ગુજરાતમાં કોરોનાનો કહેર જે રીતે વધી રહ્યો છે એ જોતા આવનારો સમય ગુજરાત માટે હજુ વધુ કપરો આવવાનો છે. 214 લોકોના કોરોનાથી મોત થઈ ચુક્યા છે અને કુલ કોરોના પોઝિટિવ દર્દીનો આંક 4395 પર પહોંચી ચુક્યો છે.
કોરોના વાયરસની રાજ્યમાં ભરડો લીધો છે. દિવસેને દિવસે કોરોનાના કેસમાં વધારો થઇ રહ્યો છે. ત્યારે રાજ્યના છેલ્લા 24 કલાકના કોરોના વાયરસના કુલ કેસ અંગેની વિગતવાર જાણકારી આપવા રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના અગ્રસચિવ જ્યંતિ રવિએ પ્રેસ કોન્ફરન્સ દ્વારા માહિતી આપી હતી કે, ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં નવા 313 કેસ નોંધાયા છે. ત્યારે અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ કોરોના પોઝિટિવ લોકોની સંખ્યા 4395 પહોંચી છે.
કુલ નવા કેસ
અમદાવાદ
249
વડોદરા
19
સુરત
13
ભાવનગર
4
આણંદ
3
ગાંધીનગર
10
પંચમહાલ
10
મહેસાણા
3
અરવલ્લી
1
દાહોદ
1
કુલ
313
હાલ રાજ્યમાં 33 દર્દીઓ વેન્ટિલેટર પર છે. આ સાથે જ 3535 લોકો સ્ટેબલ છે. આજના ટેસ્ટ વિશેની જાણકારી આપતા આરોગ્ય વિભાગે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં કુલ 64007 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં 4395 પોઝિટિવ આવ્યા છે તો 59612 રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.