આવતીકાલે હનુમાન જન્મોત્સવ છે. જાણો આ દિવસનાં શુભ મુહૂર્ત અને પૂજાવિધિ
16 એપ્રિલનાં રોજ છે હનુમાન જન્મોત્સવ
જાણો શુભ મુહૂર્ત અને પૂજાવિધિ
ચૈત્ર મહિનાની પૂર્ણિમા તિથિમાં મનાવાય છે હનુમાન જન્મોત્સવ
હનુમાન જન્મોત્સવનાં શુભ મુહૂર્ત
હનુમાન જન્મોત્સવ ચૈત્ર મહિનાની પૂર્ણિમા તિથિમાં મનાવવામાં આવે છે. પંચાંગ અનુસાર, આ વર્ષે ચૈત્ર મહિનાની પૂર્ણિમા તિથિ 16 એપ્રિલનાં રોજ મોદી રાત્રે 2 કલાક અને 25 મિનિટથી શરુ થાય છે. જ્યારે પૂર્ણિમા તિથિનું સમાપન 17 એપ્રિલ બપોરે 12 કલાક 24 મિનિટ પર થાય છે. આ દિવસે હસ્ત અને ચિત્રા નક્ષત્રનો શુભ સંયોગ બને છે. આ ઉપરાંત હનુમાન જન્મોત્સવ પર સવારે 5 કલાક 55 મિનિટથી 8 કલાક 40 મિનિટ સુધી રવિ યોગ રહેશે. માનવામાં આવે છે કે રવિ યોગમાં હનુમાનજીની પૂજા અત્યંત ફળદાયી હોય છે. આ સાથે જ આ શુભ યોગમાં અન્ય શુભ કાર્યો પણ કરવામાં આવે છે.
હનુમાન જન્મોત્સવની પૂજા વિધિ
હનુમાન જન્મોત્સવ પર સાંજનાં સમયે પૂજા સ્થળ પર લાલ વસ્ત્ર પાથરીને તેના પર હનુમાનજીની મૂર્તિ અથવા તસવીરને દક્ષિણ તરફ મુક કરીને સ્થાપિત કરો. પૂજા કરતા સમયે ખુદ પણ લાલ કલરનાં વસ્ત્રો પહેરીને લાલ આસન પર બેસો. ત્યાર બાદ પવિત્રતા સાથે ઘીનો દિપક અને ચંદનની અગરબત્તી કરો. નારંગી સિંદૂરને ચમેલીનાં તેલમાં મેળવીને હનુમાનજીને અર્પિત કરો. સાથે જ તેમને લાલ લાલ રંગના ફૂલ અર્પિત કરો. ત્યાર બાદ લાલ રંગની બૂંદી અને લાડૂનો પણ ભોગ લગાવો. ત્યાર બાદ ભગવાનની આરતી શરુ કરો.
ધન પ્રાપ્તિ માટે કરી શકો છો આ ઉપાય
હનુમાન જન્મોત્સવનાં દિવસે વિશેષ ઉપાય કરવાથી ધન પ્રાપ્તિમાં આવતી બાધાઓ દૂર થાય છે. આવામાં આ દિવસે હનુમાનજીને જળ અર્પિત કર્યા બાદ પંચામૃત ચઢાવો. સાથે જ ચમેલીનાં તેલમાં નારંગી સિંદૂર મેળવીને ચઢાવો. આ ઉપરાંત, આ દિવસે હનુમાનજીને લાલ ફૂલ જ અર્પિત કરો.