(28 માર્ચ 2020 રાત્રી 7ઃ20 સુધીનું અપડેટ)
નવસારીની મહિલાનુ ઓપરેશન કરનાર ડૉક્ટરને કોરાના પોઝેટીવ
નવસારીની મહિલાનુ ઓપરેશન કરનાર ડોક્ટરને કોરાના પોઝિટિવ આવ્યો છે. 5 દિવસ પહેલા મુંબઈના ડૉક્ટર પાસે ઓપરેશન કરાવ્યું હતું. ઓપરેશન કરાવ્યા બાદ દંપતી નવસારીમાં આવીને હોમ કોરોન્ટાઈન હતા. અગાઉ ઓપરેશન કરનાર ડૉક્ટરના પિતાને કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યારબાદ ડોક્ટરને પણ કોરોનાં પોઝિટિવ આવ્યો છે. નવસારીના દંપતીએ આરોગ્ય વિભાગ જાણકારી આપી હતી. મહિલાના પરિવારના ત્રણ સભ્યોને સિવિલ આઈસોલેશનમાં દાખલ કરાયા છે. વધુ એક પોઝિટિવ કેસ નોંધાતા રાજ્યમાં કોરોનાના કેસનો આંકડો 55 પર પહોંચી ગયો છે.
ગીર સોમનાથ જિલ્લામાં પ્રથમ પોઝિટિવ કેસ
રાજ્યમાં કોરના વાયરસનો વધુ એક પોઝિટિવ કેસ નોંધાયો છે. ગીર સોમનાથ જિલ્લામાં પ્રથમ પોઝિટિવ કેસ નોંધાતા તંત્ર ચિંતામાં મુકાયું છે. ગીર સોમનાથ જિલ્લામાં મક્કાથી પરત ફરેલા વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
(28 માર્ચ 2020 બપોરે 3.50 સુધીનું અપડેટ)
ગુજરાતમાં નવા 6 કેસ ઉમેરાતા પોઝિટિવની સંખ્યા 53 પર પહોંચી છે. જ્યારે તેમાં અમદાવાદમાં આજે બપોરે વધુ એક મોત થતાં શહેરમાં કોરોનાને કારણે કુલ મૃતાંક 2 થયો છે અને રાજ્યમાં કુલ 4 મોત નોંધાયા.
-----------
( 28 માર્ચ 2020,સવારે 9.30 સુધીની એપડેટ )
વડોદરામાં એક નવો કેસ
વડોદરામાં કોરોના પોઝિટિવનો વધુ એક કેસ નોંધાતા તંત્રમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો. UKથી આવેલા દર્દીના ભાઇનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. વડોદરામાં કોરોના પોઝિટિવના કુલ 9 કેસ થયા છે. દર્દી ગુડગાંવનો વતની છે. અને આંકોલિયા વિસ્તારનો રહેવાસી છે. હાલ સયાજી હોસ્પિટલના આઇસોલેષન વોર્ડમાં દાખલ છે.
Coronavirus / વડોદરામાં કોરોના પોઝિટિવ કેસ, ગુજરાતમાં કુલ 48 કેસ કોરોના પોઝિટિવ, 3 ના મોત#GujaratNews #coronavirus #Vadodara #covid19 #CoronaUpdatehttps://t.co/Pi2KgFPGYG
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) March 28, 2020
રાજકોટમાં 3 કેસ
રાજકોટ શહેરમાં વધુ 3 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. રાજકોટમાં પોઝિટિવ કેસની સંખ્યા 8 થઈ છે. હાલમાં રાજકોટમાં 5 કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર લઈ રહ્યાં છે. આજે રાજકોટમાંથી 11 દર્દીઓના સેમ્પલ લેવામાં આવ્યા હતા. 11માંથી 3 લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા, 9 લોકોનો રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.
અમદાવાદમાં 15, સુરતમાં 7, વડોદરામાં 9, ગાંધીનગરમાં 7, રાજકોટમાં 5 દર્દીઓ સારવાર લઈ રહ્યાં છે, ત્યારે વધુ 3 પોઝિટિવ કેસ આવતા કુલ સંખ્યા 8 થઇ છે. કચ્છમાં 1 દર્દી કોરોનાની સારવાર હેઠળ છે. 48માંથી 38 દર્દીઓ આંતરરાષ્ટ્રીય મુસાફરી કરીને આવેલા છે. ગુજરાતમાં 20 હજાર લોકોને 14 દિવસના કોરન્ટાઈનમાં રખાયા છે. તેમાંથી 575 લોકો સરકારી જ્યારે 19300 હોમ કોરન્ટાઈનમાં છે. હોમ કોરન્ટાઈનના ભંગ બદલ 236 લોકો સામે કેસ કરવામાં આવ્યો છે.
