આવતીકાલથી શારદીય નવરાત્રી શરૂ થશે, જાણી લો ઘટ સ્થાપનાના શુભ મુહૂર્ત અને પૂજા વિધિ
26 સપ્ટેમ્બરથી શરૂ થશે શારદીય નવરાત્રી
પહેલા દિવસે કરવામાં આવે છે કળશ સ્થાપના
અભિજીત મુહૂર્તમાં પણ કરી શકાય છે કળશ સ્થાપના
પિતૃપક્ષ બાદ શારદીય નવરાત્રીનો શુભારંભ થશે. શારદીય નવરાત્રિમાં માં દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. આ વર્ષે શારદીય નવરાત્રી આવતીકાલથી એટલે કે 26 સપ્ટેમ્બરથી શરૂ થશે. નવરાત્રીની શરૂઆત પ્રતિપદા તિથીના રોજ અખંડ જ્યોતિ અને કળશ સ્થાપન સાથે થાય છે. પવિત્ર કળશની સ્થાપના બાદ દેવીની ઉપાસના થાય છે. આવો જાણીએ આ વર્ષે કળશ સ્થાપના માટે સાધકોને કેટલો સમય મળશે.
કયારે છે નવરાત્રીની પ્રતિપદા તિથી ?
આસો મહિનાના શકલ પક્ષની પ્રતિપદા તિથી સોમવાર, 26 સપ્ટેમ્બરના રોજ સવારે 3 કલાક અને 23 મિનિટથી શરૂ થશે અને મંગળવારે સવારે 3 કલાક અને 08 મિનિટ સુધી રહેશે.
ઘટસ્થાપનાનું શુભ મુહૂર્ત
શારદીય નવરાત્રિમાં દેવી પૂજા પહેલા 26 સપ્ટેમ્બરના રોજ ઘટસ્થાપના થશે. આ દિવસે સવારે 6 કલાક 28 મિનિટથી લઈને 8 કલાક 01 મિનિટ સુધી કળશ સ્થાપના કરી શકાશે. ઘટસ્થાપના માટે સાધકોને 1 કલાક 33 મિનિટનો સમય મળશે. જે ઘરોમાં લોકો વ્રત રાખવા માંગે છે, ત્યાં આ એક કલાકની અંદર કળશ સ્થાપના કરવી પડશે.
અભિજીત મુહૂર્તમાં કળશ સ્થાપના
જે લોકો કોઈ કારણવશ નક્કી મુહૂર્ત પર ઘટસ્થાપના નથી કરી શકતા, તેઓ અભિજીત મુહૂર્તમાં પણ આ કામ કરી શકે છે. અભિજીત મુહૂર્તમાં ઘટસ્થાપના કરવી અત્યંત શુભ માનવામાં આવે છે. આ દિવસે સવારે 11 વાગ્યે અને 54 મિનિટથી લઈને 12 કલાક 42 મિનિટ સુધી અભિજીત મુહૂર્ત રહેશે એટલે કે તમને કળશ સ્થાપના માટે 48 મિનિટનો સમય મળશે.
કેવી રીતે કરશો કળશ સ્થાપના?
શારદીય નવરાત્રિના પહેલા દિવસે સવારે જલ્દી ઊઠીને, નાહી ધોઈને કળશને ગંગા જળથી ભરો. તેના મુખ પર આંબા કે અશોકનું પાન લગાવો અને ઉપર નારિયળ મૂકો. કળશને લાલ કપડાથી ઢાંકી દો અને નાડાછડીના માધ્યમથી બાંધો. હવે તેને માટીના વાસણ પાસે રાખી દો. ફૂલ, કપૂર, અગરબત્તી, જ્યોત સાથે પૂજા કરો. હવે વિધિ વિધાન અનુસાર, શુભ મુહૂર્તમાં કળશ સ્થાપિત કરો.