ગુજરાતમાં કોરના પોઝિટિવનો આંકડો 4082 નોંધાઈ ચુક્યો છે અને 197 લોકો કોરોનાથી મૃત્યુ પામી ચુક્યા છે. અમદાવાદમાં 2777 કેસ નોંધાયા છે જ્યારે મૃત્યુઆંક 137 પર પહોંચી ચુક્યો છે. ગુજરાતમાં 3જી મેથી લોકડાઉન ખુલશે કે નહીં તે અંગે અવઢવ સેવાઈ રહી હતી.
આરોગ્ય અગ્ર સચિવ જ્યંતિ રવિએ જણાવ્યું કે, ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં નવા 308 કેસ નોંધાયા છે. અમદાવાદમાં 234 નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં કુલ કોરોના વાયરસના કેસ 4082 થઇ છે. જ્યારે 16 દર્દીઓના આજે મોત થયા છે. રાજ્યમાં કોરોનાથી અત્યાર સુધીમાં 197 દર્દીઓના મૃત્યુ થયા છે. આ સાથે આજ રોજ 93 દર્દીઓ સ્વસ્થ થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આમ અત્યાર સુધામાં કુલ કોરોનાગ્રસ્ત 527 લોકોએ કોરોનાને મ્હાત આપી છે.
જિલ્લા
પોઝિટિવ કેસ
સાજા થયા
મૃત્યુ
Ahmedabad
2777
263
137
Baroda
270
87
16
Surat
601
40
22
Rajkot
58
16
1
Bhavnagar
43
21
5
Anand
71
23
3
Bharuch
31
16
2
Gandhinagar
38
12
2
Patan
17
11
1
Panchmahal
24
2
2
Banaskantha
28
1
1
Narmada
12
10
0
Chhota Udepur
13
6
0
Kutch
6
4
1
Mehsana
8
2
0
Botad
20
2
1
Porbandar
3
3
0
Dahod
4
1
0
Gir Somnath
3
2
0
Kheda
6
2
0
Jamnagar
1
0
1
Morbi
1
1
0
Sabarkantha
3
2
0
Arvalli
18
0
1
Mahisagar
11
0
0
Tapi
1
0
0
Valsad
5
0
1
Navsari
6
0
0
Dang
2
0
0
Surendranagar
1
0
0
Junagadh
Devbhoomi Dwarka
Amreli
TOTAL
4082
527
197
----------
રાજકોટમાં કોરોનાગ્રસ્ત એક દર્દીનું નિધન થયું છે. રાજકોટમાં કોરોનાથી પ્રથમ દર્દીનું નિધન થયું છે. જંગલેશ્વરમાં રહેતા 60 વર્ષના મહિલા દર્દીનું નિધન થયું છે. ઉલ્લેખનિય છે કે રાજકોટમાં અત્યાર સુધીમાં 55 પોઝિટિવ કેસ નોંધાયા છે.