ક્યાં કેટલા દર્દી
અમદાવાદમાં 15
સુરતમાં 7
વડોદરામાં 9
રાજકોટમાં 8
કચ્છમાં 1
ગાંધીનગરમાં 7
-------------------
( 27 માર્ચ 2020 રાતે 12 વાગ્યા સુધીની અપડેટ )
રાજ્યમાં કોરોનાના 3 રિપોર્ટ પોઝિટિવ,
રાજકોટ શહેરમાં વધુ 3 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. રાજકોટમાં પોઝિટિવ કેસની સંખ્યા 8 થઈ છે. હાલમાં રાજકોટમાં 5 કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર લઈ રહ્યાં છે. આજે રાજકોટમાંથી 11 દર્દીઓના સેમ્પલ લેવામાં આવ્યા હતા. 11માંથી 3 લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા, 9 લોકોનો રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. રાજ્યમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 47 થઈ છે. સૌરાષ્ટ્રમાં કોરોનાથી વધારે સાવચેતી રાખવાની જરૂર છે. આખા ગુજરાતમાં રાજકોટ સિવાય એક પણ કોરોના પોઝિટિવ કેસ નહીં.
ગુજરાત રાજ્યના આરોગ્ય સચિવે પ્રેસકોન્ફરન્સમાં ઝણાવ્યુ હતુ કે, છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં એક પણ પોઝિટિવ કેસ નોંધાયા નથી.
( 27 માર્ચ 2020, 8.20 સુધીનું અપડેટ )
ગુજરાતમાં કોરોનાના કેસ 44 થયા
ક્યાં ક્યાં થયા મોત
કોરોનાવાયરસના ત્રણ તબક્કા
લોકલ ટ્રાન્સમિશનથી કોમ્યુનિટી ટ્રાન્સફર
કોવિડ-19ના ફેલાવામાં ત્રીજો તબક્કો ખુબ જ જોખમી કહેવાય છે. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ- ICMR ભારતમાં આ તબક્કો હજુ શરૂ ન થયો હોવાનુ કહે છે પરંતુ રાજકોટમાં ટ્રાવેલ હિસ્ટ્રી વગરના બે કેસ મળ્યા પછી ગુજરાતમાં ત્રીજો તબક્કો શરૂ થઇ ગયો હોય તો નવાઇ નહીં.
અમદાવાદમાં મહિલા ડૉક્ટરનો રિપોર્ટ કોરોના પોઝિટિવ
અમદાવાદમાં મહિલા ડૉક્ટરનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યા છે. શહેરના જાણીતા મહિલા ડૉક્ટરને કોરોના પોઝિટિવ આવ્યો છે. 55 વર્ષીય મહિલા ડોકટરને SVPમાં આઇસોલેટેડ કરાયા છે. થોડા દિવસ પહેલા મહિલા ડોક્ટરના પુત્ર અમેરિકાથી આવ્યા હતા. પુત્રની સગાઈ પ્રસંગમાં ઘણા લોકો પણ આવ્યા હતા. મહિલા ડૉક્ટરના પરિવારને ક્વોરન્ટાઈન કરાયા છે. ગોમતીપુર ESICના સ્ટાફના 80 થી વધુ લોકોને ક્વોરોન્ટાઇન કરાયા છે. જેને લઇને રાજ્યમાં કોરોના પોઝિટિવની સંખ્યા 45 થઇ ગઇ છે. એ સાથે જ એ પણ પ્રશ્ન ઉઠે કે શું ગુજરાતમાં કોરોના 3જા તબક્કામાં પ્રવેશી ચુક્યુ છે?
પહેલો તબક્કો
વિદેશથી આવેલા વ્યક્તિમાં કોરોના વાઇરસના લક્ષણો દેખાવા.
બીજો તબક્કો
વિદેશથી આવેલા વ્યક્તિના સંપર્કથી તેના પરિવાર કે આસપાસના ક્લસ્ટરમા તેનો ચેપ પ્રસરી-લોકલ ટ્રાન્સમિશન.
ત્રીજો તબક્કો
લોકલ ટ્રાન્સમિશનને કારણે જેઓ વિદેશથી આવ્યા ન હોય અથવા આવા પ્રવાસીના સંસર્ગમાં જ ન હોય તેવા સામાન્ય નાગરિકમાં ફેલાવો થાય તેને કોમ્યુનિટી ટ્રાન્સફ્ર કહે છે જેમા રસ્તે ચાલ્યા જનારને પણ ચેપ લાગી શકે છે.
-------------------------
(26 માર્ચ રાત્રે 11.00 વાગ્યા સુધી)
અમદાવાદમાં મહિલા ડૉક્ટરનો રિપોર્ટ કોરોના પોઝિટિવ
અમદાવાદમાં મહિલા ડૉક્ટરનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યા છે. શહેરના જાણીતા મહિલા ડૉક્ટરને કોરોના પોઝિટિવ આવ્યો છે. 55 વર્ષીય મહિલા ડોકટરને SVPમાં આઇસોલેટેડ કરાયા છે. થોડા દિવસ પહેલા મહિલા ડોક્ટરના પુત્ર અમેરિકાથી આવ્યા હતા. પુત્રની સગાઈ પ્રસંગમાં ઘણા લોકો પણ આવ્યા હતા. મહિલા ડૉક્ટરના પરિવારને ક્વોરન્ટાઈન કરાયા છે. ગોમતીપુર ESICના સ્ટાફના 80 થી વધુ લોકોને ક્વોરોન્ટાઇન કરાયા છે. જેને લઇને રાજ્યમાં કોરોના પોઝિટિવની સંખ્યા 45 થઇ ગઇ છે.
