વર્તમાન સ્થિતિએ વાવાઝોડાની દિશા પાકિસ્તાન તરફ છે, 13 થી 14 જૂન સુધી ગુજરાતનાં દરિયા કિનારે વાવાઝોડાનો ખતરો છે.
વાવાઝોડાને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. ત્યારે 8 તારીખે વાવાઝોડું આકાર લઈ આગળ વધશે. વાવાઝોડું ગુજરાતનં દરિયાકાંઠા નહી ટકરાય. બિપોરજોય વાવાઝોડું પાકિસ્તાન બાજુ ફંટાશે. ત્યારે હાલની સ્થિતિએ વાવાઝોડાની દિશા પાકિસ્તાન તરફ છે. 13 થી 14 જૂન સુધી ગુજરાતનાં દરિયા કિનારે વાવાઝોડાનો ખતરો છે. 12,13 અને 14 જૂને સૌરાષ્ટ્ર અને દરિયા કિનારા વિસ્તારમાં ભારે વરસાદ થઈ શકે છે.10 જૂને ગુજરાત પાસેથી વાવાઝોડું પસાર થશે. ગુજરાતનાં દરિયા કિનારાનાં ગામોને થોડી અસર થવાની સંભાવનાં છે. જેમાં ઉના, વેરાવળ, માંગરોળ, જૂનાગઢ, પોરબંદર, દ્વારકા તેમજ કચ્છનાં નલિયા સહિતનાં વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડશે. 12 જૂનનાં રોજ પાકિસ્તાનમાં વાવાઝોડું ટકરાઈ શકે છે.
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં એક-બે વિષયમાં નાપાસ થયેલા ઉમેદવારો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. પૂરક પરીક્ષાના ફોર્મ ભરવાની તારીખ લંબાવાઈ છે. અત્રે તમને જણાવી દઈએ કે, હવે 9 જૂન સુધી પૂરક પરીક્ષાના ફોર્મ શાળાઓ ઓનલાઇન ભરી શકશે.એક કે બે વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ જુલાઈમાં પૂરક પરીક્ષા આપી શકશે તેમજ ગેરહાજર વિદ્યાર્થીઓ પણ જુલાઈમાં પૂરક પરીક્ષા આપી શકશે. ઉલ્લેખનીય છે કે, અગાઉ 5 જૂન સુધી પૂરક પરીક્ષાના ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હતો જો કે, સમય મર્યાદા વધારી હવે 9 જૂન સુધી કરવામાં આવી છે, પૂરક પરીક્ષાના ફોર્મ શાળાઓ દ્વારા ઓનલાઇન ભરાઈ રહ્યાં છે.
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પૂરક પરીક્ષાના ફોર્મ ભરવાની તારીખ લંબાવાઈ, હવે 9 જૂન સુધી પૂરક પરીક્ષાના ફોર્મ ભરી શકાશે, એક કે બે વિષયમાં નાપાસ કે ગેરહાજર વિદ્યાર્થીઓ જુલાઈમાં યોજાનાર પૂરક પરીક્ષા આપી શકશે#Standard12#HSC#Science#vtvgujaratipic.twitter.com/sjDQSpLnbK
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) June 5, 2023
ગુજરાતમાં ઓગસ્ટ મહિનામાં રાજ્યસભાની ચૂંટણી યોજાશે. આગામી ઓગસ્ટ મહિનામાં રાજ્યસભાની 3 બેઠકો માટે ચૂંટણી યોજાવાની છે. 18 ઓગસ્ટે ત્રણ બેઠકોની ટર્મ પૂર્ણ થવા જઈ રહી છે. જેથી આ રાજ્યસભાની બેઠકો પર ચૂંટણી યોજાશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, ભાજપ આ બેઠકો પર ચહેરા બદલાવી શકે છે.