ગુજરાતમાં કોરોના વાયરસથી પ્રથમ મોત થયું છે. સુરતમાં 69 વર્ષીય વૃદ્ધ બપોરે અંતિમ શ્વાસ લીધા હતા. આ સાથે આરોગ્ય વિભાગના કહેવા મુજબ વડોદરામાં 65 વર્ષીય મહિલાનું મોત થયું જે શકાસ્પદ કોરોનાની દર્દી હતી. જો કે હજુ તેનો રિપોર્ટ આવ્યો નથી. આ ઉપરાંત ગુજરાતમાં આજે કોરોના પોઝિટિવનો આંકડો 20 સુધી પહોંચી ગયો હતો. છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 5 કેસ નોંધાયા હતા. ગુજરાતમાં આજે જનતા કર્ફયુ છે ત્યારે રાજકોટ, અમદાવાદ, સુરત, વડોદરા, ગાંધીનગરને લોકડાઉન કરવામાં આવ્યું છે.
સુરતમાં 69 વર્ષીય વૃદ્ધનું પ્રથમ મોત
ગુજરાતના પાંચ શહેરો લોકડાઉન
વડોદરામાં શંકાસ્પદ કોરોના વાળી મહિલાનું મોત
(22 માર્ચ 2020 - રાત્રે 11 વાગ્યા પહેલા સુધીની માહિતી)
સુરતમાં કોરોના વાયરસના વધુ બે કેસ પોઝિટિવ
સુરતમાં વધુ બે કોરોના વાયરસના પોઝિટિવ કેસ સામે આવ્યાં છે. કોરોનાના વધુ બે પોઝિટિસ નોંધાતા સુરતમાં કોરોના વાયરસની સંખ્યા પાંચ પર પહોંચી છે. સુરતમાં કુલ સાત કોરોનાના શંકાસ્પદ દર્દીઓના સેમ્પલ રિપોર્ટ માટે મોકલાયા હતા જેમાંથી બે દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. દુબઇથી આવેલા એક 32 વર્ષિય યુવકનો કેસ પોઝિટિવ નોંધાયો છે. જ્યારે એક 45 વર્ષિય વ્યક્તિનો રિપોર્ટ પણ પોઝિટિવ નોંધાયો છે. જ્યારે હજી પાંચ દર્દીઓના રિપોર્ટ પેન્ડિંગ છે. મહત્વનું છે કે સુરતમાં વધુ બે કોરોનાના પોઝિટિવ કેસ નોંધાતા રાજ્યમાં અત્યાર સુધી કોરોનાના પોઝિટીવ કેસનો આંક 20 પર પહોંચ્યો છે.
કોરોનાએ ગુજરાતનું અભડાવ્યું
વિશ્વભરમાં ભમી રહેલો કોરોનાનો હાહાકાર ગુજરાતમાં પહોંચ્યો છે. કોરાના વાયરસથી પીડાતાં 67 વર્ષીય વૃદ્ધનું સુરતમાં મોત થયું છે. વૃદ્ધની તબિયત ગઈ કાલથી ખુબ નાજુક હતી. બે કિડની કાલે બપોરે જ ફેઈલ થઈ હતી.
One #COVID19 positive patient, Male 69 yrs, died today in Surat hospital. He was having Co-morbid conditions.
One Female, 65 years, died in Vadodara hospital but her test report for COVID is awaited. She was also having comorbid conditions(Diabetes & Hypertension) @InfoGujarat
રાજ્યમાં કુલ 18 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદમાં કુલ 7 કેસ, સુરતમાં કુલ 2 કેસ, વડોદરામાં 3 કેસ, ગાંધીનગરમાં 3 કેસ, રાજકોટમાં 1 અને કચ્છમાં 1 કેસ પોઝિટિવ છે.
જ્યારે 93 વ્યક્તિઓએ ક્વોરન્ટાઇનનો ભંગ કર્યો
અત્યારસુધી 650 વ્યક્તિઓને હોમ ક્વોરન્ટાઇન રખાયા છે. જેમાં ગાંધીનગર 223, સુરતમાં 590 વ્યક્તિઓ હમ ક્વોરન્ટાઈન છે. જ્યારે અમદાવાદમાં હોસ્પિટલમાં ક્વોરન્ટાઈન 300 દર્દીઓ છે. રાજ્યમાં કુલ 6 હજાર 92 લોકો ક્વોરન્ટાઇન હેઠળ છે. જ્યારે 93 વ્યક્તિઓએ ક્વોરન્ટાઇનનો ભંગ કર્યો છે.
