નાગરિકતા સંશોધન કાનૂન સામે પૂર્વોત્તરનાં રાજ્યોમાં આંદોલન અને વિરોધ શરૃ થયો એ સમજી શકાય એવી વાત છે, પરંતુ દેશનાં અન્ય રાજ્યોમાં સમુદાય વિશેષના લોકોને ગેરમાર્ગે દોરીને તેમને આંદોલન માટે સડક પર લાવી દેવાયા અને ખાસ કરીને આંદોલન માટે વિદ્યાર્થીઓને આગળ કરીને આંદોલનને હવા દેવાનું કામ કરવામાં આવ્યું છે એ યોગ્ય નથી.
અશાંતિ સર્જવાના ઉદ્દેશથી એક પછી એક રાજ્યોમાં આંદોલન ખડા કરાઈ રહ્યાં છે એ યોગ્ય નથી
સોશિયલ મીડિયા પર પ્રસારિત કેટલાક મેસેજ સરહદ પારથી આવતા હોવાનું જણાવાય છે
નાગરિકતા સુધારા કાનૂનનો સૌથી વધુ પ્રખર વિરોધ આસામમાં થયો
દિલ્હીની જામિયા યુનિવર્સિટીમાં જે કાંઈ બન્યું એ ઘટનાક્રમ ચોંકાવનારો
વિદ્યાર્થીઓને ઉશ્કેરીને લઘુમતી શિક્ષણ સંસ્થાઓનો માહોલ ખરાબ કરાયો તેમાં આમ આદમી પાર્ટીના એક નેતાએ બિન જરૃરી અને અસંબદ્ધ વાતો કરીને સમુદાયને ગેરમાર્ગે દોરવાનું કામ કર્યું હોવાનું સ્પષ્ટ થયું છે. કેન્દ્ર સરકારને ટાર્ગેટ બનાવવા માટે નાગરિકતા સંશોધન કાનૂનનો હથિયાર તરીકે ઉપયોગ કરવામાં અન્ય વિપક્ષો પણ સામેલ થઈ ગયા છે. લોકોમાં ગેરસમજ ફેલાવીને રાજકીય ઉદ્દેશ સિદ્ધ કરવા માટે યોજનાબદ્ધ રીતે લઘુમતી સમુદાયના લોકોને પ્રત્યેક રાજ્યમાં સક્રિય કરવામાં આવી રહ્યાનું સ્પષ્ટ જણાય છે.
નાગરિકતા સુધારા કાનૂનનો સૌથી વધુ પ્રખર વિરોધ આસામમાં થયો
ઉત્તર-પૂર્વનાં રાજ્યોમાં આ સંશોધન કાનૂનના વિરોધ આંદોલનને દેશના બાકીના ભાગોમાં શરૃ કરાયેલા આંદોલન સાથે જોડવા જેવું નથી. પૂર્વોત્તરના લોકોનો મુદ્દો અલગ છે, વિરોધની વાત અલગ છે. એટલે બંનેને સમાન ગણીને ચાલી શકાય તેમ નથી. નાગરિકતા સુધારા કાનૂનનો સૌથી વધુ પ્રખર વિરોધ આસામમાં થયો છે. આસામના લોકોને એવું લાગે છે કે તેમને હાંસિયામાં ધકેલવામાં આવી રહ્યા છે. પૂર્વોત્તરનાં રાજ્યો માટે ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું છે કે, જે રાજ્યો ઇનરલાઇન પરમિટ અથવા છઠ્ઠી અનુસૂચીમાં આવરી લેવાયા છે એ રાજ્યોમાં આ કાયદો અમલી નહીં બને.
આસામનાં છાત્ર અને નાગરિક સંગઠનો છેતરાયાની લાગણી અનુભવી રહ્યા છે
આસામના કેટલાક જ જિલ્લામાં છઠ્ઠી અનુસૂચી અમલમાં છે. છઠ્ઠી અનુસૂચી જનજાતીય પરિષદોને વધુ સ્વાયત્તતા આપે છે. આસામ ઇનરલાઇન પરમિટવાળું રાજ્ય ન હોવાને કારણે પૂર્વોત્તરનું આ એક માત્ર રાજ્ય એવું હશે જ્યાં બાંગલાદેશમાંથી આવેલા શરણાર્થીઓને નાગરિકતા મળશે. ગૃહપ્રધાને મણિપુરને ખાતરી આપી છે કે તેને ઇનરલાઇન પરમિટમાં આવરી લેવામાં આવશે. આસામનાં છાત્ર અને નાગરિક સંગઠનો છેતરાયાની લાગણી અનુભવી રહ્યા છે. કેમ કે આસામ સમજૂતીમાં એવી સંમતિ સધાઈ હતી કે ૧૯૭૧ પહેલાં જે લોકો આસામમાં આવ્યા છે તેમને નાગરિકતા અપાશે, પરંતુ નાગરિકતા સંશોધન કાનૂનમાં
પૂર્વોત્તરનાં રાજ્યોમાં કુલ 238 મૂળ જનજાતિઓ
એવી જોગવાઈ છે કે 2014સુધી આવેલા શરણાર્થીઓને નાગરિકતા અપાશે. એથી આસામમાં લાખો લોકોને નાગરિકતા મળી જશે. આસામને તેના સામે વાંધો છે. પૂર્વોત્તરનાં રાજ્યોમાં કુલ 238 મૂળ જનજાતિઓ છે. તેઓ પરસ્પર સાથે રહેવા સંમત છે, પણ બહારના લોકોને વસાવવાના પ્રયાસ સામે તેમને સંદેહ રહે છે. અરૃણાચલ બૌદ્ધ ચકમાઓને નાગરિકતા આપવા ઇચ્છતા નથી તો મિઝોરમને બ્રુ અને રિયાંગ જાતિઓ સામે વિરોધ છે. આ બંને જનજાતિઓ બાંગલાદેશથી આવી છે.
સર્વોચ્ચ અદાલતે આ બાબતમાં અપનાવેલું વલણ પ્રશંસનીય
પૂર્વોત્તરનાં રાજ્યોમાં આ પ્રકારના મુદ્દા છે અને એટલે તેમના વિરોધને વિધેયાત્મક રીતે જોવાની જરૃર છે. જ્યારે દેશનાં બાકીનાં રાજ્યોમાં યોજનાપૂર્વક અને ઇરાદાપૂર્વક અશાંતિ સર્જવાના ઉદ્દેશથી એક પછી એક રાજ્યોમાં આંદોલન ખડા કરાઈ રહ્યાં છે એ યોગ્ય નથી. નાગરિકતા સંશોધન કાનૂન દેશના નાગરિકોને કોઈ રીતે સ્પર્શતો નથી કે તેમને અસર કરતો નથી. દિલ્હીની જામિયા યુનિવર્સિટીમાં જે કાંઈ બન્યું એ ઘટનાક્રમ ચોંકાવનારો છે. સર્વોચ્ચ અદાલતે આ બાબતમાં અપનાવેલું વલણ પ્રશંસનીય છે. વિદ્યાર્થીઓને હિંસા આચરવાનો પરવાનો મળી જતો નથી. આંદોલનને હિંસક કોણ બનાવી રહ્યું છે એ પણ સમજવું પડે તેમ છે. સોશિયલ મીડિયા પર પ્રસારિત કેટલાક મેસેજ સરહદ પારથી આવતા હોવાનું જણાવાય છે. ભારતમાં અશાંતિ સર્જવા અનેક પરિબળો સક્રિય હોવાનો આ સંકેત છે.