કેન્દ્રીય ચૂંટણી પંચે જે રાજ્યોમાં રાજ્યસભાના સભ્યોની ટર્મ પૂર્ણ થવા જઈ રહી છે, તે રાજ્યોને પત્ર લખ્યો છે. પત્રમાં ચૂંટણી પંચે નોડેલ ઓફિસર, ચૂંટણી અધિકારીની નિમણૂક કરવા જણાવવામાં આવ્યું છે. ગુજરાતમાં રાજ્યસભાની 11 બેઠકો આવેલી છે. જેમાંથી ભાજપ પાસે 8 બેઠકો છે. જ્યારે કોંગ્રેસ પાસે 3 બેઠકો છે. વાસ્તવમાં આગામી ઓગસ્ટ મહિનામાં વિદેશ મંત્રી એસ.જયશંકર, જુગલજી ઠાકોર અને દિનેશ અનાવડીયાનો કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો છે. ત્યારે આ ત્રણ બેઠક માટે ઓગસ્ટ મહિનામાં ચૂંટણી યોજાશે. આ વખતે પણ 3 બેઠકો પર ભાજપ પ્રતિનિધિત્વ કરશે. કોંગ્રેસનું સંખ્યાબળ ઓછું હોવાથી 3 બેઠક ફરી ભાજપના ફાળે જવાની શક્યતા છે. સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર, આ વખતે આ ત્રણ બેઠકો પૈકી બે બેઠકો પર ભાજપ ચહેરા બદલે તેવી પ્રબળ શક્યતાઓ છે. ભાજપ વિદેશમંત્રી એસ.જયશંકરને રિપીટ કરી શકે છે, તો જુગલજી ઠાકોર અને દિનેશ અનાવડીયા ડ્રોપ થઈ શકે છે. એસ. જયશંકરની વાત કરવામાં આવે તો તેઓ હાલમાં વિદેશમંત્રી છે, તેમની કામગીરીને લઈને તેઓને ફરીથી રિપીટ કરાય તેવી શક્યતાઓ છે.
2070 સુધીમાં ભારતમાં નેટ ઝીરો કાર્બન ઉત્સર્જનના લક્ષ્યને હાંસલ કરવા માટે ગુજરાત બમણી ગતિએ આગળ વધી રહ્યું છે. વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે, ગુજરાતના ઊર્જા વિભાગે માહિતી આપી છે કે રાજ્યની નવી સોલાર પોલિસી 2021 ને કારણે ઊર્જા ઉત્પાદનની પ્રક્રિયા દરમિયાન થતા કાર્બન ઉત્સર્જનમાં 55 ટકા ઘટાડો કરવામાં રાજ્યને સફળતા પ્રાપ્ત થઇ છે. રાજ્ય સરકારે 29 ડિસેમ્બર 2020 ના રોજ ગુજરાતસોલાર પોલિસી 2021 બહાર પાડી હતી. 2.5 વર્ષમાં રાજ્યમાં ઊર્જા ઉત્પાદનની પ્રક્રિયામાં થતા કાર્બન ઉત્સર્જનમાં 9.32 મિલિયન ટનનો ઘટાડો થયો છે. વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે, પર્યાવરણ સંરક્ષણમાં ઊર્જા વિભાગના યોગદાન વિશે જણાવતા, રાજ્ય સરકારની એજન્સી GUVNL (ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિ.)એ કહ્યું કે, “ ગુજરાતમાં નવીનીકરણીય ઊર્જાની સ્થાપિત ક્ષમતામાં વધારો થયો હોવાના લીધે,વીજળી ઉત્પાદનની પરંપરાગત પદ્ધતિઓ પરની નિર્ભરતા ઘટી છે, જેના કારણે ગુજરાતમાં ઊર્જા ઉત્પાદન દરમિયાન થતા કાર્બન ઉત્સર્જનમાં મોટો ઘટાડો થયો છે. જો આપણે કાર્બન ઉત્સર્જનના આંકડાઓ પર નજર કરીએ તો, ડિસેમ્બર 2020 માં 17.42 મિલિયન ટન ઓછા CO2 ઉત્સર્જનની સરખામણીએ એપ્રિલ 2023 માં 26.74 મિલિયન ટન ઓછું CO2 ઉત્સર્જન થયું છે. વધુમાં, સોલાર પોલિસી 2021 ની જાહેરાત પછી , GUVNL એ 6180 મેગાવોટ સોલાર અને 1100 મેગાવોટ પવન ઊર્જા માટે કરાર કર્યા છે , જેના પરિણામે આગામી ત્રણ વર્ષમાં 11.06 મિલિયન ટન CO2 ઉત્સર્જનમાં ઘટાડો થશે.
ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે રામ મંદિરને લઈ કોંગ્રેસ પર પ્રહાર કર્યા છે. કચ્છના કાર્યક્રમમાં સી.આર.પાટીલે કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે, કોંગ્રેસને રામ મંદિર બનવાની વાત પર વિશ્વાસ નહતો, ત્યારે ભાજપે અયોધ્યામાં રામ મંદિર બનાવવાનું કામ શરૂ કરી દીધું છે. કોંગ્રેસીઓને કહી દેજો 2024માં રામ ભગવાનના દર્શન થઈ શકશે. વધુમાં સી.આર.પાટીલે કહ્યું કે, ભાજપે જમ્મૂ-કશ્મીરમાંથી 370 કલમ પણ હટાવી દીધી. આ બાબતે સી.આર.પાટીલે વધુમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાને અનેક જે વાયદા કર્યા હતા તે પુરા કર્યા છે. રામ જન્મભુમિની જગ્યાએ રામ મંદિરનું નિર્માણ કરીશું. ત્યારે પ્રદેશની મીટીંગમાં તો હું આ વાત કહું જ છું કે કોંગ્રેસીઓ એમ કહેતા હોય છે કે ભાજપીયાઓ કહે છે કે મંદિર વહી બનાયેગે તારીખ નહી બતાયેગે. એ લલ્લુઓને કહી દેજો 2024 માં રામલલ્લાનાં દર્શન કરવા માટે અયોધ્યામાં આવી જાય. એ આપેલું વચન વડાપ્રધાન પુરૂ કરી રહ્યા છે.
અમદાવાદ-મહેસાણા હાઇવે પર પૂરપાટ ઝડપે આવેલી કારે અડફેટે લેતા ત્રણ શ્રમિકોના મૃત્યુ નિપજ્યા છે. હાલ કલોલ તાલુકા પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી છે. પોલીસ દ્વારા આ મામલે તપાસ કરવામાં આવી રહી છે. મળતી માહિતી અનુસાર, અમદાવાદ-મહેસાણા હાઈવે પર છત્રાલ પાસે આવેલી પ્રેસ્ટિજ હોટેલ પાસે ત્રણ શ્રમિકો રોડ ક્રોસ કરી રહ્યા હતા. ત્યારે ફૂલ સ્પીડમાં આવેલી સ્વિફ્ટ કારે તેઓને અડફેટે લીધા હતા. આ દુર્ઘટનામાં ત્રણેય શ્રમિકોના ઘટના સ્થળે જ કરૂણ મૃત્યુ નીપજ્યાં હતા.અકસ્માત બાદ રાહદારીઓના ટોળેટોળા બનાવ સ્થળે એકઠા થયા હતા. જેમના દ્વારા પોલીસને જાણ કરવામાં આવતા કલોલ તાલુકા પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. જે બાદ પોલીસ ત્રણેય મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડવા તજવીજ હાથ ધરવામાં આવી હતી. હાલ પોલીસ દ્વારા કાર ચાલક સામે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરવામાં આવી છે.
