ચિંતાજનક / ગીર સોમનાથ અને નવસારીમાં 1-1 પોઝિટિવ કેસ, કુલ આંકડો 54 થયો, 4ના મોત

know the live updates about the coronavirus in Gujarat 28 march 2020

ગુજરાતમાં કોરોનાને કહેર વધતાં અમદાવામાં બીજું મોત થતાં રાજ્યમાં કુલ મોતનો આંકડો 4 થયો હતો. ગીર સોમનાથ જિલ્લામાં પ્રથમ પોઝિટિવ કેસ નોંધાયો છે. જ્યારે આજે બીજો કેસ નવસારીમાં નોંધાયો છે. ત્યારે રાજ્યમાં કોરોના પોઝિટિવની કુલ સંખ્યા 55 થઇ છે. મહત્વનું છે કે આજે અમદાવાદમાં SVP ખાતે સારવાર લઈ રહેલા 45 વર્ષીય મહિલાનું આખરે મોત થયું હતું. અત્યાર સુધી કોરોનાને કારણએ અમદાવાદમાં 2 મોત થયાં છે. આ અગાઉ સુરત અને ભાવનગરમાં એક-એક દર્દીનું મોત થયું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