આજે સવારે રાજકોટમાં વધુ એક પોઝિટિવ કેસ નોંધાયો હતો
આજે જી.જી.હોસ્પિટલમાં કુલ 13 રિપોર્ટનુ પરીક્ષણ કરાયુ હતુ જેમાંથી 12 રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા જ્યારે 1 રિપોર્ટ પોઝિટિવ આતા ગુજરાતમાં કોરોના પોઝિટિવની સંખ્યા 45 થઈ ગઈ છે.
ગુજરાતમાં કોરોનાના કેસ 45 થયા
ક્યાં ક્યાં થયા મોત
ટીફિન મંગાવી લો બસ એક કોલથી
આઠ મહાનગરોમાં સંપર્ક સૂત્ર અધિકારીઓની સંકલન અને ભોજન વ્યવસ્થા માટે નિયુકિત પણ કરવામાં આવી છે. જે પ્રમાણે , અમદાવાદ-મહાનગરમાં પ્રશાંત પંડયા હેલ્પ લાઇન નંબર- 155303, સુરત- આર. સી. પટેલ– 9824345560, વડોદરા-ક્રિષ્ણાબહેન સોલંકી–0265- 2459502, રાજકોટ- ચેતન ગણાત્રા 0281- 2476874, જામનગર- એ. કે. વસ્તાની 0288- 2553417, ભાવનગર- ડી. એમ. ગોહિલ 0278-2424814-15, ગાંધીનગર– અમિત સિંઘાઇ 9909954709 અને જૂનાગઢ- હિતેશ વામજા–9898146865નો સંપર્ક સાધી શકાશે. સીએમ રૂપાણીએ આ વૃદ્ધ નિ:સહાય વડિલોને જીવનજરૂરી ચીજવસ્તુઓ પણ ઘરે બેઠા મળી રહે તે માટે પણ આ અધિકારીઓને સંકલન સાધવા સૂચનાઓ આપી છે.
---------------
26 માર્ચ સવારે 11.30 વાગ્યા સુધી
જયંતિ રવિએ પ્રેસ કોન્ફરન્સ કરી
કોરોના પર આજનું અપડેટને લઈને આરોગ્ય સચિવ જયંતિ રવિએ પ્રેસ કોન્ફરન્સ કરી છે. માહિતિ આપતાં તેઓએ કહ્યું કે કોરોના વાયરસને લઇને ગુજરાતની સ્થિતિ ગંભીર છે. દિવસને દિવસે પોઝિટિવ કેસની સંખ્યા વધી રહી છે. ગુજરાતમાં કોરોનાના પોઝિટિવ કેસની સંખ્યા 43 થઇ છે. જ્યારે મૃત્યુઆંક વધીને 3 થયો છે. ગુજરાતમાં આજે 70 વર્ષના એક પુરૂષનું મોત થયું છે. જ્યારે લોકડાઉન વચ્ચે ગુજરાતમાં 3 પોઝિટિવ કેસ વધ્યા છે. અમદાવાદમાં 17 કેસ પોઝિટિવ, ગાંધીનગરમાં 7 કેસ, સુરતમાં 7 કેસ પોઝિટિવ, વડોદરામાં 8 કેસ અને ભાવનગરમાં 01 કેસ જોવા મળ્યો છે.
ગુજરાતમાં કોરોનાના પોઝિટિવ કેસ 43 પહોંચ્યા, ભાવનગરમાં એકનું મોત, કુલ 3ના મોત#covidindia #Coronavirus #CoronavirusOutbreak #CoronavirusIndia #LockdownNow #lockdown #curfew #21daysLockdown #coronavirusinGujarathttps://t.co/Lc8lslRNxF
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) March 26, 2020
ટીફિન મંગાવી લો બસ એક કોલથી
રાજ્યમાં જીવન આવશ્યક ચીજવસ્તુઓ નાગરિકોને પર્યાપ્ત માત્રામાં અને સરળતાએ મળી રહે તે માટે સંપૂર્ણ તકેદારી અને મોનિટરીંગ માટે ગાંધીનગરમાં સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર SOEC ખાતે એક 24x7 સેન્ટ્રલાઇઝડ કંટ્રોલરૂમ કાર્યરત કરવામાં આવ્યો છે. આ કંટ્રોલરૂમની હેલ્પલાઇન નંબર-1070 તથા 079-23251900 પર સંપર્ક સાધીને નાગરિકો જરૂરી વિગતો મેળવી શકે છે.
