બુધવારે બપોર બાદ વડોદરાના નાગરવાડામાં 5 અને ભાવનગરમાં 2 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોના વાયરસના કુલ 186 કેસ નોંધાયા છે. તેમજ અત્યાર સુધીમાં 16 દર્દીઓના મોત થઈ ચૂક્યા છે. જ્યારે 25 જેટલા દર્દીઓ સાજા થઇ ચૂક્યા છે.
ભાવનગરના 3 વિસ્તાર ક્લસ્ટર કન્ટેમ્પમેન્ટ
ભાવનગર મહાનગર પાલિકા દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 40 હજાર લોકોને ક્લસ્ટર કન્ટેમ્પમેન્ટ એરિયામાં સીલ કરાયા છે. ભાવનગર મહાનગર પાલિકાએ 3 વિસ્તારના ક્લસ્ટર કન્ટેમ્પમેન્ટ એરિયાના નકશા જાહેર કર્યા છે. મહાનગરપાલિકા દ્વારા વડવા સીદીવાડ, સાંઢિયાવાડ અને મઢિયાફળીના નક્શા જાહેર કરવામાં આવ્યા છે. ત્યારે આ વિસ્તારમાં લોકો ઘરની બહાર નહીં નિકળી શકે.
વડોદરાના નાગરવાડા વિસ્તારમાં કોરોના વાયરસના વધુ 5 પોઝિટિવ કેસ
વડોદરાના નાગરવાડા વિસ્તારમાં આરોગ્ય વિભાગની તપાસ દરમિયાન 5 નવા કોરોના વાયરસના પોઝિટિવ કેસ મળી આવ્યા છે. અત્યાર સુધીમાં નાગરવાડા સૈયદપુરામાં 204 વ્યક્તિઓના સેમ્પલ લેવામાં આવ્યા છે. જેમાંથી કુલ 9 સેમ્પલ પોઝિટિવ આવ્યા છે. આ વિસ્તારમાંથી વધુ 300 જેટલા સેમ્પલનું પરીક્ષણ કરવામાં આવશે.
નિજામુદ્દીનથી આવેલા 127 લોકોની ઓળખ કરાઈ, જેમાંથી 11 લોકો પોઝિટિવ : DGP
નિજામુદ્દીનથી આવેલા 127 લોકોની ઓળખ કરાઈ છે. નિઝામુદ્દીન મરકજમાં ગયેલા 11 લોકો પોઝિટિવ હતા. મરકઝમાંથી પરત ફરેલા લોકોએ આરોગ્ય વિભાગનો સંપર્ક કરવો જોઇએ પણ કેટલાક લોકો હકીકત છુપાવી રહ્યા છે. અમદાવાદ સહિત રાજ્યમાં બીજા મરકઝમાંથી આવેલા લોકો હોઇ શકે છે. એ દિશામાં તપાસ કરવામાં આવી રહી છે. નિઝામુદ્દીનની તપાસ દરમિયાન સુરવલી ગ્રુપ સામે આવ્યું છે.
નિજામુદ્દીનથી આવેલા 127 લોકોની ઓળખ કરાઈ, જેમાંથી 11 લોકો પોઝિટિવ : DGP#coronavirusinGujarat #covid19 #Gujarat #CoronavirusOutbreak #Tablighijamaat #VTVGujaratihttps://t.co/e7BHGAX7Jx
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) April 8, 2020
ગુજરાત સરકારનો નિર્ણય
રાજ્યમાં કોરોનાના કહેર પર કાબૂ મેળવવા રાજ્ય સરકારે તૈયારીઓ કરી લીધી છે. આજે મળેલી કેબિનેટ બેઠકમાં 26 જિલ્લામાં 31 ખાનગી હોસ્પિટલોને ડેઝિગ્નેટેડ કોવિડ-19 હોસ્પિટલ તરીકે કાર્યરત કરવાનો નિર્ણય કરતાં કુલ 4064 બેડની ક્ષમતા વધશે. જ્યારે ચાર મહાનગરોમાં કોવિડ 19 માટે 2200 બેડની હોસ્પિટલ શરૂ કરી છે અને અન્ય 26 જિલ્લામાં 3200 બેડની હોસ્પિટલમાં તૈયાર રાખી છે. આમ, સમગ્ર ગુજરાતમાં કોવિડ-19 કોરોના વાઈરસના સંક્રમિત અસરગ્રસ્તોની તાત્કાલિક સારવાર માટે કુલ 9,464 બેડની ક્ષમતાવાળી હોસ્પિટલો સાથે ગુજરાત આ મહામારીના પડકારને પહોચી વળવા સજ્જ થયું છે.
સરકાર દ્વારા ગુજરાતમાં COVID 19 બેઝ્ડ 26 જિલ્લાઓમાં 31 હૉસ્પિટલ્સનું લિસ્ટ કરાયું જાહેર#covid19 #CoronaHospital #Gujarat @CMOGuj @vijayrupanibjp @Nitinbhai_Patel @JayantiRavi #CoronavirusOutbreak pic.twitter.com/J5d6xuUJsx
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) April 8, 2020
અમદાવાદ મનપા કમિશનર વિજય નહેરાએ કહયુ આવતી કાલનો દિવસ મહત્વનો
અમદાવાદ મ્યુનિ. કમિશનર વિજય નહેરાનું આવતીકાલનો દિવસ અમદાવાદ માટે મહત્વ હોવાનું કહીને જણાવ્યું હતુ કે, મનપા આવનારી દરેક મુસિબત માટે તૈયાર છે. બફર ઝોન બનાવીને તમામ ચેપગ્રસ્ત વિસ્તારમાં કોરોનાનું નિયંત્રણ લાવીને જ જંપીશું. પોલીસ કમિશનર આશિષ ભાટીયાએ પણ બફર ઝોન કરીને લોકડાઉન કરાયેલા તમામ વિસ્તારની રૂબરૂ જઈ દરેક ચેકપોસ્ટ ચકાસી હતી.
આવતીકાલનો દિવસ અમદાવાદ માટે મહત્વનો, 10,000 લોકોનું મેગા સર્વેલન્સ હાથ ધરાશે: વિજય નેહરા#CoronavirusinGujarat #AMC #Vijaynehra #Ahmedabadhttps://t.co/SKC1pdYYz0
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) April 8, 2020
( 8 એપ્રિલ 2020 સવારે 10.30 સુધીની અપડેટ )
ગુજરાતમાં વધુ 4 પોઝિટિવ કેસ આવ્યા સામે
ભાવનગરમાં 2, વડોદરામાં 1, સુરતમાં કોરોનાનો 1 કેસ
બેના મોત
જામનગરમાં 14 મહિનાનું બાળકનું મોત થયું છે.
સુરતના 65 વર્ષના પુરૂષનું પણ મોત થયું છે.
Coronavirus / લોકલ ટ્રાન્સમિશનના 114 કેસ, કુલ પોઝિટિવ કેસની સંખ્યા 179, 16 ના મોત : જંયતિ રવિ#coronavirusinGujarat #Jayantiravi #Ahmedabad #VTVGujaratihttps://t.co/q9YnXxq1d9
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) April 8, 2020
કુલ કેસ 179
જીલ્લાનું નામ | પોઝિટિવ કેસ | સાજા થયા | મૃત્યુઆંક | |
અમદાવાદ | 83 | 7 | 5 | |
આણંદ | 1 | 0 | 0 | |
ભાવનગર | 16 | 0 | 2 | |
છોટા ઉદેપુર | 1 | 0 | 0 | |
ગાંધીનગર | 13 | 2 | 0 | |
ગીર સોમનાથ | 2 | 0 | 0 | |
જામનગર | 1 | 0 | 1 | |
કચ્છ | 2 | 0 | 0 | |
મહેસાણા | 2 | 0 | 0 | |
મોરબી | 1 | 0 | 0 | |
પંચમહાલ | 1 | 0 | 1 | |
પાટણ | 5 | 0 | 0 | |
પોરબંદર | 3 | 0 | 0 | |
રાજકોટ | 11 | 4 | 0 | |
સાબરકાંઠા | 1 | 0 | 0 | |
સુરત | 23 | 5 | 4 | |
વડોદરા | 13 | 5 | 2 | |
કુલ | 175 | 23 | 16 |
( 8 એપ્રિલ 2020 સવારે 9ઃ00 સુધીની અપડેટ )
અમદાવાદમાં કોટ વિસ્તારને જાહેર કરાયો બફર ઝોન
અમદવાદમાં કોટ વિસ્તારને બફર ઝોન જાહેર કરતા મનપા એક્શનમાં આવી ગયુ છે. કોટ વિસ્તારની ફરતે હેલ્થ ચેકપોસ્ટ ઉભી કરવમાં આવી છે. હેલ્થ ટિમ દ્વારા ચેકપોસ્ટ પર સ્ક્રીનીંગ કરાઈ રહ્યું છે. અવર જવર કરતા તમામ લોકોનું થર્મલ સ્ક્રીનીંગ કરી ચેકઅપ કરવામાં આવી રહ્યુ છે. કોટ વિસ્તારના 13 ગેટ પર AMC દ્વારા ચેકપોસ્ટ ઉભી કરાઈ છે.
શહેરના 8 વિસ્તાર ક્લસ્ટર કન્ટેન્મેન્ટ
મહત્વનું છે કે, અમદાવાદમાં 15 લોકો વિદેશથી આવેલા સંક્રમિત છે. જ્યારે 27 આંતરરાજ્ય અને 35 લોકલ લોકો કોરોનાથી સંક્રમિત થયા છે. અમદાવાદના 8 વિસ્તાર કાલુપુરના બલોચાવાડને ક્લસ્ટર ક્વોરેન્ટાઇન કરાયો છે. આંબાવાડી, બાપુનગર, દરિયાપુર, દાણીલીમડા સહિતના 8 વિસ્તારને ક્લસ્ટર કન્ટેન્મેન્ટ કરી દેવાયા છે.
કોટ વિસ્તારને કરાયો સિલ
ખાસ સૂચના - કાલુપુર શાકમાર્કેટ ફ્રૂટમાર્કેટમાં તમામ પ્રકારના વેચાણ પર અને નેહરૂ બ્રિજ ઉપર ખાનગી વાહનો માટે અવર-જવર કરવા પ્રતિબંધ ફરમાવવામાં આવે છે. @AhmedabadPolice #AmdavadFightsCorona pic.twitter.com/iiviOtf93j
— Amdavad Municipal Corporation (@AmdavadAMC) April 7, 2020
( 8 એપ્રિલ 2020 સવારે 8ઃ00 સુધીની અપડેટ )
વડોદરામાં વધુ એક કોરોના પોઝીટીવ કેસ નોધાયો
વડોદરામાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા વધીને 13 થઈ. નાગરવાડાના 22 વર્ષના મહંમદ શાહનો કોરોના પોઝિટિવ. ગત રોજ એક કિશોરનો કોરોના પોઝીટીવ કેસ આવ્યો હતો. આજે કિશોરના ભાઇનો પણ કેસ પોઝીટીવ આવ્યો છે. મહંમદ શાહને ત્યા કામ કરતી મહીલાના ઘરને પણ ક્વોરોન્ટાઇન કરાયુ . ક્વોરોન્ટાઇન કરી સેમ્પલ લેવાની કામગીરી હાથ ધરાઇ.
નાગરવાડા રેડ ઝોનમાં 93 કોરના શંકાસ્પદના રિપોર્ટ પેન્ડિગ છે. 3 દિવસથી આરોગ્ય વિભાગ દ્વારા સેમ્પલ લેવાની કામગીરી ચાલુ છે.
( 7 એપ્રિલ 2020 રાત્રે 8ઃ00 સુધીની અપડેટ )
ગુજરાતમાં સતત કોરોનાનો કહેર વધતો જઇ રહ્યો છે ત્યારે સૌથી વધુ કેસ અત્યાર સુધીમાં અમદાવાદમાં નોંધાયા છે. મંગળવારે રાજ્યના આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં તેમણે જણાવ્યું કે, આજે કોરોના વાયરસના અમદાવાદમાં 6, સુરતમાં વધુ 3 અને રાજકોટમાં 1 આમ કુલ 10 કેસ સામે આવતા રાજ્યમાં કુલ આંકડો 175 પર પહોંચ્યો છે. જ્યારે સુરતમાં બે દર્દીઓના મોત થતાં કુલ મૃતાંક 15 પર પહોંચ્યો છે. 22 કોરોનાના દર્દીઓ અત્યાર સુધીમાં સાજા થઇ ચૂક્યા છે.
