યમુનોત્રી ઉત્તર ભારતના ઉત્તરાખંડ રાજ્યમાં આવેલું મહત્વનું યાત્રાધામ છે. આ ઉત્તર ભારતનાં પ્રખ્યાત ચાર ધામ પૈકીનું એક ધામ છે. યમુનોત્રી ખાતે પવિત્ર યમુના નદીનું ઉદ્ગમસ્થાન આવેલું છે. યમુનોત્રી હિમાલયની ગોદમાં આવેલું અત્યંત રમણીય સ્થળ છે. યમુનોત્રી ધામથી યમુના નદીનું ઉદભવ સ્થળ ખુબ સુંદર તથા મનમોહક લાગે છે. અહીં જવા માટે ગંગા કિનારા પરના પવિત્ર યાત્રાસ્થળ હરિદ્વારથી વાહન વ્યવહાર ચાલે છે.
યમુના નદીના ઉદ્ગમ સ્થાનમાં સપ્તર્ષિ કુંડ અને સપ્ત સરોવર છે
અહીંના પ્રાકૃતિક સ્થળો અને ગ્લેશિયરોમાં પાણી ભરાયેલું રહે છે
યમુનોત્રીનું સહુથી મોટું આકર્ષણ ગરમ પાણીના કુંડ છે
શ્રી યમુનાજી સૂર્યપુત્રી, યમરાજની બહેન અને શ્રીકષ્ણનાં ચોથા પટરાણી છે. યાત્રાળુઓ ગરમ પાણીના કુંડમાં સ્નાન કરી પવિત્ર થઇ શ્રી યમુનાજીના મુખ પાસે બેસીને બ્રાહ્મણ દ્વારા પૂજા કરે છે. પ્રાચીન યમુના મંદિરમાં દર્શન કરે છે. સૂર્યપુત્રી હોવાથી યમુનાજીનાં પાણી ખૂબ જ ગરમ હોય છે. કુંડમાં કપડાંની પોટલીમાં ચોખા કે બટાકા બાંધીને રાખો તો બફાઇ જાય છે. યમુનાજીને સાડી સન્મુખ ધરે છે તો કેટલાક નદીમાં લહેરાતી મૂકે છે. વૈષ્ણવો માટે ખૂબ જ ધાર્મિક પવિત્ર સ્થળ છે. દરિયાની સપાટીથી ૩૩૨૩ મીટરની ઊચાઇ પર આવેલું છે.
ચારેય તરફ છે મનમોહક પ્રાકૃતિક સૌંદર્ય
યમુનોત્રી તીર્થ ધાર્મિક મહત્વની સાથે મનમોહક પ્રાકૃતિક સૌંદર્યને કારણે પણ તીર્થયાત્રિઓ અને પર્યકોને મોહિત કરે છે. અહીં જોવા મળતા બરફથી ઢંકાયેલા ઊંચા પર્વતો, શિખરો, દેવદાર અને ચીડના લીલા જંગલો, ક્યારેક કાળા તો ક્યારેક સફેદ દેખાતાં વાદળો, વાદળોની વચ્ચે ચમકતા સૂર્યનો તેજ, પહાડોની વચ્ચે વહેતી હવાઓની ધ્વનિ અને વનસ્પતિઓ તેમજ પક્ષીઓના કલરવની સાથે વહેતી યમુના નદીની શીતળ ધારા મનને મોહિત કરી દે છે.
તીર્થયાત્રીઓ આ ગરમ પાણીનાં કુંડોમાં સ્નાન કરે છે
યમુના નદીના ઉદ્ગમ સ્થાનમાં સપ્તર્ષિ કુંડ અને સપ્ત સરોવર છે, જ્યાં કેટલાંક પ્રાકૃતિક સ્થળો અને ગ્લેશિયરોમાં પાણી ભરાયેલું રહે છે. યમુનોત્રીનું સહુથી મોટું આકર્ષણ ગરમ પાણીના કુંડ છે. અહીં આવનાર શ્રદ્ધાળુઓ અને તીર્થયાત્રીઓ આ ગરમ પાણીનાં કુંડોમાં સ્નાન કરે છે. જેનાથી યાત્રાનો સંપૂર્ણ થાક દૂર થાય છે. યમુનોત્રીમાં સ્થિત ગરમ પાણીના કુંડમાં સૂર્ય કુંડ મુખ્ય છે. અહીં પ્રકૃતિનું અનુપમ રૂપ જોવા મળે છે. એક તરફ શીતળ અને ઠંડી યમુના નદી અને બીજી તરફ ગરમ જળનાં કુંડ.
ગરમ પાણીનું તાપમાન લગભગ10 ડિગ્રીની આસપાસ હોય છે
અહીં આવેલા સૂર્ય કુંડનું જળ એટલું વધારે ગરમ હોય છે કે તેમાં ચોખા ભરેલી પોટલી નાંખવામાં આવે અને થોડી વારમાં બહાર કાઢવામાં આવે તો તે ભાત બનીને બહાર આવે છે. ગરમ પાણીનું તાપમાન લગભગ 10 ડિગ્રીની આસપાસ હોય છે. અહીંના પાણીમાં ઉકાળેલા ચોખા યાત્રાળુઓ પોતાની સાથે પ્રસાદના રૂપમાં લઇ જાય છે.
કાલિંદી પર્વતથી લઇને જાનકીચટ્ટી સુધી યમુના પર બરફનું આવરણ હોય છે. જાણે કે આખુ વાતાવરણ ઊંઘતું હોય તેવું લાગે. પણ યમુના નદી તો બરફની નીચે પણ સતત વહેતી રહે છે. એક બાજુ ગરમ ધગધગતું પાણી જે ઠંડુ પડીને કુંડમાં આવે છે જયારે યમુનોત્રીના પ્રવાહમાં હાથ નાખો તો બરફ જેવું પાણી કુદરતનો સાક્ષાત્કાર નથી તો શું છે? સ્નાન કરવાના કુંડ અને ચોખા જે જગ્યાએ બાફે છે તે કુંડ છે.