વર્ષે હોળાષ્ટક 27 ફેબ્રુઆરીથી 7 માર્ચ સુધી છે. હોળાષ્ટક ફાગણ મહિનાના શુક્લ પક્ષની આઠમથી લઇને ફાગણ પૂર્ણિમાની રાત્રે હોળીકા દહન થાય ત્યાં સુધી રહે છે.
હોળીકા દહનનો શુભ સમય
હોળાષ્ટકમાં ના કરો આ કામ
રાશિ પ્રમાણે કરો આ વસ્તુઓનું દાન
હિન્દુ ધર્મમાં હોળી અને દિવાળીની ગણતરી મોટા તહેવારોમાં કરવામાં આવે છે. હોળી, રંગોનો તહેવાર, સમગ્ર ભારતમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. હિન્દુ પંચાગ મુજબ, ફાગણ મહિનાની પૂનમે પ્રદોષ કાળમાં હોળીકા દહન થાય છે અને તેના બીજા દિવસે એટલેકે ચૈત્ર કૃષ્ણ પ્રતિપદાએ હોળી રમાય છે. આ વર્ષે હોળીનો તહેવાર માર્ચના બીજા અઠવાડિયામાં છે. એટલેકે ધૂળેટી 8 માર્ચે બુધવારે મનાવવામાં આવશે. આ વખતે હોળીકા દહન સમયે ભદ્રા રહેશે નહીં.
હોળીકા દહનનો શુભ સમય
ફાગણ મહિનાની પૂનમ તિથિ 06 માર્ચ, 2023 ના રોજ બપોરે 02:47 વાગ્યે શરૂ થશે. તે 07 માર્ચ, 2023 ના રોજ સાંજે 04:39 વાગ્યે સમાપ્ત થશે. હોલિકા દહન સાંજે કરવામાં આવશે. એટલે કે આ વખતે હોળીકા દહન 7 માર્ચે સાંજે કરવામાં આવશે.
હોળીકા દહનની સામગ્રી
હોળીકા દહનની પૂજા અમુક વિશેષ વસ્તુઓ વગર અધૂરી માનવામાં આવે છે. તેથી પૂજા પહેલા આ વસ્તુઓની વ્યવસ્થા અવશ્ય કરી લો. જેમાં એક વાડકી પાણી, ગાયના છાણની માળા, રોલી, અક્ષત, અગરબતી, ફળ, ફૂલ, મિઠાઈ, કલાવા, હળદરના ટુકડા, મગની દાળ, પતાશા, ગુલાલ પાઉડર, નારિયેળ, આખુ અનાજ વગેરે હોવુ જોઈએ.
હોળાષ્ટકમાં ના કરો આ કામ
આ વર્ષે હોળાષ્ટક 8 નહિ પરંતુ 9 દિવસના છે. આ વર્ષે હોળાષ્ટક 27 ફેબ્રુઆરીથી 7 માર્ચ સુધી છે. હોળાષ્ટક ફાગણ મહિનાના શુક્લ પક્ષની આઠમથી લઇને ફાગણ પૂર્ણિમાની રાત્રે હોળીકા દહન થાય ત્યાં સુધી રહે છે. જ્યોતિષ મુજબ આ 9 દિવસના હોળાષ્ટકમાં સૂર્ય, ચંદ્ર, શનિ, શુક્ર, ગુરૂ, બુધ, મંગળ અને રાહુ ગ્રહ ઉગ્ર રહે છે. આ ઉગ્ર ગ્રહોની નકારાત્મક અસર માંગલિક કામો પર પડે છે તેથી હોળાષ્ટક દરમ્યાન શુભ કામ કરવાની મનાઈ હોય છે. આવો જાણીએ કે હોળાષ્ટકમાં કયા કામ ના કરવા જોઈએ.-હોળાષ્ટકમાં લગ્ન, મુંડન, નામકરણ, સગાઈ સહિત બધા શુભ કામ ના કરવા જોઈએ.
-ફાગણ શુક્લ આઠમથી લઇને પૂનમ દરમ્યાન હોળાષ્ટકમાં નવા ઘરમાં પ્રવેશ કરવો જોઈએ નહીં અને ઘરનુ નિર્માણ શરૂ ના કરવુ જોઈએ.
-હોળાષ્ટક દરમ્યાન નવુ ઘર, કાર, જમીન વગેરે પણ ના ખરીદવુ જોઈએ અને બુકિંગ પણ ના કરવુ જોઈએ.
-હોળાષ્ટકમાં યજ્ઞ, હવન જેવા ધાર્મિક અનુષ્ઠાન પણ ના કરવા જોઈએ. જો કે, ભગવાનનુ ભજન-કીર્તન કરવુ ઘણુ શુભ હોય છે.
સાથે જ હોળીના દિવસે રાશિ પ્રમાણે આ વસ્તુઓનું દાન કરવાથી દરેક પરેશનીઓ દૂર થાય છે
રાશિ પ્રમાણે કરો આ વસ્તુઓનું દાન
મેષ - મેષ રાશિના લોકોએ પૈસાની સાથે કપડાનું અને ખાસ આ દિવસ ગોળનું દાન કરવું જોઈએ.