( 7 એપ્રિલ 2020 સાંજે 5.50 સુધીની અપડેટ )
ગુજરાતમાં કોરોનાના વધુ 3 કેસ પોઝિટિવ આવતા આંકડો 168 પર પહોંત્યો છે અને 2 પોઝિટિવ દર્દીના મોત થતા મોતનો આંકડો 14 પર પહોંચી ગયો છે.
પાટણમાં કોરોનાથી પહેલું મોત નિપજ્યુ
પાટણમાં તમન્ના સોસાયટીમાં રહેતા યુવકનુ મોત નિપજ્યું છે. 47 વર્ષીય યુવાનનું કોરોના વાયરસથી મોત થયુ છે
સુરતમાં કોરોનાથી એક દર્દીનું મોત
સુરતમાં કોરોના વાયરસથી કુલ 3 દર્દીઓના મોત થયા છે. રાજ્યમાં કોરોનાથી અત્યાર સુધી 14 લોકોના મોત.
સુરતમાં 3 અને રાજકોટમાં 1 કેસ પોઝિટિવ
આજે બપોર પછી સુરતમાં 3 કેસ પોઝિટિવ નોંધાય છે. જ્યારે રાજકોટમાં જ્યાં એક સપ્તાહથી કોઈ કેસ નહોતો ત્યાં જંગલેશ્વર વિસ્તારમાંથી વધુ એક કેસ નોંધાયો છે. આમ જોતાં સુરતમાં અત્યાર સુધી કુલ 22 કેસ થયા છે અને રાજકોટમાં આ કુલ આંકડો 11 કેસ પર પહોંચ્યો છે. અત્યાર સુધી સુરતમાં અગાઉ 3 મોત થઈ ચૂક્યાં છે.
ગુજરાતમાં 169 કેસ ક્યાંના?
અમદાવાદ
કુલ કેસ - 77
આજના કેસ - 13
કુલ મોત - 05
સુરત
કુલ કેસ - 22
આજના કેસ - 03
કુલ મોત - 03
વડોદરા
કુલ કેસ - 12
આજના કેસ - 00
કુલ મોત - 02
રાજકોટ
કુલ કેસ - 11
આજના કેસ - 01
કુલ મોત - 00
ગાંધીનગર
કુલ કેસ - 13
આજના કેસ - 00
કુલ મોત - 00
ભાવનગર
કુલ કેસ - 14
આજના કેસ - 01
કુલ મોત - 02
જામનગર
કુલ કેસ - 01
આજના કેસ - 00
કુલ મોત - 00
મહેસાણા
કુલ કેસ - 02
આજના કેસ - 00
કુલ મોત - 00
આણંદ
કુલ કેસ - 01
આજના કેસ - 01
કુલ મોત - 01
છોટાઉદેપુર
કુલ કેસ - 01
આજના કેસ - 00
કુલ મોત - 00
ગીરસોમનાથ
કુલ કેસ - 02
આજના કેસ - 00
કુલ મોત - 00
કચ્છ
કુલ કેસ - 02
આજના કેસ - 00
કુલ મોત - 00
મોરબી
કુલ કેસ - 01
આજના કેસ - 00
કુલ મોત - 00
પંચમહાલ
કુલ કેસ - 01
આજના કેસ - 00
કુલ મોત - 01
પાટણ
કુલ કેસ - 05
આજના કેસ - 03
કુલ મોત - 01
પોરબંદર
કુલ કેસ - 03
આજના કેસ - 00
કુલ મોત - 00
સાબરકાંઠા
કુલ કેસ - 01
આજના કેસ - 01
કુલ મોત - 00
( 7 એપ્રિલ 2020 સવારે 11 વાગ્યા સુધીની અપડેટ )
ગુજરાતમાં કોરોનાનો ભરડો
ગુજરાતના આરોગ્ય સચિવ જયંતિ રવિએ પત્રકાર પરીષદ દ્વારા આ અંગે માહિતી આપી હતી.
શું કહ્યું આરોગ્ય સચિવે?
ગુજરાતમાં કોરોના સંકટ વધી રહ્યુ છે. શહેરો તરફથી હવે ગામડાઓમાં કોરોના ફેલાઈ રહ્યો છે. રાજ્યમાં આજે કોરોનાના વધુ 19 કેસ નોંધાયા છે. રાજ્યમાં દર્દીઓની સંખ્યા વધીને 165એ પહોંચી છે. રાજ્યમાં સૌથી વધુ અમદાવાદમાં નોંધાયા છે. અમદાવાદમાં આજે વધુ 13 લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. અમદાવાદમાં દર્દીઓની સંખ્યા વધીને 77એ પહોંચી છે.
23 લોકો સાજા થયા છે
રાજ્યમાં 3040 લોકોના રિપોર્ટ કરાયા છે. 2835ના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. હાલમાં 136 લોકોની હાલત સ્થિર, 4 વેન્ટિલેટર પર દાખલ કરવામાં આવ્યા છે. રાજ્યમાં અત્યાર સુધી 23 જેટલા લોકોને રજા અપાઈ છે.
આજે નવા નોંધાયેલા કેસ
ક્યાં કેટલા કેસ
-----------------
ગુજરાતમાં કોરના વાયરસની સંખ્યા સતત વધી રહી છે.
કુલ | અ'વાદ | બરોડા | સુરત | રાજકોટ | અન્ય | |
---|---|---|---|---|---|---|
પોઝિટિવ | 113 | 53 | 5 | 12 | 07 | 36 |
મોત | 12 | 5 | 2 | 2 | 3 | |
સાજા થયા | 21 | 6 | 5 | 5 | 3 | 2 |
કુલ | 146 |
( 6 એપ્રિલ 2020 સાંજે 7.30 વાગ્યા સુધીની અપડેટ )
ગુજરાતમાં સતત કોરોનાનો કહેર વધતો જઇ રહ્યો છે ત્યારે 2 દિવસમાં 39 કોરોનાના કેસ નોંધાઇ ચૂક્યા છે. આ અંગે સોમવારે રાજ્યના આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં તેમણે જણાવ્યું કે, સુરતમાં વધુ 2 કોરોના પોઝિટિવ કેસ આવતા રાજ્યમાં કુલ આંકડો 146 પર પહોંચ્યો છે. જ્યારે વડોદરામાં એકનું મોત થતાં કુલ મૃતાંક 12 પર પહોંચ્યો છે. 2 દિવસમાં કુલ 39 કેસ સામે આવ્યા છે. 22 કોરોનાના દર્દીઓ અત્યાર સુધીમાં સાજા થઇ ચૂક્યા છે.
જાણો ક્યાં કેટલાક કોરોનાના પોઝિટિવ કેસ...
જીલ્લાનું નામ | પોઝિટિવ કેસ | સાજા થયા | મૃત્યુઆંક |
અમદાવાદ | 64 | 7 | 5 |
ભાવનગર | 13 | 0 | 2 |
ગાંધીનગર | 13 | 2 | 0 |
છોટા ઉદેપુર | 1 | 0 | 0 |
ગીર સોમનાથ | 2 | 0 | 0 |
પાટણ | 2 | 0 | 0 |
મોરબી | 1 | 0 | 0 |
જામનગર | 1 | 0 | 0 |
કચ્છ | 2 | 0 | 0 |
પંચમહાલ | 1 | 0 | 1 |
મહેસાણા | 2 | 0 | 0 |
પોરબંદર | 3 | 0 | 0 |
રાજકોટ | 10 | 3 | 0 |
સુરત | 19 | 5 | 2 |
વડોદરા | 12 | 5 | 2 |
કુલ | 146 | 22 | 12 |
ગુજરાતમાં કોરોના વાયરસના વધ્યા કેસ
આજના દિવસમાં કોરોનાના કુલ 17 પોઝિટિવ કેસ નોંધાયા
કોરોનાના સૌથી વધુ 64 કેસ અમદવાદમાં
સુરતમાં કોરોના વયરસના કુલ કેસ 18
ગાંધીનગરમાં કોરોના વયરસના કુલ 13 કેસ
અમદાવાદ
કુલ કેસ - 64
આજના કેસ - 11
સુરત
કુલ કેસ - 18
આજના કેસ - 02
રાજકોટ
કુલ કેસ - 10
આજના કેસ - 00
ગાંધીનગર
કુલ કેસ - 13
આજના કેસ - 00
ભાવનગર
કુલ કેસ - 13
આજના કેસ - 00
કચ્છ
કુલ કેસ - 02
આજના કેસ - 00
મહેસાણા
કુલ કેસ - 02
આજના કેસ - 01
ગીરસોમનાથ
કુલ કેસ - 02
આજના કેસ - 00
પંચમહાલ
કુલ કેસ - 01
આજના કેસ - 00
પોરબંદર
કુલ કેસ - 03
આજના કેસ - 00
છોટાઉદેપુર
કુલ કેસ - 01
આજના કેસ - 00
જામનગર
કુલ કેસ - 01
આજના કેસ - 00
મોરબી
કુલ કેસ - 01
આજના કેસ - 00
પાટણ
કુલ કેસ - 02
આજના કેસ - 01
રાજ્યમાં ચિંતા વધી : DGP શિવાનંદ ઝા
રાજ્યમાં કોરોના કેસ વધ્યા છે..ત્યારે તંત્રની ચિંતા પણ વધી છે. બીજી તરફ ખોટી રીતે બહાર નીકળતા લોકો તંત્રની ચિંતામાં વધારો કરી રહ્યા છે. લોકડાઉનનો ભંગ કરતા લોકોને રાજ્યના DGPએ વધુ એકવાર ઘરમાં રહેવાની અપીલ કરી હતી. સાથે જ ચેતવણી પણ આપી હતી કે જે લોકો કારણ વગર બહાર નીકળશે તેમના વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.
લોકડાઉન ભંગ બદલ 3907 લોકોની ધરપકડ: પોલીસ કમિશનર આશિષ ભાટીયા
અમદાવાદમાં લોકડાઉનનું કડક અમલીકરણ કરાવાઈ રહ્યું છે. ખોટી રીતે બહાર નીકળતા લોકો સામે પોલીસ કડક કાર્યવાહી કરી રહી છે. લોકડાઉનનો ભંગ કરનાર કુલ 3907 લોકોની ધરપકડ કરાઈ છે. લોકડાઉનના કકડ અમલીકરણ માટે પોલીસ ડ્રોનનો પણ ઉપયોગ કરી રહી છે. અમદાવાદ પોલીસ કમિશનર આશિષ ભાટિયાએ આ માહિતી આપી હતી.
ગુજરાતમાં કેસો વધશે: અશ્વિની કુમાર
કોરોના વાયરસને લઇ પુરવઠા વિભાગે માહિતી આપી. સીએમઓ સચિવ અશ્વિની કુમારે કહ્યું કે હાલ CMની ઉપસ્થિતિમાં નવા વેન્ટિલેટરનું દર્દી પર સફળ પરીક્ષણ કરાયુ છે. ગુજરાતની કંપનીઓ PPE કિટ બનાવી રહી છે. અને N95 માસ્ક બનાવવા IIT કાનપુરથી ટેક્નોલોજી ટ્રાન્સફર કરાઈ છે. ગુજરાતમાં દરરોજ 25 હજાર N95 માસ્ક બનાવાઈ રહ્યાં છે. જરૂરતની તમામ વસ્તુઓ ગુજરાતમાં જ બનાવાઇ રહી છે. સાથે જ ચાર મનપામાં કોરોના હોસ્પિટલ તૈયાર છે. તબલીગી જમાતનાં લોકો પરત ફરવાને કારણે કોરોનાનો વ્યાપ વધ્યો છે. ત્યારે કેસ વધતા અમદાવાદમાં 6 જગ્યાએ ક્લસ્ટર ક્વોરન્ટાઇન કરાયું છે. જ્યારે વડોદરામાં નાગરવાડા, સૈયદપુરાને ક્લસ્ટર ક્વોરોન્ટાઇન હેઠળ મુકાયો છે. તો સુરતમાં સચિન વિસ્તાર ક્લસ્ટર ક્વોરોન્ટાઇન હેઠળ મુકાયો છે.
( 6 એપ્રિલ 2020 બપોરે 1 વાગ્યા સુધીની અપડેટ )
આજના મોટા ભાગના કેસોમાં તબિલગી કનેક્શન : જયતિ રવિ
રાજ્યમાં કોરાનાના વધુ 16 લોકોના રિપોર્ટ આવ્યા પોઝિટિવ
રાજ્યમાં કોરોનાના દર્દીઓની સંખ્યા વધીને 144 થઈ
અમદાવાદમાં આજે 11 કેસ નોંધાતા આંકડો 64એ પહોંચ્યો
રાજ્યમાં કોરોનાથી અત્યાર સુધી 12 લોકોના થયા છે મોત
હાલમાં 2 લોકો વેન્ટિલેટર પર, 110 લોકોની હાલત સ્થિર છે
રાજ્યભરમાં અત્યાર સુધી 21 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા
2714 લોકોમાંથી 144 લોકોનો પોઝિટિવ રિપોર્ટ
હાલમાં 39 લોકોના રિપોર્ટ આવવાના છે બાકી
અમદાવાદમાં વધુ કેસ મુસ્લિમ વિસ્તારમાંથી નોંધાયા
આજના મોટા ભાગના કેસોમાં તબિલગી કનેક્શન
ગુજરાતમાં ટોટલ - 144
અમદાવાદ- 64
સુરત - 17
રાજકોટ - 10
વડોદાર - 12
ગાંધીનગર - 13
ભાવનગર - 13
કચ્છ - 2
મહેસાણા - 2
ગીર સોમનાથ - 2
પોરબંદર - 3
પંચમહાલ 1
પાટણ - 2
છોટા ઉદેપુર - 1
જામનગર - 1
મોરબી - 1
---------
રાજ્યના આરોગ્ય વિભાગના અગ્રસચિવ જયંતિ રવિએ જણાવ્યું કે અમદાવાદમાં 64, સુરતમાં 17, વડોદરામાં 12 કેસ નોંધાયા છે. રાજકોટમાં 10 કેસ નોંધાયા છે. કચ્છ, મહેસાણા અને ગીર-સોમનાથમાં બે-બે કેસ નોંધાયા છે. વડોદરામાં 12, ગાંધીનગર અને ભાવનગરમાં 13-13 કેસ નોંધાયા છે. પોરબંદરમાં 3, પંચમહાલમાં 1 પાટણમાં 2 કેસ નોંધાયા છે. છોટા ઉદેપુર, મોરબી અને જામનગરમાં 1-1 કેસ નોંધાયો છે. આમ રાજ્યમાં સૌથી વધુ અમદાવાદમાં 64 લોકોના પોઝિટિવ કેસ નોંધાયા છે.
કુલ | અ'વાદ | બરોડા | સુરત | રાજકોટ | અન્ય | |
પોઝિટિવ | 112 | 53 | 6 | 10 | 7 | 36 |
મોત | 11 | 5 | 1 | 2 | 3 | |
સાજા થયા | 21 | 6 | 5 | 5 | 3 | 2 |
કુલ | 144 |
ગઇકાલે સાંજે જયંતિ રવિએ પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં રાજ્યમાં કોરોના વાયરસના કુલ 128 કેસ નોંધાઇ ચૂક્યા છે. જેમાં અમદાવાદમાં કોરોનાના સૌથી વધુ 53, સુરતમાં 16, રાજકોટમાં 10, ગાંધીનગરમાં 13, ગીર સોમનાથમાં 2, રાજકોટમાં 10, વડોદરામાં 13, પાટણમાં 1, મોરબીમાં 1 અને છોટા ઉદેપુરમાં 1 કેસ નોંધાયા છે. વધુમાં જયંતિ રવિએ જણાવ્યું કે, આજે જામનગરમાં 1, સુરતમાં 1, મોરબીમાં 1, ભુજમાં 1 અને ભાવનગરમાં 2 કોરોના વાયરસના પોઝિટિવ કેસ નોંધાયા છે.
( 5 એપ્રિલ 2020 બપોરે 3 વાગ્યા સુધીની અપડેટ )
ગુજરાતમાં ક્યાં છે કેટલા કેસ? જાણો આંકડા
સફાઈકર્મીઓ માટે રાજ્ય સરકારની જાહેરાત
સફાઈકર્મીઓ માટે 25 લાખની મદદ કરવાની જાહેરાત કરી. કર્મચારીનું ફરજ પર મૃત્યુ થાય તો 25 લાખની મદદ કરાશે. આરોગ્યના કર્મચારીઓ સારી ફરજ બજાવી રહ્યા છે. ફ્રંટલાઈન પર કામ કરતા કર્મીઓ માટે સરકારનો નિર્ણય. સુરતમાં 7500, રાજકોટમાં 7500 N-95 માસ્ક અપાશે, વડોદરામાં 5 હજાર N-95 માસ્ક અપાશે.
ખાદ્યતેલની અછત ન સર્જાય તે માટે નિર્ણય કર્યો છે. કપાસ જીનિંગ મિલો ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે. ખાદ્યતેલના જથ્થાનો પ્રશ્ન હવે નહીં રહે. કપાસ અને કપાસિયા તેલની ઓઈલ મિલો ચાલુ રહેશે.
આજે ખેડૂતોને નિયમિતપણે વીજપુરવઠો ચાલુ રહેશે. સ્ટ્રીટલાઈટ, બાગ-બગીચાની લાઈટો ચાલુ રહેશે. હોસ્પિટલોમાં પણ લાઈટની વ્યવસ્થા ચાલુ રહેશે. લોકો પોતાના ઘરની લાઈટ બંધ કરી દીવો પ્રગટાવે. લોકો 9 મિનિટ સુધી દીવો, ફ્લેશલાઈટથી એકજૂટતા બતાવે. ઘરના બીજા ઈલેક્ટ્રીક ઉપકરણો બંધ કરવાની જરૂર નથી.
અમદવાદ મનપના કમિશનર વિજય નહેરાએ ક્લસ્ટર ક્વોરન્ટાઈન કરેલા વિસ્તારની લીધી મુલાકાત
અમદાવાદમાં કોરોનાનો કહેર વધતા અમદાવાદ મહાનગરપાલિકાના કમિશનર અને અધિકારીઓ એક્શનમાં આવ્યા છે. શહેરમાં ક્લસ્ટર કોરોન્ટાઇન કરાયેલા વિસ્તારોની મુલાકાત લીધી છે. કમિશનર વિજય નેહરાએ કોરોન્ટાઇન વિસ્તારોની મુલાકાત લીધી હતી. અને સમગ્ર ઝોનની મુલાકાત લઈને તેનું નિરીક્ષણ કર્યુ હતું. ક્લસ્ટર કોરોન્ટાઇનમાં હેલ્થની ગાઈડલાઈનનું પાલન કડકપણે પાલન કરાવવાનું સૂચન આપ્યું છે. આસ કરીને દાણીલીમડા, જમાલપુર, શાહ આલમ વિસ્તારની વિજય નહેરાએ મુલાકાત કરીને આ આદેશ આપ્યા છે.
અમદાવાદમાં જાહેર કરાયા 41 દર્દીઓના નામ
1 | નિયોમી શાહ | દક્ષિણ પશ્ચિમ | 21 | સેટેલાઇટ |
2 | સુમીતી સિંગ | પશ્ચિમ | 34 | નવરંગપુરા |
3 | શ્રીકિશન સુરજમલ અગ્રવાલ | દક્ષિણ પશ્ચિમ | 69 | આનંદનગર |
4 | હેમંત રાયસિંઘાણી | ઉત્તર | 24 | રાજસ્થાન |
5 | શમસાદ બેગમ સૈયદ | મધ્ય | 62 | લાલ દરવાજા |
6 | ફિદા હુસેન સૈયદ | મધ્ય | 65 | લાલ દરવાજા |
7 | સ્મૃતિ ઠક્કર | પશ્ચિમ | 23 | નારણપુરા |
8 | કાંતિલાલ મીના | દક્ષિણ પશ્ચિમ | 33 | સેટેલાઇટ |
9 | હસમુખ હીરપરા | ઉત્તર | 61 | બાપુનગર |
10 | હુસેનાબીબી શેખ | દક્ષિણ | 85 | દાણીલીમડા |
11 | મો. ઇકબાલ શેખ | મધ્ય | 58 | જમાલપુર દરવાજા |
12 | ફુરકાનાબાનુ શેખ | મધ્ય | 57 | જમાલપુર દરવાજા |
13 | સિલ્કી જૈન (૩૧) | ઉત્તર પશ્ચિમ | 31 | મેમનગર |
14 | વત્સલા વોરા | ઉત્તર પશ્ચિમ | 59 | થલતેજ |
15 | હારુન વોરા | દક્ષિણ પશ્ચિમ | 70 | સરખેજ |
16 | વલય શાહ | પશ્ચિમ | 33 | ગુલબાઈ ટેકરા |
17 | યાસ્મીન પીપડવાલા | મધ્ય | 45 | આસ્ટોડિયા |
18 | રઝીયા હારુન વોરા | દક્ષિણ પશ્ચિમ | 67 | જુહાપુરા |
19 | મોહમ્મદ સૈયદ | પૂર્વ | 47 | ગોમતીપુર |
20 | પ્રતીક શાહ | ઉત્તર પશ્ચિમ | 39 | મેમનગર |
21 | અબ્દુલ ક્યુમ શેખ | દક્ષિણ | 55 | શાહઆલમ |
22 | શહેનાઝ આબુવાલા | મધ્ય | 58 | રાયપુર |
23 | સાહેદા પઠાણ | ઉત્તર | 45 | બાપુનગર |
24 | ઝુબેરભાઈ પઠાણ | ઉત્તર | 52 | બાપુનગર |
25 | અબ્દુલ્લા પઠાણ | ઉત્તર | 18 | બાપુનગર |
26 | રમીલાબેન સુરવંશી | પશ્ચિમ | 65 | ચાંદખેડા |
27 | ઇશાક મન્સુરી | મધ્ય | 54 | ક્રિસ્ટલ ફ્લેટ |
28 | મકસુદ ગાંધી | મધ્ય | 68 | કાલુપુર |
29 | શૈલેષભાઈ ધ્રુવ | ઉત્તર પશ્ચિમ | 67 | બોડકદેવ |
30 | આઈશા ગાંધી | મધ્ય | 7 | કાલુપુર |
31 | મહરસુલ્તાન ગાંધી | મધ્ય | 60 | કાલુપુર |
32 | માઝ ગાંધી | મધ્ય | 35 | કાલુપુર |
33 | સબા ગાંધી | મધ્ય | 30 | કાલુપુર |
34 | મશરૂફઅલી સીદ્દીકી | મધ્ય | 68 | કાલુપુર |
35 | છત્રેસ એ. પસારી | ઉત્તર | 65 | બાપુનગર |
36 | અનસ પઠાણ | ઉત્તર | 17 | બાપુનગર |
37 | મુકેશભાઈ ચંદ્રકાંત શાહ | પશ્ચિમ | 69 | નવરંગપુરા |
38 | સમીમ કાદરી જી વાલા | મધ્ય ઝોન | 30 | જમાલપુર |
39 | જાહિદ ભાઈ ઈસ્માઈલભાઈ પઠાણ | ઉત્તર | 40 | બાપુનગર |
40 | શબાના પઠાણ | ઉત્તર | 35 | બાપુનગર |
41 | નીતિનભાઈ કાન્તિલાલ શાહ | પશ્ચિમ | 55 | આંબાવાડી |
( 5 એપ્રિલ 2020 સવારે 10.49 વાગ્યા સુધીની અપડેટ )
ગુજરાતમાં કોરોના વાયરસના નવા 14 કેસ નોંધાયા છે. આરોગ્ય સચિવ જંયતિ રવિએ આ વિશે માહિતી આપતા જણાવ્યું હતુ કે, ગુજરાતમાં તબલીગી જમાતના તમામ લોકોની તપાસ કરાઈ રહી છે. તેમના કારણે રિપોર્ટમાં અસર પડી છે. આજે સુરતમાં એક મહિલાનું મોત થયુ છે જેને પગલે કુલ મોતનો આંકડો 11 પર પહોંચ્યો છે.