શું કહ્યુ નાયાબ મુખ્યમંત્રી નીતિન પટેલે?
ગુજરાતના રસ્તા બન્યા સૂમસામ
આજે જનતા કર્ફ્યુ
આજે જનતાએ સ્વયં ભૂ કર્ફ્યુ પાડ્યો છે. અને અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરામાં 25મી સુધી લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે.
21 માર્ચ 2020 - રાત્રે 9:30 વાગ્યા સુધીની અપડેટ
25 માર્ચ સુધી ગુજરાતના ચાર મોટા શહેરો લૉકડાઉન
કોરોનાના કહેર વચ્ચે રાજ્ય સરકારે મોટો નિર્ણય લીધો છે. આવતીકાલથી 25 માર્ચ સુધી ચાર મહાનગરો બંધ રહેશે. રાજ્યમાં કોરોનાના 14 પોઝિટીવ કેસ નોંધાતા નિર્ણય લેવાયો છે. અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા સંપૂર્ણ પણે બંધ રહેશે. તબીબી સેવાઓ, શાકભાજી અને કરિયાણા જેવી જીવન જરુરી વસ્તુઓ સિવાય તમામ વેપાર બંધ રહેશે. મુખ્યમંત્રી નિવાસે મળેલી બેઠકમાં નિર્ણય લેવાયો છે.
જાણો આ ચારેય શહેરોમાં શું બંધ રહેશ અને શું ચાલુ રહેશે
જીવન જરૂરી વસ્તુઓ સિવાયની તમામ દુકાનો બંધ રહેશે. વીમા કંપનીઓ, બેંક, ATM અને પેટ્રોલપંપ ચાલુ રહેશે. મનપા, પંચાયતની સેવા, વિજ સેવાઓ ચાલુ રહેશે. મીડિયા, સમાચાર પત્રો, ખાદ્ય પદાર્થો, દવા જેવી વસ્તુઓ ઉત્પાદન ચાલુ રહેશે. મેડિકલ સ્ટોર, હોસ્પિટલ ખુલ્લા રાખવા મંજૂરી અપાઇ છે.
આ ચાલુ રહેશે
આવતીકાલથી 25 માર્ચ સુધી ચાર મહાનગરો બંધ રહેશે પરંતુ વીમા કંપનીઓ, બેંક, ATM અને પેટ્રોલપંપ ચાલુ રહેશે. જ્યારે મનપા, પંચાયતની સેવા, વિજ સેવાઓ, મીડિયા, સમાચાર પત્રો, ખાદ્ય પદાર્થો, દવા જેવી વસ્તુઓ ઉત્પાદન ચાલુ રહેશે.
લોકડાઉન શું છે?
દુનિયામાં સૌથી પહેલું લોકડાઉન અમેરિકાએ 9/11 આતંકી હુમલા બાદ ત્રણ દિવસ માટે કર્યું હતું. ત્યારબાદ 2013ના બોસ્ટનને આતંકીઓની તપાસ કરવા માટે લોકડાઉન કરવામાં આવ્યું હતું. નવેમ્બર 2015માં પેરિસ હુમલામાં બાદ શંકાસ્પને પકડવા માટે બ્રુસેલ્સ લોકડાઉન કરવામાં આવ્યું હતું. લોકડાઉન એ વ્યવસ્થા છે, જે મહામારી અથવા કોઈ આપત્તિ વખતે શહેરમાં સરકાર લાગુ કરે છે. લોકડાઉનમાં લોકોને ઘરોમાંથી નીકળવાની મંજૂરી આપવામાં આવતી નથી, આવા સમયે તેમને માત્ર અનાજ અથવા જરૂરી ચીજ વસ્તુઓ માટે બહાર જવાની મંજૂરી મળે છે.
ગુજરાતમાં કુલ 14 કેસ, આજે નવા 7 કેસ નોંધાયા
વિશ્વભરમાં કોરોના વાયરસે દસ્તક ફેલાવી છે. ત્યારે ગુજરાતમાં પણ કોરોના વાયરસના 14 પોઝિટિવ કેસ નોંધાયા છે. આજની જ વાત કરીએ તો અમદાવાદમાં 2, સુરતમાં 2, ગાંધીનગર અને વડોદરામાં એક-એક અને કચ્છમાં પણ એક કેસ સહિત કુલ 7 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. મહત્વનું છે કે કોરોના વાયરસના કેસ વધતા અત્યાર સુધીમાં કુલ 189 લોકોના સેમ્પલ લેવાયા છે. જેમાંથી 148 લોકોનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. જ્યારે હજી 28 લોકોનો રિપોર્ટ આવવાનો બાકી છે.
ગુજરાતનો 14મો કેસ કચ્છમાં નોંધાયો
કચ્છમાં 59 વર્ષની મહિલાને કોરોનાનો પોઝિટિવ કેસ નોંધાયો છે. મક્કા મદીનાથી પરત ફરેલી મહિલાને કોરોના પોઝિટીવ આવ્યો છે. મહિલાના સંપર્કમાં આવેલા લોકોનું પણ મેડિકલ ચેકઅપ થશે.
ગુજરાતમાંથી કોરોના વાયરસના પોઝિટિવ કેસની સંખ્યા 20મી માર્ચે રાત્રે 12.00 વાગ્યા સુધીમાં 7 થઈ છે. દરમિયાન જુદા જુદા શહેરોમાં વિદેશયાત્રા પ્રવાસ કરી અને પરત આવેલા શંકાસ્પદ દર્દીઓની સંખ્યા વધી રહી છે. રાજ્યમાં 13 પોઝિટિવ કેસ આવતા હાહાકાર મચી ગયો છે. કોરોનાથી ફફડી ઉઠેલા તંત્રએ તકેદારીના ભાગરૂપે આ દર્દીની સાથે જોડાયેલા લોકો અને અન્ય શંકાસ્પદોને ક્વોરેન્ટીનમાં ધકેલી દીધા છે.
વડોદરામાં આજે વધુ એક પોઝિટિવ કેસ આવતા રાજ્યનો આંકડો 13 પર
ગુજરાતમાં કોરોના વાયરસનો ખતરો સતત વધી રહ્યો છે. રાજ્યમાં વધુ એક કોરોનાનો પોઝિટિવ કેસ સામે આવ્યો છે. વડોદરામાં કોરોનાનો ત્રીજો કેસ પોઝિટિવ આવ્યો છે. શ્રીલંકાથી આવેલા નિઝામપુરાના વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. 14મી માર્ચના રોજ શ્રીલંકાથી વડોદરા આવ્યા હતા. 56 વર્ષીય દર્દીને આઇસોલેશન વોર્ડમાં રાખવામાં આવ્યા છે.
20 માર્ચ સુધીની અપડેટ
રાજ્યમાં 7 પોઝિટિવ કેસ, તમામ વિદેશયાત્રી
રાજ્યમાં 20મી માર્ચે સાંજ સુધીમાં કોરોના વાયરસના 7 પોઝિટિવ કેસ નોંધાય છે, જેમાં અમદાવાદમાં 03, રાજકોટમાં 01, સુરતમાં 01, અને વડોદરામાં 02 કેસ નોંધાયો છે. મહત્ત્વની બાબત એ છે કે રાજ્યમાં નોંધાયેલા તમામ સાત કેસ વિદેશયાત્રીઓનાં છે.
500 શંકાસ્પદો 14 દિવસે પુરાયેલા રહેશે
રાજ્યમાં કોરોનાનાં 7 પોઝિટિવ કેસ આવતા 500 લોકોને ક્વૉરેન્ટી કરાયા છે. આ વ્યક્તિઓ 14 દિવસ સુધી એક જગ્યાએ બંધ રહેશે તેમના બહાર નીકળવા પર પ્રોટોકોલ મુજબ પ્રતિબંધ છે. 14 દિવસ બાદ ફરીથી તેમનો એક રિપોર્ટ કરવામાં આવશે ત્યારબાદ પણ આ વ્યક્તિઓએ કેટલીક તકેદારી રાખવાની રહેશે.
કોરોના વાયરસને લઇને રાજ્યના 4 અધિકારીઓને સોંપાઇ જવાબદારી
કોરોના વાયરસને લઇને રાજ્યના 4 અધિકારીઓને વિશેષ જવાબદારી સોંપાઇ છે જેમાં અમદાવાદ-ગાંધીનગરની જવાબદારી પંકજ કુમાર,સુરત માટે કમિશનર ઓફ મ્યુનિ. એડમિનિસ્ટ્રેશન એમ.એસ.પટેલ તથા વડોદરા માટે શિક્ષણ સચિવ વિનોદ રાવ તથા રાજકોટ માટે ઉદ્યોગ કમિશનર રાહુલ ગુપ્તાને જવાબદારી સોંપાઇ છે.
