17 સપ્ટેમ્બરે પીએમ મોદીનો જન્મદિવસ છે. આ દિવસે તેઓ ગુજરાત આવવાના છે. પીએમ મોદી સવારે વહેલા ઊઠે છે અને નક્કી જીવનશૈલી મુજબ પોતાના તમામ કામ કરે છે. દિવસની શરૂઆતમાં યોગા અને મોર્નિંગ વોક બાદ આદુ વાળી ચા અને નાસ્તો કરે છે. સિમ્પલ ફૂડ, ઓછી ઊંઘ, લાઈટ લંચ અને ડિનર સાથે ફિટ રહે છે પીએમ. જાણો પીએમનો દૈનિક નિત્યક્રમ શું હોય છે અને કઈ રીતે તેમના કામ અને લાઈફસ્ટાઈલને મેનેજ થાય છે.
પીએમનો નિત્યક્રમ
પીએમ મોદી સવારે ન્યૂઝ પેપર્સ પર એક નજર કરે છે.
ઇ-મેલ પણ ચેક કરે છે.
મોબાઈલ એપ પર દેશના નાગરિકોએ આપેલી કમેન્ટસ પર પણ સવારે નજર કરે છે.
રાત્રે સૂતા પહેલા દિવસ દરમિયાન મોકલવામાં આવતા ડોક્યુમેન્ટ્સ ચેક કરે છે.
બીજા દિવસની મિટિંગ્સ અને મુલાકાતોનું પ્લાનિંગ કરે છે.
પથારીમાં પડ્યાની મિનિટોમાં જ પીએમને ઊંઘ આવી જાય છે.
કોઈ પણ ચિંતા સાથે લઈને ઊંઘતા નથી.
સવારે એકદમ તાજા મૂડ સાથે નવા દિવસને આવકારે છે.
પીએમ રોજ ચારથી છ કલાકની ઊંઘ લે છે.
પીએમને એકદમ સાદુ અને શાકાહરી ભોજન પસંદ છે.
આ રીતે ફિટ રહે છે પીએમ
મોદીની ફિટનેસ અને ટફ શેડ્યૂલ હંમેશા ચર્ચાનો વિષય રહે છે. 70 વર્ષના નરેન્દ્ર મોદી સવારે ચાર વાગ્યે ઉઠે છે. બીજેપીના કેટલાક વરિષ્ઠ નેતાઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દિનચર્યા જોઈ છે તેઓ અચરજ પણ અનુભવે છે. એક જ વાત કહે છે, મોદી જેવા એક્ટિવ નેતા કોઈ નથી. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સવારે 4 વાગ્યે જ પોતાનો બેડ છોડી દે છે, પછી તેઓ અડધી રાત પહેલા બેડ પર આવતા નથી. સવારે ઉઠીને તેઓ યોગ, સુર્ય નમસ્કાર અને મેડિટેશન જરૂર કરે છે. તેમને સવારમાં ચાલવું ખુબ ગમે છે, કામમાં વ્યસ્ત રહેવાના કારણે જો તેઓ યોગા ના કરી શકે તો થોડી વાર વોક જરૂર કરે છે.
આદુવાળી ચા અને હળવો નાસ્તો
યોગા બાદ મોદી આદુવાળી ચા પીવાનું પસંદ કરે છે. તેઓ બાફેલો અને શેકેલો નાસ્તો પસંદ કરે છે. ઘણી વાર તેઓ પોતાનો મનપસંદ ગુજરાતી નાસ્તો પણ કરે છે. જેમાં ઢોકળા પણ સામેલ હોય છે.
કોઈ પણ સંજોગે 9 વાગ્યે ઓફિસ પહોંચી જાય છે મોદી
દેશના દરેક વડાપ્રધાનનું શેડ્યૂલ બહુ વ્યસ્ત હોય છે પરંતુ મોદીનું ટફ શેડ્યૂલ ખરેખર ટફ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી રોજે સવારે 9 વાગ્યે ઓફિસ પહોંચી જ જાય છે.
લંચમાં લે છે આ વાનગીઓ
મોદી શાકાહારી ભોજન જ કરે છે. લંચમાં ગુજરાતી ભાખરી અને દાળ ખીચડી તેમની ફેવરિટ છે. આ સિવાય તેમના દિવસના ભોજનમાં દાળભાત, લીલું શાક અને દહીં સામેલ છે. તેઓ ઘણી વાર એકદમ હળવું ખાવાનું પસંદ કરે છે જેમ કે પૌઆ કે ઈડલી.
દિવસમાં 18 કલાક એક્ટિવ રહે છે પીએમ મોદી
મળતી માહિતિ અનુસાર મોદી દરરોજે ઓછામાં ઓછા 18 કલાક કામ કરે છે. મોદી દરેક કામ ચોક્કસાઈથી કરે છે. દરેક કામનું મોનિટરિંગ અને ફોલોઅપ જાતે જ લે છે. રાજકીય નિષ્ણાતો મોદીના કામ કરવાની રીતને કોર્પોરેટ સ્ટાઈલ જેવું માને છે. નોંધનીય છે કે, વડાપ્રધાન બન્યા તેના 180 દિવસોમાં વડાપ્રધાન મોદીએ 31 દિવસની હવાઈ મુસાફરી કરી હતી. તાજેતરમાં કર્ણાટક ચૂંટણી બાદ વડાપ્રધાન તરીકેના તમામ જરૂરી કામ કરવાની સાથે સાથે મોદીએ એક દિવસમાં ચાર ચાર રેલીઓને સંબોધિત કરી હતી.
બાફેલાં શાક સાથે હળવો ડિનર
રિપોર્ટ્સ પ્રમાણે, ડિનરમાં મોદી દાળ, સલાડ અને બાફેલું શાક ખાય છે. ત્યાં જ નવરાત્રિના નવ દિવસનું વ્રત પણ રાખે છે અને દિવસમાં માત્ર 1 ફળ ખાય છે. ભાષણ દરમિયાન તે હંમેશાં તેજ અવાજ અને જોશીલા જોવા મળે છે. તેની માટે તેઓ પોતાના ગળાનું વિશેષ ધ્યાન રાખે છે. ગળું સારું રાખવા માટે તે આદુ અને ફુદીનાવાળી ચા પણ પીવે છે.
કામ પૂરું કરીને જ સૂવે છે મોદી
મોદીને નજીકથી જાણતાં લોકો તેમના અનેક કેબિનેટ મંત્રી જણાવી ચૂક્યા છે કે મોદી પોતાનું કામ પૂર્ણ કર્યા બાદ જ સૂવે છે. તે મોડે સુધી દેશ અને દુનિયાની તમામ અપડેટ લેતાં રહે છે અને થોડીવાર ટીવી જોઇને સૂવે છે. તેમનો સૂવાનો સમય અનેકવાર વ્યસ્તતાના કારણે પ્રભાવિત પણ થાય છે, પરંતું તે સવારે એક જ સમયે ઉઠે છે. અનેકવાર ડોક્ટર કહી ચૂક્યા છે કે, ઓછામાં ઓછી 5-6 કલાક ઊંઘ લેવી. પરંતું મોદી પ્રમાણે તેમને ઓછું સૂવાની આદત થઇ ગઇ છે. મોદી પ્રમાણે સૂવા જતી વખતે તેમને બેડ ઉપર 30 સેકેન્ડની અંદર ઊંઘ આવી જાય છે.