છેલ્લા 24 કલાકમાં 4 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં રાજ્યમાં એક પણ દર્દી વેન્ટિલેટર પર નથી. 94 લોકોની હાલત સ્થિર, 17 લોકો ડિસ્ચાર્જ થયા છે. મરકજથી આવેલા તમામ લોકોનું તંત્ર દ્વારા ચેકિંગ કરાઈ રહ્યું છે.
ક્યાં કેટલા કેસ?
----------
ગુજરાતમાં કુલ 112 કોરોના પોઝિટિવ 11ના મોત
વડોદરામાં વધુ એક વ્યક્તિનો કોરોનાનો પોઝિટિવ રિપોર્ટ
11 દિવસ બાદ વડોદરામાં નોંધાયો પોઝિટિવ કેસ
નાગરવાડાના 54 વર્ષના વૃદ્ધનો રિપોર્ટ આવ્યો પોઝિટિવ
વડોદરામાં અત્યાર સુધી 10 લોકોના રિપોર્ટ પોઝિટિવ
( 5 એપ્રિલ 2020 સવારે 9 વાગ્યા સુધીની અપડેટ )
દિલ્હીના મરકજમાં ગયેલા વૃદ્ધનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ખળભળાટ મચી ગયો છે. 60 વર્ષીય વૃદ્ધનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. જિલ્લા 14 સેમ્પલમાંથી 13ના રિપોર્ટ નેગેટિવ, 1 પોઝિટિવ આવ્યો છે. ગુજરાતમાં કોરોના સંક્રમિત કેસોની સંખ્યા 111 થઇ ગઈ છે.
( 5 એપ્રિલ 2020 સવારે 8 વાગ્યા સુધીની અપડેટ )
ગુજરાતમાં કોરોનાના દર્દીઓની સંખ્યાનો આંકડો 110 સુધી પહોંચી ગયો છે. ભાવનગરમાં કોરોનાના વધુ 2 કેસ પોઝિટિવ આવ્યાં છે. જેમાં 34 વર્ષના મહિલા, 26 વર્ષના પુરુષનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યોં છે. બંને દર્દીઓ મૃતક વૃદ્ધાના સંપર્કમાં આવ્યાં હતા.
રાજ્યમાં કોરોનાથી થયેલા મોતની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે. આજરોજ સુરત ખાતે કોરોના પોઝિટિવ વૃદ્ધાનું મોત નિપજ્યું છે. આમ સુરતમાં કોરોના પોઝિટિવ દર્દીનું મોત નિપજતાં રાજ્યમાં કુલ મોતની સંખ્યા 11 પર પહોંચી ગઇ છે.
ગુજરાતમાં 'કોરોના'ના 110 કેસ
( 4 એપ્રિલ 2020 રાતે 12 વાગ્યા સુધીની અપડેટ )
કુલ 3 કોરોનાના કેસ નોંધાયા છે. લોકલ ટ્રાન્સમિશનના કારણે આ કેસ પોઝિટિવ આવ્યા છે. જેમાં અમદાવાદના 25 વર્ષના યુવકનો રિપોર્ટ પોઝિટિવ નોંધાયો અને બીજો પણ અમદાવાદના 46 વર્ષીય પુરૂષનો રિપોર્ટ પોઝિટિવ નોંધાયો છે. જ્યારે સુરતના 61 વર્ષીય મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
જીલ્લાનું નામ | પોઝિટિવ કેસ | સાજા થયા | મૃત્યુઆંક |
અમદાવાદ | 45 | 5 | 5 |
ભાવનગર | 9 | 0 | 2 |
ગાંધીનગર | 13 | 3 | 0 |
ગીર સોમનાથ | 2 | 0 | 0 |
પાટણ | 1 | 0 | 0 |
કચ્છ | 1 | 0 | 0 |
પંચમહાલ | 1 | 0 | 1 |
મહેસાણા | 1 | 0 | 0 |
પોરબંદર | 3 | 0 | 0 |
રાજકોટ | 10 | 1 | 0 |
સુરત | 13 | 3 | 1 |
વડોદરા | 9 | 2 | 1 |
કુલ | 108 | 14 | 10 |
( 4 એપ્રિલ 2020 બપોરે 3.41 વાગ્યા સુધીની અપડેટ )
અમદાવાદમાં વધુ એક કેસ પોઝિટિવ આવતા ગુજરાતમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 108 થઈ ગઈ છે. અને અમદાવાદમાં પોઝિટિવ કેસની સંખ્યા 44 પર પહોંચી છે. વધુ એક મોત સાથે મૃત્યુનો આંક 10 પર પહોંચ્યો છે.
સફાઈકર્મચારી મહિલા બની કોરોનાનો શિકાર
ખોડિયારનગરની એક મહિલાનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. મહિલા VS હોસ્પિટલમાં સફાઇકર્મી તરીકે સેવા બજાવે છે. પરિવારના અન્ય 13 લોકોને ક્વોરોન્ટાઇન કરાયા છે. અમદાવાદમાં કોરોના વાયરસના દર્દીઓની કુલ સંખ્યા 44 પહોંચી છે.
અમદાવાદ 6 કેસ
2 બાપુનગર
1 જમાલપુર
1 નવરંગપુર
1 આંબાવાડી
1 ખોડિયારનગર
સવારે નોંધાયેલા પાંચ કેસમાં મનપા દ્વારા નામની યાદી જાહેર કરવામાં આવી હતી.
અમદાવાદ પોલીસ કમિશનરની પત્રકાર પરિષદ
માતાવડી, દરિયાપુર, દાણીલીમડાના કેટલાક વિસ્તારને ક્લસ્ટર ક્વોરોન્ટાઇન કરાયા છે. પોલીસે તમામ વિસ્તારમાં બંદોબસ્ત ગોઠવ્યો છે.
લોકડાઉન ને વધારે અસરકારક બનાવવા 1045 ગુના નોંધાયા
ડ્રોનનો ઉપયોગ પોલીસ કરી રહી છે. ડ્રોન ફૂટેજથી 13 ગુના નોંધાયા છે, 43ની ધરપકડ થઈ છે. કુલ 8 ડ્રોનથી નજર રાખવામાં આવી રહી છે. પોલીસની ટીમ 200 સિનિયર સિટીજનની મદદ કરી રહી છે.
અમદાવાદનાં 5 વિસ્તારને ક્લસ્ટર ક્વોરન્ટાઈન જાહેર કરવામાં આવ્યા છે.
શહેરના 5 વિસ્તારોમાં ક્લસ્ટર કોરેન્ટાઇન કરવામાં આવ્યું છે. શહેરના શાહપુર, બાપુનગર, શાહઆલમ, દરિયાપુર અને જમાલપુરમાં ક્લસ્ટર ક્વોરન્ટાઇન કરવાની ફરજ પડાઇ છે. આ 5 વિસ્તારોના આશરે 500 ઘરોને ક્લસ્ટર ક્વોરોન્ટાઇન કરવામાં આવ્યાં છે જેમાં અંદાજે 22000 જેટલા વ્યક્તિઓને ક્વોરન્ટાઇન કરવાની ફરજ પડી છે. શહેરના આ 5 વિસ્તારોની એવી સોસાયટીઓને ક્લસ્ટર ક્વોરન્ટાઇન કરવામાં આવી છે જે પોઝીટીવ કેસના દર્દીના સંપર્કમાં આવી હોય. ક્લસ્ટર ક્વોરન્ટાઇન કરવામાં આવેલી સોસાયટીના સભ્યો બહાર નહી નીકળી શકે તેમજ સોસાયટી બહારનો વ્યક્તિ અંદર નહી પ્રવેશી શકે. સોસાયટીના પ્રવેશ દ્વારને સિલ કરાયા છે. એન્ટ્રી પર પતરા લગાવીને પ્રવેશ બંધ કરવામાં આવ્યો છે. આ સાથે જ ક્લસ્ટર કોરન્ટાઇન કરેલી સોસાયટીના રહીશો માટે જીવન જરૂરિયાતની આવશ્યક વસ્તુઓ મનપા દ્વારા પહોંચાડવામાં આવશે.
( 4 એપ્રિલ 2020 સવારે 11 વાગ્યા સુધીની અપડેટ )
રાજ્યમાં કોરોના કારણે વધુ એક દર્દીનું મોત થયુ છે. રાજ્યમાં કોરોનાના પોઝિટિવ કેસની સંખ્યા વધી. રાજ્યમાં કોરોનાના 10 નવા પોઝિટિવ કેસ સામે આવ્યાં. અમદાવાદમાં વધુ 5 કેસ પોઝિટિવ નોંધાયા છે. અમદાવાદમાં પોઝિટિવ કેસની સંખ્યા 43 પર પહોંચી. અમદાવાદના એક દર્દીનું મોત થતા આંકડો 10 પર પહોંચ્યો છે.
કુલ 10 કેસ નવા નોંધાયા
રાજ્યમાં કોરોનાના કુલ 105 કેસ પોઝિટિવ થયા
4 લોકોને સાજા કરી ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં. 105 દર્દીઓમાંથી 84 દર્દીઓ સ્ટેબલ છે. તમામ કેસો માટાભાગે લોકલ ટ્રાન્સમિશનના છે. હજુ પણ પોઝિટિવ કેસોની સંખ્યામાં વધારો થઇ શકે છે.
પાટણમાં કોરોનાનો પહેલો કેસ આવ્યો સામે
ભીલવણ ગામનાં યુવકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. યુવકને ધારપુર હોસ્પિટલમા આઇસોલેસન વોર્ડમાં ખસેડાયો છે. યુવક 15 માર્ચના રોજ મુંબઈથી પરત આવ્યો હતો. પાટણમાં કોરોનાનો પહેલો પોઝીટીવ કેસ આવતા તંત્રમાં દોડધામ મચી ગઈ હતી.
( 4 એપ્રિલ 2020 8 વાગ્યા સુધીની અપડેટ )
ભાવનગરમાં વધુ બે કેસ પોઝિટિવ આવતા કુલ પોઝિટિવ કેસની સંખાય 97 થઈ ગઈ છે જ્યારે 97માંથી 9 લોકોના અત્યાર સુધીમાં મોત થઈ ચુક્યા છે. દિલ્હીમાં તબલીગી જમાતમાં જઈને આવનાર કોરોના પોઝિટિવ વ્યક્તિનું મોત થયુ હતુ અને તેના સંપર્કમાં આવવાથી 7 લોકો કોરોના પોઝિટિવ થયા છે. હાલ જે વધુ 2 કેસ ઉમેરાયા છે તે મહિલાઓ અગાઉ દિલ્હી જઈ આવેલ અને કોરોનાને કારણે મૃત્યુ પામેલ પરિવારની જ છે.
ભાવનગરમાં અત્યાર સુધીમાં 9 પોઝિટિવ કેસ નોંધાયા
ભાવનગરમાં કોરોનાના વધુ બે કેસ પોઝિટિવ સામે આવ્યાં છે. બંને મહિલાઓ કોરોના સંક્રમિત વ્યક્તિનાં સંપર્કમાં આવી હતી. અગાઉ દિલ્હીથી આવેલા વ્યક્તિનું કોરોનાથી મોત થયું હતું.
મોત પામેલ વ્યક્તિના પરિવારની જ મહિલાઓને કોરોના પોઝિટિવ આવ્યા છે. ભાવનગરમાં અત્યાર સુધીમાં 9 પોઝિટિવ કેસ નોંધાયા
અત્યાર સુધી કુલ 9 દર્દીના થયા મોત
અત્યાર સુધી રાજ્યમાં 10 લોકોના સાજા થયા
(3 એપ્રિલ 2020, સાંજે 7.30 વાગ્યા સુધીની અપડેટ)
ગુજરાતમાં આજે થોડા રાહતના સમાચાર મળી રહ્યાં છે કારણ કે હાલ એક પણ કોરોના વાયરસનો એક પણ પોઝિટિવ કેસ નોંધાયો નથી. આરોગ્ય અગ્રસચિવ જ્યંતિ રવિએ સાંજે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં તેમણે જણાવ્યું કે, આજે કોરોનાનો પોઝિટિવ કેસ નથી નોંધાયો જ્યારે એક 67 વર્ષીય વૃદ્ધનું મોત નિપજ્યું છે. રાજ્યમાં કુલ પોઝિટિવ કેસનો આંકડો 95 પર પહોંચ્યો છે. જ્યારે કુલ 10 દર્દીઓને ડિસ્ચાર્જ પણ કરવામાં આવ્યાં છે.