કોરોના વાયરસનો કહેર ગુજરાતમાં પણ ત્રાટક્યો છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં 7 કેસ પોઝિટિવ નોંધાયા છે. અમદાવાદમાં 3, વડોદરા 2, સુરત, રાજકોટમાં એક એક કેસ પોઝિટિવ આવતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે પરંતુ ડર્યા વગર સ્વયં સાવચેતી વાપરવાથી આ રોગને ફેલાતો અટકાવી શકાશે.
અમદાવાદમાં 3 કેસ
અમદાવાદમાં 3 કેસ સામે આવ્યા છે. બંને કેસના દર્દીઓ વિદેશ પ્રવાસથી પરત આવેલા છે. હાલ બંનેને સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે.
કોરોના વાયરસ સંબંધિત અફવાઓનો મામલો
અફવાઓની ફરિયાદ માટે નંબર જાહેર કરાયો છે. ભારત સરકાર દ્વારા વોટ્સએપ નંબર જાહેર કરવામાં આવ્યો છે. આ અંગેની કોઈ પણ ફરિયાદ 9013151515 નંબર પર મેસેજ દ્વારા કરી શકાશે.
ગુજરાતની બોર્ડરો અલર્ટ પર
રાજ્યના પડોશમાં આવેલા મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના શંકાસ્પદ અને કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થઇ રહ્યો છે અને મહારાષ્ટ્રમાં કોરોના ને કારણે મોત પણ નોંધાઈ ચૂકયા છે. ત્યારે પડોશમાં આવેલું ગુજરાતનું તંત્ર એલર્ટ પર છે. અને મહારાષ્ટ્રથી ગુજરાતમાં પ્રવેશતા તમામ નાકા અને ચેકપોસ્ટ પર આરોગ્ય વિભાગની ટીમો તૈનાત કરી દેવામાં આવી છે.
બનાસકાંઠાના દાંતીવાડા ગુંદરી બોર્ડર પર આરોગ્ય વિભાગ એલર્ટ પર છે.બોર્ડર પર આવતા તમામ પેસેન્જરનું સ્ક્રીનિગ કરાવમાં આવી રહ્યું છે.અન્ય રાજ્યમાંથી આવતા લોકોનું થર્મલ ચેકિંગ કરવામાં આવ્યું છે.કોરોનાને લઈ આરોગ્ય અને વહીવટી તંત્ર અલર્ટ.
મહારાષ્ટ્ર થી ગુજરાત માં રાજ્ય માં પ્રવેશતા તમામ લોકોનું આરોગ્યની તપાસ કરવામાં આવી રહી છે. વલસાડ ની ભીલાડ ચેકપોસ્ટ પર પણ આરોગ્ય વિભાગની ટીમ તહેનાત કરવામાં આવી છે. જ્યાં મહારાષ્ટ્રથી ગુજરાતમાં પ્રવેશતા વાહનચાલકો લોકો અને લોકોને થર્મો સકેન્સર સહિત આધુનિક ઉપકરણોથી તપાસ કરવામાં આવી રહી છે.
અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરે કોરોનાને લઈને કરી કેટલીક મહત્વની જાહેરાત
ગુજરાતમાં કોરોનાના 5 કેસ પોઝિટિવ આવ્યા છે જેમાંથી અમદાવાદના 2 કેસ હોવાને કારણે મનપા દ્વારા કેટલીક અગત્યની જાહેરાત કરવામાં આવી છે. જેમાં કોરેન્ટાઈન પરિવારોને ફ્રીમાં શાક, પાણી અને દૂધની વ્યવસ્થા કરવામાં આવી છે. એ સિવાય પણ કેટલાક મહત્વના નિર્ણયો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લેવામાં આવ્યા છે.
શું કહ્યુ મ્યુ. કમિશનર નેહરાએ ?