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) April 29, 2020
કચ્છ બન્યુ કોરોના મુક્ત
કોરોના મહામારી વચ્ચે ગુજરાત માટે વધુ એક સારા સમાચાર મળ્યાં છે. રાજ્યનો વધુ એક જિલ્લો સંપૂર્ણ રીતે કોરોનામુક્ત બન્યો છે. કચ્છ જિલ્લો કોરોનાને મ્હાત આપવામાં સફળ રહ્યો છે. ભુજના કમ્પાઉન્ડરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો જેથી તેની સારવાર ચાલી રહી હતી. લાંબા સમય બાદ દર્દીનો રિપોર્ટ નેગેટિવ આવતા જિલ્લા વહીવટી તંત્રએ રાહતના શ્વાસ લીધા છે. કમ્પાઉન્ડરને સાંજે હોસ્પિટલમાંથી રજા અપાશે. મહત્વનું છે કે ક્ચ્છ જિલ્લામાં કોરોના વાયરસના કુલ છ પોઝિટિવ કેસ નોંધાયા હતા. જેમાંથી 5 દર્દી સ્વસ્થ થયા છે. માત્ર એક દર્દીનું જ મોત થયું છે
ખેડૂતો માટે ગુજરાત સરકારની મોટી જાહેરાતો, 1લી મેથી આ ખરીદી શરૂ કરાશે
ગુજરાતમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી પોતાના મંત્રીમંડળ સાથે બેઠક કરીને 1લી મેથી ખેડૂતો પાસેથી તુવેર, રાયડા, ચણાની ખરીદી વિશે મંત્રણા કરી હતી. તેમણે આ સિવાય પણ લોકડાઉન ખુલ્યા પછી જનજીવન અને ખાસ કરીને ખેડૂતોને કોઈ મુશ્કેલી ન નડે તે રીતે વ્યવસ્થા ગોઠવવા માટે જિલ્લાના કલેક્ટરો સાથે પણ વાચચીત કરી હતી. આ અંગેની માહિતી CMO સચિવ અશ્વિની કુમારે ડિજિટલ પત્રકાર પરિષદમાં આપી હતી.
અમદાવાદમાં કોરોનાએ રીતસર તાંડવ શરૂ કરી દીધુ છે. અમદાવાદમાં 31મી એપ્રિલ સુધીમાં માત્ર 31 કેસ હતા જે 28મી એપ્રિલ સુધીમાં વધીને 2443 થઈ ગયા છે. શહેરના કોટ વિસ્તારને તો રીતસર કોરોના એ બાનમાં લીધો છે. આજે અમદાવાદના છ ઝોનમાં આવેલા 48 વોર્ડમાં કોરોનાના સંક્રમીત લોકોની યાદી આપી હતી. જેમાં જમાલપુર દાણીલીમડામાં સૌથી વધુ કેસ નોંધાયા છે.
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) April 29, 2020
કોરોનાને કારણે અમદાવાદમાં એક જ દિવસમાં 19ના મોત
કોરોના વાયરસે સમગ્ર દેશમાં હાહાકાર મચાવ્યો છે ત્યારે રાજ્યમાં તેના કેસમાં દિવસેને દિવસે વધારો જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ કેટલાક કોરોનાગ્રસ્ત દર્દીઓ સ્વસ્થ થઇને ઘરે પણ જઇ રહ્યા છે. ત્યારે રાજ્યના છેલ્લા 24 કલાકના કોરોના વાયરસના કુલ કેસો અંગેની વિગતવાર માહિતી આપવા રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના અગ્રસચિવ જ્યંતિ રવિએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં નવા 226 કેસ નોંધાયા છે. 19 દર્દીઓના આજે મોત થયા છે જે તમામ અમદાવાદના છે. આ સાથે આજરોજ 40 દર્દીઓ સ્વસ્થ થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
કુલ નવા કેસ
અમદાવાદ
164
સુરત
14
રાજકોટ
9
આણંદ
9
બોટાદ
6
ભરૂચ
2
ગાંધીનગર
6
વડોદરા
15
ભાવનગર
1
અમદાવાદમાં 1 જ દિવસમાં 19નામોત
રેડ ઝોનના વિસ્તાર કયા?
અમદાવાદના આ વિસ્તાર દાણીલીમડા, બહેરામપુરા, જમાલપુર, ખાડીયા, દરિયાપુર, શાહપુરનો રેડ ઝોનમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
ઓરેન્જ ઝોનના વિસ્તાર કયા?
અમદાવાદમાં તંત્ર દ્વારા 42 વોર્ડને ઓરેન્જ ઝોનમાં જાહેર કરાયા છે. ઓરેન્જ ઝોનના મોટા ભાગના વિસ્તારોમાં શાકભાજી માર્ટેમાં લોકોની ભીડ જોવા મળી. લોકો દરરોજની જેમ આજે પણ સવારે મોર્નિંગ વોક પર નિકળ્યા હતા. લોકોમાં સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળ્યો હતો.