(3 એપ્રિલ 2020, બપોરે 1.20 વાગ્યા સુધીની અપડેટ)
ગાંધીનગરથી પૂરવઠા વિભાગની પત્રકાર પરિષદ
કોરોના વાયરસનો ખતરો સતત વધી રહ્યો છે. ગુજરાતમાં કોરોના વાયરસના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે કોરોના વાયરસની મહામારીમાં સરકારી હોસ્પિટલોમાં કામ કરતા મેડિકલ સ્ટાફ 24 કલાક સેવા આપી રહ્યાં છે. ખાનગી ડોક્ટરો પણ મહત્વનું યોગદાન આપી રહ્યાં છે. ગાંધીનગર પુરવઠા વિભાગ દ્વારા જણાવાયું કે સરકાર IMAને 25 હજાર માસ્ક પુરા પાડશે. IMA કહ્યું હતું કે તેમને પણ N-95 માસ્ક મળે તો સેવા આપી શકીએ.
ક્યાં કેટલા પરિવારને પુરવઠો પુરો પાડ્યો
66 લાખ પરિવારને પુરવઠો આપવાનો સરકાર સામ પડકાર હતો. અઢી દિવસમાં 31 લાખથી વધુ પરિવારોને રાશન આપ્યુ છે. આજ રાત સુધી પુરવઠા કામગીરી પૂર્ણ કરી દેવામાં આવશે. 47 લાખ 44 હજાર લીટર દૂધનું વિતરણ થયું છે. 32 લાખ ફૂડ પેકેટ્સનુ વિતરણ કરવામાં આવ્યું છે.
ગુજરાતમાંથી તબલીગી જમાતમાં ગયેલા 68 લોકો ગાયબ
તબલીગી જમાતના કાર્યક્રમમાં ગયેલા 68 લોકો ગાયબ થઈ ગયા છે ગુજરાત સરાકારને આ લોકો મળી જ નથી રહ્યા ત્યારે ATS બાદ હવે સરકારે સેન્ટ્રલ એજન્સીની મદદ લીધી છે. અત્યાર સુધીમાં 82 લોકોની ઓળખ કરાઈ છે. ગાયબ થયેલા લોકોની ક્રાઈમબ્રાંચ અને ATS શોધખોળ કરી રહી છે.
દિલ્હીના તબલીગી જમાતનું અમદાવાદમાં કનેક્શન સામે આવ્યું છે. કનેક્શન સામે આવ્યા બાદ AMC હરકતમાં આવ્યું છે. અમદાવાદનું આરોગ્ય અને પોલીસ વિભાગ દ્વારા જમાતથી આવેલા લોકોની તપાસ હાથધરી છે. મહત્વનું છે કે, આજે અમદાવાદમાં 7 વધુ પોઝિટિવ કેસ સામે આવ્યાછે.. જેમાં એક કાલુપુરના દર્દીનું જમાતનું કનેક્શન સામે આવ્યું. 68 વર્ષીય પુરૂષે નિઝામુદ્દીન મરકઝમાં હાજરી આપી હતી.
ઉભો કરાયો કંટ્રોલ રૂમ
કોરોનાના કહેરને લઈને અમદાવાદ તંત્ર દ્વારા સતત કામગીરી કરવામાં આવી રહી છે.. ત્યારે હવે AMC દ્વારા શહેરના દરેક ઝોનમાં કંટ્રોલ રૂમ ઉભા કરવામાં આવ્યા છે.. સાથે જ અમદાવાદ પોલીસ દ્વારા દિલ્લીના તબલીગી જમાત કાર્યક્રમમાંથી આવેલા તમામ લોકોને શોધવામાં આવી રહ્યા છે.. કોરોનાની ફરિયાદોના નિકાલ માટે કંટ્રોલ રૂમની મદદ લેવામાં આવશે.. અને શંકાસ્પદ કેસો માટે કંટ્રોલ રૂમની મદદ લેવાશે.
(3 એપ્રિલ 2020, સવારે 10 વાગ્યા સુધીની અપડેટ)
કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં વધારો થયો છે. રાજ્યમાં કુલ 95 કેસ પોઝિટિવ નોંધાયા છે. અમદાવાદમાં નવા 7 કેસ પોઝિટિવ નોંધાયા છે. અત્યાર સુધીમાં કુલ 1944 લેબ ટેસ્ટ કરવામાં આવ્યા છે. કોરોના વાયરસથી અત્યાર સુધી 8 લોકોના મોત થયા છે. આજે કોરોના વાયરસથી એક દર્દીનું મોત નીપજ્યું છે. પંચમહાલના પોઝિટિવ દર્દીનું મોત નીપજ્યુ હતુ.
કયા કેટલા કેસ નોંધાયા?
શું છે ગુજરાતમાં સિનારિયો
DistrictName | ConfirmedCount | PatientTestedCount |
Ahmedabad | 38 | 698 |
Amreli | 0 | 11 |
Anand | 0 | 65 |
Aravalli | 0 | 12 |
Banaskantha | 0 | 25 |
Bharuch | 0 | 12 |
Bhavnagar | 7 | 100 |
Botad | 0 | 11 |
Chhota Udaipur | 0 | 6 |
Dahod | 0 | 10 |
Dang | 0 | 2 |
Devbhoomi Dwarka | 0 | 14 |
Gandhinagar | 11 | 57 |
Gir Somnath | 2 | 20 |
Jamnagar | 0 | 34 |
Junagadh | 0 | 11 |
Kutch | 1 | 21 |
Kheda | 0 | 55 |
Mahisagar | 0 | 6 |
Mehsana | 1 | 19 |
Morbi | 0 | 28 |
Narmada | 0 | 6 |
Navsari | 0 | 20 |
Panchmahal | 1 | 2 |
Patan | 0 | 29 |
Porbandar | 3 | 47 |
Rajkot | 10 | 181 |
Sabarkantha | 0 | 23 |
Surat | 12 | 216 |
Surendranagar | 0 | 14 |
Tapi | 0 | 7 |
Vadodara | 9 | 146 |
Valsad | 0 | 36 |
(3 એપ્રિલ 2020, સવારે 8 વાગ્યા સુધીની અપડેટ)
શું છે ગુજરાતની સ્થિતિ
અત્યાર સુધીમાં 7ના મોત
88 કેસ કોરોના પોઝિટિવ
ગુજરાતમાં કોરોના વધુ એક દર્દીનું મોત
(2 એપ્રિલ 2020, સાંજે 7.40 વાગ્યા સુધીની અપડેટ)
આજે ગુજરાતમાં આમ તો ગઈકાલથી રાહતના સમાચાર મળી રહ્યાં હતાં કારણ કે સાંજ સુધી કોઈ કોરોના પોઝિટિવ કેસ નોંધાયો ન હતો. પરંતુ આરોગ્ય અગ્રસચિવ જ્યંતિ રવિએ સાંજે પ્રેસ કોન્ફરન્સ કરી હતી જેમાં વધુ એક કેસ પોઝિટિવ હોવાનું જણાવ્યું હતું. ભાવનગરમાં વધુ એક કેસ નોંધાતા રાજ્યમાં કુલ પોઝિટિવ કેસનો આંકડો 88 પર પહોંચ્યો હતો. જ્યારે આજે કુલ 3 દર્દીઓને ડિસ્ચાર્જ પણ કરવામાં આવ્યાં તેમ કહ્યું હતું.
(2 એપ્રિલ 2020, બપોરે 3.30 વાગ્યા સુધીની અપડેટ)
પોલીસ કમિશનર આશિષ ભાટિયા પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યું હતું કે, અમદાવાદમાં લોકડાઉનમાં કુલ 842 ગુના નોંધાયા છે. 2000થી વધુની ધરપકડ કરી છે. લોકડાઉનનો કડક અમલ કરાવવામાં આવ્યો છે. એપિડેમીક ડિસિસ એક્ટ મુજબ 60 ગુના અને 82 લોકોની ધરપકડ કરી છે.
ડ્રોનની મદદથી ગુનેગારો પકડાયા
ડ્રોનની મદદથી કેસો થયા છે. 8 ડ્રોનથી 8 ગુના અને 39 લોકોની ધરપકડ કરી છે. સીસીટીવી મારફતે પણ કેસો કરવામાં આવી રહ્યા છે. 100 નંબર પર 264 જેટલા કોલ આવ્યા હતા.
2400 લોકો હોમ ક્વોરન્ટીન છે
2400 લોકો હાલમાં હોમ ક્વોરન્ટીનમાં છે. દરરોજ સી ટીમ સિનિયર સિટિઝનોની મુલાકાત લે છે. તેઓને દવા, માસ્ક, શાકભાજી કરિયાણું આપી રહી છે. 90 વર્ષના સિનિયર સિટિઝનએ કંટ્રોલરૂમમાં ફોન કરી દવા માંગી પોલીસે ત્યાં જઈ પહોંચાડી હતી. 80 ટકા પોલીસ બંદોબસ્તમાં છે. ચેકપોસ્ટ, શાકભાજી, ભીડભાડ થાય તેવી જગ્યા પર પોલીસ હોય છે. 750 અનાજ વિતરણના સેન્ટર છે જ્યાં TRB જવાન અને હોમ ગાર્ડ રાખવામાં આવ્યા છે.
CMO અશ્વિનીકુમારે પણ જણાવી હતી મહત્વની વિગતો
મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારે જણાવ્યું છેકે, રાજ્યમાં ગરીબોને અનાજનું વિતરણ વ્યવસ્થિત રીતે થઇ રહ્યું છે. અત્યારસુધીમાં રાજ્યમાં 15.16 લાખ લાભાર્થીઓને અનાજનું વિતરણ કરવામાં આવ્યું છે. રાજ્યમાં દૂધની પણ અછત સર્જાશે નહીં. દૂધ સહકારી મંડળીના સભ્ય ન હોય તેઓ પણ સહકારી મંડળીમાં દૂધ આપી શકશે.
------
(2 એપ્રિલ 2020, સવારે 10 વાગ્યા સુધીની અપડેટ)
ગુજરાત આરોગ્ય સચિવ જયંતિ રવિએ જણાવ્યું હતુ કે, ગુજરાતમાં 87 કેસ કોરોના પોઝિટિવના નોંધાયા. 7 લોકોના મોત થઈ ચુક્યા છે. અને 7 દર્દી સાજા તઈ ચુક્યા છે. વડોદરામાં આજે વહેલી સવારે એક દર્દીનું મોત થયુ હતુ.
શું છે દર્દીઓની સ્થિતિ
71 દર્દી સ્ટેબલ છે. 2 લોકો વેન્ટીલેટર ઉપર છે. આવનારા ચારપાંચ દિવસ ખુબ અઘરા છે અને કસોટીના છે. જે લોકો મુસાફરી કરી ને આવ્યા હોય અથવા તાવ જેવા લક્ષણો દેખાતા હોય. જે પોઝિટિવ વ્યક્તિ છે તેમના સંપર્કમાં આવ્યા હોય. તેવા લોકો મેડિકલ ચેકઅપ કરાવી લે. 104 અથવા તો 108 કરીને તુંરત જ સારવાર લે અને રિપોર્ટ કરાવે
87માંથી 46 કેસ લોકન ટ્રાન્સમિશનના છે જ્યારે અત્યારસુધી નોંધાયેલા 7 મોતમાંથી 3 મોત લોકલ ટ્રાન્સમિશનમાં છે જ્યારે કોરોનાથી મૃત્યુ પામેલ 2 દર્દી વિદેશ પ્રવાસ કરીને આવ્યા હતા જ્યારે 2 દર્દીઓ બીજા રાજ્યોમાં ફરીને આ ચેપ લઈને ગુજરાત આવ્યા હતા.
ગુજરાતમાં 17,666 લોકો હોમ ક્વોરોન્ટાઈન, 904 લોકો સરાકારી ક્વોરોન્ટાઈન, 282 પ્રાઈવેટ ફેસિલીટિમાં ક્વોરોન્ટાઈન કરાયા છે. 418 લોકો સામે એઆઈઆ નોંધાઈ છે.
