દેશમાં કોરોના મહામારીના કારણે અનેક કામ અટક્યા હતા તેમાં એેક લગ્ન સમારોહ પણ હતા. હવે સરકારે અનેક ગાઈડલાઈન બનાવી છે તેને અનુસરીને લગ્નના શુભ મૂહૂર્ત અનુસાર લગ્નગાળો શરૂ થઈ રહ્યો છે. એક અઠવાડિયા બાદ દેવઉઠી અગિયારસ છે અને આ દિવસથી લગ્નના મૂહૂર્ત શરૂ થશે. આ દિવસથી યુવાઓ સાત ફેરા લેશે. આ વર્ષે એટલે કે 2020માં નવેમ્બરમાં ફક્ત 3 અને ડિસેમ્બરમાં 4 મૂહૂર્ત વિવાહ માટે યોગ્ય છે. આ તારીખો બાદ તમારે એપ્રિલ 2021 સુધી રાહ જોવી પડશે.
દેવઉઠી અગિયારસથી થશે શુભ મૂહૂર્તની શરૂઆત
નવેમ્બરમાં 3 અને ડિસેમ્બરમાં 4 મૂહૂર્તમાં ફેરા લઈ શકાશે
15 ડિસેમ્બરથી 14 જાન્યુઆરી સુધી રહેશે મળમાસ
નવા વર્ષે એપ્રિલ મહિનામાં આવશે શુભ મૂહૂર્ત
2021માં એટલે કે નવા વર્ષે જાન્યુઆરીથી માર્ચ સુધી વિવાહના કોઈ શુભ મૂહૂર્ત નથી. એપ્રિલ, મે, જૂન અને જુલાઈમાં કુલ 38 મૂહૂર્ત છે. આ પછી ચાતુર્માસ શરૂ થતા હોવાના કારણે 4 મહિના સુધી વિવાહ નહીં કરી શકાય.
15 ડિસેમ્બરથી 14 જાન્યુઆરી સુધી રહેશે મળમાસ
25 નવેમ્બરના તુલસી પૂજા અને શાલિગ્રામ વિવાહ કર્યા બાદ શુભ સમય શરૂ થશે. હવે આ વર્ષે નવેમ્બરમાં ફક્ત 3 જ શ્રેષ્ઠ મૂહૂર્ત છે અને આવનારા મહિનાની શરૂઆતના 4 મૂહૂર્ત છે. આ પછી 15 ડિસેમ્બરથી 14 જાન્યુઆરી સુધી મળમાસ રહેવાનો હોવાથી લગ્નના કોઈ ખાસ મૂહૂર્ત જોવા મળી રહ્યા નથી.