બ્રેકિંગ ન્યુઝ
VTV / Know the Full day programme of PM Modi on his 70th Birthday at Gujarat
Last Updated: 07:34 AM, 16 September 2019
ADVERTISEMENT
આવતીકાલે આવો રહેશે પીએમ મોદીનો કાર્યક્રમ
ADVERTISEMENT
પીએમ મોદી પોતાના જન્મ દિવસે ગુજરાતની કેવડિયા કોલોનીમાં જનસભાને સંબોધશે. સાથે જ મા નર્મદાનું પૂજન કરીને જન્મદિવસે ધન્યતા અનુભવશે. પીએમ મોદી સાથે સીએમ વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ હાજર રહેશે. જ્યારે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં નમામિ દેવી નર્મદે મહોત્સવમાં મંત્રીઓ હાજરી આપશે.
પીએમ મોદી જન્મદિવસે કરશે આ ખાસ કામ
નોંધનીય છે કે, જન્મદિવસના એક દિવસ પહેલા 16 સપ્ટેમ્બરેની રાતે ગુજરાત આવી પહોંચશે. ત્યારબાદ તેઓ અમદાવાદથી પાટનગર ખાતે આવેલ રાજભવનમાં રાત્રિ રોકાણ કરશે. 17 સપ્ટેમ્બરે પ્રધાનમંત્રી મોદીનો જન્મદિવસ હોવાથી તેઓ સવારે માતા હીરાબાના આશીર્વાદ લઈને સીધા સરદાર સરોવર નર્મદા ડેમ પહોંચશે. ત્યાં નર્મદાના નવા નીરના વધામણાં કરવાના છે તથા મા રેવાની આરતી પણ ઉતારશે.
રાજ્ય સરકાર આપશે ઐતિહાસિક ભેટ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાના જન્મદિવસે નર્મદા સરદાર સરોવર ડેમની મુલાકાત લેવાના છે. જેને લઈને 17 સપ્ટેમ્બરના રોજ નર્મદા ડેમ તેની ઐતિહાસિક 138.68 મીટરની સપાટીએ ભરવામાં આવશે. ડેમ સંપૂર્ણ ભરી PM મોદીને જન્મદિવસની ભેટ ગુજરાત દ્વારા આપવામાં આવશે. આ દિવસ ગુજરાત માટે ઈતિહાસ બની જશે.
ફોટો સૌજન્ય - Twitter.com
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.