વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ ધ કશ્મીર ફાઈલ્સ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે. જાણો અત્યાર સુધીનું આ ફિલ્મનું બોક્સ ઓફિસ કલેક્શન
ધ કશ્મીર ફાઈલ્સનું બોક્સ ઓફિસ કલેક્શન
ફિલ્મ જીતી રહી છે દર્શકોના દિલ
કશ્મીરી પંડિતોનાં નરસંહારની સ્ટોરી
ધ કશ્મીર ફાઈલ્સનું બોક્સ ઓફિસ કલેક્શન
ડાયરેક્ટર વિવેક અગ્નિહોત્રીએ આ ફિલ્મમાં કશ્મીરની એ હકીકત બતાવી છે, જે જોતા ઘણા લોકોનું હૃદય થંભી જશે. 90નાં દશકમાં કશ્મીરી પંડિતોને ભાગાવવામાં આવ્યા હતા અને આ દરમિયાન ત્યાના લોકો પર અજીબ ભૂત સવાર હતું. ભારતમાં આ ફિલ્મ માત્ર 630 સ્ક્રીન્સ પર જ રિલીઝ કરવામાં આવી હતી, ધ કશ્મીર ફાઈલ્સે પહેલા દિવસે 3.55 કરોડનું કલેક્શન કર્યું હતું. પરંતુ બીજા દિવસે આ ફિલ્મની કમાણીમાં ઘણો વધારો જોવા મળ્યો. ઓછા બજેટમાં બનેલી આ ફિલ્મે ત્રણ દિવસની અંદર જ 27.15 કરોડનો બીઝનેસ કર્યો છે.અને રિલીઝનાં ચાર દિવસોમાં જ આ ફિલ્મની કુલ કમાણી 43.04 કરોડ રૂપિયા થઇ ગઈ છે. ધ કશ્મીર ફાઈલ્સે રવિવારે એટલે કે રજાનાં દિવસે 15.10 કરોડનું કલેક્શન કર્યું અને વર્કિંગ ડે હોવા છતાંય સોમવારે આ ફિલ્મે 15.05ની કમાણી કરી. જ્યારે પાંચમા દિવસે આ ફિલ્મે 18 કરોડની કમાણી કરી અને છઠ્ઠા દિવસે પણ શાનદાર ગ્રોથ જોવા મળી. હવે આ ફિલ્મનું બોક્સ ઓફિસ કલેક્શન વિવેક અગ્નિહોત્રીની આ પોસ્ટ અનુસાર, 87.40 કરોડની કમાણી કરી છે.
ફિલ્મ પ્રોડયૂસર અને ડાયરેક્ટર વિવેક અનીહોત્રી આજકાલ પોતાની નવી ફિલ્મને લઈને ચર્ચામાં છે. કશ્મીરી પંડિતોની વેદના દર્શાવતી આ ફિલ્મ લોકોના દિલ જીતી રહી છે. લોકોની ભાવનાઓ આ ફિલ્મ સાથે જોડાયેલ છે. આ મુદ્દા પર પહેલા પણ ફિલ્મો બની હતી પરંતુ ક્યારેય આટલી ડેપ્થમાં આ મુદ્દા પર વાત કરવામાં આવી નથી. પરંતુ હવે વિવેક અગ્નિહોત્રીએ આ કરી બતાવ્યું છે. ફિલ્મને દેશભરની જનતાનો સપોર્ટ મળી રહ્યો છે અને સાથે જ સરકાર તરફથી પણ સમર્થન મળ્યું છે.
કશ્મીરી પંડિતોનાં નરસંહારની સ્ટોરી
ફીલ્મની સ્ટોરી વર્ષ 1990માં કશ્મીરી પંડિતોનાં નરસંહાર તથા તેમની સાથે થયેલા અન્યાય વિષે છે, જેમાં અનુપમ ખેર, મિથુન ચક્રવર્તી, દર્શન કુમાર અને પલ્લવી જોશીએ મુખ્ય ભૂમિકા નિભાવી છે. અભિષેક અગ્રવાલે પોતાના ટ્વીટર હેન્ડલ પર પીએમ મોદી સાથેની મુલાકાતની તસવીરો શેર કરતા પોતાના દિલની વાત સોશિયલ મીડિયા પર લખી છે.