રાત્રે જમ્યા બાદ રોજ વોક કરવાથી સ્વાસ્થ્યને અઢળક ફાયદાઓ મળે છે. જાણો આ ફાયદાઓ ક્યા ક્યા છે
જમ્યા બાદ વોક કરવું છે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક
ઘણી સમસ્યાઓમાં મળશે રાહત
જાણો વોક કરવાના ફાયદા
આપણે બાળપણથી સાંભળતા આવીએ છીએ કે ચાલવું કે ટહેલવું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે, પરંતુ શું તમે જાણો છો કે ડીનર બાદ ચાલવું કેમ જરુરી છે એ તેના કેટલા ફાયદાઓ છે. જો તમારું વજન વધી રહ્યું છે તો ડીનર બાદ વોક કરવાથી ઘણા રોગ ગાયબ થાય છે અને ઊંઘ પણ સારી આવે છે. ખોરાક પણ પચી જાય છે. આવો તમને જણાવીએ કે જમ્યા બાદ વોક કરવાના ક્યા ક્યા ફાયદાઓ છે.
ડીનર બાદ વોક કરવાના ફાયદા
જમીને જો તમે દરરોજ 20-30 મિનિટ વોક કરો છો, તો ખોરાક સારી રીતે પચે છે અને પાચનશક્તિ મજબૂત થાય છે, જ્યારે જમીને તરત જ સુઈ જવાથી ભોજન પચતું નથી અને પાચન સંબંધિત ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. એટલા માટે હવેથી જમ્યા બાદ રોજ ઓછામાં ઓછી 10 મિનિટ સુધી વોક કરવાની આદત બનાવી લો.
જમીને વોક કરવાથી બ્લડ શુગર લેવલ મેન્ટેન રહે છે. એટલે કે જો તમે રોજ જમ્યા બાદ વોક કરો છો, તો તમારો ડાયાબિટીસથી પણ બચાવ થશે .
જો રોજ તમે જમ્યા બાદ વોક કરો છો, તો અનિંદ્રાની સમસ્યા પણ દૂર થાય છે.
પેટમાં ગેસ અને બ્લોટિંગની સમસ્યા છે, તો રોજ જમ્યા બાદ વોક કરો, આ લક્ષણો ઓછા થવા માંડશે.
જમ્યા બાદ વોક કરવાથી હૃદય પણ સ્વસ્થ રહે છે. એટલા માટે રોજ વોક કરવું જરૂરી છે.
જમીને વોક કરવાથી હાઈ બીપીમાં રાહત રહે છે. આમ કરવાથી હાર્ટ ડીઝીઝ, સ્ટ્રોક, હૈ બીપી અને કોલેસ્ટ્રોલમાં પણ રાહત રહે છે.
જો તમે રોજ વોક ન કરી શકો, તો અઠવાડીયામાં 5 દિવસ તો જરૂર વોક કરો.
જમ્યા બાદ તમારે ઝડપથી ન ચાલવું જોઈએ, પરંતુ મધ્યમ ગતિમાં વોક કરવું જોઈએ.
જો તમે એકસાથે રાત્રે 30 મિનિટ સુધી વોક ન કરી શકો, તો 10 મિનિટ સવારે નાસ્તા બાદ, 10 મિનિટ બપોરે લંચ બાદ અને 10 મિનિટ રાત્રે ડીનર બાદ વોક કરી શકો છો.
જમ્યા બાદ વોક કરવાથી માનસિક સ્વાસ્થ્ય પણ સારું રહે છે, સ્ટ્રેસ ઘટે છે અને મૂડ સારો રહે છે.