9 કેસ પેન્ડિંગ
ગુજરાતમાં અત્યાર સુધીમાં 1789 કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે જેમાંથી 1693 કેસ નેગેટિવ આવ્યા છે જ્યારે 9 કેસ પેન્ડિંગ છે. 87 લોકોના રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યા છે.
વડોદરામાં વહેલી સવારે એક કોરોનાના દર્દીનું મોત થયુ હતુ. શ્રીલંકાથી આવેલ આ વૃદ્ધને કારણે તેમના પરિવારના ચાર લોકોને કોરોનાના ચેપ લાગ્યો હતો. હાલ આ ચારેય લોકો આઈસોલેશનમાં સારવાર હેઠળ છે.
------------
(2 એપ્રિલ 2020, સવારે 8 વાગ્યા સુધીની અપડેટ)
વડોદરામાં કોરોનાના એક દર્દીનું મોત
ક્યાં ક્યાં થયા છે મોત
ગુજરાતમાં કોરોના પીઝિટિવના 87 કેસ
(1 એપ્રિલ 2020, સાંજે 7.15 સુધીની અપડેટ)
કોરોના વાયરસના કુલ 87 કેસ નોંધાયા છેઃ આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિ
જયંતિ રવિએ જણાવ્યું કે, આજે 95 નમૂના લેવામાં આવ્યા છે. જેમાંથી 75 નેગેટિવ આવ્યા છે. રાજકોટના પ્રથમ કેસ પોઝિટીવ નોંધાયો હતો તેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. વધુમાં તેમણે કહ્યું કે, અત્યાર સુધીમાં 1726 લોકોના ટેસ્ટ કરાયા છે જેમાંથી 1628 નેગેટિવ આવ્યા છે. જ્યારે 11 કેસ પેન્ડિંગ છે.
પોરબંદરમાં 2, સુરતમાં 2 અને પંચમહાલમાં 1 આમ આજે નવા 5 કેસ નોંધાયા છે. જેને લઇને કુલ પોઝિટીવ કેસની સંખ્યા 87 પર પહોંચી છે. જોકે 71 દર્દીઓની તબિયત હાલ સ્થિર છે. અમદાવાદના એક 57 વર્ષીય મહિલાને ડિસ્ચાર્જ કરાયા છે.
જીલ્લાનું નામ | પોઝિટિવ કેસ | સાજા થયા | મૃત્યુઆંક |
અમદાવાદ | 31 | 5 | 3 |
ભાવનગર | 6 | 0 | 2 |
ગાંધીનગર | 11 | 0 | 0 |
ગીર સોમનાથ | 2 | 0 | 0 |
કચ્છ | 1 | 0 | 0 |
મહેસાણા | 1 | 0 | 0 |
પોરબંદર | 3 | 0 | 0 |
રાજકોટ | 10 | 0 | 0 |
સુરત | 12 | 1 | 1 |
વડોદરા | 9 | 1 | 0 |
કુલ | 87 | 7 | 6 |
(1 એપ્રિલ 2020, સાંજે 7.15 સુધીની અપડેટ)
માનવ સંસાધન વિકાસ મંત્રાલય દ્વારા આ જાહેરાત
કોરોના સંકટને જોતાં હવે CBSEના વિદ્યાર્થીઓને લઈને સરકારે મોટો નિર્ણય લીધો છે. હવે CBSEના ધો 1થી 8ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાનો નિર્ણય લેવાયો છે. જેથી આ વિદ્યાર્થીઓને પરીક્ષા વિના જ પાસ કરી દેવાશે. જ્યારે ધો.9-11ના વિદ્યાર્થીઓને આંતરિક મૂલ્યાંકનના આધારે પાસ કરવાનો નિર્ણય લેવાયો છે. મહત્વનું છે કે આ અગાઉ ગુજરાત સરકાર દ્વારા પણ 1થી 9 અને 11માં ધોરણના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાનો નિર્ણય કરાયો હતો.
(1 એપ્રિલ 2020, સાંજે 6.00 સુધીની અપડેટ)
સુરતમાં કોરોના વાયરસના વધુ 2 કેસ પોઝિટીવ
સુરતમાં કોરોના વાયરસના વધુ બે કેસ પોઝિટિવ આવ્યા છે. પાંડેસરા બમરોલીમાં નોકરી કરતા યુવકનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. રર વર્ષનો યુવાન ડીમાર્ટ મોલમાં નોકરી કરતો હતો. જેને ગઈકાલે હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. જો કે આ યુવાનની કોઈ ટ્રાવેલ હિસ્ટરી સામે નથી આવી. તો બીજી તરફ 36 વર્ષીય મહિલાનો પણ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આપને જણાવી દઈએ કે, સુરતમાં કોરોના વાયરસના કુલ 12 કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં કોરોનાના પોઝિટિવ કેસ 87 થયા છે. જ્યારે વધુ 13 કેસના કોરોના સેમ્પલ ટેસ્ટ નેગેટિવ આવ્યા છે.
પોરબંદરમાં 2 નવા કોરોનાના કેસ
પોરબંદરમાં બે નવા કેસ નોંધાતા ગુજરાતમાં કોરોના પોઝિટિવની સંખ્યા 84 થઈ ગઈ છે. ગુજરાતમાં આજે ગુજરાતમાં 10 નવા કેસ નોંધાયા છે. પોરબંદરમાં 2 અને અમદાવાદમાં 8 કેસ નોંધાતા તંત્ર દોડતું થઈ ગયુ છે.
પોરબંદરમાં 2 નવા પોઝિટિવ કેસ આવતા રાજ્યમાં કોરોનાનો કુલ આંકડો 84 થયો#Gujarat #CoronaVirus
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) April 1, 2020
રાજ્યના પોલીસવડાએ આપી તાકીદ
ગુજરાતમાં દરેક ધાર્મિક સ્થળનું ચેકિંગ કરાશે. 4થી વધુ લોકો ભેગા થશે તો કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.
Coronavirus / ગુજરાતના ડીજીપીનો સૌથી મોટો નિર્ણય, તમામ ધાર્મિક સ્થળ ચેક કરવામાં આવશે#coronavirus #GujaratiNews #DIG #Tablighijamaat #Delhi #CoronavirusinGujarat #Ahmedabadhttps://t.co/rzRqyrqtM2
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) April 1, 2020
ગુજરાતમાંથી કુલ 72 લોકો દિલ્હી તબલીગી જમાતમાં ભાગ લેવા પહોચ્યા હતા.
DYCM નીતિન પટેલે ખેડૂતોને આપી રાહત
શું કહ્યુ નીતિન પટેલે?
160 કરોડનો બોજો સરકાર માથે પડશે. આ લાભ 24 લાખ ખેડૂતોને મળશે.
રાહત / કોરોના સંકટમાં ખેડૂતો માટે મોટા રાહતના સમાચાર, ધિરાણ પરત કરવાની મર્યાદા વધારાઈ#GujaratiNews #coronavirus #nitinpatel #farmer #lockdown #bankloanhttps://t.co/g5Ia6s6cLf
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) April 1, 2020
ડે. સીએમ નીતિન પટેલે ખેડૂતોને લઈને મહત્વની જાહેરાત કરતા કહ્યું હતું કે ખેડૂતોની ધિરાણ રકમ પરત કરવાની મર્યાદા 2 મહિના વધારવામાં આવે છે. 31 માર્ચ ધિરાણ પરત કરવાની છેલ્લી તારીખ હોય છે અને ત્યાર બાદ નવું ધિરાણ અપાતું હોય છે. આવામાં કોરોના મહામારીના સંકટને ધ્યાનમાં રાખતા ગુજરાત સરકારે 2 મહિનાની વયમર્યાદા વધારતા હવે 31 મે 2020 ધિરાણ પરત કરવાની તારીખ નક્કી કરી છે. 2 મહિનાનું વ્યાજ પણ સરકાર ચુકવશે.
(1 એપ્રિલ 2020, 11.00 સુધીની અપડેટ)
ગુજરાતના આરોગ્ય સચિવ જયંતિ રવિએ પત્રકાર પરિષદમાં ગુજરાતની સ્થિતિ જણાવી હતી.
ગુજરાતમાં કોરોના સંક્રમણના 8 નવા કેસ નોંધાયા
ગુજરાતમાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો 82 પર પહોંચ્યો
આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિનું નિવેદનઃ અમદાવાદમાં 8 નવા પોઝિટિવ કેસ#Ahmedabad #Positive #Gujarat #Coronavirus pic.twitter.com/uM9NfAAQrK
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) April 1, 2020
ક્યાં કેટલા કેસ
કોરોનાના કારણે અમદાવાદને કેન્દ્ર સરકારે હોટસ્પોટ જાહેર કર્યું.
ગુજરાત સરકારે ચાર શહેરને હોટસ્પોટ જાહેર કર્યા
સુરત, રાજકોટ, વડોદરા અને ભાવનગરને રાજ્ય સરકારે હોટસ્પોટ જાહેર કર્યા
હોટસ્પોટ / કોરોના વાયરસ માટે ગુજરાતમાં અમદાવાદ બન્યું હોટસ્પોટ, કેન્દ્ર સરકારે શહેરોની યાદી કરી જાહેર#gujaratiNews #hotspot #Ahmedabad #coronavirus #coronavirusinGujarat #lockdownhttps://t.co/9YFhcYwIGs
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) April 1, 2020
(1 એપ્રિલ 2020, 10.20 સુધીની અપડેટ)
AMCની સર્વેલન્સ ટીમ દ્વારા શહેરમા તપાસ કરી કોરોનાના દર્દીઓને શોધ્યા છે. રાજ્યમા કોરોના પોઝિટિવ નો આંકડો 78 પર પહોંચ્યો છે.
શું છે અપડેટ?
(1 એપ્રિલ 2020, 8.20 સુધીની અપડેટ)
કોરોનાના કહેરને લઇને સમગ્ર દેશમાં હાહાકાર મચ્યો છે. ત્યારે ગુજરાત સરકાર પણ તેની સામે લડવા માટે તનતોડ મહેનત કરી રહી છે. ત્યારે આ અંગે આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી.
જયંતિ રવિએ જણાવ્યું કે, કોરોના વાયરસના ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 74 પોઝિટિવ કેસ નોંધાયા છે. સુરતના 28 વર્ષિય યુવકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો, લોકલ ટ્રાન્સમિશનનો કેસ છે.
જયંતિ રવિએ જણાવ્યું કે, અત્યાર સુધીમાં કુલ 1520 કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી 1436 રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. જ્યારે 74 કેસ પોઝિટિવ આવ્યા છે. જોકે 10 કેસ હજુ પેન્ટિંગ છે. રાજ્યમાં કોરોનાના કારણે કુલ 6 લોકોના મોત થયા છે. જ્યારે 60 લોકોની તબિયત હાલ સ્થિર છે. જ્યારે 7 લોકો સાજા થયા છે.
કયા કેટલા કેસ નોંધાયા?
અમદાવાદ- 23 કેસ
ગાંધીનગર- 10 કેસ
રાજકોટ- 10 કેસ
વડોદરા- 9 કેસ
સુરત- 10 કેસ
અન્ય જિલ્લામાં 22 કેસ
રાજકોટનો દર્દી સાજો થયો
કોરોના મહામારી વચ્ચે વધુ એક દર્દી સાજો થયો છે. રાજકોટના કોરોના સંક્રમિત જંગલેશ્વર વિસ્તારના દર્દીનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. રાજકોટમાં કોરોના સંક્રમિતના પ્રથમ દર્દીનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.
વડોદરનો દર્દી સાજો થયો
વડોદરામાં 49 વર્ષના કોરોના વાયરસના દર્દીને આજે રજા આપી દેવાઇ છે. દર્દી ઘરે પહોંચતા લોકોએ તાળીઓ વગાડી સ્વાગત કર્યું હતું. સ્પેનથી આવેલા દર્દીએ કહ્યું કે જો હું ભારતમાં ન હોત તો હુ સાજો ન થયો હોત. મહત્વનું છે કે, સ્પેનથી આવેલો દર્દી સાજો થયો છે.