ગુજરાતમાં આજે સવારે વધુ એક અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. દ્વારકા-પોરબંદર હાઈવે પર અકસ્માત સર્જાતા 2 લોકોના કરૂણ મૃત્યુ નીપજ્યાં છે. જ્યારે 5 ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પ્રાપ્ત વિગતો અનુસાર, દ્વારકા-પોરબંદર હાઈવે પર ભીમપરા ગામ પાસે કાર ચાલકે સ્ટિયરિંગ પર કાબૂ ગુમાવતા કાર પલટી મારી ગઈ હતી. આ અકસ્માત બાદ મોટી સંખ્યામાં સ્થાનિકો એકઠા થઈ ગયા હતા. સ્થાનિકો દ્વારા આ અંગેની જાણ કરાતા પોલીસ અને 108 એમ્બ્યુલન્સ અકસ્માત સ્થળે દોડી આવી હતી. જે બાદ સ્થાનિકો મદદથી ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
સામાજિક કાર્યકર્તા રેહાના ફાતિમાને કેરળ હાઇકોર્ટમાંથી રાહત મળી છે. કેરળ હાઈકોર્ટે પોક્સો એક્ટ કેસમાં તેને નિર્દોષ જાહેર કરતા કહ્યું કે, આપણા સમાજમાં કોઈ પણ વ્યક્તિને તેના શરીર પર સ્વતંત્રતાનો અધિકાર છે.થોડા સમય પહેલા રેહાનાએ તેના પુત્ર અને પુત્રી પાસે અર્ધ નગ્ન બનીને શરીર પર ચિત્ર દોરાવ્યું હતું. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ શેર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ તેની સામે પોક્સો, જુવેનાઈલ જસ્ટિસ એન્ડ ઈન્ફોર્મેશન ટેકનોલોજી (આઈટી) એક્ટની વિવિધ જોગવાઈઓ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. પોતાની સામે નોંધાયેલા કેસને રેહાનાએ હાઈકોર્ટમાં પડકાર્યો હતો. જસ્ટીસ કૌસર એડપ્પનાથે જણાવ્યું હતું કે, રેહાનાએ આવું કામ કરીને પોતાના બાળકોનો ઉપયોગ જાતિય કામ માટે કર્યો હતો તેવું માનવાને કોઈ કારણ નથી. રેહાનાએ તેના શરીરનો ઉપયોગ ફક્ત કેનવાસ તરીકે કર્યો હતો જેથી કરીને તેના બાળકો ચિત્રકામ કરી શકે, એક મહિલા તેના શરીર વિશે સંપૂર્ણપણે સ્વતંત્રતા ધરાવે છે.
બ્રજભૂષણને હટાવવા માટે દેખાવ કરી રહેલા પહેલવાનોને લઈને એક મોટી અફવા ઉડી હતી. હકીકતમાં રેલવેની નોકરીએ પાછા ફરવાનું એલાન કર્યાં બાદ સાક્ષી આંદોલન સાથે છેડો ફાડી રહી છે તેવી અફવા ઉડી હતી. જોકે હવે સાક્ષીએ સામે ચાલીને ખુલાસો કર્યો છે કે તે ખાલી રેલવેની નોકરીમાં પાછી ફરી રહી છે જોકે આંદોલન ચાલુ રહેશે.સાક્ષી મલિકે ટ્વિટ કરીને કહ્યું કે આંદોલન સાથે છેડો ફાડવાની ખબર બિલકુલ ખોટી છે. ન્યાયની લડાઈમાં ન તો અમે પીછહેઠ કરી નથી કે કરીશું પણ નહીં. સત્યાગ્રહની સાથે ન્યાયની લડાઈમાં પણ સામેલ થઈ રહી છું. ન્યાય ન મળે ત્યાં સુધી અમારી લડાઈ ચાલુ રહેશે. કૃપા કરીને કોઈ ખોટી ખબર ન ફેલાવે.
.@SakshiMalik responds to media reports claiming she withdrew from the ongoing wrestlers' protest against WFI President Brij Bhushan Sharan Singh. pic.twitter.com/2J2fKSWCmx
મુખ્તાર અંસારીને અવધેશ રાય હત્યા કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યો છે. મુખ્તાર અંસારીને ઉમરકેદની સજા ફટકારવામાં આવી છે. બાંદા જેલમાં બંધ મુખ્તાર અંસારીની મુશ્કેલીઓ વધી છે. અવધેશ રાય હત્યા કેસમાં વારાણસીના MP MLA કોર્ટે જેલમાં બંધ માફિયા મુખ્તાર અંસારીને આજીવન કેદની સજા ફટકારી છે. આ સાથે મુખ્તાર અન્સારી પર 1 લાખ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. મુખ્તાર અંસારીને અવધેશ રાય હત્યા કેસમાં દોષિત ઠેરવી સજાની જાહેરાત કરવામાં આવી છે. પૂર્વાંચલમાં દરેકની નજર મુખ્તારને શું સજા થશે તેના પર ટકેલી હતી. આ દરમિયાન હવે મુખ્તાર અન્સારીને ઉમરકેદની સજા ફટકારાઇ છે. છેલ્લા એક વર્ષમાં મુખ્તાર અંસારીને ચાર કેસમાં સજા થઈ છે. પરંતુ આ તમામ કેસોમાં અવધેશ રાય હત્યા કેસ સૌથી મોટો અને સૌથી મોટી સજાની જોગવાઈ છે.