Coronavirus / કોઈ નહીં રહે ભુખ્યુ, આ રહ્યા હેલ્પલાઈન નંબર: કોલ કરો અને ટિફિન હાજર : અશ્વિનિકુમાર#coronavirus #CMrupani #coronavirusinGujarat #coronadeath #lockdownhttps://t.co/y1wWcNmZ6Q
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) March 26, 2020
આજથી આ સમયે મળશે જીવન જરૂરિયાતની વસ્તુઓ
1. દૂધ-છાશ કેન્દ્રોઃ સવારે 6-30થી 9-30 અને સાંજે 7-00થી 9-00
2. અનાજ-કરીયાણાની દુકાનોઃ 9-00થી 12-00
3. અનાજ દળવાની ચક્કીઓઃ સવારે 9-00થી 12-00 અને સાંજે 4-00થી 6-00
4. શાકભાજીની દુકાનો/ પાથરણા/ ફળવાળાઃ સવારે 8-00થી 10-00 અને સાંજે 4-00થી 6-00
5. જથ્થાબંધ શાકભાજીઃ સવારે 6-00થી 8-00
ઘરે આવીને AMC શાકભાજી આપી જશે
Coronavirus / LOCKDOWN : ચિંતા ન કરો AMC ઘરે આવીને આપી જશે શાકભાજી, બસ આટલુ કરો#coronavirus #AMC #vegetable #GujaratiNews #covidindia #Coronavirus #CoronavirusOutbreak #CoronavirusIndia #LockdownNow #lockdown #coronavirusinGujarathttps://t.co/UoVDqbY42f
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) March 26, 2020
આ બેંક એકાઉન્ટ દ્વારા મુખ્યમંત્રી રાહત ફંડમાં ઓનલાઈન યોગદાન આપી શકશો
- A/C NAME : CHIEF MINISTER'S RELIEF FUND
- A/C NO. 10354901554
- SAVINGS BANK ACCOUNT
- SBI , NSC BRANCH (08434)
- IFSC: SBIN0008434
----------------------------
25મી માર્ચ 2020 સુધીની અપડેટ
રાજ્યમાં કોરોના વાયરસનો વધુ એક પોઝિટીવ કેસ
રાજ્યમાં કોરોના વાયરસનો વધુ એક પોઝિટીવ કેસ નોંધાયો છે. વડોદરામાં કોરોના વાયરસનો 8મો પોઝિટીવ કેસ નોંધાયો છે. યુકેથી પરત આવેલા વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ગોત્રી હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં દર્દી દાખલ છે. રિપોર્ટ રી-કન્ફર્મેશન માટે બી.જે.મેડિકલની લેબમાં મોકલાયો છે.
અમદાવાદમાં કોરોના પોઝિટિવ દર્દીનું મોત, ગુજરાતનું બીજું મોત
ગુજરાતમાં કોરોનાગ્રસ્ત વ્યક્તિના મોતની બીજી ઘટના સામે આવી છે. અમદાવાદમાં કોરોના પોઝિટિવ દર્દીનું મોત થયું છે. જેની પુષ્ટિ સિવિલ સુપરિટેન્ડન્ટે કરી છે. અમદાવાદમાં કોરોના પોઝિટિવ દર્દીનું પ્રથમ મોત છે. આ અગાઉ રાજ્યમાં સુરતમાં કોરોના પોઝિટિવ દર્દીનું મોત નિપજ્યું હતું.
રાજકોટમાં કોરોનાનો વધુ એક પોઝિટિવ કેસ
ગુજરાતમાં દિવસેને દિવસે કોરોનાના કેસ વધી રહ્યા છે. ત્યારે બુધવારે રાજકોટમાં વધુ એક કોરોનાનો કેસ પોઝિટિવ આવ્યો છે. જેને લઇને રાજ્યમાં હાલ કોરોનાના દર્દીઓની સંખ્યા 39 થઈ છે. કચ્છ-સૌરાષ્ટ્રમાંથી કુલ 24 સેમ્પલ મોકલાયા હતા જેમાંથી 23 સેમ્પલના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. જ્યારે એક રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
કોરોના વાયરસ મામલે આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું કે કોરોના મામલે સરકાર પગલાં ભરી રહી છે. કોરોના વાયરસ મામલે હવે ફંડ એકઠું કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અનેક લોકોએ ફંડ આપવાની તૈયારી દર્શાવી છે. આર્થિક સહાય આપવા માટે સરકાર તરફથી અપીલ પણ કરવામાં આવી છે. બીજી તરફ 21 દિવસ લોકડાઉન છે. તો સરકારે ખાનગી હોસ્પિટલો પણ ચાલુ રાખવા નિર્ણય કર્યો છે.
અમદાવાદ
કુલ કેસ 39
ગુજરાતમાં કોરોનાના 3 નવા કેસ નોંધાયા છે જેથી કુલ કેસની સંખ્યા 38 એ પહોંચી ગયો છે.. જેમાં અમદાવાદમાં 14 કેસ, સુરત અને વડોદરામાં 7-7 કેસ છે. તો ગાંધીનગરમાં 6 અને રાજકોટમાં 4 તો કચ્છમાં 1 કેસ નોંધાયા છે.