ગુજરાતમાંથી 100 લોકો તબલીગી જમાત કાર્યક્રમમાં ગયા હતા
દિલ્હીના તબલીગી જમાત કાર્યક્રમમાં કોરોના વાયરસનાં સંક્રમણનો સૌથી મોટો કેસ સામે આવતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. આ અગાઉ ભાવનગર રેન્જ આઈજી અશોક યાદવે ખુલાસો કર્યો હતો કે સુરતના 76, ભાવનગરના 13, બોટાદના 4, મોરબીના 3, ઘોઘાના 2, મહુવાના 1 અને તળાજાના 1 આમ કુલ 100 વ્યક્તિઓ આ કાર્યક્રમમાં સામેલ થયા હતા. હજુ પણ કોઇ ગયું છે કે કેમ તેની તપાસ ચાલી રહી છે. જેમાંના 1નું કોરોનાથી મોત નિપજ્યું છે. આ અંગે ભાવનગર આઈ.જી અશોક યાદવ અને સુરત મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું હતું. મહત્વનું છે કે, આ મામલે ભાવનગર રેન્જ આઈજીએ તપાસ માટે સીટની રચના કરી છે. આ ટીમમાં DySP, LCB અને SOG સહિતના અધિકારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે
દિલ્હી તબલીગી જમાતના કાર્યક્રમમાં ભાવનગરના લોકોએ ભાગ લીધો હતો. 6 લોકો કાર્યક્રમમાં ભાગ લેવા ગયા હતા. કાર્યક્રમમાં ભાગ લેવા ગયેલા 1 વૃદ્વનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો. કોરોના પોઝિટીવ વૃદ્વનું મોત નિપજ્યું છે. 4 લોકોને હોમ ક્વોરોન્ટાઇન કરાયા છે. 1 વ્યક્તિને સરકારી ક્વોરોન્ટાઇન કરવામાં આવ્યો છે.
શું કહ્યુ DGPએ?
દિલ્હીમાં તબલીગી જમામ મુદ્દે DGPનું નિવેદન આવ્યુ હતુ કે, આ બાબતે અમે જાણીએ છીએ મુખ્યમંત્રીને જાણ કરી છે. તબલીગી જમાતના કાર્યક્રમમાં ભાગ લેનારા કેટલાક લોકો ભાવનગરના હોવાનું સામે આવ્યું છે. આ અંગે અમને બાતમી મળી હતી.
કર્મચારીઓનો પગાર નહીં કપાય: નીતિન પટેલ
ડેપ્યુટી સીએમ નીતિન પટેલે જણાવ્યુ હતુ કે, રાજ્યના તમામ ઘરો સુધી સ્ક્રિનિંગ કરાયું, તાવ, શરદી, ખાંસીના લક્ષણો અંગે તપાસ કરવામાં આવી, આરોગ્ય વિભાગ સતત કામ કરી રહ્યું છે. પ્રાઈવેટ દવાખાના ખુલ્લા રાખી શકાય છે. કોઈ હોસ્પિટલાઈઝ હોય તો તેની સારવાર ચાલુ જ રહેશે. જીવનજરૂરિયાત વસ્તુઓ માટેની દુકાનો માટે ખાસ પાસ ઈશ્યુ કરાયા છે. દરરોજ ચર્ચા કરીને કોરના સામે લડવા માટે નવા નિર્ણયો લઈએ છીએ. મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફ અને આશા વર્કર બહેનો સતત કામ કરી રહ્યો છે. સફાઈ કામદારો સતત સ્વચ્છતા માટે કામ કરી રહ્યા છે જેમનો આભાર માનવો ઘટે. આવતીકાલથી સસ્તા અનાજની દુકાનથી રેશનીંગનો જથ્થો અપાશે, વિના મૂલ્યે રેશનીંગનો જથ્થો આપવામાં આવશે. ગુજરાતના એક શહેરમાંથી કેટલાંક લોકો દિલ્હીમાં તબલીગી જમાતમાં ગયા હતા, તપાસ ચાલુ છે.
વગર રાશન કાર્ડે પણ મળશે રાશન
લોકડાઉન દરમિયાન સરકાર રાશનનું વિતરણ કરશે. કાર્ડધારકો અને કાર્ડ વગરના તમામ લોકોને રાશન મળશે. CMOના સચિવ અશ્વિની કુમારે આ અંગે પત્રકાર પરિષદમાં જણાવ્યુ હતુ કે, આવતીકાલથી જીવનજરૂરિયાત રાશનની પાંચ વસ્તુઓનું વિતરણ કરાશે. 1 એપ્રિલથી રાજ્યમાં 17 હજાર દુકાનમાં કરાશે વિતરણ. 66 લાખ કુટુંબને ઘઉં, ચોખા, દાળ, મીઠું, ખાંડનું વિતરણ કરાશે. અન્ય રાજ્યના શ્રમિકોને રહેઠાણ-ભોજન માટે 40 કરોડ રકમ ફાળવાઈ છે
હેલ્પલાઈન નંબર જાહેર કરાયો
1100 હેલ્પલાઇન દ્વારા ટેલી મેડીસીનની સુવિધા ઉભી કરવામાં આવી છે. રાજયમાં કોરોના વાયરસનાં ચેપગ્રસ્ત દર્દીઓ અને તેના કુટુંબીજનો તેમજ તેમના સંપર્કમાં આવેલા એવા વ્યક્તિઓને મદદ મળશે જેમને હોમ ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે.
---------------
ગુજરાતમાં કોરોના વાયરસના કેસની સંખ્યા 73 પર પહોંચી નવા નોંધાયેલા તમામ કેસ સ્થાનિક ગુજરાતીઓના છે. આ અંગે ગુજરાતના આરોગ્ય સચિવ જયંતિ રવિએ પત્રકાર પરિષદ કરીને માહિતી આપી હતી.
કયા કેટલા કેસ નોંધાયા?
અમદાવાદ- 23 કેસ
ગાંધીનગર- 10 કેસ
રાજકોટ- 10 કેસ
વડોદરા- 9 કેસ
સુરત- 10 કેસ
અન્ય જિલ્લામાં 22 કેસ
-------------
(31 માર્ચ 2020, 10 વાગ્યા સુધીની અપડેટ)
ગુજરાતમાં કોરોના વાયરસનો કહેર દિવસેને દિવસે વધી રહ્યો છે. કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 73 ઉપર પહોંચી છે. અમદાવાદમાં નવા બે કેસ નોંધાતા કુલ કેસની સંખ્યા 25 પર પહોંચી છે. 19026 લોકોને કોરોન્ટાઈન કરાયા છે. જ્યારે 1396 લોકોના કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે.
-------
(31 માર્ચ 2020, 9 વાગ્યા સુધીની અપડેટ)
રાજકોટમાં એક દર્દી પોઝિટિવ આવતા કુલ કેસની સંખ્યા 71 પર પહોંચી
(31 માર્ચ 2020, 8.20 સુધીની અપડેટ)
ગુજરાતમાં કુલ 70 પોઝિટિવ કેસ નોંધાયા છે. 6 દર્દીના મોત થયા છે. પણ આ બધામાં સારા સમાચાર એ છે કે, કોરોનાના ચાર દર્દી સાજા થઈ ગયા છે અને તેમને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે.
જીલ્લાનું નામ | પોઝિટિવ કેસ | સાજા થયા | મૃત્યુઆંક |
અમદાવાદ | 23 | 3 | 3 |
ભાવનગર | 6 | 0 | 2 |
ગાંધીનગર | 9 | 0 | 0 |
ગીર સોમનાથ | 2 | 0 | 0 |
કચ્છ | 1 | 0 | 0 |
Kheda | 0 | 0 | 0 |
મહેસાણા | 1 | 0 | 0 |
પોરબંદર | 1 | 0 | 0 |
રાજકોટ | 9 | 0 | 0 |
સુરત | 9 | 1 | 1 |
વડોદરા | 9 | 0 | 0 |
કુલ | 70 | 4 | 6 |
(30 માર્ચ 2020 - રાત્રે 8:00 વાગ્યા સુધીની અપડેટ)
આરોગ્ય અગ્ર સચિવ જ્યંતિ રવિએ પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં તેમણે કહ્યું કે, સુરતમાં સાંજે એક પોઝિટિવ કેસ સામે આવ્યો છે. જ્યારે અમદાવાદમાં 3 અને સુરતમાં 1 મળી 4 દર્દી સ્વસ્થ થતા ડિસ્ચાર્ચ થયા છે.
]રાજકોટમાં વધુ એક કોરોનો શંકાસ્પદ કેસ
રાજકોટમાં 28 વર્ષીય યુવકનો શંકાસ્પદ કેસ છે. 20 સેમ્પલના પરિક્ષણ પૈકી 19ના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. જ્યારે 1 રિપોર્ટ હજુ આવવાનો બાકી છે. હજુ વધુ સેમ્પલ પરીક્ષણ માટે જામનગરમાં મોકલાયા છે.
લોકો બહાર નીકળશે તો કડક કાર્યવાહી કરીશુઃ કલેક્ટર
કોરોનાએ કહેર મચાવતા લૉકડાઉનમાં પણ ઘર બહાર નીકળતા લોકો પર ગીર સોમનાથના કલેક્ટરે કડક પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે, લોકો બહાર નીકળશે તો કડક કાર્યવાહી કરીશુ. ડોર 2 ડોર લોકોને ચેક કરવાની કામગીરી હાથ ધરાઇ. અન્ય રાજ્યોના શ્રમિકોને જિલ્લા બહાર જવા પર પ્રતિબંધ ફરમાવાયો છે.
અમદાવાદમાં કોરોના પોઝીટીવના વધુ એક દર્દી સ્વસ્થ થયા
અમદાવાદમાં કોરોના પોઝિટિવ વધુ એક દર્દી સારવાર બાદ સાજા થયા છે. આ પહેલા પણ અમદાવાદના એક દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા હતા. આજે બીજા એક દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે. આ વૃદ્ધની ઉંમર 60 વર્ષની છે તેઓ સાજા થઈને ઘરે પરત ફર્યા છે. અમદાવાદમાં કુલ 4 પોઝીટીવ દર્દીઓની રિકવરી થઈ છે.
(30 માર્ચ 2020, 5.20 વાગ્યા સુધીની અપડેટ)
સુરતમાં કોરોનાનો વધુ એક પોઝિટિવ કેસ નોંધાયો
રાજ્યમાં કોરોનાના કુલ પોઝિટિવ કેસનો આંક 70 પહોચ્યો છે. સુરતના 67 વર્ષીય વૃદ્ધનો કોરોના પોઝીટીવ કેસ સામે આવ્યો છે. વ્યક્તિની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી. સુરતમાં કોરોના પોઝિટિવના કુલ 8 કેસ થયા છે. એકનું આ પહેલા જ મોત થઈ ચુક્યુ છે.
ક્યાં કેટલા મોત?
ક્યાં કેટલા કેસ
--------------
( 30 માર્ચ 2020, 2 .10 વાગ્યા સુધીની અપડેટ)
અમદાવાદના બે દર્દીઓએ કોરોનાને હરાવ્યો
રાજ્યમાં કોરોનાના કારણે લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે કોરોનાની દહેશત વચ્ચે અમદાવાદમાં બે દર્દીઓ રિકવર થયા છે. અમદાવાદની SVP હોસ્પિટલમાં 10 દિવસથી સારવાર લઈ રહેલા બે દર્દીઓ સંપૂર્ણ રીતે સાજા થયા છે. 62 અને 62 વર્ષીય બે પુરૂષ રિકવર થઈને ઘરે ગયા છે. 10 દિવસ પહેલા બન્ને દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા.જેના કારણે તેમને SVP હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 10 દિવસની સારવાર બાદ તેઓ ઠીક થઈને હોસ્પિટલમાં ઘરે ગયા છે.
ગુજરાતમાં પોઝિટિવ કેસ 69 હતા જેમાંથી 6ના મોત થયા છે હાલ 63 લોકોની સારવાર ચાલી રહી છે જેમાંથી 2 લોકો સાજા થઈ ગયા છે.
ક્યાં કેટલા મોત?
