દેશભરમાં લોકડાઉનને 52 દિવસ થઈ ચૂક્યા છે ત્યારે પણ કોરોનાનો કહેર અટકવાનું નામ લઈ રહ્યો નથી. હાલ સુધીમાં ભારતમાં કોરોનાના કારણે 81997 પોઝિટિવ કેસ નોંધાયા છે. હાલમાં એક્ટિવ કેસની સંખ્યા 51374ની થઈ છે. ભારતમાં કુલ 2649 લોકોના મોત થયા છે. શરૂઆતથી હાલ સુધીમાં ભારતમાં 27969 લોકોએ કોરોનાને મ્હાત આપી છે.
કોરોનાનો કહેર યથાવત
ભારતમાં કોરોનાની સંખ્યા વધી, રિકવરી રેટમાં પણ થયો વધારો
મહારાષ્ટ્રમાં કોરોનાનું સંકટ સૌથી વધુ
ભારતમાં સૌથી વધુ કોરોનાના કેસ મહારાષ્ટ્રમાં જોવા મળી રહ્યા છે. અહી 27 હજાર 574 લોકો કોરોના પોઝિટિવ છે. હાલ એક્ટીવ કેસની સંખ્યા 20 હજાર 446 થઈ છે. મહારાષ્ટ્રમાં એક જ દિવસમાં 1602 કેસ નોંધાતા હાહાકાર મચ્યો છે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં કુલ 6 હજાર 59 લોકો સાજા થયા છે. યુપીમાં કુલ કેસની સંખ્યા 3902 થઈ તો એક્ટીવ કેસની સંખ્યા 1742 થઈ છે. યુપીમાં અત્યાર સુધીમાં 2 હજાર 72 દર્દીઓ સાજા થયા છે.
दिल्ली में पिछले 24 घंटों में कोरोना वायरस के 472 नए मामले सामने आए हैं और 187 लोग ठीक हुए हैं। राजधानी में पिछले 24घंटों में #COVID19 से कोई मौत नहीं हुई। दिल्ली में कोरोना पॉजिटिव मामलों की कुल संख्या 8,470 है, इसमें ठीक हो चुके 3,045 मामले और 115 मौतें शामिल हैं: दिल्ली सरकार pic.twitter.com/LKnyVr8khV
દિલ્હીમાં કુલ કેસની સંખ્યા 8 હજાર 470 થઈ છે. એક્ટીવ કેસની સંખ્યા 5310 થઈ તો કુલ 3 હજાર 45 લોકો સાજા થયા છે. કુલ 115 લોકોના મોત નીપજ્યા છે. રાજસ્થાનમાં કુલ પોઝિટિવ દર્દીની સંખ્યા 4534 થઈ છે. કુલ એકટીવ કેસની સંખ્યા 1771 થઈ તો 2638 લોકો સાજા થયા છે. મધ્યપ્રદેશમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 4426 થઇ છે. કુલ એકટીવ કેસની સંખ્યા 2 હજાર 18 થઈ છે. અત્યાર સુધીમાં 2171 લોકો સાજા થયા છે. તમિલનાડુમાં કુલ કેસની સંખ્યા 9674 થઈ છે. એક્ટીવ કેસ 7368 છે. કુલ 2240 લોકો સાજા થયા છે.
324 fresh cases of #COVID19 reported in Gujarat in last 24 hours, taking total number of cases to 9592 including 3753 cured/discharged & 586 deaths. Recovery rate of COVID-19 patients stands at 38.43 per cent in Gujarat: State Health Department
છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 324 નવા કેસ આવ્યા છે. આ સાથે જ કુલ આંક 9592એ પહોંચ્યો છે. 3753 લોકો સારવાર બાદ સાજા થયા છે અને સાથે જ રિકવરી રેટ 38.43નો જોવા મળી રહ્યો છે. જે એક પોઝિટિવ બાબત છે.
भारतीय रेलवे ने 30 जून 2020 या उससे पहले यात्रा करने के लिए बुक किए गए सभी टिकटों को रद्द कर दिया है। 30 जून 2020 तक बुक किए गए सभी टिकटों का रिफंड कर दिया गया है। सभी स्पेशल ट्रेन और श्रमिक स्पेशल ट्रेन अपने समयानुसार चलेंगे। pic.twitter.com/wyA86mBPEQ
ભારતીય રેલ્વેએ 30 જૂન 2020 કે તેનાથી પહેલાં યાત્રા કરનારા માટે બુક કરેલી તમામ ટિકિટો રદ્દ કરી છે. જે ટિકિટો બુક કરવામાં આવી છે તેની પર રિફંડ આપવામાં આવ્યું છે. દરેક સ્પેશ્યલ ટ્રેન અને શ્રમિક સ્પેશ્યલ ટ્રેન સમયાનુસાર કાર્યરત રહેશે.
दिल्ली के कुछ हिस्सों में अचानक से मौसम बदला। इस बदलते मौसम के साथ धूल भरी आंधी और तेज हवाओं ने दस्तक दी। मौसम की वजह से निर्माण भवन के आस-पास मौजूद लोगों को परेशानी का सामना करना पड़ रहा है। pic.twitter.com/yTF19WlR94
કોરોના સંકટની વચ્ચે દિલ્હીના કેટલાક ભાગમાં અચાનક હવામાનમાં પલ્ટો આવ્યો હતો. વાવાઝોડાની સાથે ઠંડી હવાની લહેરખી જોવા મળી હતી. લોકોને મુશ્કેલીનો સામનો કરવાની ફરજ પડી હતી.