21 તારીખ સુધી 3.15 કરોડને અપાશે ફ્રીમાં અનાજ
કોણ ક્યારે આપશે માહિતી
આરોગ્ય અગ્ર સચિવ 10 અને સાંજે 8 કલાકે મેડિકલ બુલેટિન આપશે. અને રાજ્યના DGP દરરોજ 4 કલાકે અપાશ. રાજ્યમાં પુરવઠા લગતી માહિતી દરરોજ 2 કલાકે અપાશે. પુરવઠાને લઇ એક ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવશે. અને લોકોની જીવન જરૂરિયાત ચીજવસ્તુને લઈને ટાસ્ક ફોર્સ કામ કરશે. સાથે જ આવશ્યક ચીજવસ્તુ સાથે જોડાયેલી ન હોય તેવી કચેરીઓ બંધ રખાશે. ઉપરાંત ગેસ, વીજળી, પાણી, પેટ્રોલ, પુરવઠા. બેન્કિંગ લગતી કચેરી શરૂ રાખવામાં આવશે. શાકભાજીમાં કોઈ મુશ્કેલી ન આવે તેનું ધ્યાન રખાશે.
રાજ્યમાં શાક-દૂધ અને અનાજનો પૂરતો જથ્થો
LOCKDOWN / સરકારે કહ્યું દૂધની કોઈ સમસ્યા નથી, શાકભાજી પર્યાપ્ત અને ખેડૂતોની માગણી પણ ધ્યાનમાં#lockdwon #GujaratiNews #Coronavirus #coronavirusinGujarat #Vegetableshttps://t.co/GGTNJI1sEt
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) March 25, 2020
રાજ્યમાં લોકડાઉનની સ્થિતિ વચ્ચે CMO સેક્રેટરી અશ્વિનીકુમારે રાજ્યમાં અનાજની સ્થિતિ અંગે જણાવ્યું કે રાજ્યના 60 લાખ કુટુંબને એક માસનું અનાજ મફત મળશે. ખેડૂતોની માગણીને પણ ધ્યાનમાં લેવામાં આવી છે. અસ્વિનીકુમારે કહ્યું કે 18 દૂધ સંઘોમાં સરકારી અધિકારીઓ હાજર રહેશે. દૂધની આવક જાવક પર સરકાર નજર રાખશે.
ગુજરાતના ધારાસભ્યો 1-1 લાખની આપશે સહાય
ગુજરાત ભાજપના ધારાસભ્યો સહાય આપશે. ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ જાહેરાત કરી છે. ધારાસભ્યો પગારમાંથી એક-એક લાખ રૂપિયાની સહાય આપશે. મુખ્યમંત્રી રિલિફ ફંડમાં સહાય આપશે.
2 લાખ શિક્ષકોએ રૂા. 40 કરોડનો ફાળો આપ્યો
ગુજરાતના અંદાજે 2 લાખ શિક્ષકો રાહત ફંડમાં એક દિવસનો પગાર આપશે. જેનાથી રાજ્ય પાસે અંદાજે 40 કરોડ રૂપિયાનું ફંડ મુખ્યમંત્રી રાહત ફંડમાં મળશે. ઉલ્લેખનીય છે કે જે શિક્ષકો ફંડ આપવા માંગે છે તેમના માટે એક મોબાઈલ નંબર જાહેર કર્યો છે. આ મોબાઈલ નંબર 99251 44519 છે. આ નંબર પરથી પ્રાથમિક શિક્ષક સંઘ કોષાધ્યક્ષ ભાભલુભાઈ સાથે વાત કરી તેની જાણકારી અને રાહત ફંડમાં મદદ કેવી રીતે આપી શકાય તેની માહિતી મળશે.
કોરોનાની બીમારી સામે લડવા માટે જે કોઈ મુખ્યમંત્રી રાહત ફંડમાં સ્વૈચ્છિક ફાળો આપવા માંગે છે. તેઓ જિલ્લા કક્ષાએ જિલ્લા કલેકટરો પણ આ ફાળાના ચેક સ્વીકારશે. તેમજ આ પ્રમાણે આપેલ બેંક ખાતાની વિગતોમાં ઓનલાઈન આપી શકશે.
આ બેંક એકાઉન્ટ દ્વારા મુખ્યમંત્રી રાહત ફંડમાં ઓનલાઈન યોગદાન આપી શકશો
- A/C NAME : CHIEF MINISTER'S RELIEF FUND
- A/C NO. 10354901554
- SAVINGS BANK ACCOUNT
- SBI , NSC BRANCH (08434)
- IFSC: SBIN0008434
મુખ્યમંત્રીએ ગરીબ-મધ્યમવર્ગને મદદ કરવાને લઇને રાહત ફંડની કરી શરૂઆત, ખાતામાં કરી શકાશે ઓનલાઇન ટ્રાન્સફરhttps://t.co/fuLFh76OLN#CM #Gujarat #VijayRupani #Relief #Fund #Coronavirus
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) March 25, 2020
( 25 માર્ચ 2020 સવારે 10: 30 સુધીની અપડેટ)
ગુજરાતમાં કુલ કોરોના પોઝિટિવ કેસ 38 થયા
હવે લોકલ ટ્રાન્સમિસન થઈ થઈ રહ્યા છે કેસ
(સવાસે 8 વાગ્યા સુધીની અપડે)
ગુજરાતમાં 36 પોઝિટિવ કેસ
આજથી સમગ્ર ભારતમાં લોકડાઉન
આજથી 14મી માર્ચ સુધી 21 દિવસ સુધી સમગ્ર ગુજરાતમાં લોકડાઉનની સ્થિતિ છે.
(24મી માર્ચ 2020 રાત્રે 12ઃ18 સુધીની અપડેટ)
વડોદરામાં કોરોના વાયરસનો વધુ એક કેસ પોઝિટીવ
વડોદરામાં વધુ એક વ્યક્તિ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. નિઝામપુરા વિસ્તારના યુવકનો કેસ કોરોના પોઝિટિવ કેસ આવતા તંત્ર ચિંતિત બન્યું છે. યુવાનના પિતા અને અન્ય લોકો શ્રીલંકાના પ્રવાસે ગયા હતા. ત્યારબાદ યુવાનના પિતાનો ટેસ્ટ કોરોના પોઝિટિવ આવ્યો હતો. વધુ એક રિપોર્ટ પોઝિટિવ આવતા વડોદરામાં કોરોનાના પોઝિટવ કેસની સંખ્યા વધીને 7 થઈ ગઈ છે.
વડોદરાના યુવકનો કોરોના પોઝિટિવ કેસ, યુવકના પિતા શ્રીલંકાના પ્રવાસે ગયા હતા#Coronavirus #Vadodara #GujaratiNewshttps://t.co/Kuk72k4g9P
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) March 24, 2020
રાજકોટમાં વધુ 2 કોરોના પોઝિટિવ કેસ આવતા ગુજરાતમાં કુલ આંકડો 35
રાજકોટમાં આજે વધુ 2 કોરોના દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ આવતા ફરી રાજ્યમાં કોરોનાનો કહેર વધ્યો છે. આજે આખા દિવસમાં એક પણ કેસ નોંધાયો નહોતો ત્યારે લાગતું હતું કે રાજ્ય સરકાર માટે રાહતના સમાચાર છે. આવામાં રાજકોટના 2 દર્દીઓના રિપોર્ટ જામનગર જી.જી. હોસ્પિટલમાં તપાસ માટે મોકલાયા હતાં. કુલ 22 દર્દીઓના રિપોર્ટ પરીક્ષણ માટે મોકલાયા હતા જેમાંથી 2ના પોઝિટિવ આવ્યાં હતાં. આ બંને દર્દીઓમાં એક 36 વર્ષીય પુરુષ અને 75 વર્ષીય મહિલા દર્દીનો સમાવેશ થાય છે.
અગાઉ ગુજરાતમાં 33 કેસ નોંધાયા હતા
ગુજરાત રાજ્યના આરોગ્ય સચિવ જયંતિ રવિએ જણાવલ્યુ હતુ કે, ગુજરાતમાં વધુ 4 કેસ નોંધાયા છે એટલે ગુજરાતમાં સવાર સુધી 33 કેસ થયા હતા. સુરત અને ગાંધીનગરમાં 2-2 નવા કેસ નોંધાતા તંત્રમાં ફફડાટ ફેલાઈ ગયો છે. આંકડો સતત વધી રહ્યો છે. સૌથી વધુ કેસ અમદાવાદમાં 13 નોંધાયા છે.
ગુજરાતમાં કોરોનાને પોઝિટિવ કેસ વધીને 33, સુરત અને ગાંધીનગરમાં વધુ 2-2 પોઝિટિવ કેસ#coronavirusinGujarat #Covid19 #StayAtHomeSaveLives #coronavirus #WHO #Chinahttps://t.co/ZYWkUPr0ap
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) March 24, 2020
1થી 9 અને 11માં ધોરણમાં વગર પરીક્ષાએ પાસ કરી દેવાશે
રાજ્ય સરકારનો મોટો નિર્ણય, ધો.1થી 9 અને 11ના વિદ્યાર્થીઓને વગર પરીક્ષાએ પાસ કરી દેવાશે#GujaratiNews #Coronavirus #Masspramotion #CMrupani #EXAM #CoronainGujarat https://t.co/jZq81aM54A
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) March 24, 2020
કોરોનાના પગલે ગુજરાતના કેટલાક જિલ્લાઓને લોકડાઉન જાહેર કર્યા છે. ત્યારે રાજ્ય સરકારે ધોરણ 1થી 8 અને 11ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપી દેવામાં આવ્યુ છે. હાલ 31મી માર્ચ સુધી ગુજરાતને લોકડાઉન કરવામાં આવ્યુ છે અને જો હજુ કેસ વધશે તો આ લોકડાઉન લાંબુ ખેંચાઈ શકે છે. એટલે જ ગુજરાતમાં પરીક્ષાઓ કેન્સલ કરવામાં આવી છે.