રાજ્યમાં કોરોનાના પાંચ પોઝિટિવ કેસને લઈ તંત્ર વધુ સજ્જ થઈ રહ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ કડક નિર્ણય લીધા છે.. વિજય નેહરાએ કહ્યું કે પરિવાર સ્વૈચ્છિક રીતે 14 દિવસ સુધી હોમ ક્વોરેન્ટાઈન રહેવા માગતો હશે તેને તમામ દૂધ, પાણી, શાકભાજી, અનાજ-કરિયાણું મ્યુનિ. મફતમાં ઘરે પહોંચાડશે. અમદાવાદમાં તમામ ખાનગી, જાહેર, મ્યુનિ. સહિતની માલિકીના તમામ જીમ, ખાનગી ક્લબ, સ્વિમિંગ પૂલ પર 31 સુધી પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
મ્યુનિસિપલ સિવિક સેન્ટર્સને 31 માર્ચ સુધી બંધ કરવાનો નિર્ણય કર્યો છે. જાહેરમાં થૂંકવા બદલ 4 દિવસમાં 4500થી વધુ લોકોને 20 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. જ્યારે આજથી અમદાવાદના તમામ પાનના ગલ્લા-લારી-દુકાનો તાત્કાલિક અસરથી બંધ કરાશે. 31 માર્ચ સુધી તમામ પ્રકારના પાન-મસાલા ગુટખાના વેચાણ પર પ્રતિબંધ- કરિયાણાની દુકાનો પરથી પણ પાન-મસાલા-ગુટખા વેચી શકાશે નહીં. જ્યારે થૂંકવા પરનો દંડ સોમવારથી 500થી વધારીને 1000 કરાશે, દંડ ભરવામાં તકરાર કરનાર સામે પોલીસ કાર્યવાહી કરી અટક કરાશે.
ગુજરાતમાં કોરોના મુદ્દે DYCMનુ નિવેદન
ગુજરાતમાં 5 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે 5 કેસ સામે આવ્યા તે પાંચેય વિદેશથી આવ્યા છે. 2 દિવસ પછી કોઈ વિદેશથી ભારતમાં નહી આવો. ભારત સરકારે વિદેશી ફ્લાઈટો બંધ કરી છે. જે વિદેશથી આવ્યા છે તેનુ સતત મોનિટરિંગ થઈ રહ્યુ છે.
શું કહ્યુ CM રૂપાણીએ?
રાજ્યમાં ગઈકાલ સુધી બે પોઝિટિવ કેસ નોંધાયા હતા. બન્ને લોકો વિદેશથી આવ્યા છે. દર્દીઓના સંપર્કમાં આવેલા લોકોની યાદી તૈયાર કરાઈ. તમામ લોકોના સ્ક્રિનિંગની પણ વ્યવસ્થા કરાઈ છે. કેસ સામે આવતા ઉચ્ચ લેવલનીની બેઠક મળી હતી. બેઠક બાદ સરકાર દ્વારા અનેક નિર્ણય પણ કરાયા છે. તંત્ર અને સરકાર સંપૂર્ણ રીતે સજ્જ છે. રાજ્યના લોકોને ગભરાવવાની જરૂર નથી.
શું લેવાયા પગલા?
રાજ્યમાં તંત્રને સજ્જ કરી દીધુ છે
પરીક્ષાઓ સ્થગિત કરી દીધી છે
બસનો ફ્રિક્વન્સી ઘટાડી દીધી છે
ગુજરાતમાં રવિવારે જનતા કર્ફ્યૂનો અમલ થશે
કોરોનાના ખતરાને લઈને રાજ્યમાં તંત્ર એલર્ટ
રાજ્યમાં 127 ખાનગી હોસ્પિટલો આઈસોલેશન બેડથી સજ્જ છે. 127 હોસ્પિટલમાં 635 આઈસોલેશન બેડની વ્યવસ્થા છે. રાજ્યના 25 જિલ્લામાં ખાનગી હોસ્પિટલોમાં આઈસોલેશન બેડની વ્યવસ્થા તૈયાર કરાઈ છે. કોરોનાને લઈને એસટી વિભાગનો મહત્વનો નિર્ણય લીધો જેમાં મહારાષ્ટ્ર તરફની ST બસ સેવા રદ્દ કરાઈ છે. 31 માર્ચ બાદ પણ બસ સેવા રદ થઈ શકે છે. ગુજરાતથી મહારાષ્ટ્રની 20,061 ટિકિટનું એડવાન્સ બુકિંગ હતું. હાલમાં 1200 ટિકિટ મુસાફરોએ રદ્દ કરાવી છે. મુંબઈ, પુણે, થાણે, માલેગાંવ, કોલ્હાપુર સહિતની ST બસો રદ્દ કરવામાં આવી છે.
