જૂન મહિનાની શરૂઆત જ્યેષ્ઠ મહિનાના શુક્લ પક્ષની દ્વિતીયા તિથિ સાથે થઇ રહી છે. જ્યેષ્ઠ મહિના સાથે શરૂઆત થવાને કારણે આ મહિનામાં ઘણા મોટા વ્રત તથા તહેવારો આવે છે. જૂન મહિનામાં ગંગા દશેરા, નિર્જળા એકાદશી, રંભા તૃતીયા સાથે પ્રદોષ વ્રત સહીત ઘણા વ્રત અને તહેવારો આવી રહ્યા છે. જુઓ જૂન 2022માં આવનાર બધા વ્રત તથા તહેવારોનું લિસ્ટ.
અહી જુઓ જૂન 2022નાં વ્રત તથા તહેવારોનું લિસ્ટ
2 જૂન : રંભા તૃતીયા
જ્યેષ્ઠ મહિનામાં શુક્લ પક્ષની તૃતીયા તિથિને રંભા તૃતીયા તરીકે ઓળખાય છે. હિંદુ માન્યતા અનુસાર, સાગર મંથનથી ઉત્પન્ન થયેલા 14 રત્નોમાંથી એક રંભા હતી. આ દિવસે વિવાહિત મહિલાઓ પોતાના પતિની લાંબી ઉંમર અને સંતાનનાં સારા ભવિષ્ય માટે વ્રત રાખે છે.
9 જૂન : ગંગા દશેરા
જ્યેષ્ઠ મહિનાના શુક્લ પક્ષની દસમી તિથિનાં રોજ ગંગા દશેરા મનાવવામાં આવે છે. આ દિવસે ગંગા સ્નાન અને સાથે દાન કરવું શુભ માનવામાં આવે છે.
11 જૂન : નિર્જળા એકાદશી, ગાયત્રી જયંતી
જ્યેષ્ઠનાં શુક્લ પક્ષની એકાદશી તિથિનાં રોજ નિર્જળા એકાદશી વ્રતનું વિધાન છે. આ એકાદશીને ભીમસેની એકાદશીનાં નામથી પણ ઓળખવામાં આવે છે. નિર્જળા એકાદશીમાં નિર્જળ એટલે કે પાણી પીધા વગર વ્રત કરવાનું વિધાન છે. આ એકાદશી દ્વારા પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે. કહેવાય છે કે જે વ્યક્તિ વર્ષની બધી એકાદશીઓ પર વ્રત નથી કરી શકતી, તે આ એકાદશી પર વ્રત કરીને બધી એકાદશીનો લાભ ઉઠાવી શકે છે.
12 જૂન : પ્રદોષ વ્રત
જ્યેષ્ઠ મહિનાની ત્રયોદશી તિથિનાં રોજ પ્રદોષ વ્રત મનાવવામાં આવે છે. પંચાંગ અનુસાર, પ્રત્યેક મહિનામાં બે પક્ષ હોય છે - એક કૃષ્ણ પક્ષ અને બીજો શુક્લ પક્ષ. આ બંને પક્ષોની ત્રયોદશી તિથિનાં રોજ ભગવાન શિવ અને માતા પાર્વતીને સામાંર્પિત પ્રદોષ વ્રત રાખાવામાં આવે છે.
14 જૂન : સંત કબીર જયંતી
દર વર્ષે જ્યેષ્ઠ મહિનાની શુક્લ પક્ષની પૂર્ણિમાનાં રોજ સંત કબીર જયંતી મનાવવામાં આવે છે.
17 જૂન : સંકષ્ટી ચતુર્થી વ્રત
હિંદુ પંચાંગ અનુસાર, દર મહિનાની શુક્લ અને કૃષ્ણ પક્ષની ચતુર્થી તિથિનાં રોજ સંકષ્ટી ગણેશ ચતુર્થીનું વ્રત રાખવામાં આવે છે. આ દિવસે ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે.
24 જૂન : યોગિની એકાદશી
અષાઢ મહિનાની કૃષ્ણ પક્ષની એકાદશી તિથિને યોગિના એકાદશીનાં રૂપમાં મનાવવામાં આવે છે. કહેવાય છે કે આ દિવસે પૂજા કરવાથી બધા પાપોથી મુક્તિ મળી જાય છે.
27 જૂન : માસિક શિવરાત્રી વ્રત
દરેક મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિનાં રોજ માસિક શિવરાત્રીનું વ્રત રાખવામાં આવે છે. આ દિવસ ભગવાન શિવને સમર્પિત કરવામાં આવે છે. કહેવાય છે કે આ દિવસે ભગવાન શિવની ઉપાસના કરવાથી વ્યક્તિની બધી મનોકામનાઓ પૂરી થાય છે અને તેને પોતાની ઈચ્છા અનુસાર ફળો મળે છે.
28 જૂન : દર્શ અમાસ
દર્શ અમાસ 28 જૂનનાં રોજ મનાવવામાં આવે છે. આ દિવસે કોઈ તીર્થ સ્થાન પર જઈને સ્નાન - દાન કરવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે.