ચુસ્ત પોલીસ બંદોબસ્ત, દર્શન માટેની વિશેષ સુવિધા ઊભી કરાઇ
જુઓ જન્માષ્ટમીમાં દ્વારકા મંદિરનો કાર્યક્રમ
જન્માષ્ટમી પર્વને હવે ગણતરીની ઘડીઓ ગણાય રહી છે. ભગવાન દ્વારકાધીશના 5249માં જન્મોત્સવની ઉજવણીને લઈને ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે ભાગવાન કૃષ્ણની નગરી દ્વારકામાં ભગવાન દ્વારકાધીશના જન્મોત્સવની તડામાર તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. મહત્વનું છે કે યાત્રાધામ દ્વારકામાં ભગવાન દ્વારકાધીશનો જન્મ ઉત્સવનું વિશેષ મહત્વ છે. આવતીકાલે તારીખ 19 ઓગસ્ટના રોજ ધામધૂમ પૂર્વક ઉજવવામાં આવશે ત્યારે ભક્તોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
જન્માષ્ટમીમાં દ્વારકા મંદિરનો કાર્યક્રમ
સવારે છ થી આઠ મંગળા આરતીના દર્શન
ત્યાર બાદ સવારે 8 થી 10 શ્રીજીના ખુલ્લા પડદે સ્નાન દર્શન અભિષેક
10 વાગે સ્નાન ભોગ 10:30 શૃંગાર ભોગ
11:00 વાગે શૃંગાર આરતી
11:15 વાગ્યે ગવાલભોગ
12 વાગ્યે શ્રીજીના રાજભોગ દર્શન
બાદ બપોરે 1 થી 5:00 વાગ્યા સુધી મંદિર બંધ રહેશે
આ દિવસે સાંજના સમયે પાંચ વાગ્યે ભગવાન દ્વારકાધીશના ઉત્થાપન દર્શન
સાડા પાંચ વાગ્યે ઉત્થાપન ભોગ
સવા સાત વાગ્યે ભોગ
સાડા સાત વાગ્યે સંધ્યા આરતી
રાત્રે 8:00 વાગ્યે શયન ભોગ
8:30 વાગ્યે શયન આરતીના દર્શન
બાદ રાત્રે 9:00 વાગે શ્રીજી અનુસાર મંદિર બંધ રહેશે.
શુક્રવારે રાત્રિના બાર વાગ્યે ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવશે જે રાત્રે 2:30 વાગ્યા સુધી ચાલશે
દ્વારકામાં જન્માષ્ટમીને લઇને પોલીસ કાફલો ખડકાયો
દ્વારકાધીશ મંદિરમાં જન્માષ્ટમીના તહેવારને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો. DySP ની આગેવાનીમાં મંદિરમાં પોલીસ કર્મીઓ તૈનાત કરાયા. જાનમાલની રક્ષા સાથે શાંતિ જળવાઈ રહે તે માટે પોલીસ ખડેપગે છે. દ્વારકાધીશ મંદિર પરીસરમાં પોલીસ જવાનોને જરૂરી સુચનો અપાયા.
દર્શન માટે ખાસ વ્યવસ્થાઓ ઊભી કરાઇ
ભક્તોને દર્શન કરવામાં અગવડતા ન પડે તે માટે આયોજનબદ્ધ વ્યવસ્થા કરવામાં આવી છે, જે મુજબ કીર્તિસ્તંભથી બેરીકેટ મારફ્તે લાઈનસર દ્વારકાધીશના 56 સીડી સ્વર્ગદ્વારેથી ભક્તોને પ્રવેશ આપવામાં આવશે. ત્યારબાદ ભક્તો દર્શન કરી મોક્ષદ્વારેથી બહાર નીકળશે. આ સાથે જ યાત્રિકો માટે કીર્તિસ્તંભમાં સામાનઘર અને વિશ્રામગૃહની વ્યવસ્થા કરવામાં આવી છે. જન્માષ્ટમી પર્વના આગળના દિવસ જ ભક્તોનો ઘસારો જોવા મળી રહ્યો છે.