આજકાલ જે રીતે લોકો કલાકો સુધી મોબાઈલ સ્ક્રીન જુઓ છે તેના કારણે નાની ઉંમરમાં જ આંખો ખરાબ થવા લાગી છે. પણ અહીં જણાવેલું 1 કામ કરીને તમે આંખોને હેલ્ધી રાખી શકો છો. ચાલો જાણી લો.
રોજ માત્ર આ 1 કામ કરી લેશો તો આંખો રહેશે હેલ્ધી
ક્યારેય નહીં આવે આંખોમાં નંબર
આ ઉપાય કરશો તો વધશે આંખોનું તેજ
આજકાલ લોકો કલાકો સુધી મોબાઈલ અને કમ્પ્યૂટર પર આંખો જમાવી રાખે છે, જેના કારણે આંખો થાકી જાય છે. આંખો પર મેકઅપ કરવાથી પણ આંખોને નુકસાન થાય છે. જેના કારણે ડાર્ક સર્કલ જેવી સમસ્યાઓ ઉદભવે છે. સાથે જ દ્રષ્ટિ પર પણ ખરાબ અસર પડે છે. આ બધી સમસ્યાઓમાં ત્રિફળાનો એક પ્રયોગ તમારા બહુ કામ આવી શકે છે. આ ઉપચાર આંખોની આ સમસ્યાને ઝડપથી દૂર કરશે અને આંખોની રોશની પણ વધારશે.
આ રીતે આંખોનું ધ્યાન રાખો
આંખોની આસપાસના બદામ તેલથી હળવા હાથે મસાજ કરવાથી પણ આંખોને આરામ મળે છે. ખાસ કરીને જ્યારે તમે કલાકો સુધી કમ્પ્યૂટર અથવા મોબાઈલનો ઉપયોગ કરો છો.
ત્રિફળાનો ઉપાય
આયુર્વેદ મુજબ ત્રિફળામાં અનેક સ્વાસ્થ્યવર્ધક ગુણો હોવાને કારણે તે પાચન ક્રિયા માટે બહુ જ ફાયદાકારક માનવામાં આવે છે. સાથે જ ત્રિફળાનું સેવન કરવાથી આંખો સ્વસ્થ રહે છે. આ સિવાય તમે આંખોને ધોવા માટે પણ ત્રિફળાના પાણીનો ઉપયોગ કરી શકો છો. તેનાથી આંખોને બહુ ફાયદો થાય છે. ત્રિફળા ત્રણ હર્બલ વસ્તુઓ હરડે, આમળા અને બહેડાને મિક્સ કરીને બનાવવામાં આવે છે. આ નેચરલ બ્લડ પ્યુરીફાઈ અને આઈ ટોનિક છે. આ આંખોની આસપાસની માંસપેશીઓને સારી રીતે કામ કરવામાં મદદ કરે છે.
ત્રિફળાનું પાણી આ રીતે બનાવો
1 ચમચી ત્રિફળા ચૂર્ણને 2 ગ્લાસ પાણીમાં નાખી થોડું ઉકાળો, ત્યારબાદ તે ઠંડુ થયા પછી તેને ઝીણા કપડાંથી ગાળી લો. હવે આ પાણીથી તમારો ચહેરો અને આંખો નિયમિત રીતે ધુઓ. યાદ રાખવું કે ચહેરો ધોવા માટે સાબુનો ઉપયોગ કરવો નહીં. હથેળીમાં ત્રિફળાનું પાણી લઈને આંખો ખુલી રાખી તેમાં આંખો ડુબાળો. પલકારો કરી પાણી ફેંકી દો. આ પ્રક્રિયાને ત્રણવાર કરો. ત્યારબાદ ચહેરા અને આંખોને ટોવેલથી સાફ કરી લો. આ ઉપાય રોજ કરવાથી આંખોની અનેક સમસ્યાઓ અને કાળા કુંડાળા ગાયબ થઈ જશે અને આંખોનું તેજ ઝડપથી વધશે.
આ સિવાય એક ચમચી ત્રિફળા ચૂર્ણ રાતે એક વાટકી પાણીમાં પલાળી રાખો, સવારે કપડાથી ગાળી એના પાણીથી આંખ ધોઈ લેવી. આ પ્રયોગ આંખો માટે અત્યંત હિતકારી છે. એનાથી આંખ સ્વચ્છ અને તેજ થાય છે. આંખોની બળતરા, લાલાશ વગેરે તકલીફો દૂર થાય છે.
વરિયાળી અને ત્રિફળાનું સમભાગ ચૂર્ણ 1 ચમચી પાણી સાથે અથવા મધ સાથે લેવાથી આંખોનું તેજ વધે છે.