ગુજરાત પાસે એક વર્ષ સુધી ચાલે એટલો શાક, દૂધ, અનાજનો જથ્થો
ગુજરાત પાસે 1 વર્ષ ચાલે એટલો અનાજનો જથ્થો, શાક-દૂધ પણ નહીં ખુટવા દઈએ: સરકાર#GujaratiNews #Coronavirus #lockdown #staysafehttps://t.co/SjHtmLmW8j
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) March 24, 2020
રાજ્યમાં કોરોનાની સ્થિતિને લઇ પુરવઠા વિભાગે માહિતી આપી. સચિવ અશ્વિની કુમારે માહિતી કહ્યું કે આરોગ્ય અગ્ર સચિવ 10 અને સાંજે 8 કલાકે મેડિકલ બુલેટિન આપશે. અને રાજ્યના DGP દરરોજ 4 કલાકે અપાશ. રાજ્યમાં પુરવઠા લગતી માહિતી દરરોજ 2 કલાકે અપાશે. પુરવઠાને લઇ એક ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવશે. અને લોકોની જીવન જરૂરિયાત ચીજવસ્તુને લઈને ટાસ્ક ફોર્સ કામ કરશે. સાથે જ આવશ્યક ચીજવસ્તુ સાથે જોડાયેલી ન હોય તેવી કચેરીઓ બંધ રખાશે. ઉપરાંત ગેસ, વીજળી, પાણી, પેટ્રોલ, પુરવઠા. બેન્કિંગ લગતી કચેરી શરૂ રાખવામાં આવશે. શાકભાજીમાં કોઈ મુશ્કેલી ન આવે તેનું ધ્યાન રખાશે.
27000 લોકો ગુજરાત બહારથી પરત આવ્યા
CORONAVIRUS : ગુજરાતમાં બહારથી આવેલા 7000 શંકાસ્પદ લોકો ફરી રહ્યા છે#coronavirus #coronavirusinGujarat #covid19 #CoronavirusPandemic #StayAtHomeSaveLiveshttps://t.co/Nnscc5nS45
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) March 24, 2020
રાજ્યમાં કોરોનાના કેસનો આંકડો ચિંતાજનક રીતે વધી રહ્યો છે ત્યારે તંત્ર દોડતુ થયુ છે. ગુજરાતમાં હાલ 33 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે જ્યારે એકનું મોત થયું છે. ભારત સરકાર પણ ગુજરાતમાં વધી રહેલા આંકડા જોઈને ગુજરાતમાં પ્રવેશેલા 27000 લોકોના આંકડા આપ્યા છે. જેમાંથી 7000 લોકોને હરજૂ સુધી ટ્રેસ ન કરી શકાયા હોવાને કારણે ગુજરાતમાં 7000 લોકો ફરી રહ્યા છે જેમાંથી કેટલા કોરોના ગ્રસ્ત હોઈ શકે તે નક્કી ન કહી શકાય
(24મી માર્ચ 2020 સવારે 10: 30 સુધીની અપડેટ)
ગુજરાત રાજ્યના આરોગ્ય સચિવ જયંતિ રવિએ જણાવલ્યુ હતુ કે, ગુજરાતમાં વધુ 4 કેસ નોંધાયા છે એટલે હાલ ગુજરાતમાં કુલ 33 કેસ થયા છે. સુરત અને ગાંધીનગરમાં 2-2 નવા કેસ નોંધાતા તંત્રમાં ફફડાટ ફેલાઈ ગયો છે. આંકડો સતત વધી રહ્યો છે. સૌથી વધુ કેસ અમદાવાદમાં 13 નોંધાયા છે.
રાજ્યમાં કોરોનોનાનો વધતો કહેર, પાંચ દિવસમાં કોરોનાના 33 કેસ
(24મી માર્ચ 2020, સવારે 8 વાગ્યા સુધીની અપડેટ)
31મી માર્ચ સુધી ગુજરાત લોકડાઉન
ગુજરાતમાં 31 માર્ચ સુધી સમગ્ર રાજ્યમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. જેમાં વાહનોની અવર-જવર પર સંપૂર્ણ પ્રતિબંધ, રાજ્યની તમામ બોર્ડર સીલ કરી દેવામાં આવી છે.
લોકો વગર કારણે બહાર નહીં નિકળી શકે. બાઈક અને કાર સિવાય તમામ વાહન-વ્યવહાર પર પ્રતિબંધ મુકાયો છે. જીવન જરૂરિયાત સિવાય તમામ વેપાર-ધંધા બંધ રહેશે. કારણ વગર બહાર નિકળનાર સામે પોલીસ કાર્યવાહી કરશે. કેન્દ્ર સરકાર પાસે 4 RAFની કંપનીની માગ કરાઈ છે.
રાજ્યમાં કોરોનોનાનો વધતો કહેર, પાંચ દિવસમાં કોરોનાના 30 કેસ
ક્યાં કેટલા કેસ
#coronaupdatesindia Status as on 23/03/2020 at 10 AM @CMOGuj @Nitinbhai_Patel @InfoGujarat pic.twitter.com/Qh6SdzK0a0
— GujHFWDept (@GujHFWDept) March 23, 2020
( 23 માર્ચ રાતે 10: 30 અપડેટ)
રાજ્યમાં કોરોનોનાનો વધતો કહેર, પાંચ દિવસમાં કોરોનાના 30 કેસ
ક્યાં કેટલા કેસ
અમદાવાદમાં કોરોનાના 13 પોઝિટિવ કેસ
સુરતમાં 4 કોરોનાના પોઝિટિવ કેસ
રાજકોટમાં 1 પોઝિટિવ કેસ
વડોદરામાં 6 પોઝિટિવ કેસ
ગાંધીનગરમાં 4 પોઝિટિવ કેસ
કચ્છમાં 1 પોઝિટિવ કેસ નોંધાયો
રાજ્યમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 30 થઈ
લોકડાઉનમાં શું ચાલુ રહેશે શું બંધ રહેશે
જાણો શું રહેશે બંધ
જાણો શું રહેશે ચાલુ
(9 વાગ્યા પહેલાની અપડેટ)
વડોદરામાં વધુ 2 કેસ પોઝિટિવ
વ઼ડોદરામાં કોરોના વાયરસના વધુ 2 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. નિઝામપુરામાં 29 વર્ષની સગર્ભા મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. નેપાળના પ્રવાસે જઇને આવેલ 27 વર્ષીય યુવતિનો રિપોર્ટ પણ કોરોના પોઝિટિવ આવતા વડોદરામાં કોરોનાના 5 કેસ થઈ ગયા છે.
સુરતમાં કોરોના વાયરસના વધુ બે કેસ પોઝિટિવ
સુરતમાં વધુ બે કોરોના વાયરસના પોઝિટિવ કેસ સામે આવ્યાં છે. કોરોનાના વધુ બે પોઝિટિસ નોંધાતા સુરતમાં કોરોના વાયરસની સંખ્યા પાંચ પર પહોંચી છે. સુરતમાં કુલ સાત કોરોનાના શંકાસ્પદ દર્દીઓના સેમ્પલ રિપોર્ટ માટે મોકલાયા હતા જેમાંથી બે દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. દુબઇથી આવેલા એક 32 વર્ષિય યુવકનો કેસ પોઝિટિવ નોંધાયો છે. જ્યારે એક 45 વર્ષિય વ્યક્તિનો રિપોર્ટ પણ પોઝિટિવ નોંધાયો છે. જ્યારે હજી પાંચ દર્દીઓના રિપોર્ટ પેન્ડિંગ છે. મહત્વનું છે કે સુરતમાં વધુ બે કોરોનાના પોઝિટિવ કેસ નોંધાતા રાજ્યમાં અત્યાર સુધી કોરોનાના પોઝિટીવ કેસનો આંક 20 પર પહોંચ્યો છે.
રાજ્યમાં કુલ 22 પોઝિટિવ કેસ નોંધાયા છે.
અમદાવાદમાં કુલ 7 કેસ,
સુરતમાં કુલ 5 કેસ,
વડોદરામાં 5 કેસ
ગાંધીનગરમાં 3 કેસ,
રાજકોટમાં 1 અને
કચ્છમાં 1 કેસ
કોરોનાએ ગુજરાતનું અભડાવ્યું
વિશ્વભરમાં ભમી રહેલો કોરોનાનો હાહાકાર ગુજરાતમાં પહોંચ્યો છે. કોરાના વાયરસથી પીડાતાં 67 વર્ષીય વૃદ્ધનું સુરતમાં મોત થયું છે. વૃદ્ધની તબિયત ગઈ કાલથી ખુબ નાજુક હતી. બે કિડની કાલે બપોરે જ ફેઈલ થઈ હતી.
જ્યારે 93 વ્યક્તિઓએ ક્વોરન્ટાઇનનો ભંગ કર્યો
અત્યારસુધી 650 વ્યક્તિઓને હોમ ક્વોરન્ટાઇન રખાયા છે. જેમાં ગાંધીનગર 223, સુરતમાં 590 વ્યક્તિઓ હમ ક્વોરન્ટાઈન છે. જ્યારે અમદાવાદમાં હોસ્પિટલમાં ક્વોરન્ટાઈન 300 દર્દીઓ છે. રાજ્યમાં કુલ 6 હજાર 92 લોકો ક્વોરન્ટાઇન હેઠળ છે. જ્યારે 93 વ્યક્તિઓએ ક્વોરન્ટાઇનનો ભંગ કર્યો છે.
કોરોના વાયરસ સંબંધિત અફવાઓનો મામલો
અફવાઓની ફરિયાદ માટે નંબર જાહેર કરાયો છે. ભારત સરકાર દ્વારા વોટ્સએપ નંબર જાહેર કરવામાં આવ્યો છે. આ અંગેની કોઈ પણ ફરિયાદ 9013151515 નંબર પર મેસેજ દ્વારા કરી શકાશે.
ગુજરાતના 6 જિલ્લા લોકડાઉન
સરકાર દ્વારા દેશના જે જિલ્લામાં કોરોનાના કેસ નોંધાયા તેને લોકડાઉન કરવાના આદેશ આપ્યા છે. ગુજરાત રાજ્યના 6 જિલ્લાઓને લોકડાઉન કરવામાં આવ્યા છે. ગાંધીનગર, અમદાવાદ, સુરત, રાજકોટ, ગાંધીનગર અને કચ્છમાં લોકડાઉન જાહેર કરાયું છે. સ્થાનિક પોલીસ દ્વારા લોકોને કામ વગર બહાર ન નિકળવાની તાકીદ કરાઈ છે. સાથે જ તમામ જિલ્લાઓમાં 144ની કલમ પણ લાગૂ કરાઈ છે. 144ની કલમનો ભંગ કરનાર સામે પોલીસ ફરિયાદ કરવાના પણ આદેશ અપાયા છે.