આપણા દરેકના ઘરમાં ગરમ મસાલા તો હોય જ છે. અને તેમાં પણ તજ તો અચૂક મળી રહે છે. આપણે રસોઈમાં તેનો ઉપયોગ કરીએ છીએ પણ તેના અન્ય કેટલાક હેલ્થ વિશેના ફાયદાઓ છે જેને આપણે ભાગ્યે જ જાણીએ છીએ. આજે અમે આપને જણાવીશું કે તજમાં કયા વિટામીન્સ હોય છે અને તેને કઈ રીતે ઉપયોગમાં લેવામાં આવે તો તમને અનેક નાની મોટી બિમારીઓમાં રાહત મળી શકે છે.
તજ એક મસાલો જ નથી, એક ઔષધિ પણ છે. તજ કેલ્શિયમ અને ફાઇબરનો પણ એક સારો સ્રોત છે. તજ ડાયાબીટિઝને સંતુલિત કરવા માટે એક પ્રભાવી ઔષધિ છે. તેને ગરીબ વ્યક્તિનું ઇન્સ્યુલિન પણ કહે છે. તજ ભોજનનો સ્વાદ જ નથી વધારતું પણ તે શરીરમાં બ્લડ શુગરને પણ નિયંત્રણમાં રાખે છે. જે લોકોને ડાયાબીટિઝ નથી તેઓ પણ તેનું સેવન કરી ડાયાબીટિઝથી બચી શકે છે.
આ રીતે કરો તજનો ઉપયોગ, ભાગશે બિમારીઓ થશે છૂમંતર
શરદી ઉધરસ
શરદી ઉધરસ હોય તો મધમાં આદુ મિક્સ કરીને લેવું, સાથે જ તેમાં વાટેલો તજનો પાવડર મિક્સ કરી લેવાથી ઉધરસમાં રાહત મળે છે. ગરમ પાણીમાં તજનો પાવડર અને મધ મિક્સ કરીને પીવાથી ઉધરસમાં રાહત મળે છે.
પેટની તકલીફ
પેટ સંબંધી કોઈ પણ બીમારી હોય જેમકે પેટનો દુઃખાવો, કબજિયાત, એસિડીટી તો તજનો પાવડર ફાકી જવાથી આરામ મળે છે. આ સિવાય ઝાડા -ઉલટીની સમસ્યામાં પણ તજનો પાવડર પાણીમાં નાંખીને પીવાથી રાહત મળે છે.
માથું દુઃખવું
જો તમને વધારે પડતો માથાનો દુઃખાવો હોય તો તજના પાવડરની પેસ્ટ કરીને માથા પર લગાવી લો. તમને રાહત મળશે.
સોજામાં કરશે ફાયદો
જો તમને કંઇક વાગી ગયું હોય અને તે જગ્યાએ સોજા આવ્યા હોય તો તજનું તેલ લઈને તેની પર માલિશ કરો. તેનાથી સોજામાં ઝડપથી રાહત મળશે.
મોઢાની દુર્ગંધ
તમારા મોઢામાંથી દુર્ગંધ આવે છે તો આ સમયે તમે તજનો ટુકડો મોઢામાં રાખીને ચૂસો. તમારા મોઢાની સ્મેલ ગાયબ થઈ જશે.
ડાયાબીટિસમાં કરશે લાભ
એક કપ પાણીમાં તજનો પાવડર ઉકાળી, પાણી ગાળી દરરોજ સવારે પીવો. આને કોફીમાં મિક્સ કરીને પણ પી શકો છો. તેના સેવનથી ડાયાબીટિઝમાં લાભ થશે. આ સિવાય તજને પીસીને રોજ ચામાં ચપટી નાંખીને દિવસમાં બે-ત્રણ વખત પીઓ. આનાથી ડાયાબીટિઝની બીમારીમાં આરામ મળશે.
ભૂખ વધારશે
જો તમારા બાળકોને ભૂખ ન લાગતી હોય તો રોજ ત્રણ ગ્રામ તજ આપો. તેનાથી બ્લડ શુગર ઓછી નહીં થાય અને યોગ્ય ભૂખ પણ લાગશે.