ક્યાં કેટલા કેસ
(30 માર્ચ 2020, 10.30 સુધીની અપડેટ )
રાજ્યમાં કોરોનાના દર્દીઓની સંખ્યા વધીને 69 થઈ
અમદાવાદમાં કોરોનાનો વધુ એક પોઝિટિવ કેસ નોંધાયો
અમદાવાદમાં કોરોનાના દર્દીઓની સંખ્યા વધીને 23 થઈ
કોરોના પોઝિટિવ દર્દીઓ આઈસોલેશન વોર્ડમાં સારવાર હેઠળ
-------------------------
( 30 માર્ચ 2020, 10 વાગ્યા સુધીની અપડેટ )
રાજ્યમાં કોરોનાના કારણે વધુ એક દર્દીનું મોત., મોતનો આંકડો 6 પર પહોંચ્યો
(30 માર્ચ 2020, 10 વાગ્યા સુધીની અપડેટ)
ભાવનગર 24 કલાકમાં કોરોનાના 5 પોઝિટિવ કેસ નોંધાતા આરોગ્ય વિભાગ થયુ દોડતુ થયું. ભાવનગર શહેર ના 4 અને જેસર પથક નો 1 મળી કુલ 5 કેસ પોઝિટિવ નીકળતા ગુજરાતમાં કુલ કેસનીં સંખ્યા 68 પર પહોંચી છે.
ગુજરાતમાં ક્યાં કેટલા કેસ
5 એપ્રિલ સુધી કેસ વધશે
આગામી બે અઠવાડિયા ખૂબ જ મહત્વના બની રહેશે
સમગ્ર રાજ્યમાં 5 કરોડ, 65 લાખ, 83 હજાર, 774 લોકોનો સર્વે કર્યો છે જ્યારે 29મી માર્ચે અમદાવાદમાં 4, સુરત-1 રાજકોટ ગ્રામ્યમાં 1, ગીર સોમનાથ- 1 અને પોરબંદર-1 મળીને કુલ 8 નવા કેસ નોંધાયા છે. અમદાવાદમાં 22, ગાંધીનગર-9, વડોદરા-9, રાજકોટ-9, સુરત-8, કચ્છ-1, મહેસાણા-1, ગીર સોમનાથ-2, પોરબંદર-1, ભાવનગર-1માં પોઝિટિવ કેસ નોંધાયા હતા.
--------------------------
(29-3-2020, સાંજે 6ઃ00 વાગ્યા સુધી)
ગાંધીનગર બાદ પોરબંદર, ગીર સોમનાથ, રાજકોટ અને સુરતમાં 1-1 કોરોનાનો પોઝિટીવ કેસ
રાજ્યમાં વધુ ચાર કોરોના વાયરસના પોઝિટિવ કેસ નોંધાયા છે. ગાંધીનગરમાં વધુ એક કોરોનાના પોઝીટીવ કેસ નોંધાતા સંખ્યા 10 પર પહોંચી છે. પોરબંદર, ગીર સોમનાથ અને રાજકોટમાં એક-એક પોઝિટિવ કેસ નોંધાયો છે. ત્યારબાદ સુરતમાં 26 વર્ષીય યુવકનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ સામે આવ્યો છે. જ્યારે અન્ય 5ના રિપોર્ટ નેગેટિવ આવ્યા, 3 પેન્ડિંગ છે. રાજ્યમાં કુલ આંકડો 64 પહોંચ્યો છે.
રાજકોટમાં કોરોનાનો વધુ એક પોઝિટિવ કેસ નોંધાયો
રાજકોટમાં ફ્રાન્સમાંથી આવેલા 36 વર્ષીય યુવકનો કોરોનાનો પોઝિટિવ કેસ નોંધાયો છે. રાજકોટમાં કોરોનાના કુલ 9 પોઝિટિવ કેસ થયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 60 કોરોનાના કેસ નોંધાયા છે.
અમદાવાદમાં કોરોનાનો વધુ એક કેસ
અમદાવાદમાં કોરોના વાયરસનો વધુ એક કેસ પોઝિટિવ કેસ સામે આવ્યો છે. ત્યારે હવે અમદાવાદમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 22 થઇ હતા. આ સાથે જ ગુજરાતમાં કોરોના વાયરસના કુલ 59 કેસ થયાં હતા.
રાજ્યના 12 કેદીઓને પેરોલ પર છોડવામાં આવશે
સુપ્રીમ કોર્ટના સૂચનાના આધારે હવે જેલોમાંથી કેદીઓને પેરોલ પર છોડવામાં આવશે. જેલોમાં કોરોનાનું સંક્રમણ ન ફેલાય એ માટે નિર્ણય કરાયો છે. પાકા કામના પેરોલ અને પેરોલ માટેની યાદી તૈયાર કરી છે. અને જિલ્લા અને સબજિલ્લા લેવલે પેરોલ આપવા નિર્ણય કરવામાં આવ્યો છે. કેદીઓને બે મહિના માટે વચગાળાના જામીન આપવામાં આવશે. અને જે કેદીઓને જામીન અપાશે તેનું ચેકઅપ કરાશે. 1200 જેટલા કેદીઓને સરકારના આ નિર્ણયનો લાભ મળશે.
રાજ્યમાં 6 લાખ 45 મેટ્રિક ટન અનાજનો જથ્થો ઉપલબ્ધ
પુરવઠા વિભાગે માહિતી આપતા કહ્યું કે છેલ્લા 3 દિવસમાં 5 હજાર 500 લોકોએ 25 કરોડનું દાન આપ્યું છે. સાથે જ કહ્યું કે ગુજરાતમં હાલ ગુજરાતમાં 6 લાખ 45 મેટ્રિક ટન અનાજનો જથ્થો ઉપલબ્ધ છે. કાર્ડ દીઠ 1 કિલો દાળ આપવામાં આવી રહી છે. ગોડાઉનોમાં ગુજરાત પાસે 6 મહિના સુધીનો અનાજનો જથ્થો છે. અને દેશમાં દોઢ વર્ષ સુધી ચાલે તેટલો અનાજનો જથ્થો છે.
રાજ્યમાં પ્રથમ ઘટના, કોરોના પોઝિટિવ દર્દી સ્વસ્થ થતાં હોસ્પિટલમાંથી રજા અપાઇ
રાજ્યમાં કોરોના વાયરસના 58 લોકો સંક્રમિત છે અને અત્યાર સુધીમાં કુલ 5 લોકોના મોત નિપજ્યા છે આ તમામ બાબત વચ્ચે ગુજરાતમાં એક પ્રથમ ઘટના બની છે જેમાં કોરોના વાઈરસની પોઝિટિવ મહિલા દર્દી સ્વસ્થ થઈ છે અને તેને SVP હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આ મહિલા 34 વર્ષની ઉંમર ધરાવે છે અને તેણીને 18 માર્ચે દાખલ કરવામાં આવી હતી.
First #COVID2019india Positive Patient is treated and discharged today from the @svphospital. The patient has recovered fully after 10 days of care and management. After the recovery, the patient has tested Negative Twice in the last 24 hrs. #AmdavadFightsCorona #AmdavadAMC pic.twitter.com/RylPwPBnGE
— Amdavad Municipal Corporation (@AmdavadAMC) March 29, 2020
સુરતમાં આજે કોરોનાના 8 નવા શંકાસ્પદ કેસ
સુરતમાં આજે કોરોનાના 8 નવા શંકાસ્પદ દર્દીઓ સારવાર હેઠળ આવતા લોકોમાં થોડી ચિંતા વધી રહી છે. 38 વર્ષીય પુરૂષ અને UAEથી આવેલા 26 વર્ષીય યુવકમાં લક્ષણ દેખાયા હતા.
પુના અને મહારાષ્ટ્રથી આવેલા વ્યક્તિમાં પણ કોરોનાના લક્ષણ જોવા મળ્યા છે. શહેરના હજુ પણ 9 લોકોના રિપોર્ટ આવવાના બાકી છે. શહેરમાં અત્યાર સુધી 77 લોકોના રિપોર્ટ લેવાયા છે. કુલ 77માંથી 62 લોકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.
ગુજરાતમાં કોરોનાના કુલ 58 કેસ
ગુજરાતમાં આજે ત્રણ નવા પોઝિટિવ કેસ, કુલ પોઝિટિવ કેસની સંખ્યા 58 થઈ. નોંધનીય છે કે, અમદાવાદમાં કોરોનાના ત્રણ કેસ નોંધાયા તો કુલ પોઝિટિવ કેસની સંખ્યા 21 થઈ. આપને જણાવી દઇએ કે, રાજ્યમાં લગભગ 5 કરોડ લોકો સુધી પહોંચી આરોગ્ય વિભાગે કોરોનાનો સર્વે કર્યો. રાજ્યમાં 24 કલાકમાં કોરોન્ટાઈલનો ભંગ કરનાર 226 લોકો સામે પોલીસ કાર્યવાહી કરાઈ.
A 45-year-old #COVID19 patient died today in Ahmedabad. He was suffering from diabetes. A total of five deaths have been reported from Gujarat (cumulative figures till today): Health & Family Welfare Department, Gujarat Government
— ANI (@ANI) March 29, 2020
તંત્રએ જણાવ્યું હતું કે, 104 હેલ્પલાઈનમાં રોજના 20 હજાર જેટલાં કોલ આવે છે. રાજ્યના તમામ જિલ્લામાં બે COVID-19 હોસ્પિટલ શરૂ કરાશે
અત્યાર સુધી ગુજરાત રાજ્યમાં નોંધાયા છે 55 પોઝિટિવ કેસ નોંધાયા છે. આજે સવારે 45 વર્ષીય વ્યકિતનું અમદાવાદમાં મોત નીપજ્યું છે. આ સાથે રાજ્યનો મૃત્યુઆંક 5 પહોંચ્યો છે. ઉલ્લેખનીય છે કે મૃત્યુ પામનાર વ્યક્તિને ડાયાબિટીસ પણ હતો.
ગુજરાતમાં કુલ થયા આટલા કેસ
અમદાવાદ 18 કેસ (3ના મોત)
ગાંધીનગર 9 કેસ
વડોદરા 9 કેસ
રાજકોટ 8 કેસ
સુરત 7 કેસ (1નું મોત)
કચ્છ 1 કેસ
ભાવનગર 1 કેસ (1નું મોત)
ગીર સોમનાથ 1 કેસ
મહેસાણા 1 કેસ
અમદાવાદ શહેરમાં વધુ એક 45 વર્ષના કોરોના પોઝિટિવ વ્યક્તિનું મોત નિપજ્યું, મૃતક ડાયાબિટીસની બીમારીથી પણ પીડાતો હતો #Ahmedabad #Gujarat #CoronaUpdatesInIndia
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) March 29, 2020
નવસારીની મહિલાનુ ઓપરેશન કરનાર ડૉક્ટરને કોરાના પોઝેટીવ
નવસારીની મહિલાનુ ઓપરેશન કરનાર ડોક્ટરને કોરાના પોઝિટિવ આવ્યો છે. 5 દિવસ પહેલા મુંબઈના ડૉક્ટર પાસે ઓપરેશન કરાવ્યું હતું. ઓપરેશન કરાવ્યા બાદ દંપતી નવસારીમાં આવીને હોમ કોરોન્ટાઈન હતા. અગાઉ ઓપરેશન કરનાર ડૉક્ટરના પિતાને કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યારબાદ ડોક્ટરને પણ કોરોનાં પોઝિટિવ આવ્યો છે. નવસારીના દંપતીએ આરોગ્ય વિભાગ જાણકારી આપી હતી. મહિલાના પરિવારના ત્રણ સભ્યોને સિવિલ આઈસોલેશનમાં દાખલ કરાયા છે. વધુ એક પોઝિટિવ કેસ નોંધાતા રાજ્યમાં કોરોનાના કેસનો આંકડો 55 પર પહોંચી ગયો છે.
ગીર સોમનાથ જિલ્લામાં પ્રથમ પોઝિટિવ કેસ
રાજ્યમાં કોરના વાયરસનો વધુ એક પોઝિટિવ કેસ નોંધાયો છે. ગીર સોમનાથ જિલ્લામાં પ્રથમ પોઝિટિવ કેસ નોંધાતા તંત્ર ચિંતામાં મુકાયું છે. ગીર સોમનાથ જિલ્લામાં મક્કાથી પરત ફરેલા વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.