઇન કરાયું છે. જ્યારે વડોદરામાં નાગરવાડા, સૈયદપુરાને ક્લસ્ટર ક્વોરોન્ટાઇન હેઠળ મુકાયો છે. તો સુરતમાં સચિન વિસ્તાર ક્લસ્ટર ક્વોરોન્ટાઇન હેઠળ મુકાયો છે.
5 એપ્રિલની મહત્વની જાહેરાત
સફાઈકર્મીઓ માટે રાજ્ય સરકારની જાહેરાત
સફાઈકર્મીઓ માટે 25 લાખની મદદ કરવાની જાહેરાત કરી. કર્મચારીનું ફરજ પર મૃત્યુ થાય તો 25 લાખની મદદ કરાશે. આરોગ્યના કર્મચારીઓ સારી ફરજ બજાવી રહ્યા છે. ફ્રંટલાઈન પર કામ કરતા કર્મીઓ માટે સરકારનો નિર્ણય. સુરતમાં 7500, રાજકોટમાં 7500 N-95 માસ્ક અપાશે, વડોદરામાં 5 હજાર N-95 માસ્ક અપાશે.
ખાદ્યતેલની અછત ન સર્જાય તે માટે નિર્ણય કર્યો છે. કપાસ જીનિંગ મિલો ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે. ખાદ્યતેલના જથ્થાનો પ્રશ્ન હવે નહીં રહે. કપાસ અને કપાસિયા તેલની ઓઈલ મિલો ચાલુ રહેશે.
આજે ખેડૂતોને નિયમિતપણે વીજપુરવઠો ચાલુ રહેશે. સ્ટ્રીટલાઈટ, બાગ-બગીચાની લાઈટો ચાલુ રહેશે. હોસ્પિટલોમાં પણ લાઈટની વ્યવસ્થા ચાલુ રહેશે. લોકો પોતાના ઘરની લાઈટ બંધ કરી દીવો પ્રગટાવે. લોકો 9 મિનિટ સુધી દીવો, ફ્લેશલાઈટથી એકજૂટતા બતાવે. ઘરના બીજા ઈલેક્ટ્રીક ઉપકરણો બંધ કરવાની જરૂર નથી.