ભારતમાં કુલ 70768 કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા છે. હાલમાં એક્ટીવ કેસની સંખ્યા 45921 થઈ છે. ભારતમાં અત્યાર સુધીમાં 2294 લોકોના મૃત્યુ થયા છે, જ્યારે 22,549 લોકોએ કોરોનાને મ્હાત આપી છે.
ભારતમાં હજુ પણ કોરોનાનો કહેર યથાવત
ભારતમાં કુલ 22549 લોકોએ આપી કોરોનાને મ્હાત
ભારતમાં કુલ 2294 લોકોના મોત, કુલ આંક 70768
સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં નોંધાયા છે. અહીં 23401 લોકો કોરોના પોઝિટિવ આવ્યા છે. મહારાષ્ટ્રમાં હાલ એક્ટીવ કેસની સંખ્યા 17747 થઈ છે. મહારાષ્ટ્રમાં એક જ દિવસમાં 1230 કેસ નોંધાયા છે. કુલ 4 હજાર 786 લોકો સાજા થયા છે. યુપીમાં કુલ કેસની સંખ્યા 3573 થઈ. એક્ટીવ કેસની સંખ્યા 1735, 1758 દર્દીઓ સાજા થયા તો દિલ્હીમાં કેસની સંખ્યા 7233, એક્ટીવ કેસની સંખ્યા 5031, 2129 લોકો સાજા થયા અને 73 લોકોના મોત થયા છે. રાજસ્થાનમાં કુલ પોઝિટિવ દર્દીની સંખ્યા 3988 થઈ, એકટીવ કેસની સંખ્યા 1551, 2324 લોકો સાજા થયા છે. મધ્યપ્રદેશમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 3785 થઇ, કુલ એકટીવ કેસની સંખ્યા 1817 થઈ, 1747 લોકો સાજા થયા છે. તમિલનાડુમાં કુલ કેસની સંખ્યા 8002 થઈ છે. એક્ટીવ કેસ 5898 છે તો 2021 લોકો સાજા થયા છે.
રેલ્વેએ યાત્રીઓ માટે જાહેર કર્યા છે ખાસ નિયમો
90 મિનિટ પહેલાં પહોંચવું પડશે રેલ્વે સ્ટેશન
વિશેષ ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરોએ સ્ટેશન પર 90 મિનિટ અગાઉ પહોંચવું પડશે. હકીકતમાં રેલ્વે સુનિશ્ચિત કરવા માંગે છે કે મુસાફરી કરનારા મુસાફરો સ્વસ્થ છે. અહીં તેમના સ્વાસ્થ્ય તપાસ કરવામાં આવશે. જેના માટે તેમને દોઢ કલાક પહેલા સ્ટેશન પર પહોંચવાનું કહેવામાં આવ્યું છે.
નવી દિલ્હી સ્ટેશન પર ફક્ત પહાડગંજની તરફથી મળશે પ્રવેશ
જો તમારે આવતીકાલથી નવી દિલ્હીથી દોડતી રાજધાની વિશેષ ટ્રેનમાં ચઢવું હોય તો યાદ રાખો કે તમને પહાડગંજ બાજુથી જ સ્ટેશનમાં પ્રવેશ મળશે. કોઈ પણ સંજોગોમાં રિઝર્વ ટ્રેનના મુસાફરને અજમેરી ગેટ બાજુથી પ્રવેશ મળશે નહીં.
દરેક યાત્રીઓએ માસ્ક પહેરવું ફરજિયાત છે
ભારતીય રેલ્વેનું કહેવું છે કે તમામ મુસાફરોને માસ્ક પહેરવું ફરજિયાત રહેશે. તેમ છતાં, ટ્રેનમાં સવાર મુસાફરો પ્રથમ સ્વાસ્થ્ય તપાસ કરશે. દરેક મુસાફરોને માસ્ક પહેરવાની જરૂર રહેશે અને શરદી-ખાંસીના જેવા લક્ષણોવાળા મુસાફરોને મુસાફરી કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં.
ટ્રેન ટિકિટ બનશે કર્ફ્યૂ પાસ
ગૃહમંત્રાલયે મંગળવારે ફરીથી શરૂ થઈ રહેલી ટ્રેન સેવાને વિશે જણાવ્યું છે કે આજથી નવી દિલ્હીથી 15 ટ્રેન શરૂ થશે. કન્ફર્મ ટિકિટ વાળા યાત્રી જ યાત્રા કરી શકશે અને સાથે જ તેમને સ્ટેશન સુધી જવા માટે કર્ફ્યૂ પાસ લેવાની કોઈ જરૂર રહેશે નહીં.
PM મોદી સાથેની બેઠકમાં આ 4 રાજ્યોએ લૉકડાઉન વધારવાની કરી અપીલ
લોકડાઉન પાર્ટ 3 પછી શું થશે તેમ જ રાજ્યોમાં કોરોનાને લઈને શું સ્થિતિ છે તે જાણવા વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરી હતી. સમાચાર આવી રહ્યા છે કે બિહારના સીએમ નીતિશ કુમારે લોકડાઉન વધારવાની માંગ કરી છે. તેમણે કહ્યું કે જો લોકડાઉન ખુલ્લું રહેશે તો બહારથી લોકો બિહાર આવશે અને કોરોનામાં સંકટ વધશે. મહારાષ્ટ્ર, તેલંગાણા, પંજાબ અને બંગાળના સીએમઓએ પીએમ મોદી પાસે લોકડાઉન વધારવા માંગ કરી છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ પણ લોકડાઉન વધારવાની માંગ કરી છે. તેમણે કહ્યું કે લોકડાઉન વધાર્યા વગર આગળ વધવું શક્ય નથી. તેલંગણા CMએ લોકડાઉન વધારવાની માંગ કરી હતી અને કહ્યું હતું કે પેસેન્જર ટ્રેન ચલાવીને કોરોના સંક્રમણનું જોખમ છે. આ સાથે રાજસ્થાનના મુખ્ય પ્રધાન અશોક ગેહલોતે કહ્યું હતું કે રેડ ઝોનને ગ્રીન ઝોનમાં જવાની મંજૂરી આપવી જોઈએ નહીં.