કોરોનાના કેસ મળી આવતા રાજકોટ અને સુરતમાં કલમ 144 લાગૂ
Gujarat Deputy CM Nitin Patel: Two people have tested positive for #Coronavirus in Rajkot and Surat. Both the patients returned from abroad recently. They are admitted to an isolation ward. Family and contacts of Rajkot patient have not been infected. pic.twitter.com/129j6UOKtQ
રાજકોટ અને સુરત શહેરવાસીઓ માટે સ્થાનિક તંત્રએ જાહેરનામુ બહાર પાડ્યું છે. 4 કરતા વધુ લોકોના એકઠા થવા પર પ્રતિબંધ મુકાયો છે. જાહેરસભા, સરઘસ કે રેલી કરવા પર પ્રતિબંધ ફરમાવાયો છે. 30 એપ્રિલ સુધી રાજકોટ શહેરમાં જાહેરનામુ કાયમ રહેશે. 29 માર્ચ સુધી સુરત શહેરમાં કલમ 144 લાગૂ રહેશે.
અમદાવાદમાં કોરોનાને લઈને લેવાયા મહત્વના પગલા
મેરેજ હોલ, લગ્ન વાડી, જિમ બંધ કરાયા.
શહેરમાં ક્લબો, ગેમ ઝોન વોટર પાર્ક પણ બંધ.
અમદાવાદની રાજપથ, કર્ણાવતી ક્લબ બંધ.
બસસ્ટેન્ડ પર ખાનગી ટ્રાવેલ્સના મુસાફરોનું સ્ક્રીનિંગ ફરજીયાત.
આજથી કાલુપુર રેલવે સ્ટેશન પર થર્મલ સ્ક્રિનિંગ કરાશે.
શંકાસ્પદ લક્ષણો જણાય તો વહીવટી તંત્રને કરાશે જાણ.
મુસાફરોનું મેડિકલ ચેક અપ કર્યાં બાદ 24 કલાક રાખશે ઓબ્ઝર્વેશનમાં.
કાલુપુર રેલવે સ્ટેશન પર મુસાફરોની સંખ્યમાં ઘટાડો.
અત્યાર સુધીમાં 26 ટ્રેનો રદ્દ કરાઈ.
કોરોના વાયરસને કારણે 70% બુકીંગમાં ઘટાડો નોંધાયો.
હવે મનપામાં થતી મીટીંગો ઓનલાઇન થશે.
કોર્પોરેશન ઓફિસમાં મીટીંગો પર મુકાયો કાપ.
મનપામાં જો મીટીંગ થશે તે ખુરશીઓ વચ્ચે 4 ફૂટનુ અંતર રખાશે.
અનિવાર્ય હશે તો મીટીંગમાં સૌથી ઓછા સભ્યોની કરાશે મીટીંગ.
અમેરિકાથી એક અઠવાડિયા પહેલાં પરત આવેલી યુવતીને કોરોના પોઝિટિવ આવવાથી ફફડાટ મચ્યો છે. આવ્યાના 2 દિવસ બાદ તેને શંકાસ્પદ લક્ષણો જણાતા તેનો હોસ્પિટલમાં ટેસ્ટ કરાવ્યો. ગઈકાલે રાતે પુણેથી રિપોર્ટ આવ્યો. આ રિપોર્ટ પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું હતું. હાલમાં તેના પરિવારજનો પણ ક્વોરેન્ટાઈન કરાયા છે.
સુરતની યુવતીનો કોરોના ટેસ્ટ પોઝિટિવ
સુરતની યુવતી લંડનમાં અભ્યાસ કરે છે. 16 માર્ચે તે પરત આવી પછી તેને ઉધરસ અને તાવની તકલીફ થતાં સિવિલમાં દાખલ કરાઈ હતી. ત્યાં તેની તપાસ કરાતાં તેનામાં કોરોનાના લક્ષણો મળી આવ્યા હતા. તેના સંપર્કમાં આવેલી 9 વ્યક્તિને ક્વોરેન્ટાઈન કરાઈ છે.
રાજકોટમાં 42 વર્ષીય વ્યક્તિનો પણ કોરોના ટેસ્ટ પોઝિટિવ
રાજકોટનો 42 વર્ષીય પ્રૌઢ મદીનાથી મુંબઈ થઈને ટ્રેનમાં રાજકોટ પહોંચ્યો હતો. તેનામાં કોરોનાના લક્ષણ મળતાં તેના 17 જેટલા સંબંધીઓને ક્વોરેન્ટાઈન કરાયા છે. આ સાથે જ આરોગ્ય વિભાગની ટીમે 18 હજારથી વધુ ઘરોમાં સર્વે પણ હાથ ધર્યો છે.