આદુનો ઉપયોગ મોટાભાગે ચામાં કરવામાં આવે છે. આ સિવાય રસોઈમાં ક્યારેક કોઈ શાક બનાવવામાં પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે આદુ હેલ્થ માટે સારું છે. તે એક દવાનું કામ કરે છે. સાથે જ તે પાચન માટે પણ લાભદાયી રહે છે.
આદુમાં એન્ટી ઈફ્લેમેટ્રી અને બેક્ટેરિયલ ગુણ હોય છે જે વ્યક્તિને શરદી અને ઉધરસમાં રાહત આપે છે. આ સિવાય તેના ઉપયોગથી શરીરના કોઈપણ ભાગમાં થતા સોજા ઘટે છે. આવો જાણીએ આદુનો કઈ રીતે ઉપયોગ કરવાથી તે લાભદાયી બને છે.
મળશે એનર્જી
આદુનો ઉપયોગ કરવાનો બેસ્ટ રસ્તો છે કે સવારે ખાલી પેટે આદુનું પાણી પીવામાં આવે. આમ કરવાથી આખો દિવસ શરીરમાં ઉર્જા રહે છે.
પાચનમાં કરશે લાભ
આદુને રાતે પાણીમાં પલાળીને સવારે આ પાણીનું સેવન કરવાથી પાચનતંત્ર મજબૂત બને છે. સાથે જ મોર્નિંગ સિકનેસ કે પછી ઉલ્ટીના ઉબકા આવવા જેવી સમસ્યામાં પણ રાહત આપે છે.
વજન કરે છે ઓછું
આદુના પાણીનું નિયમિત રીતે સેવન કરવાથી શરીરમાં બ્લડ શુગર નિયંત્રિત રહે છે. તેનાથી ડાયાબિટિસ થવાનો ખતરો પણ વધે છે. રોજ વ્યાયામ અને યોગ્ય ખાન પાનની સાથે આદુના પાણીનું સેવન કરવામાં આવે તો વજન ઝડપથી ઘટે છે.
સ્કીન અને વાળ માટે લાભદાયી
આદુમાં વિટામિન એ અને સી પૂરતા પ્રમાણમાં હોય છે. તે વાળ અને સ્કીન સાથે જોડાયેલી સમસ્યાઓને ખતમ કરે છે.
એન્ટી ઓક્સીડન્ટ
આદુમાં એન્ટી ઓક્સીડન્ટ ગુણ હોય છે. તેના કારણે કેન્સર, પાર્કિસન, અલ્ઝાઈમર, હ્રદય સાથે જોડાયેલી બિમારીઓ અને ત્વચા પર કસમયે આવતી કરચલીઓ ઓછી થાય છે.
માંસપેશીઓને આપશે આરામ
વધારે કસરત કરવાના કારણે માંસપેશીઓમાં થતા દર્દ થાય છે. આ પ્રકારના દર્દમાં રાહત મેળવવા માટે આદુનું પાણી ફાયદો કરે છે. તેને પીવાથી શરીરને દર્દથી રાહત મળે છે.