કોઈ પણ ઋતુમાં કેળાને તમે તમારા આહારમાં લઈ શકો છો. કેળામાં પુષ્કળ પ્રમાણમાં કેલ્શિયમ હોય છે. તેમાંથી પ્રોટીન, વિટામીન્સ પણ પૂરતા પ્રમાણમાં મળી રહે છે.
કેળા અનેક રોગો સામે રક્ષણ આપે છે. કેળામાં થાઈમિન, નિયોસિન અને ફોલિક એસિડના રૂપમાં વિટામિન એ અને બી પણ હોય છે. કેળામાં 24.7 % કાર્બોહાઈડ્રેટ, 1.3 % પ્રોટીન, ચરબી 8.3 % અને 64.3 % માત્રામાં પાણી હોય છે. તો આવો જોઈએ રોજનું એક કેળુ ખાવાથી તમને કયા કયા રોગમાં ફાયદો થાય છે.
કેળા ગ્લુકોઝથી ભરપૂર હોય છે. જે શરીરને તરત જ તાકાત આપે છે. કેળામાં ૭૫ ટકા પાણી હોય છે. આ સિવાય કેલ્શિયમ, મેગ્નેશિયમ, લોહતત્વ પણ પૂરતા પ્રમાણમાં મળી રહે છે.
શરીરમાં લોહીને શુદ્ધ કરવામાં પણ કેળા ફાયદાકારી છે. લોહીને શુદ્ધ કરવામાં લોહ, મેગ્નેશિયમ મુખ્ય ભૂમિકા ભજવે છે.
કેળા આંતરડાના રોગને દૂર કરવામાં લાભદાયી નીવડે છે સાથે કબજિયાતની બીમારીમાં ફાયદાદાયક છે.
આંતરડાની બિમારી હોય કે ઝાડા ઉલટી. દરેક રોગોમાં દહીં સાથે કેળાનું સેવન કરવાથી ફાયદો થાય છે.
પાકેલા કેળાને ખાંડ સાથે મિશ્રણ કરીને વાસણમાં બંધ કરીને ગરમ પાણીમાં ગરમ કરો. તેમાંથી બનાવેલા શરબતનું સેવન કરવાથી ઉધરસની બીમારી દૂર થાય છે.
જીભ પર કે ગળામાં ચાંદા પડવાની સમસ્યાને દૂર કરવા માટે ગાયના દૂધથી બનેલા દહીં સાથે કેળા ખાવાથી રાહત મળે છ.
દમની તકલીફ હોય તો કેળાનું સેવન લાભદાયી રહે છે. કેળાની છાલ સાથે કાળા મરીનો પાવડર લગાવીને છાલને ગરમ કરીને તે દર્દીને ખવડાવાથી આરામ મળે છે.
ઉનાળાની ગરમીમાં નસકોરી ફૂટવાની સમસ્યાને દૂર કરવા માટે પાકેલા કેળાને ખાંડમાં મિક્સ કરીને ખાવાથી અઠવાડિયામાં જ ફાયદો થાય છે.
શરીર પર કોઈ ઘા થયો હોય તો કેળાની છાલ બાંધવાથી સોજો આવતો નથી. આંતરડાના સોજા પણ નિયમિત કેળા ખાવાથી દૂર થાય છે.
જો તમે કોઈ જગ્યાએ દાઝી ગયા હોવ તો ત્યાં તરત જ કેળાનો પલ્પ લગાડવાથી બળતરા ઓછી થાય છે અને ડાધ પડતા નથી.
કેળાના પલ્પને મધ સાથે મિક્સ કરીને ચહેરા પર લગાડવાથી કરચલી દૂર થાય છે અને પ્રાકૃતિક ચમક આવે છે.