ધ કશ્મીર ફાઈલ્સ સામે અક્ષય કુમારની ફિલ્મ બચ્ચન પાંડે બોક્સ ઓફિસ પર કંઈ ખાસ કમાલ બતાવી શકી નથી. જાણો આ ફિલ્મનું બોક્સ ઓફિસ કલેક્શન
ધ કશ્મીર ફાઈલ્સની આંધીમાં ઉડી ફિલ્મ બચ્ચન પાંડે
જાણો બચ્ચન પાંડેનું કલેક્શન
કશ્મીર ફાઈલ્સ જીતી રહી છે દર્શકોનાં દિલ
ધ કશ્મીર ફાઈલ્સની આંધીમાં ઉડી ફિલ્મ બચ્ચન પાંડે
અક્ષય કુમાર, કૃતિ સેનન, જેકલીન ફર્નાન્ડિસ સ્ટારર ફિલ્મ 'બચ્ચન પાંડે' હોળી પર રિલીઝ થઇ હતી. પહેલા દિવસે આ ફિલ્મે ભલે 13 કરોડની ઓપનિંગ કરી, પણ હવે આ ફિલ્મની કમાણી 'ધ કશ્મીર ફાઈલ્સ' પાસે ફિકી પડતી જોવા મળે છે. બચ્ચન પાંડે જ્યારે ત્રણ દિવસમાં લગભગ 35 કરોડની કમાણી કરી ચુકી છે, ત્યારે 'ધ કશ્મીર ફાઈલ્સ'ની ટોટલ કમાણી આ ત્રણ દિવસમાં લગભગ 71 કરોડ છે.
'બચ્ચન પાંડે' માં અક્ષય કુમાર ગેંગસ્ટરની ભૂમિકા નિભાવી રહ્યા છે. ફિલ્મને હાઉસફૂલ 4 ફેમ ફરહાદ સામજીએ ડાયરેક્ટ કરી છે. ફિલ્મના રિલીઝ થવા પર મિક્સ્ડ અભિપ્રાયો મળ્યા હતા.
એક રિપોર્ટ અનુસાર, બચ્ચન પાંડે રવિવારનાં દિવસે સારી કમાણી ન કરી શકી, જેટલી લોકોને આશા હતી. આ ફિલ્મે રવિવારે લગભગ 11.5 -12 કરોડ કમાણી કરી છે. આવામાં ફિલ્મની ટોટલ કમાણીનું અનુમાન 34-35 કરોડ લગાવવામાં આવી રહ્યું છે. જ્યારે ધ કશ્મીર ફાઈલ્સ બોક્સ ઓફિસ પર છવાયેલ રહી. રિપોર્ટ અનુસાર, ધ કશ્મીર ફાઈલ્સ બીજા અઠવાડિયે 71 કરોડની આસપાસ પહોંચી ગઈ છે.
ધ કશ્મીર ફાઈલ્સ ફિલ્મને લઈને ફિલ્મ ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે આ ફિલ્મની કમાણીને ટ્વીટ કર્યું છે.
#TheKashmirFiles [Week 2] is a TSUNAMI at the #BO... Packs a SUPER-SOLID total [₹ 70.15 cr] in *Weekend 2*... #TKF REFUSES TO SLOW DOWN, should hit ₹ 200 on weekdays [by Wed or Thu]... Fri 19.15 cr, Sat 24.80 cr, Sun 26.20 cr. Total: ₹ 167.45 cr. #India biz. pic.twitter.com/pUtznqoGBn
#BachchhanPaandey remains low over the weekend, mainly due to #TKF juggernaut that eclipsed the biz of *all* films... Did not witness growth on Day 3... Fri 13.25 cr, Sat 12 cr, Sun 12 cr. Total: ₹ 37.25 cr. #India biz. pic.twitter.com/XOQIs0CVtq
ધ કશ્મીર ફાઈલ્સે રવિવારે 26.20 કરોડનું કલેક્શન કર્યું છે. બીજા શુક્રવારે આ ફિલ્મે 19.15 કરોડની કમાણી કરી અને બીજા શનિવારે 24.80 અક્રોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. ફિલ્મ જલ્દી જ 200 કરોડના જાદુઈ આંકડા પર પહોંચી જશે તેવા અનુમાન લગાવવામાં આવી રહ્યા છે.
The Kashmir Files જીતી રહી છે દર્શકોના દિલ
ફિલ્મ પ્રોડયૂસર અને ડાયરેક્ટર વિવેક અનીહોત્રી આજકાલ પોતાની નવી ફિલ્મને લઈને ચર્ચામાં છે. કશ્મીરી પંડિતોની વેદના દર્શાવતી આ ફિલ્મ લોકોના દિલ જીતી રહી છે. લોકોની ભાવનાઓ આ ફિલ્મ સાથે જોડાયેલ છે. આ મુદ્દા પર પહેલા પણ ફિલ્મો બની હતી પરંતુ ક્યારેય આટલી ડેપ્થમાં આ મુદ્દા પર વાત કરવામાં આવી નથી. પરંતુ હવે વિવેક અગ્નિહોત્રીએ આ કરી બતાવ્યું છે. ફિલ્મને દેશભરની જનતાનો સપોર્ટ મળી રહ્યો છે અને સાથે જ સરકાર તરફથી પણ સમર્થન મળ્યું છે.
કશ્મીરી પંડિતોનાં નરસંહારની સ્ટોરી
ફીલ્મની સ્ટોરી વર્ષ 1990માં કશ્મીરી પંડિતોનાં નરસંહાર તથા તેમની સાથે થયેલા અન્યાય વિષે છે, જેમાં અનુપમ ખેર, મિથુન ચક્રવર્તી, દર્શન કુમાર અને પલ્લવી જોશીએ મુખ્ય ભૂમિકા નિભાવી છે. અભિષેક અગ્રવાલે પોતાના ટ્વીટર હેન્ડલ પર પીએમ મોદી સાથેની મુલાકાતની તસવીરો શેર કરતા પોતાના દિલની વાત સોશિયલ મીડિયા પર લખી છે.