હાલમાં અમેરિકાનાં રક્ષામંત્રી લૉયડ ઓસ્ટિન ભારતનાં પ્રવાસે છે તેવામાં ભારતે અમેરિકાને ઈશારો કર્યો છે કે અમેરિકાએ હથિયારોનાં મામલામાં પાકિસ્તાન પર વિશ્વાસ મૂકવો જોઈએ નહીં. ભારતનાં રક્ષામંત્રી રાજનાથ સિંહે અમેરિકાનાં રક્ષામંત્રી ઑસ્ટિનને કહ્યું કે હથિયારોનાં મામલામાં પાકિસ્તાન પર વિશ્વાસ ન કરી શકાય કારણકે તે હથિયાર અને નવા ઉપકરણોનો દુરુપયોગ કરી શકે છે જેના લીધે ક્ષેત્રીય અસ્થિરતા આવી શકે છે.અમેરિકી રક્ષામંત્રી લોયડ ઑસ્ટિન અને ભારતનાં રક્ષામંત્રી રાજનાથસિંહની વચ્ચે થયેલી દ્વિપક્ષીય બેઠકમાં પાકિસ્તાન ઉપર પણ ચર્ચા કરવામાં આવી. આ બેઠકથી પહેલા રાજનાથસિંહની હાજરીમાં અમેરિકી રક્ષામંત્રીને ટ્રાઈ સર્વિસ ગાર્ડ ઓપ ઑનર આપવામાં આવ્યું. સૂત્રો અનુસાર તેમની આ યાત્રા દરમિયાન ઈન્ડો પેસિફિક સહિત ક્ષેત્રિય સુરક્ષાનાં મુદા પર વાતચીત થઈ. ભારતનાં પડોશી દેશોનાં વિષય પર પણ ચર્ચા થઈ. એક અધિકારીએ કહ્યું કે ભારતે અમેરિકાને કહ્યું કે આધુનિક હથિયાર અને ઉપકરણોનાં મામલામાં તેમણે પાકિસ્તાન પર ભરોસો ન મૂકવો જોઈએ.
Delighted to meet my friend, @SecDef Austin in New Delhi. Our talks revolved around enhancing defence cooperation in several areas including convergence of strategic interests and enhanced security cooperation. pic.twitter.com/Lb98hRkNMj
છત્તીસગઢના કાંકેર જિલ્લામાંથી એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. અહીંના શિવનગરના એક અનાથાલયમાં બાળકો સાથે જે ક્રૂરતા કરવામાં આવી રહી છે તે જોઈને સૌનું દિલ દ્રવી જશે. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં અનાથાલય મેનેજર બાળકોને બેરહેમીથી માર મારી રહ્યા છે. વીડિયોમાં મેનેજર એક છોકરીના વાળ પકડીને જમીન પર ફેંકતા જોવા મળી રહ્યા છે. આ વીડિયો સામે આવતા જ પોલીસે આરોપી મહિલા સામે કેસ નોંધી લીધો છે.કાંકેર જિલ્લાના શિવનગરમાં અનાથાલય ચાલી રહ્યું છે. જેમાં 0 થી 6 વર્ષના અનાથ બાળકોને રાખવામાં આવે છે. અહીં મેનેજરનું નામ સીમા દ્વિવેદી છે. વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે સીમા કેવી રીતે બાળકને માર મારી રહી છે. તે બાળકને વાળથી ઉપાડે છે અને તેને જમીન પર ફેંકી દે છે. ત્યારબાદ તે વાળથી બાળકને ઉપાડી લે છે અને આ વખતે બેડ પર ફેંકી દે છે. આ સમય દરમિયાન બાળકી ચીસો પાડતી રહે છે પરંતુ તેને જરા પણ દયા આવતી નથી. નવાઈની વાત તો એ છે કે આ ઘટના દરમિયાન બે નોકરાણીઓ ત્યાંથી પસાર થાય છે, પરંતુ બાળકીને બચાવવા એકેય આગળ નહોતી આવી.