કહેવાય છે કે જ્યારે તમે કોઈ પણ ખોરાક ખાઓ છો ત્યારે તેના કેટલાક ખાસ નિયમ હોય છે. આ એટલા માટે કે તે ખોરાક અમુક સમય સુધી પૌષ્ટિક રહે છે. ઘઉંની રોટલી બન્યા બાદ 8-12 કલાક સુધી પૌષ્ટિક રહે છે. આ સિવાય તમે જ્યારે તેને ગરમ દૂધ સાથે મિક્સ કરીને ખાઓ છો તો પણ તે શરીર માટે ફાયદાકારક બને છે.
આ કારણે ઘઉંની રોટલી ગણાય છે હેલ્ધી
દૂધ અને ઘઉંની રોટલી ખાવાથી થાય છે ફાયદો
ઘઉંમાંથી મળે છે આ અઢળક વિટામિન્સ
ઠંડી રોટલી અને દૂધ
પહેલાંના સમયમાં આ રીતનું પ્રચલન વધારે હતું. તે સમયે માટીની હાંડીમાં ગરમ દૂધ ભરીને રાખી દેવામાં આવતું. આ દૂધ આખી રાત ઉકળતું અને સવારે કામ પર જતાં પહેલાં ખેડૂતો આ દૂધ સાથે ઠંડી રોટલી ખાતા. લંચ અને ડિનરની જેમ આ ફૂડ ટાઈમિંગને પણ વાસી રોટલી ગણવામાં આવતી.
વાસી રોટલી શા માટે ગણાતી હતી વધારે પૌષ્ટિક
કહેવાય છે કે ઘઉંની રોટલી વાસી થયા બાદ પણ 8 કલાક સુધી પૌષ્ટિક રહે છે. તેનું કારણ એ છે કે જ્યારે તેને બનાવવામાં આવે છે ત્યારબાદ તેને 8 કલાક સુધી સ્ટોર કરવાથી તેની પોષણ ક્ષમતા વધી જાય છે.
ઘઉંના લોટની રોટલીમાંથી મળે છે આ વિટામિન્સ
મોટાભાગના ઘરોમાં ઘઉંના લોટની રોટલી ખાવામાં આવે છે. આ લોટમાં કાર્બોહાઈડ્રેટનું પ્રમાણ વધારે હોય છે અને સાથે જ પ્રોટીન પણ વધારે મળે છે. સાથે ચાળ્યા વિનાના લોટની રોટલીમાં ફાઈબર વધુ હોય છે. ઘઉંની ઉપરનું પડ નેચરલ અને પૌષ્ટિક ફાઈબરથી બનેલું હોય છે. પ્રોટીન, ફાઈબર અને કાર્બોહાઈડ્રેટ્ના મિશ્રણને જ્યારે એક ચોક્કસ તાપમાને ગરમ કર્યા બાદ નક્કી સમય સુધી ઠંડું થવા રાખવામાં આવે છે ત્યારે તે પેટના આંતરડા માટે મહત્વના સારા બેક્ટેરિયાને જન્મ આપે છે. તે પેટમાં જઈને પાચન તંત્ર અને આંતરડાને હેલ્ધી રાખવાનું કામ કરે છે.